🚸⊍📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕
📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને તે ગ્રહણ મૂકાઈ રહ્યા પછી વસ્ત્ર સહીત સ્નાન કરીને જે અમારા ગૃહસ્થ સત્સંગી હોય તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું અને જે ત્યાગી હોય તેમણે ભગવાનની પૂજા કરવી.
📕 *વચનામૃત* 🎤
ભગવાન તે મનુષ્ય જે પોતાના ભક્ત હોય, તેની જ સેવાને અંગીકાર કરે છે. અને તે પોતાના ભક્તનાં ગાર્ય, માટી ને પાણાનાં જે ઘર તેને વિષે વિરાજમાન રહે છે અને તે ભક્ત ધૂપ-દીપ, અન્ન-વસ્ત્રાદિક જે જે અર્પણ કરે છે તેને ભગવાન પ્રીતિએ કરીને અંગીકાર કરે છે; તે એ *મનુષ્ય સેવક છે તેને દિવ્યરૂપ પાર્ષદ ભેળા ભેળવવા વાસ્તે કરે છે. અને જે ભક્તજન જે જે વસ્તુ ભગવાનને અર્પણ કરે છે તે તે વસ્તુ ભગવાનના ધામને વિષે દિવ્યરૂપ થાય છે અને એ ભક્ત દિવ્યરૂપ થઈને તેને પામે છે. માટે એવું અચળ અખંડ સુખ ભક્તજનને પમાડવાને અર્થે ભગવાન જે તે મનુષ્ય એવા જે પોતાના ભક્તજન તેની સર્વે સેવાને અંગીકાર કરે છે.*
📗 *_સ્વામીની વાતો_* 🗣
મહારાજે એમ કહ્યું જે, “જ્યારે ઇન્દ્ર કલ્યાણ કરવા આવે ત્યારે એના શિષ્ય દેવતા જેવા થાય. અને બ્રહ્મા કલ્યાણ કરવા આવે ત્યારે એના શિષ્ય ઇન્દ્ર જેવા થાય. અને વૈરાટ આવે ત્યારે એના શિષ્ય બ્રહ્મા જેવા થાય. ને પ્રધાન પુરુષ જ્યારે કલ્યાણ કરવા આવે ત્યારે એના શિષ્ય વૈરાટ જેવા થાય. ને પુરુષ જ્યારે કલ્યાણ કરવા આવે ત્યારે એના શિષ્ય પ્રધાન પુરુષ જેવા થાય. ને અક્ષર આવે ત્યારે તેના શિષ્ય પુરુષ જેવા થાય. ને *પુરુષોત્તમ કલ્યાણ કરવા આવે ત્યારે એના શિષ્ય અક્ષર જેવા થાય;* માટે અક્ષર આગળ તો કોઈ અવતારાદિકનું સમર્થપણું હોતું નથી.” એમ કહ્યું.
📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
અમારો વિશ્વાસ કરે તે અમારા સાચા દાસ છે.
📙 *_અનિર્દેશિ અમૃત,_* તા.૧૭-૭-૧૯૮૧, ગુરુપૂર્ણિમા, વાત-૧૦૧ 🔯
*તમારો ધર્મ, તમારું જ્ઞાન, તમારો વૈરાગ્ય, તમારી ભક્તિ, તમારી બુદ્ધિ અને તમારી સમૃદ્ધિ, તમારી સૂઝ જો ભગવાન અને ભગવાનના સાધુનો અભાવ લેવડાવતી હોય, ઉપેક્ષા કરાવડાવતી હોય તો બંધનરૂપ છે, પાપરૂપ છે. નોંધી લેજો. એ અંતરનો લોક છે.*
મહારાજના સમયમાં એક સંતને માસ્ટરપીસ જ્ઞાન હતું પણ ગોપાળાનંદસ્વામી જેવા અસલી નિર્મળ સાધુ સાથે પ્રીતિ કરી શક્યા નહિ. એ જ્ઞાન પાપરૂપ નીવડ્યું. તમારી સમજણ પાપરૂપ નીવડે જો એ બીજાનો અભાવ લેવડાવે તો!
એટલે ગુણતીતાનંદસ્વામીએ માંગ્યું, "હે મહારાજ! અમારી કો'ક માનીનતા આપણે રાજી કરવા માટે નડે નહિ. અભાવ ન લેવડાવે. લોક-માનીનતા, સંકલ્પસિદ્ધિ, મુક્તિ કાંઈ જોઈતું નથી. ન કલ્યાણની ભાવનામાં બંધાય કે ન મુક્તિની ભાવનામાં બંધાય પણ તમારી સેવા અને તમારા સ્વરૂપમાં જ બંધાય એવું કરી આપજો!'
➕ *ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐
સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※