※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸⊍📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕
📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને શ્રુતિ સ્મૃતી તેમણે પ્રતિપાદન કર્યો એવો જે સદાચાર તે ધર્મ જાણવો અને શ્રીકૃષ્ણ ભગવાનને વિષે મહાત્મ્યજ્ઞાને સહીત જે ઘણો સ્નેહ તે ભક્તિ જાણવી.
📕 *વચનામૃત* 🎤
કાકાભાઈએ પૂછ્યું જે, *“ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ ત્રણ પ્રકારના જે ભગવાનના ભક્ત તેનાં શાં લક્ષણ છે?”* પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભક્ત પોતાને દેહ થકી જુદો જે આત્મા તે રૂપ માને અને દેહના ગુણ જે જડ, દુઃખ, મિથ્યા, અપવિત્રપણું ઇત્યાદિક છે તે આત્માને વિષે માને નહીં અને અછેદ્ય, અભેદ્ય, અવિનાશી ઇત્યાદિક જે આત્માના ગુણ તે દેહને વિષે માને નહીં; અને પોતાના શરીરને વિષે રહ્યો જે જીવાત્મા તેને દેખે અને તે આત્માને વિષે રહ્યા જે પરમાત્મા તેને પણ દેખે અને બીજાના દેહમાં જે આત્મા રહ્યો છે તેને પણ દેખે; અને એવો સમર્થ થયો છે તો પણ એ *આત્મદર્શન થકી ભગવાન અને ભગવાનના સંત તેને અધિક જાણે છે, પણ પોતાને આત્મદર્શન થયું છે તેનું અભિમાન લેશમાત્ર ન હોય; એવાં જેનાં લક્ષણ છે તે ઉત્તમ ભક્ત કહેવાય.* હવે જેને ભગવાનનો નિશ્ચય હોય અને આત્મનિષ્ઠા પણ હોય, તો પણ *ભગવાનના ભક્ત ઉપર ઈર્ષ્યા આવે અને જો ભગવાન એનું અપમાન કરે તો ભગવાન ઉપર પણ ઈર્ષ્યા આવે જે, ‘મોટા થઈને વગર વાંકે આમ શીદ કરતા હશે?’ એવાં જેનાં લક્ષણ હોય તે મધ્યમ ભક્ત જાણવો.* અને ભગવાનનો નિશ્ચય તો હોય પણ આત્મનિષ્ઠા ન હોય, અને ભગવાનને વિષે પ્રીતિ હોય અને *જગતના વ્યવહારને વિષે પણ પ્રીતિ હોય અને સાંસારિક વ્યવહારને વિષે હર્ષ-શોકને પામતો હોય, તેને કનિષ્ઠ ભક્ત જાણવો.”*
📗 *_સ્વામીની વાતો_* 🗣
*સત્સંગ ચાર પ્રકારનો છે. તેમાં દેહે કરીને સત્સંગ તે ચાર આના જાણવો અને દેહ ને ઇન્દ્રિયુંમાં સત્સંગ તે આઠ આના સત્સંગ જાણવો અને દેહ, ઇન્દ્રિયું અને અંત:કરણમાં સત્સંગ તે બાર આના સત્સંગ જાણવો અને દેહ, ઇન્દ્રિયું, અંત:કરણ અને જીવ, એ ચારેયમાં સત્સંગ તે સોળ આના સત્સંગ થયો જાણવો.*
તે એવો સત્સંગ છેલ્લાનાં 39માં વચનામૃતમાં મહારાજે કહ્યો છે, તે તો બહુ જ દુર્લભ છે અને એવા સત્સંગની બરાબર બીજું કોઈ સાધન આવતું નથી કેમ જે, બીજે કોઈ સાધને કરીને ભગવાન વશ થાતા નથી, તે સત્સંગે કરીને વશ થઈ જાય છે. તે મધ્યનાં 54માં વચનામૃતમાં તથા છેલ્લાના બીજા વચનામૃતમાં પણ મહારાજે કહ્યું છે અને આ વાત તો દર્પણ તુલ્ય છે, તે જો તપાસીને જુએ તો જેને જેટલો સત્સંગ થયો હોય તેટલો જણાઈ આવે છે. માટે બાર આના સત્સંગ થયા પછી પણ અક્ષરબ્રહ્મ સાથે એકતા કરીને પુરુષોત્તમને પોતાના આત્માને વિશે ધારવા ને એમ સમજવું જે, જેમ દેહમાં જીવ છે, તેમ હું શરીર છું ને મારા શરીરી પ્રગટ પુરુષોત્તમ શ્રી સહજાનંદસ્વામી છે, એમ અખંડ સબંધ રહે ત્યારે સોળ આના સત્સંગ થયો જાણવો. જેમ ભમરીના સંબંધે કરીને ઇયળ જે તે ભમરી થઈ જાય છે, તેમ પ્રગટ અક્ષરમૂર્તિના સાક્ષાત્ સંબંધથી આ જીવ બ્રહ્મરૂપ થાય છે, પણ તે વિના થાવાતું નથી.
📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
ભગવાનના દાસનો દાસ થાય તે જ સિદ્ધ છે.
📙 *_અનિર્દેશિ અમૃત,_* તા.૧૭-૭-૧૯૮૧, ગુરુપૂર્ણિમા, વાત-૧૧૨ 🔯
શાસ્ત્રીજીમહારાજ ને યોગીજીમહારાજ એમ કહેતા કે ધૂળ જેવાનો પણ ગુણ લેવો. આ ધૂળ બિચારી કામમાં આવે છે તો ભગત કામમાં નહિ આવે? એકવાર યોગમાં આવ્યો છે ને! આપણને હરિધામના લીમડાનુંય જોવાનો અધિકાર નથી. પવન આવ્યો ને લીમડો નમી ગયો. 'લીમડો કેમ નમી ગયો?' એ લીમડાનું નથી જોવાનું. આ ધરતી પર આવ્યો છે. બિચારો સ્વામિનારાયણના શબ્દો તો સાંભળે છે. તમારા જેવા સંતો-હરિભક્તોના દર્શન તો કરે છે! સુખીયો થઈ જશે. જો જડ સૃષ્ટિનું આપણે ન જોઈ શકતા હોઈએ તો ચેતનનું તો ના જ જોવાય. જીવતા-જાગતા હરિભક્તો સેવા કરતા હોય, રસરૂપ થતા હોય, રસરૂપ બન્યા હોય એમનું જોવાનું આપણને ક્યાં અધિકાર છે?
➕ *ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐
સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
⊍📚 આજ નો સ્વાધ્યાય 📚⊍

Canales Similares


સ્વાધ્યાયનું મહત્વ: આત્મ-વિચાર અને પ્રગતિનો માર્ગ
સ્વાધ્યાય, જેનો અર્થ છે "અધ્યાય અથવા અભ્યાસ", એ સાચા અર્થમાં આત્મ-વિચારનો એક પ્રકરણ છે. આજના વ્યસ્ત જીવનમાં જ્યાં દરેક પાસે સમયનો અભાવ છે, ત્યાં સ્વાધ્યાય એક એવું સાધન છે જે આપણને અમુક સમય માટે ourselves ની અંદર જવાનું અને આપણા હૃદયની અવાજ સાંભળવાનું પ્રોત્સાહન આપે છે. સ્વાધ્યાયનો ક્રમ એટલે કે રોજબરોજની સાધના, ધ્યાન મગ્નતા, અને જીવનમાં ઉત્સાહનું સંકલન. આ રીતે, આપણા આંતરિક અર્થઘટનાના અભ્યાસ દ્વારા, આપણે પ્રગતિ તરફ એક ડગલું આગળ વધવા માટે પ્રેરણા મેળવી શકીએ છીએ. આજના લેખમાં, અમે આ અભ્યાસની મહત્વતાને અને તેની પ્રવૃત્તિઓને સમજાવીશું.
સ્વાધ્યાય શું છે?
સ્વાધ્યાય એ આત્મ-વિચાર અને વ્યક્તિગત વિકાસ માટેની એક રીત છે. તે પોતાનું અવલોકન કરીને, પોતાની લાગણીઓ અને વિચારોને સમજવામાં રાહત આપે છે. રોજે રોજનું સ્વાધ્યાય કરવું એ આપણી આધ્યાત્મિક પ્રગતિ માટે અગત્યનું છે.
