અહાદીસે માઅસૂમીન (અ.) @hadisemasuminas Channel on Telegram

અહાદીસે માઅસૂમીન (અ.)

@hadisemasuminas


અહાદીસે માસૂમીન(અ.) (Gujarati)

અહાદીસે માસૂમીન(અ.) નામનો ગુજરાતી ટેલીગ્રામ ચેનલ એક ધાર્મિક પ્રશ્નો, સલાહકારી ટોપીક્સ, અને દરેકની માટે મોટે ઉપયોગી અહાદીસો અને સીખાવાતી વાતો પ્રકારના માહિતી પ્રદાન કરવા માટે બનાવવામાં આવ્યો છે. આ ચેનલ સૌથી પ્રમુખ અહાદીસો, મસાએલ, અને મૌજૂદગી પ્રશ્નો સાથે તમારી મદદ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. ચેનલમાં આવતા સભ્યો ને આત્મનિરીક્ષણ અને અધ્યયન મારફતે સહાય કરવાની માટે સાથે-સાથે આધ્યાત્મિક વૃદ્ધિ પણ કરવાનું શીખવામાં આવે છે. ચેનલમાં જોડાવા માટે, તમારી ગુજરાતી ભાષાનું ઉપયોગ કરીને @hadisemasuminas આ લિંક પર ક્લિક કરો.

અહાદીસે માઅસૂમીન (અ.)

09 Feb, 03:35


રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“જે માણસ હસતા હસતા ગુનો કરશે, તે રડતો રડતો જહન્નમમાં જશે."

(ઇર્શાદાતે રસૂલ, હદીસ-૪૩૩)

અહાદીસે માઅસૂમીન (અ.)

08 Feb, 03:35


હઝરત ઇમામ મોહંમદ બાકિર (અ.)એ ફરમાવ્યું,

“જે માણસ પોતાના રુકુઅને સારી રીતે બજાવી લાવે તે કબ્રની બીકથી અમાનમાં રહેશે.”

(વસાએલુશ્શીઆ, ભાગ-૪)

અહાદીસે માઅસૂમીન (અ.)

07 Feb, 03:33


હઝરત ઇમામ અલી રઝા (અ.)એ ફરમાવ્યું,

“નમાઝે જમાઅત એટલા માટે મુકર્રર કરી છે કે જેથી અલ્લાહ તઆલા માટે ઇખ્લાસ, તોહીદ, ઇસ્લામ અને ઇબાદત જાહેર થઈ જાય.”

(બિહારુલ અન્વાર, જિલ્દ-૮૫, સફહા-૧૨)

અહાદીસે માઅસૂમીન (અ.)

06 Feb, 03:36


મૌલા અલી (અ.)એ ફરમાવ્યું,

“હું એ માણસથી પરેશાન છું કે જે કોઈ મુસલમાનને સલાહ–મશ્વેરો આપવાની બાબતમાં તેને દગો આપે.”

(બિહારુલ અન્વાર, જિલ્દ-૧૫, સફહા-૧૪૪)

અહાદીસે માઅસૂમીન (અ.)

05 Feb, 03:31


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“ઇલ્મ હાંસિલ કરવું દરેક મુસલમાન માટે ફરજ છે. અલ્લાહ તે લોકોથી કેટલી મોહબ્બત કરે છે જે ઇલ્મ હાંસિલ કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે."

(ઉસૂલે કાફી, ભાગ-૧, હદીસ-૬, પેજ નં-૬૮)

અહાદીસે માઅસૂમીન (અ.)

04 Feb, 03:32


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“જો કોઈ માણસ આવનારી બાબતના વિષે કોઈ વાત કહે અને 'ઇન્શાઅલ્લાહ' ન કહે તો અલ્લાહ તેને તેની હાલત પર છોડી દેશે, અને તેનાથી પોતાની મદદ છીનવી લેશે."

(તફ્સીરે નૂરુસ્સકલૈન, ભાગ-૩, પેજ નં-૨૫૨)

અહાદીસે માઅસૂમીન (અ.)

03 Feb, 03:31


હઝરત ઇમામ મોહંમદ બાકિર (અ.) એ ફરમાવ્યું,

“ઈમાનના દૃષ્ટીકોણથી સૌથી સંપુર્ણ મોમિન એ છે કે જેના અખ્લાક સુંદર હોય.”

(બિહારુલ અન્વાર, ભાગ-૬૮, પેજ નં-૩૭૨)

અહાદીસે માઅસૂમીન (અ.)

02 Feb, 03:30


હઝરત ઇમામ હુસૈન (અ.)એ ફરમાવ્યું,

"હું પ્રથમ એ માણસ છું કે જેના માટે જમીન ફાટી જશે અને હું અમીરુલ મોમિનીન (અ.)ની જેમ બહાર નીકળીશ અને અમારા કાએમ (અ.)ની જેમ કયામ કરીશ.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૨, હદીસ-૨૫૧૩)

અહાદીસે માઅસૂમીન (અ.)

31 Jan, 03:33


હઝરત ઇમામ સાદિક(અ.)એ ફરમાવ્યું,

“અલ્લાહ વધુ પડતી ઊંઘ અને વધુ પડતી નવરાશથી નફરત કરે છે.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૧, પેજ-૨૮૪)

અહાદીસે માઅસૂમીન (અ.)

30 Jan, 03:33


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“બે દીની ભાઈઓની મિસાલ બે હાથના જેવી છે, તેમાંથી દરેક એકબીજાને ધુએ છે.”

(ઇહ્યાઉલ ઉલૂમ, જિલ્દ-૨, સફહા-૨૫૧)

અહાદીસે માઅસૂમીન (અ.)

29 Jan, 03:49


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“શંકા કર્યા વગર સદકો આપો, કારણ કે શંકા સવાબને વેડફી નાખે છે.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, જિલ્દ-૨, સફહા-૩૯૧, હદીસ નં-૩૫૫૨)

અહાદીસે માઅસૂમીન (અ.)

