Krushi Vigyan કૃષિ વિજ્ઞાન @krushivigyan Channel on Telegram

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

@krushivigyan


કૃષિ વિજ્ઞાન - ગુજરાતનું સૌથી વધુ અસરકારક કૃષિ મેગેઝિન

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન (Gujarati)

કૃષિ વિજ્ઞાન - ગુજરાતનું સૌથી વધુ અસરકારક કૃષિ મેગેઝિનnકૃષિ એ ગુજરાતની જીવનશૈલી અને અર્થવ્યવસ્થા માટે મુખ્ય ક્ષેત્ર છે. આ મેગેઝિન તમને તાજા ખેડૂતોની સમાચારો, ટેકનોલોજી, ખેતીમાટે ઉપયોગી માહિતી, સમર્થની, ટિપ્સ અને ટ્રિક્સ આપશે. આ ચેનલ ગુજરાતી ખેડૂતો માટે જરૂરી માહિતી અને સુચનાઓ પ્રદાન કરે છે. આપણે આ ચેનલમાં આવીને સુચનાઓ અને માહિતીનો લાભ મેળવી શકીએ છીએ. તમને ખેડૂતિકાયી માહિતી અને ટેકનોલોજી માટે આ ચેનલનો સેવ કરવો જોઈએ.

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

02 Feb, 10:36


વસંત પંચમીના સૌને પ્રણામ... શુભેચ્છા. 🙏

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

14 Jan, 05:52


મકર સંક્રાંત ની આપ સૌ વાંચક મિત્રોને શુભેચ્છા

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

11 Jan, 06:27


સ્વીફ્ટ અને નિયો કરે કમાલ..
રાસી સીડ્સની કપાસની નવી જાતો વાવીને કપાસની ખેતીમાંથી સારી આવક મેળવતા ખેડૂતો પોતાનો અનુભવ જણાવે છે. રાસી સ્વીફ્ટ અને નિયો જાતોએ ખુબ વખણાઈ છે. તમારે તે અનુભવ વાંચવો હોય તો નીચે આપેલ લીનક ક્લિક કરી ને કૃષિ વિજ્ઞાન કપાસ ફિલ્ડ રીપોર્ટ ૨૦૨૪ વાંચી લો.

https://indd.adobe.com/embed/ca0df48b-cf93-4f6d-bce9-9c3845f6e751?startpage=20

અને રાસી સીડ્સના બિયારણ તમારી નજીકમાં ક્યાંથી મળશે તે વિષે જાણવા અહી ક્લિક કરો.
https://tinyurl.com/27797fr4

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

08 Jan, 05:21


ડોક્ટર ઢોલરીયાની અસંખ્ય સફળ જાતો બાદ ફરી નવી જાતો ખેડૂતો માટે જક્કાસ અને શિવબા ના ખુબ સારા પરિણામ ખેડૂતને મળે છે. આ જાત કેવી છે તે વિષે જાણવા નીચે આપેલ લીનક ખોલો.

https://indd.adobe.com/embed/ca0df48b-cf93-4f6d-bce9-9c3845f6e751?startpage=19

અને ડોક્ટર સીડ્સના બિયારણ તમારી નજીકમાં ક્યાંથી મળશે તે વિષે જાણવા અહી ક્લિક કરો. https://tinyurl.com/233skjjg

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

26 Dec, 07:00


ગુજરાતનું નંબર - ૧ કૃષિ મેગેઝીન કૃષિ વિજ્ઞાન ડીસેમ્બર ૨૦૨૪

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

21 Dec, 12:22


કૃષિ માહિતીનો ખજાનો - કૃષિ મેળો મજાનો

રાજકોટમાં શાસ્ત્રી મેદાન ખાતે યોજાયેલ કૃષિ મેળો

તારીખ ૨૦- ૨૧ - ૨૨ ડીસેમ્બર ૨૦૨૪

મુલાકાત ન લીધી હોય તો પહોચી જાવ આવતી કાલે છેલ્લો દિવસ અને કૃષિ વિજ્ઞાનનું લવાજમ ભરો. ઘણા ખેડૂતો પોતાનું લવાજમ રીન્યુ કરાવે છે. શું તમે કરાવ્યું ?

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

20 Dec, 12:01


શું તમે કૃષિ મેળાની મુલાકાત લીધી ?

રાજકોટમાં શાસ્ત્રી મેદાન ખાતે યોજાયેલ કૃષિ મેળો તારીખ ૨૦- ૨૧ - ૨૨ ડીસેમ્બર ૨૦૨૪
મુલાકાત ન લીધી હોય તો આવતી કાલે પહોચી જાવ અને કૃષિ વિજ્ઞાન નું લવાજમ ભરો. ઘણા ખેડૂતો પોતાનું લવાજમ રીન્યુ કરાવે છે. શું તમે કરાવ્યું ?

વોટ્સઅપ દ્વારા માહિતી માટે આ લીંક ક્લિક કરો. https://tinyurl.com/22rln2gh

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

18 Nov, 07:57


-----------------------
મરચીના પાંદડા ખરે કેવી રીતે ?
-----------------------
મરચીના પાંદડા ખરવાનું કારણ…

મરચીમાં બે રોગ આવે છે એક બેકટેરીયલ સ્પોટ- પાનના ટપકાનો રોગ અને બીજો સરકોસ્પોરા લીફ સ્પોટ- આ બન્ને રોગ લાગ્યા પછી મરચીના પાન ૧૫ થી ૨૦ દિવસ પછી ખરે. હવે યાદ રાખો કે દવા કયારે છાંટવાની હતી ૧૫ દિવસ પહેલા અને ખેડૂતો જાગે છે કયારે રોગનું નુકશાન દેખાય ત્યારે શું ઈલાજ સાચો થાય ? ના થાય. પણ નોંધો કે બેકટેરીયલ સ્પોટમાં મરચીના પાન પોતાની મેળે ખરે જયારે સર્કોસ્પોરા લીફ સ્પોટમાં તમે કે મજૂર પડામાં ચાલે ત્યારે છોડને અડો તો ખરે, આ રોગ ઓગષ્ટ સપ્ટેમ્બરમાં જોવા મળે છે. આ સમય પૂરો થઇ ગયો હવે તો ભૂકી ચારણી શક્યતા વધુ રહેશે, . લાલ મરચાનો રોગ એન્થ્રેકનોઝ ની વાત હવે પછી

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

17 Nov, 18:30


-----------------------
શું મિત્ર કીટક ઢાલિયા નો સંગ્રહ થઇ શકે ?
-----------------------
મિત્ર કીટક ઢાલિયા

જે વિસ્તારમાં મિત્ર કીટક ડાળિયા હોય ત્યાંથી પકડી લઇ, જ્યાં મોલો વધુ આવ્યો છે ત્યાં છોડી શકાય ? તો તો મજો પડી જાય ને ? આ અંગેનો પ્રયોગ થયો છે – લાલ જાતના જીવતાં ડાળિયાને ફ્રીઝમાં સંગ્રહવાનો ! કાચ કે પ્લાસ્ટીકની પારદર્શક બરણીમાં 200 થી 400 ડાળિયા પૂરી, ઢાંકણ બરાબર બન્ધ કરી, અંદર કશાયે ખોરાકનો પુરવઠો કે હવા માટે કાણાં સુધ્ધાં રાખ્યા વિના ઘરઘરાઉ ફ્રીઝમાં સુવડાવી દીધા અને ચાર-પાંચ મહિને ઢાંકણ ખોલતાં બે થી ત્રણ જ મિનિટમાં બહારના વાતાવરણના સંસર્ગમાં આવતા લગભગ 70 ટકા વસ્તીએ જીવનક્રિયાઓ પુન; શરૂ કરી દીધી. અને વળી પાછું કેવું ખબર છે ? ગર્ભવતી માદા સાડાચાર માસ સુવરાવી રાખ્યા પછી બીજા-ત્રીજા દિવસે પોતાના અગાઉ રહેલા ગર્ભમાંથી ઇંડાં મૂકવાનું ચાલુ કરી દે ! અરે, સંભોગ કરવાનું, મોલોમસી ખાવાનું, બધું જ યથાવત ચાલુ કરી દે. સાડાચાર માસની લાંબી નીંદર ખેંચી પછી પણ . હવે તો અમુક ખાનગી કંપનીઓ પણ ડાળિયા વેચાતા આપે છે. આ ઉપાય હાથવગો અને આપણે ખેડૂતો જાતે કરી શકીએ તેવો છે.

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

17 Nov, 10:25


-----------------------
જીવાણું (બેક્ટેરિયા)
-----------------------
– જીવાણું (બેક્ટેરિયા) : બેક્ટેરિયા પાવડરને પાણી સાથે ભેળવી પાક પર છાંટવામાં આવે છે. જેથી. બેક્ટેરિયા પાનની સપાટી પર સ્થિર થાય છે. જીવાત જ્યારે આવા બેક્ટેરિયાયુક્ત પાન ખાય છે ત્યારે ખોરાક સાથે બેક્ટેરિયા જીવાત અન્નનળી દ્વારા આંતરડામાં પ્રવેશે છે. જીવાતના આંતરડામાં રહેલ ઊંચા અમ્લતાવાળા માધ્યમમાં બીજાણુંનું સ્કુરણ થાય છે અને ખાસ પ્રકારનું ઝેરી પ્રોટીનયુક્ત ક્રિસ્ટલ રસાયણ ઉત્પન્ન કરે છે. આ ઝેરી રસાયણ આંતરડાની દિવાલમાંથી પસાર થઈ જીવાતની દેહમાં દાખલ થાય છે અને જીવાતનું મૃત્યુ થાય છે. જીવાતની શરીરની ચામડી અંદરના દબાણને લીધે તૂટી જઈ બીજાણું બહારની બાજુએ ફેંકાય છે અને બેક્ટેરિયાનો આપમેળે ફેલાવો થાય છે.

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

17 Nov, 07:25


-----------------------
કપાસ : નીંદણ નિયંત્રણ
-----------------------
* દક્ષિણ ગુજરાતના પિયત વિસ્તારમાં સંકર કપાસમા નીંદણ નિયંત્રણ કરવા માટે ઓકઝાડાયેઝેન હેકટર દીઠ ૧.૦ કિ.ગ્રા. છાંટવું | તેમજ ચાર વખત હાથથી નીંદામણ કરવું ડાયુરોન હેકટર દીઠ ૦.૭૫ કિ.ગ્રા. પાક ઉગ્યા બાદ ૨૦ દિવસે છાંટવાથી તેમજ ત્યાર બાદ ચાર વખત હાથ વડે નીંદામણ કરવાથી પણ નીંદણનું અસરકારક નિયંત્રણ કરી શકાય છે. આ ઉપરાંત આ સિવાય ઓકઝાડાયેઝોન હેકટર દીઠ ૧.૦ કિ.ગ્રા. પ્રિઈમરજન્સ છંટકાવ કરવો. પાક ઉગ્યા બાદ ૨૦ દિવસે ડાયુરોન હેકટર દીઠ ૦.૭૫ કિ.ગ્રા. તેમજ જરૂરિયાત મુજબ બે વખત હાથ વડે નીંદામણ કરવું અથવા

* ઉત્તર પશ્ચિમ ખેત-હવામાન (વી ૭૯૭) કપાસનું વાવેતર કરતા ખેડૂતોએ પાકની વાવણી બાદ ચાર અઠવાડિયે એક આંતરખેડ તેમજ એક વખત હાથ વડે નીંદામણ કરવું

* દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત-હવામાન વિસ્તારમાં સંકટ કપાસનું વાવેતર કરતા ખેડૂતોને કપાસના પાકમાં નીચે પૈકી કોઈપણ એક નીંદણ નિયંત્રણ પધ્ધતિ અનુસરવાની સલાહ છે.

મજુરોની અછતની પરિસ્થિતિમાં

ફ્યૂકલોરાલીનનો હેકટર દીઠ ૦.૯૦ કિ.ગ્રા. પ્રિઈમરજન્સ છંટકાવ કરવો. તેની સાથે સાથે પાકની વાવણી બાદ ૩૦ અને ૬૦ દિવસે એમ બે વખત હાથ વડે…

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

17 Nov, 07:08


-----------------------
દિવેલામાં નીંદણ નિયંત્રણ કેમ કરવું ?
-----------------------
દિવેલામાં નીંદણ નિયંત્રણ

ઉત્તર ગુજરાત ખેત-હવામાન વિસ્તાર (ખેતી આબોહવા પરિસ્થિતિ-૧) માં પિયત દિવેલાનું વાવેતર કરતાં ખેડૂતોને દિવેલાના પાકમાં અસરકારક અને અર્થક્ષમ નીંદણ નિયંત્રણ કરવા માટે વાવણી બાદ ૩૦ અને ૬૦ દિવસે એમ બે -વખત આંતરખેડ તેમજ બે વખત હાથ નીંદામણ કરવાની સલાહ આપવામાં આવે છે. વળી, જે ખેડૂતો લીલા ઘાસ-ચારા મટે રજકાના વાવેતરમાં રસ ધરાવતા હોય તેઓને પણ સલાહ આપવામાં આવે છે કે અગાઉની વાવણી કરેલા દિવેલાના પાકમાં વાવણી બાદ ૩૦ અને ૬૦ દિવસે એમ બે આંતરખેડ અને બે વખત હાથ વડે નીંદામણ કરી ઓકટોબર મહિનામાં રજકાના બીજને ટૂંકી દેવા.

