નવરાત્રી અંગે સૂચના
આથી કોલેજના B.A./B.COM ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે, તારીખ ૦૯/૧૦/૨૦૨૪ ને બુધવારના દિવસે કોલેજમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેનો સમય સવારે ૦૮:૦૦ થી ૧૨:૦૦ સુધીનો રહેશે. ગરબામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓએ નીચેની સૂચનાઓંનું ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે.
(1) દરેક વિદ્યાર્થીએ ચાલુ સેમેસ્ટરની ફી ભયૉની પાવતી ફરજિયાત સાથે લાવવાનું રહેશે. આ સાથે આધાર કાર્ડ કે કોઈ પણ આઇ ડી પ્રૂફ પણ લાવવાનું રહેશે.
(3) જે વિદ્યાર્થી પાસે આઈડી પ્રૂફ નહીં હોય તેને કોઈપણ સંજોગોમાં કોલેજમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.
(4) તમામ વિદ્યાર્થીઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં આવે તે ઇચ્છનીય છે.
(5) કોઈપણ વિદ્યાર્થી ગરબામાં વિડીયો શુટીંગ કરી શકશે નહીં જો કરશે તો તે ગુનાપાત્ર ગણાશે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.