27 Jan, 15:53


૨૭મી રજબનો દિવસ મોટી ઈદ નો દિવસ છે, આ દિવસે રસૂલલ્લાહ (સ.) રિસાલત પર મબ'ઉસ (નિયુક્ત) થયા હતા.

આ દિવસના કેટલાક મુસ્તહબ આમાલ છે જેમાંથી એક છે રોઝો રાખવો. આ રોઝાનો સવાબ ૭૦ વર્ષના રોઝાના સવાબ બરાબર છે.

(મફાતીહુલ જિનાન, પેજ નં-૩૦૫)

આપ સૌને આ ઈદ નો દિવસ ખૂબ મુબારક થાય. આપ બધાની દુઆઓનાં તલબગાર છીએ.

અહાદીસે માઅસૂમીન (અ.)

27 Jan, 03:33


મૌલા અલી (અ.)એ ફરમાવ્યું,

"(અલ્લાહની) ઇતાઅત પર મદદ કરનારા અફઝલ મિત્રો છે."

(મીઝાનુલ હિકમા (અરબી), જિલ્દ-૬, સફહા-૨૧૧, હદીસ-૧૦૪૮૩)

અહાદીસે માઅસૂમીન (અ.)

26 Jan, 03:36


મૌલા અલી (અ.)એ ફરમાવ્યું,

“અને તમારા માટે જરૂરી છે કે એકબીજા સાથેના સંબંધો જાળવી રાખો, અતા અને બખ્શિશથી કામ લો, અને એકબીજાથી જુદા પડવાથી તથા સંબંધ કાપવાથી બચો.”

(નહજુલ બલાગા, પત્ર-૪૭)

અહાદીસે માઅસૂમીન (અ.)

25 Jan, 03:33


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“મુસાફો કરો, કારણ કે તે વેરને દૂર કરે છે.”

(મુન્તખબ મીઝાનુલ હિક્મા, ભાગ-૨, પેજ-૩૯૭)

અહાદીસે માઅસૂમીન (અ.)

24 Jan, 03:32


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“અલ્લાહની વાજિબાત પર અમલ કરો, લોકોમાં સૌથી વધારે તકવાવાળા બની જશો.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૩, પેજ-૧૨૨)

અહાદીસે માઅસૂમીન (અ.)

23 Jan, 03:34


મૌલા અલી (અ.) એ ફરમાવ્યું,

"તમે તમારા કાનને ધ્યાનથી સારું સાંભળવાની આદત પડાવો, અને જે બાબતો તમારી સુધારણામાં વધારો ના કરે તેની તરફ ધ્યાન ના આપો."

(મીઝાનુલ હિકમા, જિલ્દ-૪, સફહા-૯૦૫)

અહાદીસે માઅસૂમીન (અ.)

22 Jan, 03:33


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“પસ્તાવો અને ગુનાહથી દૂરી અલ્લાહની નજીક શ્રેષ્ઠ ઇસ્તિગ્ફાર છે.”

(ઇર્શાદાતે રસૂલ, હદીસ નં-૨૮૫)

અહાદીસે માઅસૂમીન (અ.)

21 Jan, 03:32


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“તમારામાંથી કોઈ પણ માણસ પોતાના ભાઈને એવી રીતે સલાહ આપે કે જેવી રીતે તે પોતાની જાતને આપે છે.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૩, પેજ-૪૮૨)

અહાદીસે માઅસૂમીન (અ.)

20 Jan, 03:32


હઝરત ઇમામ સાદિક (અ.)એ ફરમાવ્યું,

“ગુસ્સો દરેક બુરાઈની ચાવી છે.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૩, પેજ-૬૬)

અહાદીસે માઅસૂમીન (અ.)

19 Jan, 03:36


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“નેકી જ ઉંમરમાં વધારો કરે છે.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૧, પેજ-૨૬૭)

અહાદીસે માઅસૂમીન (અ.)

18 Jan, 03:34


હઝરત ઇમામ મોહંમદ બાકિર (અ.)એ ફરમાવ્યું,

"અલ્લાહની કસમ! અમારા પૈરવકાર એ જ લોકો છે જે અલ્લાહનો તક્વો કરે, અને તેની ઇતાઅત કરે."

(અલ-કાફી, જિલ્દ-૨, સફહા-૭૪)

અહાદીસે માઅસૂમીન (અ.)

17 Jan, 03:37


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“અય લોકો! જમાઅતની સાથે ભેગા રહો અને જુદા ન રહો.”

(કન્ઝુલ ઉમ્માલ અરબી, જિલ્દ-૧, સફહા-૨૦૬, હદીસ-૧૦૨૮)

અહાદીસે માઅસૂમીન (અ.)

16 Jan, 03:30


મૌલા અલી (અ.)એ ફરમાવ્યું,

“હુસ્ને ઝન ખૂબ જ સુંદર આદત અને ખૂબ જ મોટો નફો છે.”

(ગુરરુલ હિકમ - ૪૮૨૪, ઉર્દૂ પેજ નં-૫૫)

અહાદીસે માઅસૂમીન (અ.)

15 Jan, 03:34


રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“જે માણસ પોતાની જવાનીમાં ઇલ્મ મેળવે તો તે પત્થર પર લકીર દોરવા સમાન છે, અને જે ઘડપણમાં ઇલ્મ મેળવે તો તે પાણીની સપાટી પર લખવા સમાન છે.”

(બિહારુલ અન્વાર, જિલ્દ-૧, સફહા-૨૨૨)

અહાદીસે માઅસૂમીન (અ.)

14 Jan, 03:32


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

"ઝીનત આપો તમારી મજલિસોને અલી ઇબ્ને અબી તાલિબ (અ.)ના ઝિક્ર વડે."

