⊍📚 આજ નો સ્વાધ્યાય 📚⊍ @aajano_swadhyay Channel on Telegram

📚 આજ નો સ્વાધ્યાય 📚

@aajano_swadhyay


દરરોજ સ્વાધ્યાય કરીએ અને અંતરયાત્રા દરરોજ એક ડગલું પ્રભુ તરફ વધારતા રહીએ...

⊍📚 આજ નો સ્વાધ્યાય 📚⊍ (Gujarati)

આજ નો સ્વાધ્યાય એક અદ્વિતીય ટેલીગ્રામ ચેનલ છે જે આપને પ્રતિદિન એક ડગલું પ્રેમી-પ્રભુ તરફ વધારતા રહેશે. આ ચેનલમાં આપણે અંતરયાત્રા કરી શકીએ અને પ્રતિદિન નવા અને શાંતિપૂર્ણ પથો સાથે ચાલતા રહીએ. તુરંત જોડાઓ અને આજ ની શુભારંભ કરો આ મનોરંજન પ્રદ ટેલીગ્રામ ચેનલ સાથે!

📚 આજ નો સ્વાધ્યાય 📚

12 Feb, 02:51


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને તે ગ્રહણ મૂકાઈ રહ્યા પછી વસ્ત્ર સહીત સ્નાન કરીને જે અમારા ગૃહસ્થ સત્સંગી હોય તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું અને જે ત્યાગી હોય તેમણે ભગવાનની પૂજા કરવી. ૮૭

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૭૧: ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત વિરાજે છે
ભગવાન તે મનુષ્ય જે પોતાના ભક્ત હોય, તેની જ સેવાને અંગીકાર કરે છે. અને તે પોતાના ભક્તનાં ગાર્ય, માટી ને પાણાનાં જે ઘર તેને વિષે વિરાજમાન રહે છે અને તે ભક્ત ધૂપ-દીપ, અન્ન-વસ્ત્રાદિક જે જે અર્પણ કરે છે તેને ભગવાન પ્રીતિએ કરીને અંગીકાર કરે છે; તે એ *મનુષ્ય સેવક છે તેને દિવ્યરૂપ પાર્ષદ ભેળા ભેળવવા વાસ્તે કરે છે. અને જે ભક્તજન જે જે વસ્તુ ભગવાનને અર્પણ કરે છે તે તે વસ્તુ ભગવાનના ધામને વિષે દિવ્યરૂપ થાય છે અને એ ભક્ત દિવ્યરૂપ થઈને તેને પામે છે. માટે એવું અચળ અખંડ સુખ ભક્તજનને પમાડવાને અર્થે ભગવાન જે તે મનુષ્ય એવા જે પોતાના ભક્તજન તેની સર્વે સેવાને અંગીકાર કરે છે.*

📗 *_સ્વામીની વાતો_* 🗣
મહારાજે એમ કહ્યું જે, “જ્યારે ઇન્દ્ર કલ્યાણ કરવા આવે ત્યારે એના શિષ્ય દેવતા જેવા થાય. અને બ્રહ્મા કલ્યાણ કરવા આવે ત્યારે એના શિષ્ય ઇન્દ્ર જેવા થાય. અને વૈરાટ આવે ત્યારે એના શિષ્ય બ્રહ્મા જેવા થાય. ને પ્રધાન પુરુષ જ્યારે કલ્યાણ કરવા આવે ત્યારે એના શિષ્ય વૈરાટ જેવા થાય. ને પુરુષ જ્યારે કલ્યાણ કરવા આવે ત્યારે એના શિષ્ય પ્રધાન પુરુષ જેવા થાય. ને અક્ષર આવે ત્યારે તેના શિષ્ય પુરુષ જેવા થાય. ને *પુરુષોત્તમ કલ્યાણ કરવા આવે ત્યારે એના શિષ્ય અક્ષર જેવા થાય;* માટે અક્ષર આગળ તો કોઈ અવતારાદિકનું સમર્થપણું હોતું નથી.” એમ કહ્યું. ૬/૨૯૪

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
અમારો વિશ્વાસ કરે તે અમારા સાચા દાસ છે. દાસ-સેવક