સ્વાધ્યાયમાં ધ્યાન, યોગ, અથવા લેખન જેવા વિધિઓનો સમાવેશ થાય છે, જે વ્યક્તિને શાંતિ અને સમાધાનની સ્થિતિમાં પહોંચવામાં સહાય કરે છે. આ રીતે, એક વ્યક્તિ પોતાનું માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય સુધારી શકે છે.
દિવસમાં કયાંથી સ્વાધ્યાય કરવો જોઈએ?
દિવસમાં અમુક સમય તાજાબૂબલ મેહેંદી કે શાંતિપૂર્ણ સ્થળમાં સ્વાધ્યાય કરવો ઉત્તમ છે. જો તમે એક નિશ્ચિત સ્થાન ફીક કરશો, તો તે આપને વધારે સકારાત્મક અનુભવ આપશે.
ઘરમાં એક ખૂણો બનાવવામાં સહાય થાય છે, જ્યાં તમે રોજ ક્રમમાં સ્વાધ્યાય કરી શકો. ઉદાહરણ તરીકે, સવારે ઉઠતા અથવા રાત્રે સૂતા પહેલાં, થોડું સમય આપીને, તમે આરામથી સ્વાધ્યાયતંત્રી કરી શકો છો.
સ્વાધ્યાયના ફાયદાઓ શું છે?
સ્વાધ્યાયની મદદથી, માનસિક压力 અને ચિંતા ઘટાડવામાં મદદ મળી શકે છે. આ અભ્યાસથી, વ્યક્તિ પોતાની લાગણીઓ તેમજ વિચારોને સુધારી શકે છે, જે તેમના જીવનમાં એક सकारात्मक પરિણામ લાવે છે.
આ ઉપરાંત, સ્વાધ્યાય દ્વારા આત્મ-જ્ઞાન વધે છે, જેના દ્વારા વ્યક્તિ પોતાને સારી રીતે ઓળખી શકે છે અને તેના જીવનમાં સાચા ઉદ્દેશ્યો માટે કામ કરી શકે છે.
સ્વાધ્યાય માટે ક્યારે વધુ સારું છે?
સ્વાધ્યાય માટે સવારે અથવા સાંજના સમયને શ્રેષ્ઠ માનવામાં આવે છે. સવારે, જ્યારે માહોલ શાંત હોય છે, ત્યારે મન એકદમ તાજા હોય છે, અને આત્મ-વિચાર માટે યોગ્ય અવસર મળે છે.
સાંજનો સમય પણ ઉત્તમ છે, ખાસ કરીને દિવસની વ્યસ્તતા બાદ, જ્યારે તમે તમારા મનને શાંતિથી અંતર્ગત કરવા માંગો છો. આવી સ્થિતિમાં, સ્વાધ્યાય અનેક લાબણાઓ આપે છે.
આધ્યાત્મિક જીવનમાં સ્વાધ્યાયનું મહત્વ શું છે?
આધ્યાત્મિક જીવનમાં સ્વાધ્યાય એ એક પ્રકારની દીવા છે, જેનાથી તમને પોતાના આંતરિક જ્ઞાન અને સિદ્ધિઓનો સંપર્ક કરવા માટે પ્રેરણા મળે છે. આ આપણી આત્માને પરિશુદ્ધ રાખે છે.
સ્વાધ્યાય દ્વારા, વ્યક્તિ આધ્યાત્મિક યાત્રામાં વધુ ઊંડા ઊંડી જઈ શકે છે. આ રીતે, એ જીવનના મૌલિક પ્રશ્નોનો જવાબ શોધવામાં સહાય કરે છે.
Canal de Telegram ⊍📚 આજ નો સ્વાધ્યાય 📚⊍
આજ નો સ્વાધ્યાય એક અદ્વિતીય ટેલીગ્રામ ચેનલ છે જે આપને પ્રતિદિન એક ડગલું પ્રેમી-પ્રભુ તરફ વધારતા રહેશે. આ ચેનલમાં આપણે અંતરયાત્રા કરી શકીએ અને પ્રતિદિન નવા અને શાંતિપૂર્ણ પથો સાથે ચાલતા રહીએ. તુરંત જોડાઓ અને આજ ની શુભારંભ કરો આ મનોરંજન પ્રદ ટેલીગ્રામ ચેનલ સાથે!