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

16 Nov, 13:18


Live stream finished (349 days)

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

16 Nov, 10:11


-----------------------
દાળિયા (લેડી બર્ડ બીટલ)
-----------------------
દાળિયા (લેડી બર્ડ બીટલ ) : તે ખૂબ જ જોવા મળતું અને જાણીતું પરભક્ષી કોટક છે. ખેતીમાં તેનો એક દાયકાથી કીટકીના જૈવિક નિયંત્રણ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તે બહુભોજી પરભક્ષી છે. તેની ઈયળ અને પુખ્તાવસ્થા પરભક્ષી છે. દાળિયાની નાની ઈયળો યજમાન કીટકના શરીરમાંથી લોહી ચૂસે છે. જ્યારે મોટી ઈયળો અને પુખ્ત દાળિયા મોલોને ચાવીને ખાય છે. આ પરભક્ષીની દૃશ્ય શક્તિ ઓછી હોવા છતાં એક પુખ્ત દાળિયું તેના જીવનકાળ દરમિયાન ૫૦૦૦ જેટલી મોલોનું ભક્ષણ કરે છે. આમ તો દાળિયા મોલોનું ભક્ષણ કરે છે પણ સાથે સાથે ફૂદા અને ચૂસિયાના ઈંડા, કથીરી, થ્રીપ્સ અને અન્ય નાના શરીરવાળા કીટકોનું પણ ભક્ષણ કરતું હોવાથી તે એક અગત્યનું પરભક્ષી છે. દાળિયા શાકભાજી પાકો, ધાન્ય પાકો, કઠોળ વર્ગના પાકો, ફળ પાકો અને બાગાયતી પાકોમાં મોલોના નિયંત્રણ માટે ઉપયોગી છે. સેરેન્જીયમ પારસેસેટોસમ નામના દાળિયાના પુખ્ત અને ઈયળ અવસ્થા શેરડીની સફેદમાખીની તમામ પર નભતા જોવા મળે છે.

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

15 Nov, 18:32


-----------------------
કૃષિ યુનીવર્સીટીના દ્વારેથી : બરુ નીંદણનું નિયંત્રણ – Sorghum halepense
-----------------------
બરુ નીંદણનું નિયંત્રણ

વિશે જણાવતા સર્વશ્રી ડૉ. આર. કે. માથુકિયા શ્રી પી. આર. માથુકિયા શ્રી એસ. જે. વેકરીયા નીંદણ નિયંત્રણ યોજના, કૃષિ વિજ્ઞાન વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ – ૩૬૨૦૦૧ ફોન ઃ (મો.) ૭૬૦૦૪૫૫૪૫૯ બરૂં ૨ મીટર ઊંચાઈ ધરાવતું બહુવર્ષાયુ ઘાસ છે. તેનું પ્રસર્જન વાનસ્પતિક જડીયાંથી તેમજ બીજથી થાય છે. નિયંત્રણ ઃ ઉનાળામાં ખેડ કરવી. નવી ફુટ પર ડાલાપોન ૫-૭ કિ.ગ્રા. પ્રતિ હેકટર પ્રમાણે ૭-૧૦ દિવસના અંતરે બે છંટકાવ કરવા. ડિસ્ક પ્લાઉથી ખેડ કર્યા બાદ કપાસ, મકાઈ, સોયાબીનનું વાવેતર કરવું.ટીસીએ ૩૦ કિ.ગ્રા. પ્રતિ હેકટર છાંટવાથી ૯૯% નિયંત્રણ થાય છે. શેઢા-પાળા, પડતર વિસ્તારમાં ફૂલ આવે તે પહેલાં ડાલાપોન, ડાયુરોન, બ્રોમાસીલ કે સોડિયમ કલોરેટ, ગ્લાયફોસેટ, પેરાક્વોટ પૈકી ગમે તે એક દવાનો છંટકાવ કરવો.

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

15 Nov, 18:32


-----------------------
મગફળીના ભોટવા (ગ્રાઉન્ડ નટ પોડ બોરર) જીવાતની નિયંત્રણ વ્યવસ્થા:
-----------------------
મગફળીનો સંગ્રહ કરતાં પહેલાં તેને સુર્યના તાપમાં બરાબર સૂકવવી અને દાણામાં ૭ ટકા ભેજ રહે ત્યાર બાદ તેનો કોઠારમાં સંગ્રહ કરવો. કોઠારમાં સંગ્રહ કરતાં પહેલા તેની દિવાલો, છત અને તળીયામાં આવેલ તીરાડોને સીમેન્ટથી ભરી દેવી અને ત્યારબાદ તેમાં ચુનો કરવો. નવી મગફળીનો સંગ્રહ કરતાં પહેલાં કોઠારને બરાબર સાફ કરવો, જો કોઠારમાં જીવાત જણાય તો સાયપરમેથ્રીન રપ ઈસી ૧ મિ.લિ. ૧ લીટર પાણીમાં ભેળવીને દિવાલો, ભોંયતળીયા અને છત ઉપર છાંટવું. એક જ કોઠારમાં જુની અને નવી મગફળીનો સંગ્રહ કરવો નહી. જુના કોથળામાં મગફ્ળીનો સંગ્રહ કરવાનો હોય ત્યારે તેને ઉલટાવીને ઉપર જણાવેલ દવાનું છાંટણ કરવુ અને તેને છાયડામાં સૂકવવા અને ત્યાર બાદ સૂકાયેલ કોથળાને ઉલટાવી નાખીને તેમા મગફળી ભરવી. સંગ્રહિત મગફળીમાં જીવાતોની સક્રિય અવસ્થાની હાજરી જણાય ત્યારે એલ્યુમિનિયમ ફોસ્ફાઈડની ૩ ગ્રામની એક એવી ત્રણ પડીકી ૧૦૦૦ કિ.ગ્રા. મગફળીમાં મુકવી અને તેનું ધ્રુમીકરણ કરવું. ધ્રુમીકરણની માવજત તાલીમ પામેલ તાંત્રીક કર્મચારી/ વ્યક્તિના માર્ગદર્શન હેઠળ જ…

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

15 Nov, 10:09


-----------------------
મૂળ ગાંડીકા એટલે યુરિયાની ફેક્ટરી
-----------------------
મૂળ ગાંડીકા એકલે યુરિયાની ફેક્ટરી કઠોળ વર્ગના મૂળનું તો અદ્ભુત કાર્ય છે. મગફળી, મગ, અડદ, મઠ જેવા પાકો શિમ્બી કુળની વનસ્પતિ કહેવાય છે. આ વનસ્પતિના સ્થાનિક મૂળ તંત્ર પર નાની નાની ગંડિકાઓ જોવા મળે છે. આ ગંડિકામાં રાઈઝોબીયમ નામના જીવાણું જોવા મળે છે. ગંડિકામાં રહીને તેઓ હવામાંથી જમીનમાં આવતા નાઈટ્રોજન વાયુને નત્રલ પદાર્થમાં ફેરવીને મૂળને આપે છે. આમ મૂળ નાઈટ્રોજનનું સ્થિરીકરણ કરે છે. આથી જમીનની ફળઠ્ઠુપતા પણ વધે છે.અમરવેંલ, ગળોનીવેલ જેવી પરોપજીવી વનસ્પતિના મૂળ કે શીંગોડા જેવી પાણીમાં ઉગતી વનસ્પતિના મૂળ, કેવડાના બહારથી દેખાતા મૂળ કે લસણ ડુંગળીના આછા તંતુમૂળ જેવી અનેક વનસ્પતિના મૂળનું બારીકાઈથી નિરીક્ષણ કરવા જેવું છે. અત્યાર સુ આપણે જમીનની ઉપર રહેલા છોડ કે વૃક્ષના ભાગોને જોતા હતા પરંતુ ક્યારેક મૂળ અને તેના ભાગોને નિરખવા જેવા છે. અભ્યાસ કરવા જેવો છે. મૂળને રોગ વગરના સ્વસ્થ રાખવા જેવા છે તો જ હવામાં લહેરાતો છોડ સમૃધ્ધિનો ઉજાસ દેખાડશે

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

15 Nov, 07:27


-----------------------
બોર્ડો મિશ્રણ બનાવવાની રીત
-----------------------
જરૂરિયાત : (૧) મોરથુથુ (૨) ફોડેલો ચુનો અને (૩) પ્લાસ્ટીકની ત્રણ ડોલ અથવા માટી કે લાકડાના વાસણ. સામાન્ય રીતે પઃપ૫ઃ૫૦ ના પ્રમાણમાં બોર્ડા મિશ્રણ બનાવવા માટે નીચે મુજબ મોરથુથુ, ચુનો અને પાણી જોઈએ. મોરથુથુ પ કિલોગ્રામ, ચુનો પ કિલોગ્રામ અને પાણી ૫૦૦ લિટર. આનો મતલબ એવો થયો કે ૧%નું દ્રાવણ બનાવવું હોય તો ૧ કિલોગ્રામ મોરથુથુ, ૧ કિલોગ્રામ ચુનો અને ૧૦૦ લિટર પાણી જોઈએ. ૧ કિલોગ્રામ મોરથુથુ લો, પ્લાસ્ટીકની ડોલમાં ૫૦ લિટર પાણી લઈ મોરથુથુને તેમાં ઓગાળો. ઠંડા પાણીમાં મોરથુથુ ધીમે ઓગળે છે. આથી સહેજ ગરમ પાણી વાપરવું. મોરથુથુ ઓગાળવા ધાતુના વાસણ વાપરવા નહીં.

ત્યારબાદ ૧ કિલોગ્રામ ચુનો લો, પ્લાસ્ટીકની બીજી ડોલમાં ચુનો નાખીને ૫૦ લિટર પાણી ધીમે ધીમે નાખો અને દ્રાવણ લાકડી વડે હલાવતા રહો. ચુનાના દ્રાવણને ત્યારબાદ ગાળી લેવું. હવે પ્લાસ્ટીકની ત્રીજી ડોલમાં મોરથુથુ તથા ચુનાના દ્રાવણને એકી સાથે રેડો અને લાકડી વડે બરાબર હલાવતા રહો. જેથી મિશ્રણ બરાબર થઈ જાય. મિશ્રણ બની ગયા બાદ તેને ગાળી તેવું. ઉપર મુજબ બનાવેલા બોર્ડો મિશ્રણમાં લોખંડના ધારદાર…

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

15 Nov, 07:17


-----------------------
ટામેટા : નીંદણ નિયંત્રણ
-----------------------
ટામેટીની પાકમાં નીંદણ નિયંત્રણ માટે હેક્ટર દીઠ ૦.૭૦ કિ.ગ્રા. મેટ્રીબ્યુઝીન ફેરરોપણી બાદ એક અઠવાડિયામાં છાંટવી. જો બજારમાં મેટ્રીબ્યુઝીન લભ્ય ન હોય તો હેકટર દીઠ ૧:૧૨૫ કિ.ગ્રા. ફ્યુકલોરાલીન ફેરરોપણી બાદ એક અઠવાડિયામાં છાંટવી. જો બંને દવાઓ કોઈપણ સંજોગોમાં વાપરી શકાય તેમ ન હોય તો જરૂર પ્રમાણે હાથથી નીંદામણ કરવું.

* મધ્ય ગુજરાત ખેત-હવામાન વિસ્તારમાં ટામેટાની ખેતીમાં અસરકારક નીંદણ નિયંત્રણ માટે પાકની ફેરરાપણી બાદ ૨૦, ૪૫, ૬૦, ૯૦ અને ૧૨૦ દિવસે એમ પાંચ હાથ નીંદામણ કરવા જયાં મજૂરો ઉપલબ્ધ ન હોય ત્યાં પાકની ફેરરોપણીબાદ ૨ થી ૩ દિવસમાં પેન્ડીમીથાલીન હેકટરે ૧.૦ કિ.ગ્રા. અથવા ફ્લ્યુકોરાલીન ૧.૦ કિ.ગ્રા. અથવા બ્યુટાકલોર ૧.૦ કિ.ગ્રા. અથવા ઓકઝાડાયઝોન હેકટરે ૦.૫૦ કિ.ગ્રા. પ્રમાણે છંટકાવ કરવો અને ૪૫ દિવસે હાથ નીંદામણ તથા પાળી ચઢાવવી.