(મુસ્તદરકુલ વસાએલ, જિલ્દ-૧૨, સફહા-૩૯૩)

અહાદીસે માઅસૂમીન (અ.)

13 Jan, 03:33


મૌલા અલી (અ.)એ ફરમાવ્યું,

“માણસનું મૂલ્યાંકન તેની જીભ છે, અને તેની અક્કલ તેનો દીન છે.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૩, પેજ-૩૦૧)

અહાદીસે માઅસૂમીન (અ.)

12 Jan, 03:32


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“જે પોતાના ભાઈના કોઈ એબને જાણતો હોય, અને પછી તેના એબને છુપાવે, તો અલ્લાહ તઆલા કયામતના દિવસે તેના એબો ઉપર પડદો નાખી દેશે.”

(આદાબે ઇસ્લામી, ભાગ-૨, પેજ નં-૧૯૭)

અહાદીસે માઅસૂમીન (અ.)

11 Jan, 03:36


હઝરત ઇમામ જાફર સાદિક (અ.)એ ફરમાવ્યું,

“અખ્લાકની સુંદરતા એ છે કે પોતાના ખભાઓને નરમીની સાથે ઝુકાવી લો, નરમ લહેજામાં વાતચીત કરો, અને પોતાના ભાઈઓથી હસતા મોઢે મુલાકાત કરો.”

(બિહારુલ અન્વાર, ભાગ-૭૧, પેજ નં-૧૭૧)

અહાદીસે માઅસૂમીન (અ.)

10 Jan, 03:30


હઝરત ઇમામ જાફર સાદિક (અ.)એ ફરમાવ્યું,

“જે માણસ વાજિબ નમાઝમાં પગ બદલવા પહેલાં જનાબે સૈયદા (અ.)ની તસ્બીહ પઢે છે અલ્લાહ તેના ગુનાહ માફ કરી દે છે, યાદ રહે કે શરૂઆત તક્બીરથી કરવામાં આવે.”

(વસાએલુશ્શીઆ, જિલ્દ-૪, સફહા-૩૫૦)

અહાદીસે માઅસૂમીન (અ.)

09 Jan, 03:35


હઝરત ઇમામ અલી રઝા (અ.)એ ફરમાવ્યું,

“ઈમાન એટલે દિલથી તસ્દીક કરવી, જીભથી એકરાર કરવો, અને શરીરના અવયવો વડે અમલ કરવો.”

(મતાઉસ્સકલૈન લિ - મુજાહિદહુસૈન ભાગ-૧, સફહા-૪૦)

અહાદીસે માઅસૂમીન (અ.)

08 Jan, 03:53


મૌલા અલી (અ.)એ ફરમાવ્યું,

“જે સુસ્તીની પૈરવી કરશે, તે હક્કોને વેડફી દેશે.”

(મીઝાનુલ હિકમા, જિલ્દ-૨, સફહા-૧૭૫૪)

અહાદીસે માઅસૂમીન (અ.)

07 Jan, 03:31


ઇમામ જાફર સાદિક (અ.)એ ફરમાવ્યું,

“હલાલ રીતે રોજી મેળવવાને ન છોડો, કારણ કે, તે તમારા દીનમાં તમને મદદરૂપ થાય છે.”

(મસાઈલુશ્શરીઆ, જિલ્દ-૧૭, સફહા-૩૪)

અહાદીસે માઅસૂમીન (અ.)

06 Jan, 04:48


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“ત્રણ માણસની દુઆ ક્યારેય રદ થતી નથી: સખી, બીમાર, અને તોબા કરવાવાળો.”

(ઇર્શાદાતે રસૂલ, હદીસ નં-૩૧૬)

અહાદીસે માઅસૂમીન (અ.)

05 Jan, 04:10


હઝરત રસૂલલ્લાહ (સ.)એ દુઆ વિષે આ પ્રમાણે ફરમાવ્યું,

“દુઆ મોમિનનું હથિયાર છે અને દીનનો સ્તંભ છે, અને આસમાનો અને જમીનનું નૂર છે.”

(મતાઉસ્સકલૈન લિ - મુજાહિદહુસૈન ભાગ-૨, સફહા-૨૧૦)

અહાદીસે માઅસૂમીન (અ.)

04 Jan, 03:32


ઇમામ જાફર સાદિક (અ.)એ ફરમાવ્યું,

“જ્યારે અલ્લાહ કોઈ બંદાથી નેકીનો ઇરાદો કરે છે તો તેને દીનનું ઇલ્મ આપે છે.”

(ઉસૂલે કાફી, જિલ્દ-૧, સફહા-૭૦)

અહાદીસે માઅસૂમીન (અ.)

03 Jan, 03:33


હઝરત ઇમામ મૂસા કાઝિમ (અ.)એ ફરમાવ્યું,

“રજબ જન્નતની એક નહેર છે. જેનું પાણી દૂધથી પણ વધારે સફેદ, અને મધથી પણ વધારે મીઠું છે. અને જે વ્યક્તિ આ મહીનામાં એક રોઝો પણ રાખશે તેને જન્નતમાં આ નહેરમાંથી પાણી આપવામાં આવશે.”

(મફાતિહુલ જિનાન (ઉદૂઁ), સફહા-૨૬૬, ૨૬૭)

અહાદીસે માઅસૂમીન (અ.)

02 Jan, 03:30


હઝરત ઇમામ મૂસા કાઝિમ (અ.)એ ફરમાવ્યું,

“જે માણસ રજબ મહીનામાં એક રોઝો રાખે તેના માટે જહન્નમની આગ એક હજાર વર્ષના રસ્તા જેટલી દૂર થઈ જાય છે. અને જે માણસ આ મહીનામાં ત્રણ દિવસના રોઝા રાખે અને તો જન્નત એના માટે વાજિબ થઈ જાય છે.”