📙 *_અનિર્દેશિ અમૃત,_* તા.૧૭-૭-૧૯૮૧, ગુરુપૂર્ણિમા, વાત-૧૦૧ 🔯
*તમારો ધર્મ, તમારું જ્ઞાન, તમારો વૈરાગ્ય, તમારી ભક્તિ, તમારી બુદ્ધિ અને તમારી સમૃદ્ધિ, તમારી સૂઝ જો ભગવાન અને ભગવાનના સાધુનો અભાવ લેવડાવતી હોય, ઉપેક્ષા કરાવડાવતી હોય તો બંધનરૂપ છે, પાપરૂપ છે. નોંધી લેજો. એ અંતરનો લોક છે.*
મહારાજના સમયમાં એક સંતને માસ્ટરપીસ જ્ઞાન હતું પણ ગોપાળાનંદસ્વામી જેવા અસલી નિર્મળ સાધુ સાથે પ્રીતિ કરી શક્યા નહિ. એ જ્ઞાન પાપરૂપ નીવડ્યું. તમારી સમજણ પાપરૂપ નીવડે જો એ બીજાનો અભાવ લેવડાવે તો!
એટલે ગુણતીતાનંદસ્વામીએ માંગ્યું, "હે મહારાજ! અમારી કો'ક માનીનતા આપણે રાજી કરવા માટે નડે નહિ. અભાવ ન લેવડાવે. લોક-માનીનતા, સંકલ્પસિદ્ધિ, મુક્તિ કાંઈ જોઈતું નથી. ન કલ્યાણની ભાવનામાં બંધાય કે ન મુક્તિની ભાવનામાં બંધાય પણ તમારી સેવા અને તમારા સ્વરૂપમાં જ બંધાય એવું કરી આપજો!'

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

11 Feb, 03:10


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને જો ક્યારેક ભૂત પ્રેતાદીકનો ઉપદ્રવ થાય ત્યારે તો નારાયણ કવચનો જપ કરવો અથવા હનુમાનના મંત્રનો જપ કરવો પણ એ વિના બીજા કોઈ ક્ષુદ્રદેવના સ્ત્રોત અને મંત્રનો જપ ન કરવો.૮૫

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૭૧: ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત વિરાજે છે
શ્રીજીમહારાજ બોલ્યા જે, *“ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્યમૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાનાં જે સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે, પણ એ બીજાના દેખ્યામાં આવે નહીં.*

📗 *_સ્વામીની વાતો_* 🗣
પૃથ્વી ગંધને મૂકે પણ ભીષ્મનું બ્રહ્મચર્ય ન જાય, એમ અડગ ભગવાનને સમજે. વળી, મહારાજે કરોડ કરોડ સાધન કહ્યાં છે પણ તેમાં ત્રણ મુખ્ય છે; તેમાં એક ભગવાન, બીજું તેમના ભક્તને વિષે આત્મબુદ્ધિ ને ત્રીજી આજ્ઞા, એ ત્રણ જો બરાબર સમજે તો બધુંય થયું. ને આજ્ઞામાં ધર્મ પણ આવી ગયો ને આજ્ઞામાં સર્વે સાધન પણ આવી ગયાં. અને આપણે મહારાજની આજ્ઞા, ઉપાસના તથા એકાંતિક સંત સાથે હેત છે. માટે જે જે કરવાનું છે તે આપણે થઈ રહ્યું છે, હવે કાંઈ કરવું રહ્યું નથી. ૬/૨૯૨

*ઇતિ શ્રીસહજાનંદ સ્વામીના શિષ્ય શ્રીગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં સર્વદેશી સમજણનું મુખ્યપણું કહ્યું એ નામે છઠ્ઠું પ્રકરણ સમાપ્ત.*

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
ભગવાનના મનુષ્ય ચરિત્ર દેખીને જેની મતિમાં ભ્રમ ન થાય તેને ભગવાનનો એકાંતિક દાસ જાણવો; અને ભગવાન રોગ ગ્રહણ કરે, ને ચિત્ત ભ્રમ થઈ આવે ત્યારે પણ મતિ ન ફરે તે તેથી પણ શિરોમણી સમો છે. દાસ-સેવક

📙 *_અનિર્દેશિ અમૃત,_* તા.૧૭-૭-૧૯૮૧, ગુરુપૂર્ણિમા, વાત-૯૯ 🔯
લોકને રિઝવનાર વ્યક્તિ કદાપિ કોઈ સંજોગોમાં પ્રભુને રિઝવી શકે નહિ. સંતને રિઝવી શકશે નહિ. બે ઘોડા પર કદાપિ સવારી નહિ થઈ શકે.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

10 Feb, 03:01


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને જે દિવસે વ્રતનો ઉપવાસ કર્યો હોય તે દિવસે અતિશય યત્ને કરીને દિવસની નિંદ્રાનો ત્યાગ કરવો કેમ જે જેમ મૈથુન કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થાય છે તેમ જ દિવસની નિદ્રાએ કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થઇ જાય છે. ૮૦

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૭૧: ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત વિરાજે છે
*બીજા સર્વે અપરાધ ભગવાન માફ કરે છે, પણ ભગવાનના ભક્તનો દ્રોહ કરે એ અપરાધને ભગવાન માફ નથી કરતા; માટે ભગવાનના ભક્તનો કોઈ પ્રકારે દ્રોહ કરવો નહીં. અને વળી, ભગવાનના સર્વે અપરાધ થકી જે ભગવાનના આકારનું ખંડન કરવું એ મોટો અપરાધ છે, તે માટે એ અપરાધ તો ક્યારેય પણ કરવો નહીં.* અને એ અપરાધ કરે તો એને પંચ મહાપાપ કરતાં પણ અધિક પાપ લાગે છે. અને ભગવાન તો સદા સાકારમૂર્તિ છે, તેને જે નિરાકાર સમજવા એ જ ભગવાનના આકારનું ખંડન કર્યું કહેવાય છે.