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

14 Nov, 10:08


-----------------------
જથ્થામય સેન્દ્રીય ખાતરો
-----------------------
જથ્થામય સેન્દ્રીય ખાતરો : ખેતરમાં મોટેપાયે જથ્થામાં આપવામાં આવે છે. આવા ખાતરો સામાન્ય રીતે વનસ્પતિના અવશેષો, પશુઓના છાણ, મૂત્ર અથવા ગામ કે શહેરના કચરામાંથી બનાવવામાં આવે છે. તેને કોઈ ચોક્કસ રાસાયણિક બંધારણ હોતું નથી. આવા ખાતરોમાં છાણિયું ખાતર, ગળતિયું ખાતર અને લીલા પડવાશનો સમાવેશ થાય છે.

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

14 Nov, 07:04


-----------------------
સોયાબીન : નીંદણ નિયંત્રણ
-----------------------
દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત-હવામાન ખેડૂતોને ચોમાસુ સોયાબીનના પાકમાં અસરકારક અને અ અર્થક્ષમ નીંદણ નિયંત્રણ કરવા માટે ફ્લ્યુકોરાલીન હેકટર દીઠ ૦.૯૦ કિ.ગ્રા. પ્રિઈમરજન્સ છંટકાવ કરવાની અને ૨૦-૨૫ દિવસે હાથ વડે નીંદામણ કરવાની અથવા પેન્ડીમીથાલીન હેકટર દીઠ ૦.૭૫ કિ.ગ્રા. પ્રિઈમરજન્સ તરીકે છંટકાવ કરવાની અને ૨૦ ૨૫ દિવસે હાથ વડે નીંદામણ કરવાની અથવા એલાકલોર હેકટર દીઠ ૦.૭૫ કિ.ગ્રા. પ્રિઈમરજન્સ તરીકે છંટકાવ કરવાની અને ૨૦ ૨૫ દિવસે હાથ વડે નીંદામણ કરવાની સલાહ છે.

જ્યાં મજૂરો સહેલાઇથી મળી શકે તેમ હોય ત્યાં વાવણી પછી ૨૦ અને ૪૦ દિવસે એમ બે વખત હાથ વડે નીંદામણ કરવાથી નિયંત્રણ કરી શકાય છે.

* મધ્ય ગુજરાત ખેત હવામાન વિસ્તારમાં ચોમાસુ સોયાબીનના પાકમાં અસરકારક અને અર્થક્ષમ નીંદણ નિયંત્રણ કરવા ૨૦ અને ૪૦ દિવસે આંતરખેડ તથા હાથ નીંદામણ કરવું મજૂરો ઉપલબ્ધ ન હોય તો પ્રિઈમરજન્સ

નીંદણનાશક દવા ફ્યુકલોરાલીન ૧.૦ કિ.ગ્રા./હે. અથવા પેન્ડીમીથાલીન ૦.૭૫ કિ.ગ્રા./હે. | છંટકાવ અને ૩૦ દિવસે હાથ નીંદામણ : અથવા પોસ્ટ ઈમરજન્સ નીંદણનાશક કાઝાલોોપ ૫૦ ગ્રામ/હે. વાવણી બાદ ૧૫…

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

13 Nov, 18:30


-----------------------
ગાય પ્લાસ્ટિક ખાય જાય તો શું થાય ?
-----------------------
ગાય પ્લાસ્ટિક ખાય જાય

ભગવાન બહુ દયાળુ છે. ગાય – ભેંશ જેવા ઢોરના પેટમાં કુદરતે એવી કરામત કરેલી હોય છે કે તેના પેટમાં કુલ ચાર વિભાગ પાડ્યા છે. જેમાં ત્રીજો વિભાગ છે ફીલ્ટરેશન માટેનો. એમાં એવી ગળણી ગોઠવેલી હોય છે એટલે ખીલી, કાંકરા, ચામડા કે પ્લાસ્ટિકના અવશેષો તેના પેટના ચોથા વિભાગમાં પ્રવેશી નુકશાન ન કરી શકે. એટલે આવું બધું પશુના ત્રીજા પેટમાં જમા થતું રહે છે. આજે ચારાની વધતી જતી મોંઘાઇના હિસાબે કેટલાય માલ-ઢોર શહેરોમાં કે ગામડાંઓમાં રખડી-ભીખી પેટ ભરતા હોય છે. તે બધા આવા પ્લાસ્ટિક કાગળો હોંશે હોંશે ખાઇ જતાં હોય છે. ગાયના પેટમાંથી 40-50 કીલો જેટલો પ્લાસ્ટિકનો જથ્થો નીકળે તે વાત કંઇ માન્યામાં આવે ખરી ? હા, માનવું પડે એવું છે.

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

13 Nov, 11:01


-----------------------
જમીનની નિતારશક્તિમાં સુધારો કરવો કેમ જરૂરી છે ?
-----------------------
જમીનની નિતારશક્તિમાં સુધારો જરૂરી : જમીનની નિતારશક્તિ જો નબળી હોય તો તે પાકના વિકાસમાં અવરોધ ઊભો કરે છે તેમજ જમીનની અંદર રહેલા સૂક્ષ્મજીવાણુઓની પ્રક્રિયાઓ પણ અવળી અસર કરે છે. આ અવરોધને દૂર કરવા માટે આપણે જમીનની નિતારશક્તિમાં સુધારો કરવો જોઈએ, જેથી કરીને છોડના મૂળનો વિકાસ સારો થાય અને સાથે સાથે અમુક પોષક્તત્ત્વોનું પણ લભ્ય સ્વરૂપમાં રૂપાંતર થવાથી જમીનની ફળકઠ્ઠુપતામાં વધારો થાય છે.

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

13 Nov, 07:04


-----------------------
ઘઉં : ઘઉંમાં નીંદણ નિયંત્રણ
-----------------------
* ઉત્તર ગુજરાતની પરિસ્થિતિમાં પિયત ઘઉંમ નીંદણ નિયંત્રણ માટે ૨, ૪-ડી સોડિયમ સોલ્ટ હેકટરે ૦.૯૬ કિ.ગ્રા. મુજબ ઘઉંના વાવેતર બાદ ૩૦ થી ૩૫ દિવસે છાંટવું. જો આ શક્ય ન હોય તો હાથથી બે વખત નીંદામણ કરી પાકને નીંદણમુક્ત રાખવો.

* મધ્ય ગુજરાત ખેત હવામાન વિસ્તાર (ખેત આબોહવા પરિસ્થિતિ-૨)માં ઘઉંનું વાવેતર કરતા ખેડૂતોને ઘઉંનુ વધુ ઉત્પાદન મેળવવા પાકને વાવણી બાદ શરૂઆતના ૩૦ દિવસ સુધી નીંદણમુક્ત રાખવાની સલાહ છે.

* મધ્ય ગુજરાત વિસ્તાર (ખેતી-આબોહવા પરિસ્થિતિ-૨)માં ઘઉંનુ વાવેતર કરતા ખેડૂતોને આ પાકમાં જ્યાં ‘ ચિલ-બલાડો’ નામના પ્રમાણ સવિશેષ છે, ત્યાં અસરકારક અને અર્થક્ષમ નીંદણ નિયંત્રણ માટે ૨,૪-ડી ( સોડિયમ અથવા એસ્ટર) હેકટર દીઠ ૦.૭૫ કિ.ગ્રા, મુજબ વાવણી બાદ ૩૦ દિવસે છંટકાવ કરવાની સલાહ છે પરંતુ જ્યાં પહોળા પાન અને ઘાસ વર્ગના નીંદણોનો પ્રશ્ન હોય ત્યાં પેન્ડીમીથાલીન હેકટર દીઠ ૦.૫૦ થી ૧.૦ કિ.ગ્રા. મુજબ પ્રિ ઈમરજન્સ તરીકે છંટકાવ કરવો. જમીનના ઉપરના સ્તરમાં ભેજ હોવો જરૂરી છે.

વધુમાં જો મજૂરો લભ્ય હોય તો વાવણીબાદ ૩૦ દિવસે એક વખત હાથકરબડી અથવા એક…

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

13 Nov, 02:30


-----------------------
કૃષિ ટેકનોલોજી : ટોમેટો કોન્ફરન્સ
-----------------------
ટોમેટો કોન્ફરન્સ

આપણે ત્યાં હજુ ખેતીને આધુનિક વૈજ્ઞાનિક અભિગમ મળ્યો નથી ખેડૂતો નવી નવી ટેકનોલોજી અને પ્રોડક્ટ ને સમજવા અને શીખવા કોન્ફરન્સ કે મિટિંગમાં પૈસા ખર્ચીને જતા નથી. આપણે ત્યાં કૃષિ મેળામાં બધા જાય છે પરંતુ વિગતે ચર્ચા કરવા રોકાતા નથી એને બદલે લિટરેચર, ડાયરી અને થેલી લેવા જાય છે તાજેતરમાં મોરોકકોમાં ત્રીજી વર્લ્ડ ટોમેટો કોન્ફરન્સ યોજાઈ ગઈ તેમાં બીજ, જંતુનાશક, ગ્રીનહાઉસ, એઆઈ , કોકોપીટ, ગ્રો બેગ, રોગ જાણકારી કીટ, મિત્ર કીટકો, પાક સંરક્ષણ, જુદા જુદા સ્વાદ અને આકારના ટમેટા, ફર્ટિલાઇઝર, મધમાખી, બ્રીડરો, વેપારીઓ, કંપનીઓ અને આધુનિક યુવાન ખેડૂતોએ આ કોન્ફરન્સમાં ભાગ લીધો આપણે ત્યાં આવી ટેકનોલોજી અને સમજણ અને આવી નફાકારક ખેતી ક્યારે થશે ?

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

12 Nov, 11:00


-----------------------
થ્રિપ્સ વિષે જાણો
-----------------------
થ્રિપ્સ વિષે જાણો : થિપ્સ એક્દમ નાજુક ૧થી ૨ મિ.મી લંબાઈના, શંકુ આકારના પીળાશ પડતા કે ભૂખરાં રંગના કીટક છે. બચ્ચાં પાંખો વગરના હોય છે જયારે પુખ્ત કીટક પીંછા જેવી બે જોડ પાંખો ધરાવે છે. બન્ને પાંખોની ધાર પર નાના-નાના વાળ હોય છે. થિપ્સની હાજરી મોટે ભાગે યજમાન પાકના પાનની નીચેની બાજુએ જોવા મળે છે પરંતુ કોઈક વખત તે પાનની ઉપરની સપાટીએ પણ જોવા મળે છે. પુખ્ત કીટક ખુબ જ ચપળ હોય છે અને પાનને સહેજ અડકતા તે ઝડપથી ચાલી જાય છે. અથવા તો ઉડી જાય છે. થિપ્સની ઘણી જાતિઓ નોધાયેલ છે તે પૈકી કેટલીક જાતિની થિપ્સ પોતાના ઉદરપ્રદેશના છેડાનો ભાગ થોડી-થોડી વારે ઉપર-નીચે કરતી હોય છે અને ઝડપથી ઉડી જાય છે. આ રીતે ઉદર પ્રદેશનો ભાગ ઉપરનીચે કરવાની ચેષ્ટા થિપ્સની ઉડવાની પૂર્વ તૈયારી દર્શાવે છે.

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

12 Nov, 07:12


-----------------------
તરબૂચ – ટેટીની વાવણી પદ્ધતિ જણાવશો.
-----------------------
તૈયાર કરેલ જમીનમાં ૨ મીટરના અંતરે નીક તૈયાર કરવી આ નીકની એક બાજુ પર ૩૦ × ૩૦ × ૩૦ સે.મી. માપના ખાડા તૈયાર કરવા. આ ખાડામાં માટી, છાણીયું ખાતર તથા પાયાનું રાસાયણિક ખાતર વગેરે મિશ્ર કરી ભરવા. આ પ્રમાણે ખામણા તૈયાર થયે દરેક ખામણા ઉપર ૨ થી ૩ બીજ થાણવા. જો હાઇબ્રીડ બિયારણ હોય તો ૧ જ બીજ થાણવું. વેલાની વૃદ્ધિ શરૂ થાય એટલે દરેક ખામણે એક તંદુરસ્ત છોડ રાખી બાકીના છોડ ઉપાડી દૂર કરવા. જો ધરું તૈયાર કર્યું હોય તો ખામણા દીઠ તંદુરસ્ત એક ધરું રોપવું.