(મફાતિહુલ જિનાન (ઉદૂઁ), સફહા-૨૬૬, ૨૬૭)

અહાદીસે માઅસૂમીન (અ.)

01 Jan, 03:34


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“જે માણસ ગરીબોની મદદ કરે અને પોતાની બાબતમાં બીજાઓ સાથે ઇન્સાફથી કામ લે, તે હકીકતમાં મોમિન છે.”

(બિહારુલ અન્વાર, જિલ્દ-૭૫, બાબ-૩૫, હદીસ નં-૫)

અહાદીસે માઅસૂમીન (અ.)

31 Dec, 03:31


હઝરત ઇમામ હુસૈન (અ.)એ ફરમાવ્યું,

“સંતોષ શરીરો માટે રાહત છે.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૩, પેજ-૨૩૧)

અહાદીસે માઅસૂમીન (અ.)

30 Dec, 03:31


મૌલા અલી (અ.)એ ફરમાવ્યું,

“જો તમે કતએરહેમી કરશો, તો તમારો માલ ખરાબ લોકોના હાથમાં જતો રહેશે.”

(મીઝાનુલ હિકમા, ભાગ-૨, પેજ નં-૧૧૨)

અહાદીસે માઅસૂમીન (અ.)

29 Dec, 03:31


રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“સિલે રહમી એ (કયામતના દિવસના) હિસાબને આસાન કરે છે અને ખરાબ મોતથી બચાવે છે.”

(બિહારુલ અન્વાર, જિલ્દ-૪૭, સફહા-૧૬૩)

અહાદીસે માઅસૂમીન (અ.)

28 Dec, 03:31


મૌલા અલી (અ.)એ ફરમાવ્યું,

"અને તમારા માટે જરૂરી છે કે એકબીજા સાથેના સંબંધો જાળવી રાખો, અતા અને બખ્શિશથી કામ લો, અને એકબીજાથી જુદા પડવાથી તથા સંબંધ કાપવાથી બચો."

(નહજુલ બલાગા, પત્ર-૪૭)

અહાદીસે માઅસૂમીન (અ.)

27 Dec, 03:30


હઝરત અમીરુલ મોમિનીન (અ.)એ ફરમાવ્યું,

“જ્યારે ઇમામ જુમ્આના ખુત્બા આપે તો તે સમયે કોઈ વાતચીત કરવી જોઈએ નહીં, અને ખુત્બામાં નમાઝની જેમ જ ધ્યાન હોવું જોઈએ."

(મલ્લા યહ્ઝરહુલ ફકીહ, ભાગ-૧, હદીસ નં-૧૨૩૦)

અહાદીસે માઅસૂમીન (અ.)

26 Dec, 03:32


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“પોતાની ઓલાદને વધારે બોસા આપો. બેશક, તમારા માટે દરેક બોસાના બદલામાં જન્નતમાં એક દરજ્જો છે કે જેનું અંતર પાંચસો વર્ષનું છે."

(રૌઝતુલ વાએઝીન, જિલ્દ-૨, સફહા-૩૬૯)

અહાદીસે માઅસૂમીન (અ.)

25 Dec, 03:30


મૌલા અલી (અ.)એ ફરમાવ્યું,

“બેશક, નમ્રતાથી વાત કરવી અને સલામને ફેલાવવી ઇબાદતમાંથી છે.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, જિલ્દ-૨, સફહા-૪૯૭)

અહાદીસે માઅસૂમીન (અ.)

24 Dec, 03:31


મૌલા અલી (અ.) એ ફરમાવ્યું,

"તમે તમારા કાનને ધ્યાનથી સારું સાંભળવાની આદત પડાવો, અને જે બાબતો તમારી સુધારણામાં વધારો ના કરે તેની તરફ ધ્યાન ના આપો."

(મીઝાનુલ હિકમા, જિલ્દ-૪, સફહા-૯૦૫)

અહાદીસે માઅસૂમીન (અ.)

23 Dec, 03:31


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“માણસના મોટાભાગના ગુના તેની ઝબાનના કારણે થતા હોય છે."

(ઇર્શાદાતે રસૂલ, હદીસ-૫૦૯)

અહાદીસે માઅસૂમીન (અ.)

22 Dec, 03:31


મૌલા અલી (અ.)એ ફરમાવ્યું,

“દુનિયા અને આખેરતમાં બધાં જ પીણાંઓનો સરદાર પાણી છે.”

(અશરબાએ મુબાહાકે અબ્વાબ, બાબ-૧, સફહા-૧૩૩, હદીસ-૩)

અહાદીસે માઅસૂમીન (અ.)

21 Dec, 03:32


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“ઈમાનના બે ભાગ છે, એકનું નામ સબ્ર છે અને બીજાનું નામ શુક્ર.”

(પયામે કુરઆન, ભાગ-૧, પેજ નં-૩૭૧)

અહાદીસે માઅસૂમીન (અ.)

20 Dec, 03:31


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“જે માણસ પોતાના મોમિન ભાઈની એક હાજત પૂરી કરે તો જાણે કે તેણે પોતાનું આખું જીવન અલ્લાહની ઇબાદત કરી હોય.”

(વસાએલુશ્શીઆ, ભાગ-૧૬, પેજ નં-૩૬૧)

અહાદીસે માઅસૂમીન (અ.)

19 Dec, 03:31


મૌલા અલી (અ.)એ ફરમાવ્યું,

“પોતાની ઓલાદની ઇજ્જત કરો, અને તેમના આદાબને બહેતર બનાવો કે જેથી તમારા ગુનાહોને માફ કરવામાં આવે.”

(મીઝાનુલ હિકમા, ઉર્દુ, ભાગ-૧, પેજ નં-૧૪૪)

અહાદીસે માઅસૂમીન (અ.)