📗 *_સ્વામીની વાતો_* 🗣
રુચિ સારી થયા વિના ભગવાન પાસે રહેવાય નહિ, રુચિ સારી થયે સારું થાય ને ભૂંડી થયે ભૂંડું થાય. તે જુઓને, જેની રુચિ મળતી હોય તે તેની ભેળા બેસે છે ને સુવાણ પણ તો જ થાય છે. તે અફીણિયા હોય તે અફીણી ભેળા બેસે. એમ રુચિની વાત છે. ૬/૨૯૦

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
જે શ્રીહરિને (સાચા ભગવદી) હરિજનનો દાસ થયો તે ભક્તને સર્વોપરી માનું છું; આ અમારા નિશ્ચય જેવો જેને મતીમાં નિશ્ચય હશે તેને કદી માન નહિ આવે. દાસ-સેવક

📙 *_અનિર્દેશિ અમૃત,_* તા.૧૭-૭-૧૯૮૧, ગુરુપૂર્ણિમા, વાત-૯૮ 🔯
*તમે સંસારમાં રહો એની જોડે મારે કોઈ સંબંધ નથી પણ સંસારમાં પહેલું સ્થાન ભગવાનના કો'ક પવિત્ર સંતનું રાખજો. જ્યાં સુધી લોક હશે ત્યાં સુધી પ્રભુ તમારા નથી. જ્યાં સુધી તમારી રીતનું જીવન હશે ત્યાં સુધી પ્રભુ તમારા નથી.*

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

09 Feb, 03:00


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને સર્વે જે એકાદાશીઓ તેમનું વ્રત જે તે આદર થાકી કરવું. તથા શ્રીકૃષ્ણ ભગવાનના જે જન્માષ્ટમી આદિક જન્મ દિવસ તેમનું વ્રત જે તે આદર થાકી કરવું તથા શિવરાત્રીનું વ્રત જે તે આદર થાકી કરવું અને તે વ્રતના દિવસને વિષે મોટા ઉત્સવ કરવા. ૭૯

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૭૦: કાકાભાઈનું, ચોરને કાંટો વાગ્યાનું
જે કોઈ સત્સંગ કરે છે તેને વ્યવહારે દુઃખ થાવાનું લખ્યું હોય તે થાય નહીં. તો પણ પદાર્થ નાશવંત છે, માટે એ પદાર્થની ઇચ્છાએ સત્સંગ કરે તો એને નિશ્ચયમાં સંશય થયા વિના રહે જ નહીં. માટે *સત્સંગ કરવો તે તો એકલો નિષ્કામપણે પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો, તો અડગ નિશ્ચય થાય.*

📗 *_સ્વામીની વાતો_* 🗣
આ જગતનું સુખ તો એવું છે જે, અક્ષરધામમાંથી મચ્છરિયું મૂતર્યું તે પ્રકૃતિના લોકમાં ટીપું પડ્યું ને તેમાંથી પાછું વળી થોડુંક ટીપું પ્રધાનપુરુષના લોકમાં પડ્યું ને તેમાંથી પાછું એમ ને એમ બીજા લોકમાં પડતે પડતે કાંઈક ઝણ્ય આ બ્રહ્માંડમાં પડી, એ તે શું કેટલુંક કહેવાય? તે માટે સર્વોપરી સુખ તો અક્ષરધામમાં છે, ત્યાં જાવું છે. ૬/૨૮૯

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
સંત-હરિભક્તોનો દાસ થઈને વર્તતો હોય, વિના વાંકે અપમાન કરે તોપણ ધીરજ રહેતી હોય, તે જ પાકો સત્સંગી છે. દાસ-સેવક

📙 *_અનિર્દેશિ અમૃત,_* તા.૧૭-૭-૧૯૮૧, ગુરુપૂર્ણિમા, વાત-૯૭ 🔯
મહારાજે ગુણાતીતાનંદસ્વામીને કહ્યું, "ગુણાતીતાનંદસ્વામી! કોઈ સંકલ્પ કરો." ભક્ત અને ભગવાન બે જ બેઠા હતા. એટલે ગુણતીતાનંદસ્વામીએ મહારાજ પાસે આપણા સહુ માટે માંગ્યું, "હે પ્રભુ! તમારા સંબંધમાં આવનાર એવો જે સેવક એ આ લોકમાં ન બંધાય, ન લોક રિઝાવે, ન અંતરનાં લોક રિઝાવે, ન કો'ક માનીનતા, ન કોઈ ગુણ, ન કોઈ રીતમાં બંધાય!"