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

12 Nov, 05:35


-----------------------
નીંદણ : નીંદણનું જીવનચક્ર સમજો
-----------------------
નીંદણ નિયંત્રણમાં સફ્ળ થવા માટે “ નીંદણનું જીવનચક્ર જાણવું ખાસ જરૂરી છે. એકવર્ષિય નીંદણ માટે જે રીતો અસરકારક હોય તે જ બહુવર્ષિય નીંદણો માટે ન પણ અનુકૂળ હોય. વાર્ષિક નીંદણનો ફ્લાવો મુખ્યત્વે બીજથી થતો હોય છે જેથી આવા નીંદણ ફૂલ કે બીજ અવસ્થા એ પહોંચે તે પહેલાં તેનો નીંદણ નિયંત્રણની પધ્ધતિનો ઉપયોગ કરી નાશ કરવાથી અસરકારક રીતે અટકાવી શકાય છે.

કાયમી પ્રકારના નીંદણનું પ્રસર્જન બીજ તથા વાનસ્પતિક ભાગ જેવા કે ગાંઠો, પીલા, રાઇઝોમ્સ મૂળ, થડ કે પાનથી થાય છે. બીજમાંથી તૈયાર થતા નીંદણનો નાશ કરવો તથા વાનસ્પતિક ભાગથી તૈયાર થતા નીંદણ ખેડકાર્યો, હાથ નીંદામણ કે રાસાયણિક પધ્ધતિનો ઉપયોગ કરી ઉગવાની ક્ષમતા નષ્ટ કરી નિયંત્રણ કરવા જરૂરી છે.

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

11 Nov, 13:36


-----------------------
વિપરીત વાતાવરણ – વાવણી મોડી થશે.
-----------------------
વૈજ્ઞાનિકો કહે છે કે પાકને અસાધારણ તાપમાનના બદલાવને લીધે પાક ઉત્પાદન ઘટે છે અને ઉભા પાકને ઘણું નુકશાન થાય છે. જો વિપરીત હવામાન, તાપમાન હોય તો ઘઉંનું ઉત્પાદન ૬ ટકા જેટલું ઘટી શકે છે. કારણ કે ઘઉંમાં ફૂટ પાડવા વખતે જે નીચું તાપમાન જોઈએ તેને બદલે વધુ હોય તો ઘઉંની ફૂટ ઓછી થાય છે. આજ રીતે શાકભાજી પાકો, પાંદડાવાળા શાકભાજી વગેરેમાં ફલીનીકરણ અટકે છે અને વહેલી પરિપક્વતા આવે છે. ઉભા પાકમાં આવા વિપરીત પરિણામો જોવા મળી રહ્યા છે. નવી વાવણી પણ તાપમાન જોઇને કરવા સલાહ છે.

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

11 Nov, 13:29


-----------------------
બટાટા માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.
-----------------------
સાભાર : ડો. આર. કે. માથુકીયા, નિંદાણ નિયંત્રણ યોજના,

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

11 Nov, 07:57


-----------------------
જમીનમાં પોષકતત્વોનો ઉપાડ થાય તો ફળદ્રુપતા ઘટે ?
-----------------------
જમીનમાં પોષકતત્વોનો ઉપાડ :

જમીનમાં લેવામાં આવતા પાકોને લીધે દર વર્ષે ખૂબ જ પ્રમાણમાં પોષકતત્ત્વોનો ઉપાડ થાય છે અને આ રીતે જમીનની ફળટ્ટુપતામાં ઘટાડો થાય છે. તો આવા પ્રકારના ઘટાડાને પહોંચી વળવા માટે આપણે પાકની જરૂરિયાત મુજબ જમીનમાં પોષક્તત્ત્વોનો ઉમેરો દર વર્ષે કરવો જોઈએ. આ ઉમેરો આપણે સેન્દ્રિય કે રાસાયણિક ખાતરોના સ્વરૂપમાં પાકની જરૂરિયાત મુજબ દર વર્ષે કરી શકીએ અને તે સાથે જમીનની ફ્ળદ્રુપતાની પણ જાળવણી કરી શકાય.

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

10 Nov, 18:30


-----------------------
કાયમ ખાતે ફળબાગ વાવાઝોડાથી બચી શકે તેવું થઇ શકે ?
-----------------------
ફળબાગ વાવાઝોડાથી બચી શકે માટે આપણે એવું આયોજન કરીએ કે

આખા ફળબાગને ફરતી ચારેબાજુ પવન અવરોધક પટ્ટી હોય, બાગમાં વચ્ચે પણ આડી-ઊભી ચોકડી રૂપે એક ઊંચી જીવંત પટ્ટી હોય, જેથી અંદરના ઝાડને ચારે બાજુથી ઓથ મળે. આંબા, ચીકુ, જામફળ, લીંબુ જેવા ઝાડની જમીનને અડીને રહેનારી અને ઉત્પાદનમાં વાંધો ન પાડતી હોય તેવા ઝાડની નીચલી ડાળીઓને કાપી લઈ, વૃક્ષને એક થડ પર બહુ ઊંચે જતું બચાવવું. ઝાડની કોઇ કોઇ ડાળીઓ અને ઝાડના ઘેરાવાવાળી ઘટા ધરતીને અડેલી હશે તો તેવા ઝાડને ઊથલી પડવાની શક્યતા ઘટશે. જ્યાં ટપક પદ્ધત્તિથી ઝાડને પિયત કરાતું હોય ત્યાં ઝાડના એકદમ થડિયામાં ટપકિયાં નહીં આપતાં, થડથી દૂર-ફરતાં ફરતાં આપવાથી તેનું મૂળતંત્ર થડથી દૂર અને વધારે ચોરસફૂટમાં ફેલાયેલું બનતું હોવાથી તેનું સ્ટેંડ-ફાંઉડેશન પહોળું બને એટલે ઉથલી પડવાનો ભય ઘટે છે.

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

10 Nov, 10:50


-----------------------
લસણ માં નીંદણ નિયંત્રણ
-----------------------
* દક્ષિણ ગુજરાતના ભારે વરસાદવાળા ખેત હવામાન વિસ્તાર (ખેતી-હવામાન પરિસ્થિતિ ૩) માં લસણ ની ખેતી કરતા ખેડૂતોને આ પાકમાં પિયત પાણીનો જથ્થો અને સંચયી આ બાષ્પીભવનનો ગુણોત્તર ૦.૮ થાય ત્યારે નાન ફૂવારા (મીની સ્ત્રીંકલર) પદ્ધતિથી પ્રત્યેક ૫ સે.મી. ઊંડાઈના કુલ ૧૦ પિયત આપવાની સલાહ છે. જે પૈકી પ્રથમ પિયત આપવાની સલાહ . જે પૈકી પ્રથમ પિયત વાવણી બાદ તરતજ, બીજુ પિયત વાવણી બાદ ૧૦ દિવસે અને બાકીના આઠ પિયત ત્યાર બાદ ૧૦ થી ૧૫ દિવસના ગાળે આપવા વધુમાં તેઓએ હેકટર દીઠ ૦.૭૫ કિ.ગ્રા. પેન્ડીમીથાલીન પ્રિઈમરજન્સ તરીકે નાના ફુવારા પદ્ધતિ દ્વારા પિયતની સાથે આપવાની ભલામણ છે. આમ કરવાથી ૫૦ ટકા જેટલું વધારે ઉત્પાદન મળે છે.

* દક્ષિણ સૌરાષ્ટ્રના ખેડૂતોને લસણના પાકમાં નીંદણ નિયંત્રણ માટે નીચે દર્શાવેલ પૈકી કોઇપણ એક પધ્ધતિ અનુસરવાની સલાહ આપવામાં આવે છે.

(૧) ઓક્સિફ્લુઓરફેન હેકટરદીઠ ૦.૫૦ કિ.ગ્રા. પ્રિઈમરજન્સ છંટકાવ કરવો તેમજ વાવણી બાદ ૪૦ દિવસે એક વખત હાથ વડે નીંદામણ કરવું.

(૨) ઓક્સિક્લુઓરફેન હેકટર દીઠ ૭.૨૪ કિ.ગ્રા. પ્રિઈમરજન્સ તરીકે છંટકાવ કરવો તેમજ વાવણી…

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

10 Nov, 10:49


-----------------------
નીંદણનાશક દવાઓનું વર્ગીકરણ-3
-----------------------
પોસ્ટ-ઈમરજન્સ :

ખેતરમાં પાક કે નીંદણનો ઉગાવ થયેલ હોય અને ઉગેલ પાક કે નીંદણો પર નીંદણનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તેને પોસ્ટ ઈમરજન્સ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્રકારની નીંદણનાશક દવાઓ વર્ણાત્મક પાકોમાં ઉપયોગી નીવડે છે. દા.ત. ૨, ૪-ડી ઘઉંના ખેતરમાં, પેરાક્વાટ કે ગ્લાયોસેટ બિનપાક વિસ્તારમાં, ક્વીઝાલોફોપ ઈથાઈલ કપાસ કે મગફ્ળીના પાકમાં.

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

10 Nov, 10:49


-----------------------
તરબૂચ – ટેટીમાં વાવણી અંતર અને બીજનો દર શું રાખવો જોઈએ ?
-----------------------
સામાન્ય રીતે જમીનની પ્રત અને ફ્ળદ્રુપતા મુજબ તરબૂચ અને શક્કરટેટીનું વાવેતર ૨ મીટર x ૧ મીટર , ૧.૫ મીટર X ૧ થી ૧.૫ મીટરના અંતરે કરવામાં માવે છે. જોડિયા હાર પદ્ધતિથી વાવતેર માટે ૧ મીટર ૦.૬ મીટર x ૩.૪ મીટરના અંતરે વાવણી કરવી. જો કે ટૂંકા અંતરે વાવેતર કરેલ પાકમાં ફ્ળ કદમાં નાના રહે છે. વાવણીનું અંતર અને બીજના કદને ધ્યાનમાં લેતાં ૨ થી ૨.૫ કિલોગ્રામ બીજ હેકટરના વાવેતર માટે જરૂરી છે. હાયબ્રીડ જાતો માટે હેકટરે ૦.૫ – ૧ કિલોગ્રામ બીજની જરૂરિયાત રહે છે.

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

10 Nov, 10:43


-----------------------
રોગ : શેરડીનો રાતડો
-----------------------
ટ્રાયકોડર્મા વીરીડી અથવા ટ્રાયકોડર્મા હરજીયાનમ પ્રેસમડમાં સંવર્ધન કરી રોપણી સમયે ૮ ટન પ્રતિ હેક્ટરે ચાસમાં આપવું. વધુ પડતું પિયત અથવા પાણીની ખેંચ થવા દેવી નહિ.

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

10 Nov, 10:42


-----------------------
છોડને ક્યા ક્યા પોષક તત્વોની જરૂર હોય છે ?
-----------------------
જમીન પર ઉગાડવામાં આવતા કોઈ પણ પ્રકારના પાક જેવા કે ધાન્ય, તેલીબિયા, કઠોળ, મરી-મસાલા, ફળ, ફુલ, વૃક્ષોના વિકાસ અને પૂર્ણ કક્ષાના ઉત્પાદન માટે કુલ ૨૦ પોષક તત્વો આવશ્યક છે. જે પુરતા અને સમતોલ પ્રમાણમાં પાકને મળવા અત્યંત જરૂરી છે. તેની જરૂરીયાતની માત્રા અલગ અલગ હોય છે. જરૂરીયાતના જથ્થાના આધારે પોષક તત્વોનાં ત્રણ વિભાગ પાડવામાં આવે છે.

મુખ્ય તત્વો : નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ કે જેની પાકને વધુ જથ્થામાં જરૂર પડે છે.
ગૌણ તત્વો : કેલ્શીયમ, મેગ્નેશીયમ અને ગંધકની મુખ્ય તત્વોના પ્રમાણમાં ઓછા જથ્થામાં જરૂર પડેછે અને
સુક્ષ્મ તત્વો : જેવા કે લોહ, જસત, મેગેંનીઝ, તાંબુ, બોરોન વિ. આ બધા તત્વો સામાન્ય રીતે ખુબ જ અલ્પ જથ્થામાં જરૂરી છે. આ બધા પોષક તત્વો પાક દ્વારા જમીનમાંથી અવશોષણ થતા હોય છે.

આ ઉપરાંત, કાર્બન, હાઈડ્રોજન અને ઓકસીજન કે જે ખૂબ જ વધુ જથ્થામાં જરૂરી છે અને છોડ/પાકના બંધારણમાં ૮૫ થી ૯૨ ટકા સુધી રહેલા છે. કુદરતની મહેરથી આ ત્રણે તત્વો પાણી અને હવામાંથી છોડ સીધા મેળવી લે છે.