18 Dec, 03:30


રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“ઇન્સાનના ઇજ્જતદાર હોવાની નિશાની એ છે કે મુસાફરી માટે નીકળે તો વધારે સારા અને દિલપસંદ મિત્રોને સાથે રાખે.”

(મલ્લા યહ્ઝરહુલ ફકીહ, જિલ્દ-૨, સફહા-૧૮૪)

અહાદીસે માઅસૂમીન (અ.)

17 Dec, 03:31


ઇમામ જાફર સાદિક (અ.)એ ફરમાવ્યું,

“જ્યારે દુઆ કરો તો કબૂલ થવાનું યકીન રાખો.”

(બિહારુલ અન્વાર, જિલ્દ ૯૦, બાબ-૧૭, ૩૦૫)

અહાદીસે માઅસૂમીન (અ.)

16 Dec, 03:31


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“તમે મસ્જિદમાં અફસોસની સાથે અને (માથું) ઢાંકેલી હાલતમાં આવો, કારણ કે અમામો મુસલમાનોનો તાજ છે.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૩, પેજ-૨૯૭)

અહાદીસે માઅસૂમીન (અ.)

15 Dec, 03:30


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“બે દીની ભાઈઓની મિસાલ બે હાથના જેવી છે, તેમાંથી દરેક એકબીજાને ધુએ છે.”

(ઇહ્યાઉલ ઉલૂમ, જિલ્દ-૨, સફહા-૨૫૧)

અહાદીસે માઅસૂમીન (અ.)

14 Dec, 03:30


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“મને આશ્ચર્ય થાય છે એ માણસ પર જે બીમારીના ડરના કારણે ખોરાકથી પરહેઝ કરે છે, તે (દોઝખની) આગથી ડરીને ગુનાહથી પરહેઝ કેમ નથી કરતો?”

(ઇર્શાદાતે રસૂલ, હદીસ નં-૪૩૪)

અહાદીસે માઅસૂમીન (અ.)

13 Dec, 03:30


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“જે વ્યક્તિ ત્રણ જુમ્આ છોડે એ રીતે કે તે તેમને મામૂલી સમજતો હોય, તો અલ્લાહ તેના દિલ પર મહોર લગાવી દે છે.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૨, પેજ-૪૨૬)

અહાદીસે માઅસૂમીન (અ.)

12 Dec, 03:39


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“જો કોઈ માણસ કામકાજના કારણે થાકીને સૂઈ જાય તો તેના માટે મગ્ફેરત છે.”

(જામેઉલ અખ્બાર, ભાગ-૧, પેજ નં-૭૦)

અહાદીસે માઅસૂમીન (અ.)

11 Dec, 03:30


મૌલા અલી (અ.)એ ફરમાવ્યું,

“કુરઆન એવી શિફા આપનારી દવા છે કે જેનાથી કોઈ બીમારી પેદા થતી નથી."

(નહજુલ બલાગા, ખુત્બા-૧૯૮)

અહાદીસે માઅસૂમીન (અ.)

10 Dec, 03:31


મૌલા અલી (અ.)એ ફરમાવ્યું,

“માલને સંગ્રહ કરનાર પોતાની નેઅમતથી વંચિત રહેનારો છે.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, જિલ્દ-૧, સફહા-૫૪૯, હદીસ–૧૬૯૧)

અહાદીસે માઅસૂમીન (અ.)

09 Dec, 03:31


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“સખાવત જન્નતનું એક એવું ઝાડ છે કે જેની ડાળીઓ જમીન સુધી પહોંચેલી છે. જેણે પણ એમાંથી કોઈ એક ડાળી પકડી લીધી તે તેને જન્નત સુધી લઈ જશે.”

(જામેઉસ્સઆદત, જિલ્દ-૨, સફહા-૧૧૩)

અહાદીસે માઅસૂમીન (અ.)

08 Dec, 03:32


મૌલા અલી (અ.) એ ફરમાવ્યું,

"તમે તમારા કાનને ધ્યાનથી સારું સાંભળવાની આદત પડાવો, અને જે બાબતો તમારી સુધારણામાં વધારો ના કરે તેની તરફ ધ્યાન ના આપો."

(મીઝાનુલ હિકમા, જિલ્દ-૪, સફહા-૯૦૫)

અહાદીસે માઅસૂમીન (અ.)

07 Dec, 03:31


રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“મિસ્કીનોની સાથેની મોહબ્બત અને તેમની નજદીકી અલ્લાહની કુર્બત મેળવવાનો વસીલો છે.”

(મકારેમુલ અખ્લાક, જિલ્દ-૧, સફહા-૧૪૯)

અહાદીસે માસૂમીન(અ.)

24 Nov, 03:31


મૌલા અલી (અ.)એ ફરમાવ્યું,

"માબાપ સાથે નેકી કરવી સૌથી મોટી ફર્ઝ છે."

(ગુરરુલ હિકમ, જિલ્દ-૧, સફહા-૩૧૨)

અહાદીસે માસૂમીન(અ.)

23 Nov, 03:30


હઝરત ઇમામ જાફર સાદિક (અ.)એ ફરમાવ્યું,

“વ્યાજને એટલા માટે હરામ કરવામાં આવ્યું છે કે લોકો એકબીજાને નેકીના કામોથી ન રોકે."

(મિઝાનુલ હિકમત, ભાગ-૪, પાના નં-૧૧૨)

અહાદીસે માસૂમીન(અ.)

22 Nov, 03:31


મૌલા અલી (અ.)એ ફરમાવ્યું,

“સફળતાની આફત આળસ છે.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૩, પેજ-૨૬૮)

અહાદીસે માસૂમીન(અ.)

21 Nov, 03:30


મૌલા અલી (અ.)એ ફરમાવ્યું,

“ઇલ્મ પ્રમાણે અમલ કરો, જેથી તમે ખુશનસીબ થાઓ.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૨, પેજ-૨૩૬)

અહાદીસે માસૂમીન(અ.)