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

08 Feb, 03:13


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
તથા ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા, એ જે આઠ પ્રકારના નિયમ તે અમે ઉતમ માન્ય છે. તે માટે એ નિયમમાંથી કોઈ એક નિયમ જે તે ચોમાસાને વિષે વિશેષપણે ભક્તિએ કરીને ધારવો. ૭૮

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૭૦: કાકાભાઈનું, ચોરને કાંટો વાગ્યાનું
*સત્સંગ કરે છે તેને શૂળી જેટલું દુઃખ હોય તો કાંટે મટે છે;* કાં જે, અમે રામાનંદ સ્વામી પાસે માગી લીધું છે જે, ‘તમારા સત્સંગી હોય તેને એક વીંછીનું દુઃખ થવાનું હોય તો તે મને એક એક રૂંવાડે કોટિ કોટિ વીંછીનું દુઃખ થાઓ પણ તમારા સત્સંગીને તે થાઓ નહીં; અને તમારા સત્સંગીને પ્રારબ્ધમાં રામપત્તર લખ્યું હોય તે રામપત્તર મને આવે પણ તમારા સત્સંગી અન્ન-વસ્ત્રે કરીને દુઃખી ન થાય; એ બે વર મને આપો.’ એમ મેં રામાનંદ સ્વામી પાસે માગ્યું, ત્યારે મને રામાનંદ સ્વામીએ રાજી થઈને એ વર આપ્યો છે.

📗 *_સ્વામીની વાતો_* 🗣
જેટલું આ જગત પ્રધાન છે, જેટલી સ્ત્રી પ્રધાન છે ને જેટલો છોકરો પ્રધાન છે, તેટલો સાધુ સમાગમ નથી; ને સમાગમની કસર રહે છે એટલે એ પ્રધાનપણે રહે છે. ૬/૨૮૮

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
ભક્તિશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર ને યોગશાસ્ત્ર એ બધાનો એક જ સિદ્ધાંત શુકજી વગેરેએ આપ્યો છે : પોતાનું રૂપ બ્રહ્મરૂપ માનીને પરબ્રહ્મ પુરુષોત્તમની દાસભાવે સેવા કરવી. દાસ-સેવક

📙 *_અનિર્દેશિ અમૃત,_* તા.૧૨-૭-૧૯૮૧, નિયમની એકાદશી, હરિધામ, વાત-૯૫ 🔯
ગૃહસ્થ લોકથી પર જાય એ બહુ અઘરું છે. લોકથી પર ગયા પછી અંગ બદલીને જીવવું, સૌનાય થઈને જીવવું, સહુની કક્ષાએ જઈને જીવવું ખૂબ... ખૂબ... ખૂબ... અઘરું છે. અત્યારસુધીના બધા જ પોતાની રીતે જીવ્યા. સબંધ અને સુહ્રદભાવ શું ચીજ છે કોઈનેય ખ્યાલ ના આવ્યો. એટલે નાના સેવકોને કદાચ કાંઈ ના ખબર પડે તો કોઠારીસ્વામી અને શાસ્ત્રીસ્વામી આગળ કટ વળી જવું. એના જેવી બીજી કોઈ સાધના નથી. શું વૃત્તિ ને શું માનીનતા કાંઈ ખબર જ નહીં. તમે શું કહો છો એ પૂછી લઈએ. યસ તો યસ, નો તો નો બસ. બહુ સીધી સાદી વાત છે.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

07 Feb, 03:02


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને તે વિશેષ નિયમ તે કિયા તો ભગવાનની કથાનું શ્રવણ કરવું તથા કથા વાંચવી તથા ભગવાનના ગુણનું કીર્તન કરવું તથા પંચામૃત સ્નાને કરીને ભગવાનની મહાપૂજા કરવી તથા ભગવાનના મંત્રનો જપ કરવો તથા સ્ત્રોતનો પાઠ કરવો તથા ભગવાનને પ્રદક્ષિણાઓ કરવી. ૭૭

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૭૦: કાકાભાઈનું, ચોરને કાંટો વાગ્યાનું
*ભગવાનનો નિશ્ચય કરવો તે એકલો પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો, પણ કોઈક પદાર્થની ઇચ્છાએ કરીને ન કરવો જે, ‘હું સત્સંગ કરું તો મારો દેહ માંદો છે તે સાજો થાય, અથવા વાંઝિયો છું તે દીકરો આવે, કે દીકરા મરી જાય છે તે જીવતા રહે, કે નિર્ધન છું તે ધનવાન થઉં, કે ગામગરાસ ગયો છે તે સત્સંગ કરીએ તો પાછો આવે,’ એવી જાતની જે પદાર્થની ઇચ્છા તે રાખીને સત્સંગ ન કરવો.*