📙 - ટેલીગ્રામ ચેનલ :…

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

10 Nov, 10:42


-----------------------
લીલો પડવાશ અને પ્રાકૃતિક ખેતી
-----------------------
જમીનમાં સેન્દ્રિય તત્વોનું પ્રમાણ વધારવા શણ,ઇક્ક્ડ, ચોળા, ગુવાર, અડદ, મગ જેવા કઠોળ વર્ગના પાકો ઉગાડી તેને ફૂલની અવસ્થાએ જમીનમાં દાબી દેવામાં આવે છે. જે કોહવાઈ જઈ વિઘટન પામે છે અને જમીનમાં સેન્દ્રીય તત્વ તથા પોષક તત્વોનું પ્રમાણ વધારે છે, જેને કારણે શુક્ષ્મ જીવો કાર્યશીલ રહે છે. ગ્લીરીસીડીયા, સુબાબુલ, લીમડો, કરેણ વગેરે જેવા ઝાડોને શેઢા પાળે લગાવવા જોઈએ અને તેમના પાન તથા કુમળી ડાળીઓને જમીનમાં ભેળવી સેન્દ્રિય તત્વોનો વધારો કરી શકાય છે, તેમજ તેમને કમ્પોસ્ટ ખાતર બનાવી શકાય છે.

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

10 Nov, 10:35


-----------------------
જીવાત : ટેકેનીડ ફ્લાય
-----------------------
માખી યજમાન કીટકોની ઈયળનું પરજીવી- કરણ કરે છે. જેમ કે મકાઈનાં વેધકો , મકાઈનો ડોડા વેધક, શેરડોના વેધકો, કોબીજની ઘોડિયા ઈયળ, કોબીજનું પતંગિયું, લશ્કરી ઈયળ, જાપાનીઝ બીટલ. આ માખીનું પુખ્ત કીટક દેખાવે ઘરમાખી જેવું રાખોડી કે કથ્થઈ રંગનું, આશરે એક ઈંચ લાંબુ અને વાળવાળું હોય છે. પૂર્ણ જીવનચક્ર જીવતી આ માખી મોટેભાગે સીધે સીધા યજમાન કીટકના શરીર પર -માથાની પાછળના ભાગે ઈંડા મૂકે છે. જ્યારે ઈંડા સેવાય ત્યારે તેની ઈયળ યજમાન કીટકના શરીરમાં પ્રવેશી અંદરના ભાગને કોરી ખાય વિકાસ પામે છે. તેની એક વર્ષમાં ઘણી પેઢીઓ જોવા મળે છે. ટેકેનીડ ફ્લાય ખૂબ જ ઉપયોગી અને અસરકારક પરજીવી છે. પરંતુ તેને વ્યાપારી ધોરણે ઉછેરી શકાતું નથી, પરંત ખેતરમાં જોવા મળે તો તેની જાળવણી કરવાથી જે તે જીવાતનું નિયંત્રણ કરી શકાય.

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

10 Nov, 10:26


-----------------------
ઢીંગરી અથવા ઓઈસ્ટર મશરૂમની ખેતી
-----------------------
ઢીંગરી અથવા ઓઈસ્ટર મશરૂમની ખેતી ઢીંગરી મશરૂમ સાધારણ તાપમાને / (૧૮o-૨૮o સે.) થઈ શકે છે. ઉપરાંત તેમાં રહેલા સારા ગુણધર્મો જેવા કે સારો સ્વાદ અને સોડમ ટૂંકું જીવનચક્ર (૬૦ થી ૭૦ દિવસ ) અને ઊચી ઉત્પાદન ક્ષમતા( ૫૦ થી ૬૦ ટકા )ને કારણે વાવેતર માટે પસંદ કરવામાં આવે છે આ મશરૂમની ખેતી પણ બંધ રૂમમાં યોગ્ય ભેજ અને તાપમાન ઊભું કરી સરળતાથી કરી શકાય છે. પ્રજાતિ ૨૦O થી ૩૦O સે. તાપમાનની વચ્ચે વધારે ઉત્પાદન આપે છે અને ખેત ઉત્પાદનની ઉપ નિપજ જેવી ઘઉં- ડાંગરનું પરાળ વગેરે પર પોલીથીન બેગ, નાયલોન નેટ, બાસ્કેટ ટ્રે વગેરેમાં એક માસનાં ટૂંકા ગાળામાં સરળતાથી ઊગાડી શકાય છે અને જરૂર મુજબ સૂકવીને પાવડર બનાવી એક વર્ષ સુધી સંગ્રહી શકાય છે.

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

10 Nov, 03:35


-----------------------
ગૃહ લક્ષ્મી : દુધાળા પશુઓનો આહાર
-----------------------
દૂધાળા પશુઓનો આહાર

પશુપાલન વ્યવસાયમાં ૬૦ થી ૭૦% ખર્ચ ખોરાકનો થાય છે. માટે તેમાં શક્ય તેટલી કરકસર અને કાળજીની ખાસ જરૂર રહે છે. દૂજણા પશુઓનો આહાર મુખ્યત્વે ઘાંસચારો, દાણા અને ક્ષાર મિશ્રણનો બનેલો હોય છે.
દૂધાળ ઢોરને રોજ તેના વજનનાં ૨.૫ % જેટલા સૂકા ચારા (ડ્રાય મેટર)ની જરૂર પડે છે. જાનવરની કુલ જરૂરિયાતના ત્રીજો ભાગ લીલો ચારો હોવો જોઇએ એટલે કે દૂજણા ઢોરને દૈનિક ઓછામાં ઓછા ૨૦ કિ.ગ્રા. લીલો આધુનિક ચારો આપવો જોઇએ. તેમાં પણ શક્ય હોય તો ૪ થી ૭ કિ.ગ્રા. રજકો/ચોળી/ગુવાર અને ૮ થી ૧૨ કિ.ગ્રા. મકાઇ/જુવાર/ઓટ આપવા જોઇએ.એટલે કે એક ભાગ કઠોળ વર્ગ અને બે ભાગ ધાન્ય વર્ગનો ઘાંસચારો આપવો જોઇએ. આમાંથી દૂજણા ઢોરને જોઈતું પ્રોટીન, કેલ્સિયમ અને વિટામિન્સ મળી રહે છે.
દૂધાળા ઢોરને સૂકો ચારો દરરોજ ખાય તેટલો આપવો જોઇએ.લીલાચાર અને સૂકાચારને ટુકડાં કરી, મિશ્ર કરી આપવાથી ચારાનો બગાડ અટકશે
લીલાચારની અછતમાં સાયલેજ અને ઉનાળામાં મળતાં લીલા ઝાડ પાન પણ લીલાચારા તરીકે ખવડાવી શકાય. પશુનો ચારો તાજો,સારો,સ્વચ્છ હોવો જોઇએ અને બગડેલો કે ફૂગવાળો ન હોવો…

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

09 Nov, 18:18


-----------------------
ધાન્ય પાકોમાં પોષક તત્વો આપી ઉપજ મેળવો
-----------------------
ઉત્તર સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઘઉંનું વાવેતર કરતા ખેડૂતોને ઘઉંના પાકમાં ભલામણ કરેલ રાસાયણિક ખાતર ઉપરાંત ૦.૫% (૫૦ ગ્રામ/૧૦ લિટર પાણી) ઝીંક સલ્ફેટના બે છંટકાવ (નિંધલ અવસ્થાએ અને દૂધિયા દાણાની અવસ્થાએ) કરવાની ભલામણ છે. જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભલામણ કરેલ રાસાયણિક ખાતર ઉપરાંત સરકાર માન્ય સૂક્ષ્મ તત્ત્વોના મિશ્રણ ગ્રેડ-૪ના ૧ ટકા દ્રાવણના ૩ છંટકાવ (વાવણી બાદ ૩૦, ૪૫ અને ૬૦ દિવસે) કરવાની ભલામણ છે. ઉત્તર ગુજરાતના ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે ઘઉંના પાકમાં ભલામણ કરેલ રાસાયણિક ખાતર ઉપરાંત સરકાર માન્ય ગ્રેડ-૩ (લોહ ૪%, મેંગેનીઝ ૧%, ઝીંક ૬%, કોપર ૦.૫% અને બોરોન ૦.૫ %)ના ૧ % દ્રાવણના ૩ છંટકાવ (વાવણી બાદ ૩૦, ૪૦ અને ૫૦ દિવસે) કરવા.

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

09 Nov, 11:02


-----------------------
કૃષિ યુનીવર્સીટીના દ્વારેથી : પોષ્ટહાર્વેસ્ટ : પાક પાક્યા પછી સંગ્રહ સ્થાનમાં થતો બગાડ
-----------------------
પાક પાક્યા પછી સંગ્રહ સ્થાનમાં થતો બગાડ વિશે જણાવતાં સર્વશ્રી ડૉ.આર. આર. ગજેરા બાગાયત મહાવિદ્યાલય, બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ-૩૮૮૧૧૦ ફોન (મો.) ૯૮૯૮૦ ૮૫૬૦૮ સંગ્રહ સ્થાનમાં થતો બગાડ ઃ ફળ અને શાકભાજીને ખુલ્લા અથવા રૂમ તાપમાને સંગ્રહ કરવાથી તેમાં રાસાયણિક ફેરફાર થતાં બગાડ ચાલુ થાય છે. સામાન્ય રીતે, ફળ અને શાકભાજીમાં ૮્ર થી ૧૦્ર સે જેટલું તાપમાન વધતાં તેના રાસાયણિક ફેરફારમાં બમણો વધારો થાય છે, જેથી તેમાં રહેલુ પાણી ઉડી જઈ તે સંકોચાઈ જાય છે. તેમાં રહેલા પ્રોટીનના બંધારણમાં ફેરફાર થાય છે અને સાથે વિટામિનનો પણ નાશ થાય છે. કયારેક સંગ્રહસ્થાનમાં ઓછા તાપમાનની અસર પણ ફળ અને શાકભાજી માટે વિપરિત હોય છે. વધુ પડતા ઓછા તાપમાનમાં પણ અમુક ફળ અને શાકભાજીમાં માઈક્રોબાયલ એક્ટિવિટિ ચાલું રહેતી હોય છે. આ ઉપરાંત સંગ્રહસ્થાનમાં ઓક્સિજન, કાર્બન ડાયોકસાઈડ, પ્રકાશ વગેરેનું પ્રમાણ પણ અગત્યનો ભાગ ભજવે છે.

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

09 Nov, 10:14


-----------------------
લીલી પોપટી (ક્રાયસોપા) જીવાત ઓળખો અને નિયંત્રિત કરો.
-----------------------
લીલી પોપટી (ક્રાયસોપા ) : તેનું પુખ્ત નાજુક, ચપળ અને આછા લીલા રંગનું હોય છે તેને એફ્કિ લાયન તઝીડે પણ ઓળખાય છે. તે બહુભોજી છે. તેની ઈયળ ગ્રે કે કથ્થઈ રંગની અને દાતરડા જેવા મુખાંગોવાળી હોય છે. તેના વડે તે જીવાતના શરીરમાં કાણું પાડી તેના શરીરને લકવો થાય તેવું વિષ દાખલ કરે છે. તે પોચા શરીરવાળી જીવાતો જેવી કે મોલોમશી, સફેદમાખીના બચ્યા, થ્રીપ્સ, લીલા તડતડિયા વગેરેનું ભક્ષણ કરે છે

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

08 Nov, 13:49


-----------------------
ગુવાર/ચોળી/વાલ/વટાણા માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.
-----------------------
ડો. આર. કે. માથુકીયા, નિંદાણ નિયંત્રણ યોજના,

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

08 Nov, 07:53


-----------------------
ભુકારૂપ જંતુનાશક દવા
-----------------------
પાકમાં નુકસાન કરતી જીવાતોના નિયંત્રણ માટે બજારમાં વિવિધ પ્રકારની જંતુનાશક દવાઓ મળે છે. આ દવાઓ ઘન, પ્રવાહી કે વાયુ (ગેસ) સ્વરૂપે હોય છે. ઘન સ્વરૂપે મળતી દવાઓમાં મુખ્યત્વે ભૂકારૂપ (પાઉડર), દાણાદાર (ગ્રેન્યુલ્સ) અને ગોળી (ટૅબ્લેટ)નો સમાવેશ થાય છે. ભૂકારૂપ દવાઓમાં કેટલીક દવાઓ પાણીમાં અદ્રાવ્ય હોય તેને સીધી પાક પર છાંટી શકાય છે. સામાન્ય રીતે આ પ્રકારની દવાઓમાં સક્રિય તત્વનું પ્રમાણ ૦.૪% (ફેનવલરેટ)થી માંડી ૧૦% (કાર્બારીલ) સુધીનું હોય છે. આવી ભૂકારૂપ દવાઓ ધુલીકરણ યંત્ર (ડસ્ટર) વડે સીધી પાક પર છાંટવામાં આવેછે. ખાસ કરીને સૂકો વિસ્તાર કે જયાં પાણી સહેલાઈથી ઉપલબ્ધ થઈ શકે તેમ ન હોય ત્યાં તેનો ઉપયોગ શકય છ

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

08 Nov, 03:31


-----------------------
કૃષિમાં ડ્રોન ઃ કારકિર્દી એગ્રીઓન ફાર્મટેક અને સરકારની સહાય યોજનાઓ
-----------------------
કારકિર્દી, એગ્રીઓન ફાર્મટેક અને સરકારની સહાય યોજનાઓ

એગ્રીઓન દ્વારા અગ્રીઓન ભારતીય નાના અને સીમાંત ખેડૂતો માટે ખેતીની કામગીરીની ઉત્પાદકતા વધારવા અને IOT (ઇન્ટરનેટ ઓફ થિંગ્સ) આધાર ફાર્મ મિકેનાઇઝેશન સોલ્યુશન્સ પર કામ કરે છે અને ગુજરાત માટે એગ્રીકલ્ચર સ્પ્રેયિંગ ડ્રોન ભાડા પર, જમીન પરીક્ષણ ઓન ફાર્મ, DAP અને યુરિયા કાર્યક્ષમતા વધારવા, બીજ અંકુરણ વધારવાની ટેક્નોલોજી સેવાઓ તથા તમામ પ્રકારની દવાઓ અને બિયારણ F.T.C. (ફાર્મ ટેકનોલોજી સેન્ટર) દ્વારા ઉપલબ્ધ કરાવી રહી છે.