20 Nov, 03:31


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“સાઇલ તરફ નજર કરો. જો તેના માટે તમારું દિલ નરમ બની જાય, તો તેને આપી દો, કારણ કે તે સાચો છે.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૨, પેજ-૨૦૮)

અહાદીસે માસૂમીન(અ.)

19 Nov, 03:30


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“મુસલમાનની સૌથી પાક કમાણી એ છે કે જે અલ્લાહના માર્ગમાં ખર્ચ કરે.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૩, પેજ-૨૬૫)

અહાદીસે માસૂમીન(અ.)

18 Nov, 03:31


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“જમીન પર હદોને જાળવી રાખવી, ૬૦ વષઁની ઇબાદત કરતાં વધારે પાક છે.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૧, પેજ-૪૭૬)

અહાદીસે માસૂમીન(અ.)

17 Nov, 03:31


હઝરત ઇમામ સાદિક (અ.)એ ફરમાવ્યું,

“લોકો વચ્ચે સુલેહ કરાવનાર જુઠ્ઠો નથી હોતો.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૩, પેજ-૨૫૬)

અહાદીસે માસૂમીન(અ.)

16 Nov, 03:29


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“વધારે પ્રમાણમાં ભાઈઓની શોધ કરો, કારણ કે દરેક મોમિનને કયામતના દિવસે શફાઅત (કરવા)નો હક છે.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૧, પેજ-૭૩)

અહાદીસે માસૂમીન(અ.)

15 Nov, 03:31


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“મુસાફો કરો, કારણ કે તે દુશ્મનીને દૂર કરે છે.”

(મુન્તખબ મીઝાનુલ હિક્મા, ભાગ-૨, પેજ-૩૯૭)

અહાદીસે માસૂમીન(અ.)

14 Nov, 03:31


હઝરત ઇમામ જાફર સાદિક (અ.)એ ફરમાવ્યું,

“મોમિનોની રૂહ જન્નતમાં તેમના શરીરના રૂપમાં રહે છે. જો તમે તેને જોઈ લો તો કહો કે આ તો ફલાણો માણસ છે.”

(મતાઉસ્સકલૈન લિ - મુજાહિદહુસૈન ભાગ-૨, સફહા-૭૧)

અહાદીસે માસૂમીન(અ.)

13 Nov, 03:32


હઝરત ઇમામ સાદિક (અ.)એ ફરમાવ્યું,

“લોકોમાં સૌથી વધારે સાવચેત માણસ એ છે કે જે શકના સમયે રોકાઈ જાય.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૨, પેજ-૨૯૩)

અહાદીસે માસૂમીન(અ.)

12 Nov, 03:31


હઝરત રસૂલલ્લાહ (સ.)એ દુઆ વિષે આ પ્રમાણે ફરમાવ્યું,

“દુઆ મોમિનનું હથિયાર છે અને દીનનો સ્તંભ છે, અને આસમાનો અને જમીનનું નૂર છે.”

(મતાઉસ્સકલૈન લિ - મુજાહિદહુસૈન ભાગ-૨, સફહા-૨૧૦)

અહાદીસે માસૂમીન(અ.)

11 Nov, 03:31


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“બેશક, નેક ઓલાદ જન્નતના ખુશબૂદાર છોડવાઓમાંથી એક છોડ છે.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, જિલ્દ-૩, સફહા-૬૬૬)

અહાદીસે માસૂમીન(અ.)

10 Nov, 03:31


મૌલા અલી (અ.)એ ફરમાવ્યું,

“તે તાલીમ નથી મેળવી શકતો કે જે અભિમાન કરે છે.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૩, પેજ-૨૩૯)

અહાદીસે માસૂમીન(અ.)

09 Nov, 03:31


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“શાંતિ અલ્લાહ તરફથી હોય છે, અને ઉતાવળ શયતાન તરફથી.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૨, પેજ-૫૧૦)

અહાદીસે માસૂમીન(અ.)

08 Nov, 03:31


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“એક બંદો કાંટાળી ડાળખીના કારણે જન્નતમાં જશે કે જે મુસલમાનોના રસ્તામાં પડી હશે, અને જેને તેણે તે રસ્તાથી હટાવી દીધી હશે.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૨, પેજ-૫૬૩)

અહાદીસે માસૂમીન(અ.)

07 Nov, 03:31


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“અલ્લાહનો ઝિક્ર દિલોની શિફા છે.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૨, પેજ-૫૫)

અહાદીસે માસૂમીન(અ.)

06 Nov, 03:32


મૌલા અલી (અ.)એ ફરમાવ્યું,

“તમારી ઓલાદને ઇલ્મ તલબ કરવાનો હુકમ કરો.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૩, પેજ-૬૭૬)

અહાદીસે માસૂમીન(અ.)

05 Nov, 03:30


મૌલા અલી (અ.)એ ફરમાવ્યું,

“જો તમે આખેરત માટે કામ કરશો તો તમારી કોશિશ કામયાબ છે, એટલે કે તમે પોતાના મક્સદ સુધી એવી રીતે પહોંચી જશો કે જેવી રીતે તીર નિશાના પર લાગે છે.”

(ગુરુરલ હિકમ-૧, પેજ નં-૧૭)

અહાદીસે માસૂમીન(અ.)

04 Nov, 03:59


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“દરેક વસ્તુનો એક આધાર હોય છે, અને આ દીનનો આધાર ફિક્હ છે.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૩, પેજ-૧૫૧)

અહાદીસે માસૂમીન(અ.)

03 Nov, 03:31


રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“સિલે રહમી એ (કયામતના દિવસના) હિસાબને આસાન કરે છે અને ખરાબ મોતથી બચાવે છે.”

(બિહારુલ અન્વાર, જિલ્દ-૪૭, સફહા-૧૬૩)

અહાદીસે માસૂમીન(અ.)