📗 *_સ્વામીની વાતો_* 🗣
જેને માથે મોટા શત્રુ હોય તેણે ઊંઘવું નહિ. ને જેણે આતતાયી કર્મ કર્યું હોય તેને પણ ઊંઘ આવે નહિ. ને કામ, ક્રોધ ને લોભાદિક શત્રુ માથે છે ત્યાં સુધી ઊંઘવું નહિ. ને જે જે વચન કહ્યાં છે તેને વિસારી દેવાં નહિ. તે જો એકાંતે બેસીને વિચારે તો સાંભર્યા કરે. ૬/૨૮૧

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
સત્સંગની અતિનિર્બાધ સમજણ જેને આવે છે તે અત્યંત સામર્થી પામે છે તોપણ તે શ્રીહરિના દાસ થઈને રહે છે. દાસ-સેવક

📙 *_અનિર્દેશિ અમૃત,_* તા.૧૨-૭-૧૯૮૧, નિયમની એકાદશી, હરિધામ, વાત-૯૬ 🔯
મોટાપુરુષની કથાવાર્તા નથી વાગોળાતી, નથી વિચારાતી, એટલે એ જ્ઞાન, એ સૂઝ, એ ભક્તિ ઠરતા નથી, જેના ફળસ્વરૂપે ભરતી-ઓટમાંથી બહાર નથી આવતા.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

06 Feb, 03:06


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને અમારા જે સર્વે સત્સંગી તેમણે ચાતુર્માસને વિષે વિશેષ નિયમ ધારવો અને જે મનુષ્ય અસમર્થ હોય તેમણે તો એક શ્રાવણ માસને વિષે વિશેષ નિયમ ધારવો. ૭૬

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૭૦: કાકાભાઈનું, ચોરને કાંટો વાગ્યાનું
તેમ એની ભગવાન સહાય કરે જે, ‘આને આવા સંકલ્પ-વિકલ્પનું બળ છે અને લડાઈ લે છે, માટે એને શાબાશ છે;’ એમ જાણીને ભગવાન એની સહાય કરે છે. માટે બેફિકર રહેવું. કાંઈ ચિંતા રાખવી નહીં. ભગવાનને એમ ને એમ ભજ્યા કરવું ને સંતનો સમાગમ અધિક રાખવો ને કુસંગીથી છેટે રહેવું.” એમ પ્રસન્ન થઈને શ્રીજીમહારાજ બોલતા હવા.

📗 *_સ્વામીની વાતો_* 🗣
ગાંઠના રોટલા ખાઈને, નીકર મંદિરના રોટલા ખાઈને પણ આ વાતું સાંભળવી ને અજ્ઞાન ટાળવું. જો કોઈ ભગવાન ભજતા હોય તો મંદિરના રોટલા આપીએ. ને કોઈ હજાર રૂપિયા ખરચે તેણે કાંઈ અજ્ઞાન જાય? તેને પાછા એકથી સો ગણા આપે. તે એક જણે પાંચસેં રૂપિયા મૂક્યા, તેને સો લાખ આપશું. પણ કાંઈ વાતું સાંભળ્યા વિના અજ્ઞાન ગયું? ૬/૨૮૦

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
(ભગવાનના) દાસનો દાસ થઈ જે નિત્ય સત્સંગ કરે છે તેની જ ભક્તિને હું પ્રમાણ કરું છું. દાસ-સેવક

📙 *_અનિર્દેશિ અમૃત,_* તા.૧૨-૭-૧૯૮૧, નિયમની એકાદશી, હરિધામ, વાત-૯૪ 🔯
આપણે તો બધા જ વેપારી માણસો. પ્રભુને એક સેકન્ડમાં સમજાવી દેતાં વાર ના લાગે. 'હે મહારાજ! કાલે ૪૦૦ પ્રદક્ષિણા કરીશ, કાલે વધુ ભજન કરી લઈશ. આજે મને માફી આપી દે, આજે મારે બહુ કામ છે.' એવી વિચિત્ર અવસ્થાવાળા આપણે છીએ.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

05 Feb, 03:11


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને કોઈની પણ જે ગૃહ્યાવાર્તા તે તો કોઈ ઠેકાણે પણ પ્રકાશ કરવી જ નહિ અને જે જીવનું જેની રીતે સન્માન કરવું ઘટતું હોય તેનું તેવી રીતે જ સન્માન કરવું પણ સમદ્રષ્ટિએ કરીને એ મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહિ.૭૫

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૭૦: કાકાભાઈનું, ચોરને કાંટો વાગ્યાનું
કાકાભાઈએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ! એ સંતનું બળ વધે ને કુસંગીનું બળ ઘટે તેનો શો ઉપાય છે?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “અંતરમાં જે કુસંગી રહ્યા છે ને બહાર રહ્યા છે તે બે એક છે, અને વળી અંતરમાં સંત રહ્યા છે ને બહાર રહ્યા છે તે બે એક છે. પણ જે અંતરમાં કુસંગી છે તેનું બહારના કુસંગીને પોષણે કરીને બળ વધે છે અને અંતરમાં જે સંત છે તેનું પણ બહારના જે સંત છે તેને પોષણે કરીને બળ વધે છે માટે બહારના કુસંગીનો સંગ ન કરે ને બહારના જે સંત છે તેનો જ સંગ રાખે તો કુસંગીનું બળ ઘટી જાય ને સંતનું બળ વધે એમ છે.” એમ શ્રીજીમહારાજે કહ્યું.