એગ્રીઓન સાથે જોડાવો અને કમાઓ મહિને રૂપિયા ૬૦,૦૦૦/- થી પણ વધુ આવક ડ્રોન સ્પ્રેયર વ્યવસાય કરો. મહિલાઓ ડ્રોન દીદીની સેવાનો લાભ લ્યો. મેળવો ડ્રોન માત્ર ૧૦% રકમ ભરીને મેળવો રૂપિયા ૫૦૦ પ્રતિ એકર ગુજરાત સરકારની સબસીડીનો લાભ મેળવો બધા બિયારણ અને દવાઓ હોલસેલ ભાવે, મેળવો ખેતીની નવી અદ્યતન ટેક્નોલોજીનો લાભ

કૃષિમાં ડ્રોન સ્પ્રેના ફાયદા ઃ

૨૦ ગણી વધારે ઝડપથી દવા છાંટવાની ક્ષમતા એક એકર માત્ર ૭ થી ૧૦ મિનિટની અંદર દવાનો છંટકાવ થાય છે…

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

07 Nov, 13:35


-----------------------
ભીંડા માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.
-----------------------
ડો. આર. કે. માથુકીયા, નિંદાણ નિયંત્રણ યોજના,

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

07 Nov, 02:31


-----------------------
નેનો જંતુનાશક ઃ જીવાત નિયંત્રણ માટેની એક નવી પધ્ધતિ
-----------------------
જીવાત નિયંત્રણ માટેની એક નવી પધ્ધતિ

નેનો જંતુનાશક એટલે શુું?
ખેતીપાકોને નુકશાન કરતી જીવાતો સામે રક્ષણ આપી ઉત્પાદન વધારવા તથા જંતુનાશકોના સક્રિય ધટકની અસરકારતા વધારવા અને પર્યાવરણને થતુ નુકશાન ધટાડવા માટે નેનો ટેકનેાલાજીની મદદથી જે જંતુનાશક વિકસાવવામાં આવે છે તેને નેનો જંતુનાશક તરીકે ઓળખવામાં આવે છે. નેનો જંતુનાશક એ જંતુનાશકમાં રહેલા રાસાયણિક અણુઓને કદાનં નાના એટલેકે એક મીટરના એક બીલીયનમાં ( ૧૦ લાખમો ભાગ ) ભાગ જેટલા કરી તેની સપાટીનો વિસ્તાર વધારી અસરકારક રૂપમાં ફેરવવામાં આવે છે. જેનાથી જંતુનાકશકો અસરકારતામાં ફેરફાર થાય છે.
નેનેા જંતુનાશક દવાઓના ફાયદાઓઃ
હાલમાં ખેડૂતો જેવી રીતે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરે છે તેવીજ રીતે નેનો જંતુનાશક દવાઓનો ઉપયોગ કરી શકે છે. આથી નેનો જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવા માટે ખેડૂતામિત્રોએ કોઈપણ જાતની તાલીમ લેવાની જરૂર રહેતી નથી.
નેનો જંતુનાશક દવાઓની અસરકારતા અને પરિણામકારક સામાન્ય દવાઓ કરતા વધારે અને લાંબા સમય સુધી રહે છે.
સૂક્ષ્મ કણના નેનો જંતુનાશક દવાઓના રસાયણો છોડ…

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

06 Nov, 18:30


-----------------------
વાવાઝોડાથી ઉથલી પડેલ વૃક્ષોને બચાવી લેવાનો ઉપાય શું છે ?
-----------------------
વાવાઝોડાથી ઉથલી પડેલ વૃક્ષોને બચાવી લેવાનો ઉપાય

વૃક્ષ ભાંગી જાય કે ઊથલી પડે એટલે તે સાવ મરી જતું નથી. તેને મૂળ સમેત ખોદી લેવાને બદલે, તેને તેની હાલત પ્રમાણેની સારવાર આપવાથી ફરી બેઠું કરી શકાય છે, અને તે નવું ઝાડ ઉછેરવાના સમય કરતાં ચોથા-પાંચમાં ભાગના સમયમાં કરી શકાય છે. જે વૃક્ષો મૂળ સહિત ઊથલી ગયાં હોય, અને જેનું એક પણ મૂળ જીવતું ન રહ્યું હોય તેને કાપી, ખોદી લેવાં જ રહ્યાં. આખેઆખાં આડાં પડી ગયાં હોય, પણ જેનાં એક બાજુનાં મૂળ ધરતીમાં ચોટેલાં અને જીવતાં હોય તેવા ઝાડોમાં આંબા, સીતાફળી, આમળી, જામફળી વગેરે વૃક્ષોને દોરડાંની મદદ લઈ, ઝાઝા માણસોના બળ દ્વારા નીચેની જમીન હજુ ભીની હોય ત્યાં જ ધીરેધીરે ઊભાં કરવાં.

સલામત રહેલાં મૂળ તૂટી ન જાય ત્યાં સુધી ઊંચા કરતા રહેવું અને પછીથી ટેકા મૂકી દેવા. અને ઊભા કરેલ ઝાડના થડ ફરતે માટીનો થોડો ઢગ કરી,તેને ખૂબ દબાણ આપી કઠ્ઠણ કરી દેવાથી ઝાડને પવન સામે ઊભું રહેવાની અને નવા મૂળ મૂકવાની હૂંફ મળી રહે છે. ફરીવાર વરસાદ ન આવે તો ઊભાં કરી પાણી પાઈ દેવું જરૂરી છે..

📙 -…

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

06 Nov, 13:58


-----------------------
ચીઢો-છૈયા માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.
-----------------------
ડો. આર. કે. માથુકીયા, નિંદાણ નિયંત્રણ યોજના,

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

30 Oct, 05:06


-----------------------
મરચી, ટામેટીનો કોકડવા
-----------------------
રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી 6 મિલિ અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી 25 મિલિ પ્રતિ 10 લિટર પાણી તેમજ ટામેટીના પાકમાં સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી 27 મિલિ અથવા ડાયમિથોએટ ૩૦ ઇસી 15 મિલિ અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯ એસસી 20 મિલિ અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યૂજી 6 ગ્રામ અથવા ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ 6 મિલિ પ્રતિ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

29 Oct, 13:22


-----------------------
રજકાનાં પાક માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.
-----------------------
ડો. આર. કે. માથુકીયા, નિંદાણ નિયંત્રણ યોજના,

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

29 Oct, 13:14


-----------------------
ધાણા / મેથી માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.
-----------------------
ડો. આર. કે. માથુકીયા, નિંદાણ નિયંત્રણ યોજના,

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

29 Oct, 06:42


ધનલક્ષ્મી, ધાન્યલક્ષ્મી, વિદ્યાલક્ષ્મી, શોર્યલક્ષ્મી, ધૈર્યલક્ષ્મી, કાર્યલક્ષ્મી, રાજલક્ષ્મી અને વિજયાલક્ષ્મી

આ અષ્ટ લક્ષ્મી ની કૃપા તમારા પર સદાય રહે એવી આજે *ધનતેરસ ના દિવસે કૃષિ વિજ્ઞાન પરીવાર તરફથી શુભકામના*💐💐💐

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

28 Oct, 18:30


-----------------------
પ્રાકૃતિક ખેતી એટલે શું ? ભાગ – ૩
-----------------------
● આગલા પાકના અવશેષોને જમીનમાં દાબી દેવાથી બધા જ પોષકતત્ત્વો લાંબા ગાળા સુધી પાકને પ્રાપ્ત થતા રહેશે. આ ઉપરાંત નીંદણનો પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં, જમીનમાં ભેજ લાંબો સમય જળવાઈ રહૈશે, જેથી પિયત ઓછું આપવું પડશે, રોગ અને જીવાતનો ઉપદ્રવ નહિવત થઈ જશે અને ધોવાણ પણ અટકી જશે.

● પાક સંરક્ષણ માટે બીજામૃત, જીવામૃત, અગ્નિઅસ્ત્ર જેવા ઘરે/ખેતરે બનાવેલા સંયોજનોનો નિયમિત ઉપયોગ કરવો જેથી ખેતી ખર્ચ નહિવત થાય.

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

28 Oct, 07:33


-----------------------
અજમા માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.
-----------------------
સાભાર: ડો. આર. કે. માથુકીયા

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

28 Oct, 07:32


-----------------------
શેરડી માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.
-----------------------
ડો. આર. કે. માથુકીયા, નિંદાણ નિયંત્રણ યોજના,

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

28 Oct, 07:32


-----------------------
પ્રયોગ : નાળિયેરીના પાકમાં ઉંદરોથી છુટકારો મેળવવા
-----------------------
નાળિયેરીના પાકમાં ઉંદરોથી છુટકારો મેળવવા

નાંજુન્ડે નાયક ભદ્રાવતી તાલુકાના ખેડૂત છે તેમને નાળિયેરીના પાકમાં ઉંદરોના આક્રમણ સામે એક તરકીબ સૂચવી છે ઉંદરોને આકર્ષવા માટે જુવારનો રોટલો વૃક્ષોની આસપાસ નાખવામાં આવે છે અને તેનાથી આકર્ષાઈને ઉંદરો તેને ખાવા આવે છે. એક અઠવાડીયા બાદ જુવાર સાથે સિમેન્ટ મિશ્ર કરીને તેનો રોટલો નાખવામાં આવે છે. સિમેન્ટ એ ઉંદરના પેટમાં
પચશે નહિ અને તે આંતરડામાં સિમેન્ટના નાના કાકરાની જેમ સ્ટ્રકચર તરીકે જામી જશે અને તેનાથી ઉંદર મરી જશે.

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

28 Oct, 07:31


-----------------------
રીંગણમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન
-----------------------

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

28 Oct, 05:24


-----------------------
ધાણાની ખેતી માટે બીજનો દર કેટલો હોય છે ?
-----------------------
● એક હેક્ટર ધાણાના વાવેતર માટે ૧૫-૨૦ કિ.ગ્રા. બિયારણની જરૂર પડે છે. વાવતાં પહેલાં આખા ઘાણાને ઘીમા દબાણથી બે ભાગ (ફાડિયા) કરવાથી બીજની જરૂરિયાત ઘટે છે.

● ધાણાના બિયારણને ૮ થી ૧૦ કલાક પાણીમાં પલાળી ત્યાર બાદ છાયામાં સૂકવીને વાવણી કરવાથી ઊગાવો સારો અને ઝડપી થાય છે.

● જમીનજન્ય અને બીજજન્ય રોગના નિયંત્રણ માટે ૧ કિલો બિયારણ દીઠ ૩ ગ્રામ કેપ્ટાન અને થાયરમનો પટ આપી વાવવા માટે ઉપયોગ કરવો.

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

27 Oct, 17:59


-----------------------
જીવાત : વેલાવાળા શાકભાજીમાં મોલોનું નિયંત્રણ વિષે જાણો
-----------------------
વેલાવાળા શાકભાજીમાં મોલોનું નિયંત્રણ

ઉપદ્રવની શરૂઆતના સમયે લેકાનીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ઉપદ્રવ વધતો જણાય તો ડાયમિથોએટ ૩૦ ઇસી 15 મિ.લી. અથવા થાયામેથોક્ઝામ રપ વેગ્રે 6 ગ્રામ 15 લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવાથી તેની વસ્તીને કાબૂમાં લઇ શકાય છે

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

27 Oct, 10:47


*વધું વાચવા માટે જોડાવ કૃષિ વિજ્ઞાન ટેલીગ્રામ ચેનલ માં 👉🏻*https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

27 Oct, 09:30


-----------------------
રોગ : શેરડીનો ચાબૂક આંજીયો
-----------------------
ચાબૂક આંજીયો જણાય તો તરત જ ચાબૂક પર રહેલું ચળકતુ આવરણ તૂટે તે પહેલાં અસરગ્રસ્ત જડિયાંને ઉખાડી તેનો નાશ કરવો. રોગગ્રસ્ત ખેતરમાં શેરડીનો લામ પાક રાખવો નહિ કારણ કે રોપાણ પાક કરતાં લામ પાકમાં આ રોગનું પ્રમાણ વધે છે.