02 Nov, 03:31


હઝરત ઇમામ જાફર સાદિક (અ.)એ ફરમાવ્યું,

“જે માણસ તેના મોમિન ભાઈની હાજત પૂરી કરે છે, તો અલ્લાહ અઝ્ઝ વ જલ્લ કયામતના દિવસે તેની એક લાખ હાજતો પૂરી કરશે. જેમાંની પ્રથમ એક હાજત જન્નત હશે.”

(મીઝાનુલ હિકમા, ભાગ-૧, પેજ નં-૫૭૧)

અહાદીસે માસૂમીન(અ.)

01 Nov, 03:32


મૌલા અલી (અ.)એ ફરમાવ્યું,

“ગીબત કરવી એ કમજોર માણસની (અંતિમ) કોશિશ છે.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૩, પેજ-૯૮)

અહાદીસે માસૂમીન(અ.)

31 Oct, 03:31


મૌલા અલી (અ.)એ ફરમાવ્યું,

“ચૂપ રહેવું એક હિકમત છે, અને શાંતિ સલામતી છે, અને રાઝને છુપાવવાં એક ખુશનસીબી છે.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૩, પેજ-૨૪૫)

અહાદીસે માસૂમીન(અ.)

30 Oct, 03:32


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“બેશક, અલ્લાહ તઆલા તોબા કરનાર જવાનથી મોહબ્બત કરે છે.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૨, પેજ-૨૯૦)

અહાદીસે માસૂમીન(અ.)

29 Oct, 03:32


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“દરેક વસ્તુનો એક પાયો હોય છે અને ઇસ્લામનો પાયો આપની અહલેબૈતની મોહબ્બત છે.”

(બિહારુલ અન્વાર, જિલ્દ-૭૪, સફહા-૪૬)

અહાદીસે માસૂમીન(અ.)

28 Oct, 03:31


મૌલા અલી (અ.)એ ફરમાવ્યું,

"વેર લેવું એ શક્તિશાળી માણસનું સૌથી ખરાબ કાર્ય છે.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, જિલ્દ−૩, સફહા-૨૭૫, હદીસ-૫૫૬૦)

અહાદીસે માસૂમીન(અ.)

27 Oct, 03:31


મૌલા અલી (અ.)એ ફરમાવ્યું,

"જૂઠ જેવી મોટી કોઈ બુરાઈ નથી.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, જિલ્દ−૩, સફહા-૨૪૯, હદીસ-૫૪૪૪)

અહાદીસે માસૂમીન(અ.)

26 Oct, 03:32


મૌલા અલી (અ.)એ ફરમાવ્યું,

"માણસનું લખાણ તેની અક્કલનું શીર્ષક અને તેની ફઝીલતની દલીલ છે.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, જિલ્દ−૩, સફહા-૨૪૧, હદીસ-૫૪૧૧)

અહાદીસે માસૂમીન(અ.)

25 Oct, 03:31


મૌલા અલી (અ.)એ ફરમાવ્યું,

"સંતોષથી વધીને સમૃધ્ધ કોઈ ખજાનો નથી.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, જિલ્દ−૩, સફહા-૨૩૦, હદીસ-૫૩૬૬)

અહાદીસે માસૂમીન(અ.)

24 Oct, 03:31


ઇમામ જાફર સાદિક (અ.)એ ફરમાવ્યું,

“અભિમાન અલ્લાહનો પોશાક છે, તો પછી જેણે અલ્લાહથી તેને મેળવવાનો પ્રયત્ન કર્યો તો અલ્લાહ તેને ઊંધા મોંઢે જહન્નમમાં ફેંકી દેશે.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, જિલ્દ−૩, સફહા-૨૩૪, હદીસ-૫૩૮૩)

અહાદીસે માસૂમીન(અ.)

23 Oct, 03:31


હઝરત ઇમામ બાકિર (અ.)એ ફરમાવ્યું,

"તમારા દિલને નરમ બનાવવા માટે એકાંતમાં પુષ્કળ ઝિક્ર વડે પ્રયત્ન કરો.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, જિલ્દ−૩, સફહા-૨૨૩, હદીસ-૫૩૪૮)

અહાદીસે માસૂમીન(અ.)

22 Oct, 03:31


મૌલા અલી (અ.)એ ફરમાવ્યું,

"ઇજ્જતદાર હોવું એ સુંદર આદત છે.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, જિલ્દ−૩, સફહા-૨૫૮, હદીસ-૫૪૮૪)

અહાદીસે માસૂમીન(અ.)

21 Oct, 03:31


હઝરત ઇમામ જાફર સાદિક (અ.)એ ફરમાવ્યું,

“જ્યાં સુધી તમને ખબર ન પડી જાય કે હકીકત શું છે ત્યાં સુધી તમે સારી જ વાત કરતા રહો.”

(મતાઉસ્સકલૈન લિ - મુજાહિદહુસૈન ભાગ-૧, સફહા-૨૭૩)

અહાદીસે માસૂમીન(અ.)

20 Oct, 03:32


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“જેણે ખામોશી ધારણ કરી લીધી તેણે નજાત મેળવી.”

(ઇર્શાદાતે રસૂલ, હદીસ નં-૫૦૭)

અહાદીસે માસૂમીન(અ.)

19 Oct, 03:31


હઝરત ઇમામ અસ્કરી (અ.)એ ફરમાવ્યું,

"જે માણસ પોતાના ભાઈઓના હક્કોને સૌથી વધારે જાણે છે, અને તેને ખૂબ જ સારી રીતે અદા કરે છે, તે અલ્લાહની નજીક સૌથી વધારે શાનવાળો છે.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, જિલ્દ−૧, સફહા-૫૪૬, હદીસ-૧૬૭૪)

અહાદીસે માસૂમીન(અ.)