📗 *_સ્વામીની વાતો_* 🗣
દશોંદ-વિશોંદ કહી છે, તે જો ભગવાન રૂપિયા આપે તો કાઢવી, એ તો ઠીક છે, પણ ભેળી આ સાધુની વાતું ભેળા રહીને સાંભળવી એ પણ દશોંદ-વિશોંદ કાઢવી. તે વિના તો જ્ઞાન થાય નહીં. ૬/૨૭૯

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
સંતો ભક્તોને નિર્દોષ જાણે, નિષ્કપટપણે સત્સંગ કરે અને સર્વેનો દાસ થઈને રહે, ભગવાનને અને તેમના ધામને માયાપાર નિર્દોષ જાણે, હરિજનનો પક્ષ રાખે અને જેનો સત્સંગ જીવનો હોય તે ઉત્તમ ભક્ત છે. દાસ-સેવક

📙 *_અનિર્દેશિ અમૃત,_* તા.૧૨-૭-૧૯૮૧, નિયમની એકાદશી, હરિધામ, વાત-૯૩ 🔯
આપણે તરત ગૅપ મારી દઈએ કે રાત્રે વધારે પ્રાર્થના કરી લઈશું. આપણો સ્વભાવ છે વ્યાજ સહિત કરવાનો. ૧૦ મિનિટ અત્યારે નહિ પણ રાત્રે ૨૦ મિનિટ વધારે ટાઈમે જ કરવાનું. એ છેતરપિંડી છે, બનાવટ છે. પોતાની જાતને છેતરવાની વાત છે, કપટ છે. બાકી પ્રભુ તો ક્યારેય છેતરતા નથી.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

04 Feb, 02:59


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને પૂર્વ થયા જે મોટા પુરુષ તેમણે પણ જો ક્યારેક અધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ ન કરવું અને તેમણે જે ધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ કરવું. ૭૪

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૭૦: કાકાભાઈનું, ચોરને કાંટો વાગ્યાનું
જેમ કુરુક્ષેત્રને વિષે કૌરવ ને પાંડવનાં લશ્કર સામસામાં ઊભાં હતાં, ને પરસ્પર તીર ને બરછી ને બંદૂક ને તોપ ને જંજાળોની લડાઈ થતી હતી, અને કોઈક તરવારે લડતા હતા ને કોઈક ગદાએ લડતા હતા ને કોઈક બથોબથ લડતા હતા, ને તેમાં કોઈનું માથું ઊડી ગયું ને કોઈની સાથળ કપાઈ ગઈ, એમ કચ્ચરઘાણ ઊડતો હતો. તેમ આ જીવના અંતઃકરણમાં પણ જે કુસંગીનાં રૂપ છે તે પંચવિષયરૂપી શસ્ત્ર બાંધીને ઊભાં છે. અને વળી જે આ સંતનાં રૂપ છે તે પણ, ‘ભગવાન સત્ય ને જગત મિથ્યા ને વિષય ખોટા,’ એવા જે શબ્દ તે રૂપી શસ્ત્ર બાંધીને ઊભાં છે. અને એ બેને પરસ્પર શબ્દની લડાઈ થાય છે. તે જ્યારે કુસંગીનું બળ થાય છે ત્યારે વિષય ભોગવ્યાની ઇચ્છા થઈ આવે છે ને જ્યારે આ સંતનું બળ થાય છે ત્યારે વિષય ભોગવ્યાની ઇચ્છા નથી થતી; એમ પરસ્પર અંતઃકરણમાં લડાઈ થાય છે.

📗 *_સ્વામીની વાતો_* 🗣
કલ્યાણના માર્ગમાં વિઘ્ન કરનારાં ઘણાં, તેને ઓળખી રાખવાં. ૬/૨૭૮

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
જેટલો (સાચા ભગવદી) સંતનો દાસ થઈને વર્તે તેટલી તેની મોટપ છે; સર્વ મોટપમાં દાસ થવું તે અધિક મોટપ છે. દાસ-સેવક

📙 *_અનિર્દેશિ અમૃત,_* તા.૧૨-૭-૧૯૮૧, નિયમની એકાદશી, હરિધામ, વાત-૯૨ 🔯
હું જ્યારે યોગીજીમહારાજની સાથે હતો ને મને જે કોઈ સૂત્ર કે વિચાર આપે, બળ આપે, કો'ક સૂઝ આપે, જાણપણું આપે એવા સુત્રોને હું નોંધી લેતો, જેથી ગબડી ન પડું, લપસી ન પડું, માર્ગ ના ચૂકી જાઉં, બીજા રસ્તે ના જતો રહું. નાની ત્રણ ડાયરીઓ ભરાઈ ગઈ હતી.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