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

26 Oct, 17:09


-----------------------
જીવાત : કોબીજ અને કોલીફલાવરનું હીરાફૂંદુ
-----------------------
કોબીજ અને કોલીફલાવરનું હીરાફૂંદુ નિયંત્રણ માટે પિંજરપાક તરીકે રાયડા અને અસાળીયાનું વાવેતર કરી શકાય. બેસીલસ થુરીન્ઝીન્સીસ નામના જીવાણુનો પાઉડર 30 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ વધુ ઉપદ્રવ વખતે નોવાલ્યૂરોન ૧૦ ઇસી 30 . મિ.લી. અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી 6 મિ.લી. અથવા ફ્લૂબેન્ડીયામાઇડ ૪૮૦ એસસી 2 મિ.લી. અથવા ઈન્ડોક્ઝાકાર્બ ૧૫.૮ ઈસી 8 મિ.લી. અથવા થાયોડીકાર્બ ૭૫ વેપા 30 ગ્રામ અથવા ફિપ્રોનીલ ૫ એસસી 30 મિ.લી. અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી 30 મિ.લી. અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫ એસજી 8 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

25 Oct, 04:54


-----------------------
જીવાત : મરી મસાલાના પાકોની મોલો અને થ્રિપ્સ
-----------------------
દિવેલી અથવા લીમડાનો ખોળ ૧ ટન પ્રતિ હેકટરે જમીનમાં ભેળવવો. નવેમ્બરના પ્રથમ પખવાડીયા સુધીમાં વાવણી કરવી હિતાવહ થાયોમેથોક્ઝામ . ડબલ્યુએસ ૩ ગ્રામ/કિ.ગ્રા. બીજ પ્રમાણે પટ આપીને વાવવાથી મેથીમાં મોલો અને તડતડિયાં સામે રક્ષણ મળે ધાણા અને સુવામાં મોલો અને થ્રિપ્સ સામે રક્ષણછે. મેળવવા થાયામેથોકઝામ ૭૦ ડબલ્યૂએસ ૪.૨ ગ્રામ/ કિ.ગ્રા. બીજને પટ આપવો.

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

23 Oct, 07:21


-----------------------
સોયાબીન માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.
-----------------------
ડો. આર. કે. માથુકીયા, નિંદાણ નિયંત્રણ યોજના,

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

23 Oct, 07:21


-----------------------
રોગ : લીંબુના બળીયાં ટપકાં
-----------------------
લીંબુના બળીયાં ટપકાંનો રોગ નિયંત્રણ કરવા..

રોગિષ્ઠ ડાળીઓની છટણી કરી બાળીને નાશ કરવો. રોગિષ્ઠ ડાળીઓ કાપી લીધા બાદ કોપર ઓક્ઝિકલોરાઈડ ૫૦ વેપા 60 ગ્રામ 15 લિટર પાણીમાં ઓગાળી અથવા ૧ ટકાના બોર્ડો મિશ્રણ અથવા સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ (સ્ટ્રેપ્ટોસાયક્લિન) 1.5 ગ્રામ કોપર ઓક્ઝિક્લોરાઈડ ૫૦ વેપા 60 ગ્રામ 15 લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

23 Oct, 07:21


-----------------------
પ્રાકૃતિક ખેતી એટલે શું ? ભાગ – ૨
-----------------------
● જમીનની જાળવણી માટે જમીનને વાવણી સિવાય ખેડ કરવાની નથી કે જેથી જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા કુદરતી રીતે વધશે અને તેની ક્રિયાશીલતા પણ વધશે.

● જમીન પોચી અને ભરભરી બનતાં તેની સ્થૂળ ઘનતા ઘટશે, તેમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધશે. વધુમાં જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ પણ વધશે.

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

21 Oct, 08:02


-----------------------
ડાંગર માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.
-----------------------
ડો. આર. કે. માથુકીયા, નિંદાણ નિયંત્રણ યોજના,

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

21 Oct, 06:30


-----------------------
રોગ : કપાસના પાકમાં આવતો પેરા વિલ્ટ/ સુદાન વિલ્ટ/ ન્યૂ વિલ્ટ
-----------------------
જમીનમાં ભેજની અછત ટાળવી અને આવી ૫રિસ્થિતીમાં પિયત આ૫વાથી સૂકારાનું પ્રમાણ ઘટાડી શકાય છે. વરાપે ખેડ કરવાથી અથવા છોડના મૂળ વિસ્તારમાં ગોડ કરી જમીનમાં હવાની અવરજવર કરી આ૫વાથી ફાયદો થાય છે. છોડ ઉ૫ર ફૂલભમરી અને જીંડવાઓ બેઠા હોય ત્યારે તેમજ પાણી અને પોષક તત્વોની અછત હોય ત્યારે ટૂંકા ગાળે પિયત આપી ભેજની અછત ટાળવી તથા છંટકાવ માટેનું ૧૯-૧૯-૧૯ ખાતર 100 ગ્રામ માઈક્રોમિક્સ્ચર ગ્રેડ-૪ 45 ગ્રામ એક પંપમાં નાખી ૧૦ દિવસ ના અંતરે ૩ છંટકાવ કરવા. પોટેશિયમ નાઈટ્રેટ ૨ % નું દ્રાવણ છાંટવાથી અથવા યુરીયાનું ૧% નું દ્રાવણ છોડના થડ ફરતે રેડવાથી સૂકારાનું પ્રમાણ ઘટાડી શકાય છે.

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

20 Oct, 18:30


-----------------------
શું ઝાડવાની બીમારી આપણને ભળાય ?
-----------------------
હા, જરૂર ભળાયઝીણી આંખે નિરખીએ તો કોઇ અસરયુક્ત ઝાડનાં ડોકા લંઘાતા ભળાય, કોઇની ડાળીઓ આડી-અવળી થઇ વળેલી કે ભાંગેલી ભળાય, કોઇ ડાળી કે થડની ચામડી ઉતરડાઇ ગયેલી નજરે ચડે, તો કોઈ ઝાડ વળી અકાળે જ બધા પાંદડાં ખેરવી નાખી નર્યા હાડપિંજર રૂપે દેખા દે ! ઝાડવામાં આવા દુ:ખ-દર્દો આવવાના કારણો શોધવા માંડીએ જ્યારે આપણે તે ઝાડવાને જ મોઢામોઢ રુબરૂ જઇ પૂછીએ ત્યારે ! એટલે તેને ખાવાપીવામાં ખેંચ રહે છે ? મૂળ, થડ, ડાળી કે પાંદડાંમાં કોઇ કાપકૂપ, દાહક અસર કે પછી રોગ-જીવડાંના પ્રકોપ જેવું કાંઇ થયું છે ? તેનો ઝાડના અંગઉપાંગો ઝીણવટથી તપાસી જોઇએ અને જરૂર લાગે તો એ બીમાર અંગ ઉપાંગોના નમૂનાની લેબોરેટરી કરાવીએ એટલે ઝાડવાની બીમારીનો સાચો ખ્યાલ આવી જાય છે.

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

20 Oct, 11:42


-----------------------
એગ્રીકલ્ચરલ ડ્રોન દ્વારા પ્રિસિઝન/સ્માર્ટ એગ્રીકલ્ચર
-----------------------
પ્રિસિઝન એગ્રીકલ્ચર : મહત્તમ નફો, ટકાઉપણું

અને પર્યાવરણીય સંરક્ષણ મેળવવા માટે કૃષિ ક્ષેત્રમાં પાર્થિવ અને અવકાશી પરિવર્તનશીલતા જેવા પરિબળોને નિર્ધારિત કરવા, વિશ્લેષણ કરવા અને મેનેજ કરવા માટે ડ્રોનનો ઉપયોગ થાય છે.

રાષ્ટ્રની સંપત્તિ અને સુરક્ષા જમીનમાંથી આવે છે અને તેથી કૃષિ જરૂરિયાત ટકાઉ, નવીન અને ઉચ્ચ ઉત્પાદકતાવાળી કૃષિ હોવી જોઈએ જે નફાકારક હોય અને દેશ માટે ખાદ્ય અને ઊર્જા સુરક્ષા બંને પ્રદાન કરે. તેથી, એવું માનવામાં આવે છે કે કેટલીક અદ્યતન ખેતી તકનીકો જેમકે ડ્રોનનો ઉપયોગ ભારતીય કૃષિમાં આગામી હરિયાળી ક્રાંતિને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે.

કૃષિ ડ્રોનનો ઉપયોગ સચોટ ખેતી માટે થાય છે, જે ખેતીની એક આધુનિક પદ્ધતિ છે જે કાર્યક્ષમતાને શ્રેષ્ઠ બનાવવા માટે વધુ માહિતી, ટેકનિકલ ફોટા અને અન્ય માધ્યમોનો ઉપયોગ કરે છે.

ખેડૂતો, ડ્રોન દ્વારા મેળવેલી માહિતીને આધારિત નિર્ણયો બનાવી શકે કે જે ઉપજમાં ઈચ્છનીય વધારો કરશે અને આવકમાં વધારો કરશે જયારે ખર્ચ અને પાકની નિષ્ફળતાની શક્યતાઓનો ઘટાડો કરી શકે છે.

📙 -…

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

20 Oct, 07:55


-----------------------
તલ માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.
-----------------------
ડો. આર. કે. માથુકીયા, નિંદાણ નિયંત્રણ યોજના,

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

20 Oct, 04:10


*વધું વાચવા માટે જોડાવ ટેલીગ્રામ ચેનલ માં 👉🏻*https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

19 Oct, 07:51


-----------------------
સૂર્યમુખીના પાક માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.
-----------------------
ડો. આર. કે. માથુકીયા, નિંદાણ નિયંત્રણ યોજના,

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

19 Oct, 05:30


-----------------------
પ્રયોગ : પશુને આફરો – કબજીયાતમાં ગરમાળાની શિંગ
-----------------------
પશુને આફરો – કબજીયાતમાં ગરમાળાની શિંગનો પ્રયોગ

પશુને પાચનની સમસ્યાને લીધે ધણીવાર આફરો અને કબજીયાતની સમસ્યા ઉભી થતી હોય છે. આવી સમસ્યા માટે ભીલોડા તાલુકાના બબાજી ખાંટ ગરમાળાની શિંગનો ઉપયોગ કરે છે. ખેડૂતના જણાવ્યા મુજબ, આશરે ૨૦૦ ગ્રામ જેટલી ગરમાળાની શિંગને વાટીને ૫૦૦ મિલિ પાણીમાં ઉકાળવામાં આવે છે.આ ઉકાળો ઠંડો પડ્યા બાદ પશુને નાળથી દિવસમાં બે વાર પિવડાવવામાં આવે છે. ગરમાળાની શિંગ ‘રેચક’ હોઈ પશુને હળવા ઝાડા થાય છે અને ઝાડા વાટે ગેસ બહાર નીકળી જતાં પશુને આરામ થાય છે.

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

19 Oct, 04:19


-----------------------
દિવેલાની ડોડવા કોરી ખાનાર ઇયળનુ નિયંત્રણ કેમ કરવું
-----------------------
બ્યૂવેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી વધુ ઉપદ્રવ જણાય તો ક્લોરપાયરીફોસ છંટકાવ કરવો. ૨૦ ઈસી 30 મિ.લી. અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી 6 મિ.લી.અથવા ફ્લૂબેન્ડીયામાઇડ ૪૮૦ એસસી 6 મિ.લી. અથવા ઈન્ડોક્ઝાકાર્બ ૧૫.૮ ઈસી 8 મિ.લી. અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫ એસજી 8 ગ્રામ 15 લિટર પાણીમાં ઉમેરી ૧૫ દિવસના અંતરે જરૂરિયાત મુજબ છંટકાવ કરવો.

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

18 Oct, 18:30


-----------------------
પ્રાકૃતિક ખેતી સજીવ ખેતીથી કેવી રીતે અલગ પડે છે ?
-----------------------
● બંનેમાં કુદરતના દોહનની વાત છે, શોષણ ઉપર પ્રતિબંધ છે.

● બંનેમાં કુદરતી સ્તોત્રઃ જતનની વાત છે. બંનેમાં કૃષિ રસાયણો વાપરવાનો નિષેધ છે.

● બંનેમાં જમીનની તંદુરસ્તી માટે તેનો ઓર્ગનિક કાર્બન વધારવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે.