18 Oct, 03:31


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“ત્રણ વસ્તુઓ નેકીના દરવાજા છે: પોતાની જાતની સખાવત, શબ્દોની પાકીઝગી, મુસીબત પર સબ્ર.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૧, પેજ-૨૬૭)

અહાદીસે માસૂમીન(અ.)

17 Oct, 03:31


મૌલા અલી (અ.)એ ફરમાવ્યું,

"આલિમોની સાથે બેસો, જેથી ખુશનસીબ બનો.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૨, પેજ-૨૩૬)

અહાદીસે માસૂમીન(અ.)

16 Oct, 03:31


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“મારી ઉમ્મત બરકતવાળી ઉમ્મત છે, તેના વિષે એ ખબર નથી કે તેની શરૂઆતમાં ભલાઈ છે કે તેના અંતમાં.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૧, પેજ-૧૨૨)

અહાદીસે માસૂમીન(અ.)

15 Oct, 03:32


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“તમારા માટે જરૂરી છે કે કુરઆનની તિલાવત કરો, કારણ કે તે જમીનમાં તમારા માટે એક નૂર, અને આસમાનમાં તમારા માટે ખજાનો છે.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૩, પેજ-૫૩૪)

અહાદીસે માસૂમીન(અ.)

14 Oct, 03:31


મૌલા અલી (અ.)એ ફરમાવ્યું,

“તમે તમારી બધી જ ઉમ્મીદો અલ્લાહથી જ
રાખો. તેના સિવાય કોઈનાથી ઉમ્મીદ ના રાખો, કારણ કે જે કોઈ અલ્લાહ સિવાય બીજાથી ઉમ્મીદ રાખે છે, તે નાકામ થઈ જાય છે."

(મીઝાનુલ હિકમા, જિલ્દ-૪, સફહા-૧૩૫)

અહાદીસે માસૂમીન(અ.)

13 Oct, 03:30


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“નેકી જ ઉંમરમાં વધારો કરે છે.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૧, પેજ-૨૬૭)

અહાદીસે માસૂમીન(અ.)

12 Oct, 03:31


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“માલદાર વ્યકિતનું વાયદા બતાવવું જુલ્મ છે.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૨, પેજ-૪૯)

અહાદીસે માસૂમીન(અ.)

11 Oct, 03:31


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“માણસની ઇજ્જત તેનો દીન છે.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૩, પેજ-૨૫૮)

અહાદીસે માસૂમીન(અ.)

10 Oct, 03:32


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“જે માણસ મારી પાસે ઝાઈર બનીને આવશે તો હું કયામતના દિવસે તેની શફાઅત કરનાર બનીશ.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૧, પેજ-૨૬૭)

અહાદીસે માસૂમીન(અ.)

09 Oct, 03:31


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“અય લોકો! બેશક, અલ્લાહનો દીન આસાન છે.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૨, પેજ-૪૪)

અહાદીસે માસૂમીન(અ.)

08 Oct, 03:31


મૌલા અલી અલૈહિસ્સલામએ ફરમાવ્યું છે કે,

“જેનો કોઈ મિત્ર જ ન હોય તે ઘણો બદનસીબ છે. પરંતુ તેના કરતાં પણ વધારે બદનસીબ એ છે કે જેને મિત્રો હોય, અને તે તેમનાથી સંબંધ કાપી નાખે.”

(અખ્લાક દિનીયાત 5 વર્ષ, પેજ નં. -30)

અહાદીસે માસૂમીન(અ.)

07 Oct, 03:31


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“જે અભિમાન કરશે, અલ્લાહ તેને હલકો પાડી દેશે.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૩, પેજ-૨૩૮)

અહાદીસે માસૂમીન(અ.)

06 Oct, 03:31


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“ખર્ચમાં કરકસર કરવી એ અડધી રોજી છે.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૩, પેજ-૧૮૮)

અહાદીસે માસૂમીન(અ.)

05 Oct, 03:30


મૌલા અલી(અ.)એ ફરમાવ્યું,

“જ્યારે તમે બોલનાર આલિમ ન બની શકો તો તમે ધ્યાનથી સાંભળનારા બનો.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૨, પેજ-૨૬૬)

અહાદીસે માસૂમીન(અ.)

04 Oct, 03:31


મૌલા અલી(અ.)એ ફરમાવ્યું,

“જે પોતાના નફ્સને પાક નહીં કરે, તો ખરાબ આદતો તેને બદનામ કરશે.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૩, પેજ-૫૧૧)

અહાદીસે માસૂમીન(અ.)

03 Oct, 03:31


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“સૌથી શ્રેષ્ઢ ઇબાદત ઈસ્તિગ્ફાર છે.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૩, પેજ-૭૦)

અહાદીસે માસૂમીન(અ.)

02 Oct, 03:31


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“બેશક, અલ્લાહ તઆલા જૂની ભાઈબંધીને જાળવી રાખવાને પસંદ કરે છે, તો તેને જાળવી રાખો.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૧, પેજ-૮૦)

અહાદીસે માસૂમીન(અ.)

01 Oct, 03:31


રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“સિલે રહમી એ (કયામતના દિવસના) હિસાબને આસાન કરે છે અને ખરાબ મોતથી બચાવે છે.”

(બિહારુલ અન્વાર, જિલ્દ-૪૭, સફહા-૧૬૩)

અહાદીસે માસૂમીન(અ.)

30 Sep, 03:31


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“નેકી જ ઉંમરમાં વધારો કરે છે.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૧, પેજ-૨૬૭)

અહાદીસે માસૂમીન(અ.)

29 Sep, 03:40


મૌલા અલી (અ.)એ ફરમાવ્યું,

“પોતાની જાતને ઇસ્તિગ્ફાર વડે સુગંધિત કરી દો, તમારા ગુનાઓની દુર્ગંધ તમને ઉઘાડા નહીં પાડે.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૩, પેજ-૭૧)

1,187

subscribers

0

photos

0

videos