03 Feb, 03:14


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને ઘણુંક છે ફળ જેને વિષે એવું પણ જે કર્મ તે જો ધર્મે રહિત હોય તો તેનું આચરણ ન જ કરવું. કેમ કે તે જ સર્વ પુરુષાર્થનો આપનારો છે, માટે કોઈક ફળના લોભે કરીને ધર્મનો ત્યાગ ન કરવો.૭૩

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૬૯: દુષ્ટના અને સાધુના ધર્મનું
કોઈ કહેશે જે, ‘હજારો માણસને નિયમમાં વર્તાવવાં હોય તેને કેમ સાધુતા ગ્રહણ કર્યે ચાલે?’ તો એનો ઉત્તર એ છે જે, રાજા યુધિષ્ઠિરનું હજારો ગાઉમાં રાજ્ય હતું તોય પણ સાધુતા રાખી હતી. અને ડારા દેનારા તો ભીમસેન જેવા હજારો હોય, તે વારીએ તોય પણ કર્યા વિનાનું રહેવાય નહીં. માટે તીખા સ્વભાવવાળાની તો કાંઈ ખોટ નથી, એવા તો ઘણાય હોય પણ સાધુ થવું એ જ ઘણું દુર્લભ છે.”

📗 *_સ્વામીની વાતો_* 🗣
ભગવાન છેટા છે તો છેટા જ છેટા; નીકર તો આ ઘરમાં આવીને બેઠા, એવું ક્યાં સમજાય છે? આ ભેટંભેટા થયા છીએ. ૬/૨૭૭

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
જે હરિજન તથા મોક્ષના દ્વારસમા ગુરુરૂપ (સાચા ભગવદી) સંતનો અવગુણ કહે તો તેને અમે અમારો દ્રોહી કહીએ છીએ. તે હરિજન પછી (સાચા ભગવદી) સંત-ગુરુના અલ્પ સરખા ગુણ મેરુ સમ મોટો કરી વારંવાર કહેતો હોય ને સૌના દાસાનુંદાસ રહેતો હોય તો અમે તેને શુદ્ધ થયો માની જાળવીએ છીએ. દાસ-સેવક

📙 *_અનિર્દેશિ અમૃત,_* તા.૧૨-૭-૧૯૮૧, નિયમની એકાદશી, હરિધામ, વાત-૯૧ 🔯
પ્રીતિ એક જ એવી ચીજ છે જે બુદ્ધિયોગ આપે. બુદ્ધિયોગના ફળસ્વરૂપે મહિમાના વિચારમાં અખંડિત રહેવાય. અને મહિમાના વિચાર ઠરે એટલે કોઈના અભાવના વિચાર સ્વપ્નમાંય ના ઊઠે. પછી શુભ સંકલ્પ, જેને અક્ષરધામ કહીએ. શુભ સંકલ્પના ફળસ્વરૂપે એનો સબંધ રહે. સબંધ રહે એટલે એમની સહજ સ્મૃતિ એ કરાવે, રખાવે. પછી અતિ ઉત્તમ કોટીની કક્ષાએ એમના સંકલ્પે જવાની ચીજ છે પણ આપણે આવી પ્રીતિ કરીને બેસી રહેવું છે. કાંઈ ના થાય તો ભલે ના થાય પણ પોતાની રીત-રસમે કરીને પ્રભુ સાથેનો સંબંધ ના તૂટે એ સાચવવાનું છે. *સારનો સાર, જ્ઞાનનું જ્ઞાન "તું"! એથી કોઈ મોટું જ્ઞાન નથી. આશરો એવો દ્રઢ રાખવો, પ્રીતિ એવી દ્રઢ રાખવી કે કો'ક સામાન્ય પ્રસંગ બને એ સહજ સાંભરી આવે બસ, 'હે સ્વામી! તને નથી ગમતું એ મારે નથી જ કરવું.'*

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

02 Feb, 03:08


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને અમારા જે આશ્રિત જન તેમણે પોતાના આચાર્યને આવતા સાંભળીને આદર થકી તત્કાળ સન્મુખ જવું અને તે આચાર્ય પોતાના ગામથી પાછા પધારે ત્યારે ગામની ભાગોળ સુધી વળાવવા જવું. ૭૨

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૬૯: દુષ્ટના અને સાધુના ધર્મનું
સાધુએ તો મન-કર્મ-વચને કરીને કોઈનું ભૂંડું વાંચવું નહીં અને કોઈ વાતનો અહંકાર રાખવો નહીં અને સર્વના દાસાનુદાસ થઈને રહેવું. અને ક્રોધે યુક્ત જે પ્રકૃતિ તે તો દુષ્ટનો ધર્મ છે અને શાંત સ્વભાવે વર્તવું તે જ સાધુનો ધર્મ છે.