● બંનેમાં ગાય આધારિત ખેતી પદ્ધતિને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

18 Oct, 08:08


-----------------------
બાજરી/જુવાર/મકાઈ માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે ?
-----------------------
બાજરી/જુવાર/મકાઈ માટે નિંદામણનાશકની ભલામણ

દવાનું સામાન્ય તથા વ્યાપારી નામ | દવાનું પ્રમાણ હેક્ટરે | 15 લિટર પાણીમાં દવાનું પ્રમાણ | છંટકાવનો સમય
------------------------------

ગ્લાયફોસેટ (ગ્લાયસેલ 41% એસએલ) | 2.460 કિ.ગ્રા. (6.000 લિ.) | 160 મિ.લી. | બિનપાક પરિસ્થિતિમાં નીંદણની 3-4 પાન અવસ્થાએ

ગ્લાયફોસેટ (મેટા 99% એસએજ) | 2.930 કિ.ગ્રા. (3.000 કિ.ગ્રા.) | 80 ગ્રામ | બિનપાક પરિસ્થિતિમાં નીંદણની 3-4 પાન અવસ્થાએ

ગુલૂફોસીનેટ એમોનિયમ (બાસ્ટા 13.4% એસએલ) | 0.840 કિ.ગ્રા. (3.333 લિ.) | 100 મિ.લી. | બિનપાક પરિસ્થિતિમાં નીંદણની 3-4 પાન અવસ્થાએ

ડો. આર. કે. માથુકીયા, નિંદાણ નિયંત્રણ યોજના,

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

18 Oct, 06:05


-----------------------
તમાકુના સફેદ ટપકાં/ સફેદ ચાંચડી
-----------------------
હેક્ઝાકોનાઝોલ ૫ એસસી 15 મિ.લી. અથવા પ્રોપીનેબ ૭૦ વેપા 40 ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 8 ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૧૨% મેન્કોઝેબ ૬૩% વેપા 45 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી કોઇપણ એક ફૂગનાશકના વારાફરતી ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા.

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

18 Oct, 03:30


-----------------------
ફણસી ગરમીમાં થાય ?
-----------------------
● ફણસી એ ગરમી સામે સંવેદનશીલ પાક છે. ફ્ણસીનાં સારા ઉત્પાદન માટે ૧૮૦ થી ૨૦૦ સેન્ટીગ્રેડ તાપમાન પૂરતું હોય છે. ૧૬૦ સેન્ટીગ્રેડથી ઓછું અને ૨૨૦ સેન્ટીગ્રેડથી વધારે તાપમાનની અસર ફ્ણસીની વૃદ્ધિ તેમજ ઉત્પાદન પર પડી શકે છે. જો તાપમાન ૩૦૦ સેન્ટીગ્રેડથી વધી જાય તો ફૂલ ખરી પડવાના પ્રશ્નો પણ ઊભા થાય છે

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

17 Oct, 06:30


-----------------------
રોગ : કપાસ મૂળખાઇ/ મૂળનો સડો
-----------------------
કાર્બેન્ડાઝીમ 15 ગ્રામ અથવા કોપર ઓક્ઝિક્લોરાઇડ 30 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી સૂકાતા છોડની આજુબાજુ જમીનમાં મૂળ વિસ્તારમાં આપવું.

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

16 Oct, 18:30


-----------------------
મકાઈ-જુવાર જેવા મોસમી પાકોમાં વધુ મૂળિયાં મુકાવવા હોય તો મુકાવી શકાય ?
-----------------------
તમે નિરીક્ષણ કર્યું હશે કે જુવાર, બાજરો, મકાઇ, ગલગોટા જેવા છોડવાને વડલાની જેમ તેના થડમાં જમીન નજદીકની નીચલી ગાંઠોમાંથી વડવાઇઓ નીકળતી હોય છે.પણ તે ઉંચે ને ઉંચે ટીંગાઇ રહી સુકાઇ જતી હોય છે. આપણે તેવા પાકોને ચાસે વાવેતર કરી તેના થડિયા ફરતે જરા વધારે ઊંચે સુધી માટી ચડે તેવા પાળા ચડાવી દીધા હોય તો તે ગાંઠોમાંથી નીકળતી વડવાઇઓને જમીનમાં પ્રવેશ કરવાનો મોકો ઊભો થશે, અને વધારાના રસ-ખેંચાણનો લાભ ઉત્પાદનમાં ચોક્કસ મળવાનો જ ! એવું જ દૂધી, તૂતિયાં, ગલકાં, ટીંડોરાં, કાકડી, કારેલાં જેવાં વેલાવાળા પાકોમાં પણ જોશો કે વેલાની ગાંઠોમાંથી પાતળાં મૂળો ફૂટતાં હોય છે.પણ વેલો પવન-પાણીથી આડો-અવળો થતો રહેતો હોઇ, તે મૂળિયાં જમીનમાં પ્રવેશી શકતાં નથી. પરંતુ જો ગાંઠો પર પાણતિયા દ્વારા પાવડોભરી માટીની ઢગલીઓ કરાવતા થઈ જઈએ, તો પોષણ ચૂસી વેલાને મોકલવા માંડે છે, અને વેલો વધુ ઉત્પાદન આપવા શક્તિમાન બને છે.

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

16 Oct, 07:11


આઠમાં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે ખુબ ખુબ શુભેચ્છાઓ

બિયારણ બનાવતી કંપનીઓમાં અગ્રગણ્ય કંપની કર્તવ્ય સીડ્સ આજ રોજ ૮ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહી છે તે નિમિતે કૃષિ વિજ્ઞાન તરફથી શ્રી હર્ષદભાઈ પાનેલીયા અને તેમની ઉત્સાહી ટીમને ખુબ ખુબ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવીએ છીએ. ખેડૂતોના વિકાસ માટે હમેશા કાર્યરત એવી કર્તવ્ય સીડ્સ કંપની વધુને વધુ ખેડૂતો માટે નવા નવા બિયારણો આપતી રહે અને ખેડૂતોની ઉન્નતીમાં વધરો કરતી રહે તેવી શુભેચ્છા.

કૃષિ વિજ્ઞાન ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

16 Oct, 05:48


-----------------------
ડુંગળી માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.
-----------------------
ઓક્સાડાયાઝોન (રોનસ્ટાર ૨૫% ઈસી) ૦.૭૫૦ કિ.ગ્રા. (3.000 લી.) પ્રતિ હેક્ટર અને ૧૫ લીટર પાણીમાં ૯૦ મિલી વાપરવાની ભલામણ છે. આ દવાનો છંટકાવ ફેરરોપણી પહેલાં અથવા વાવણી બાદ પરંતુ નીંદણના સ્ફુરણ પહેલાં કરવાની ભલામણ છે.

અથવા

ઓક્સીફ્લોરફેન (ગોલ ૨૩.૫% ઈસી) ૦.૨૪૦ કિ.ગ્રા. (૧.००० લી.) પ્રતિ હેક્ટર અને ૧૫ લીટર પાણીમાં ૩૦ મિલી વાપરવાની ભલામણ છે. આ દવાનો છંટકાવ ફેરરોપણી પહેલાં અથવા વાવણી બાદ પરંતુ નીંદણના સ્ફુરણ પહેલાં કરવાની ભલામણ છે.

અથવા

પેન્ડીમીથાલીન (સ્ટોમ્પ ૩૦% ઈસી) ૦.૯૦૦ કિ.ગ્રા. (3.000 લી.) પ્રતિ હેક્ટર અને ૧૫ લીટર પાણીમાં ૯૦ મિલી વાપરવાની ભલામણ છે. આ દવાનો છંટકાવ ફેરરોપણી પહેલાં અથવા વાવણી બાદ પરંતુ નીંદણના સ્ફુરણ પહેલાં કરવાની ભલામણ છે.

અથવા

ઓક્ઝાડાયાર્જીલ (રાફ્ટ ૬% ઈસી) ૦.૦૭૫ કિ.ગ્રા. (૧.૨૫૦ લી.) પ્રતિ હેક્ટર અને ૧૫ લીટર પાણીમાં 3૭.૫ મિલી વાપરવાની ભલામણ છે. આ દવાનો છંટકાવ વાવેતર બાદ ૭ દિવસે કરવાની ભલામણ છે

અથવા

ક્વીઝાલોફોપ-ઈથાઈલ (ટરગા સુપર ૫% ઈસી) ૦.૦૩૭૫ કિ.ગ્રા. (૦.૭૫૦ લી.) પ્રતિ હેક્ટર અને ૧૫ લીટર…

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

16 Oct, 02:00


-----------------------
મરચાના છેડા ઉપર ડાઘ પડે છે શું કરવું ?
-----------------------
આ રોગ નથી આ ડિસઓર્ડર એટલે કે ખામી છે

કેલ્શિયમની ખામીના લીધે મરચીમાં બ્લોસમ રોટ અથવા એન્ડ રોટ લાગુ પડે છે

મરચીની ખેતીમાં કેલ્શિયમ અને અન્ય મેગ્નેશિયમ જેવા સૂક્ષ્મ તત્વની ખાસ આવશ્યકતા હોય છે તે ખાસ યાદ રાખવું .

જમીન ચકાસણીના આધારે જો ૭ પીએચ થી વધુ એટલેકે 8 પીએચ હોઈ તો વીઘે ૧.૬ થી ૨.૦ ટન જીપ્સમ નાખો , જીપ્સમ ઉમેરવાથી કેલ્શિયમ વધે છે PH એમનેમ રહે છે, જીપ્સમ વરસાદ પહેલા નાખો તો વધુ ફાયદો થાય છે

શાકભાજીના પાક માં કેલ્શિયમની ખાસ જરૂર છે તે માટે તમે કેલ્શિયમ નાઇટ્રેટ વાપરી શકો

વધુ વરસાદમાં મેગ્નેસીયમની ખામી વધે છે તે યાદ રાખો

કેલ્શિયમ અને પોટાસીયમનો વધુ પડતો વપરાશ થવાથી MgSo4 magnesium shulphate મેગ્નેશિયમની ખામી ઉભી થાય છે આવા સમયે મેગ્નેશિયમની પુરતી કરજો , વધુ ઉપજ લેવા માટે આ મુદ્દો બરાબર ધ્યાનમાં રાખજો .

બોરોનની ખામી દૂર કરવા માટે સોલ્યુબોર ૮૦૦ ગ્રામ આપો અથવા સેફગાર્ડ /નેનોગાર્ડ ડ્રિપ માં 500 મિલી ડ્રિપ માં ચડાવો

ઝીંક ની પૂરતી કરવા માટે ઝીકસલ્ફેટ ૫ કિલો નાખો

યાદ રાખો બોરોન અને ઝીંક સાથે ભેળવવાનું નથી

આવી નાની નાની વાતો તમને કોઈ કહેશે નહિ તમારી પાસે જાણકારી – માહિતી હોવી જોઈએ આવી માહિતી આપતા ગ્રુપ સાથે સતત જોડાયેલા રહો , એક એક નાની માહિતી તમારી ખેતીની આવક વધારી શકે છે , આ માહિતી બીજાને શેર કરો




| |

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

15 Oct, 11:18


-----------------------
જીવાત : જામફળની ફળમાખી
-----------------------
જામફળની ફળમાખી-

વાડીમાં સ્વચ્છતા રાખવી તથા કોહવાઇ ગયેલા અને ખરી પડેલા ફળો ભેગા કરી તેનો નાશ કરવો. જામફળીની વાડીમાં અવાર-નવાર ઊંડી ખેડ કરવી. ઝાડની આજુ બાજુ ગોડ કરેલ ખામણામાં ક્વિનાલફોસ ૧.૫ ટકા ભૂકી જમીનમાં આપવી જેથી કોશેટામાંથી નિકળેલ ફળમાખી કીટનાશકના સંપર્કમા આવતાં જ તેનો નાશ થશે. ફેરોમોન ટ્રેપમાં બ્લોક ગોઠવવા

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

15 Oct, 03:30


-----------------------
પ્રાકૃતિક ખેતી એટલે શું ? ભાગ – ૧
-----------------------
● પ્રાકૃતિક ખેતીને “ઓછામાં ખર્ચની કુદરતી ખેતી” તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના મૂળભૂત સિદ્ધાંત મુજબ ખેડૂતે બહારના સંસાધનો બિલકુલ જ વાપરવાના નથી અને તેની પાછળ ખર્ચ પણ કરવાનો નથી.

● પોતાના ખેતરમાંથી પકવેલાં બિયારણનો જ ખેતી માટે ઉપયોગ કરવાનો છે. પાકને જરૂરી પોષણ વ્યવસ્થા ખેતરમાંથી ઉત્પાદન અનાજના અવશેષો , ગાયના છાણ-ગૌમૂત્ર, અળસિયાંની પ્રવૃત્તિને વેગવાન કરીને તથા લીલા પડવાશ દ્વારા જ કરવાની રહેશે.

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

7,002

subscribers

4,018

photos

27

videos