📗 *_સ્વામીની વાતો_* 🗣
જો થોડું જ જ્ઞાન હોય પણ સારધાર દેહપર્યંત રહે તો સારું. ૬/૨૭૬

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
ચાહે તેવો જીવહોય પણ જો તે હરિભક્તના ગુણ ગ્રહણ કરે તો હરિજન થાય ને (સાચા ભગવદી) સંતના ગુણ ગ્રહણ કરે તો સંત થાય; (ભગવાનના દાસના) દાસ થઈને રહે તો ઈશ્વર જેવા ગુણ આવે છે. દાસ-સેવક

📙 *_અનિર્દેશિ અમૃત,_* તા.૧૨-૭-૧૯૮૧, નિયમની એકાદશી, હરિધામ, વાત-૯૦ 🔯
જીવનો સ્વભાવ છે સંચળ પ્રકૃતિનો. જીવનો સ્વભાવ છે પોતાની રીતે ડહાપણની પ્રકૃતિનો. જીવનો સ્વભાવ છે પોતાની રીતે જીવવાનો. જીવનો સ્વભાવ છે પોતાની રીતે સમજવાનો. કંઈક એવી ભૂલ થઈ જાય તો બહુ પ્રેમથી અહીં આવીએ. પ્રદક્ષિણા ૧૦૦ વધારે કરીએ. ધૂન કરી માફી માંગી લઈએ.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
To get Daily Swadhyay Join:
https://t.me/aajano_swadhyay

📚 આજ નો સ્વાધ્યાય 📚

01 Feb, 03:29


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેનણે પોતાના આચાર્ય સંગાથે ક્યારેય પણ વિવાદ ન કરવો અને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન, ધન, વસ્ત્રાદિકે કરીને તે પોતાના આચાર્યને પૂજવા. ૭૧

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૬૮: અષ્ટ પ્રકારની પ્રતિમામાં અને સંતમાં અખંડ રહ્યાનું
નાસ્તિકપણાના હેતુ તો નાસ્તિકના ગ્રંથ સાંભળવા એ જ છે અને નાસ્તિકના ગ્રંથને વિષે જેને પ્રતીતિ હોય તેનો જે સંગ તે પણ નાસ્તિકપણાનો હેતુ છે. અને વળી કામ, ક્રોધ, લોભ, અહંકાર, માન અને ઈર્ષ્યા એ પણ નાસ્તિકપણાના હેતુ છે; કેમ જે, એ માંયલો એકે સ્વભાવ વતર્તો હોય ત્યારે નારદ-સનકાદિક જેવા સાધુ વાત કરે તોય પણ મનાય નહીં. અને એ નાસ્તિકપણું મટે ક્યારે? તો જ્યારે શ્રીમદ્‌ભાગવત જેવા આસ્તિક ગ્રંથને વિષે કહી જે જગતની ઉત્પત્તિ-સ્થિતિ-પ્રલયરૂપ એવી ભગવાનની લીલા તેને સાંભળે તથા ભગવાનનું અને સંતનું માહાત્મ્ય સમજે ત્યારે એનું નાસ્તિકપણું જાય અને આસ્તિકપણું આવે.

📗 *_સ્વામીની વાતો_* 🗣
આ વાતું સાંભળીને ગાંડું ક્યાં થવાય છે? અરે! ગાંડા તો આ બધાયને કરી મૂકીએ પણ દોરનારા જોઈએ ને? ૬/૨૭૩

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
ઘરમાં જે હરિભક્ત રહે તેણે (સાચા ભગવદી) સંતના દાસ થઈને રહેવું. દાસ-સેવક

📙 *_અનિર્દેશિ અમૃત,_* તા.૧૨-૭-૧૯૮૧, નિયમની એકાદશી, હરિધામ, વાત-૮૯ 🔯
હું તારી સાથે રસબસ થઉં ને તારામાં બંધાઉં એટલું જ કરવાનું છે. ખોટમાં નથી જવું. નફો ના થાય તો ચાલશે. દિલથી કહું છું. વધનારા બહુ ઓછા છે. ૬૦,૦૦૦ નો નફો અને ૭૦,૦૦૦ ની ખોટ. વર્ષોના એ સત્સંગ પછી સહજ અવસ્થામાં ના રહી શકતા હોઈએ તો એનું કારણ આપણે છીએ.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

31 Jan, 04:21


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને ગુરુ, દેવ ને રાજા એમની સમીપે તથા સભાને વિષે પગ ઉપર પગ ચઢાવી ને ન બેસવું અને વસ્ત્રે કરીને ઢીંચણને બાંધી ને ન બેસવું. ૭૦

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૬૮: અષ્ટ પ્રકારની પ્રતિમામાં અને સંતમાં અખંડ રહ્યાનું
ભગવાને તો શ્રીમુખે એમ કહ્યું છે જે, ‘મારી અષ્ટ પ્રકારની જે પ્રતિમા તથા જે સંત તેને વિષે હું અખંડ નિવાસ કરીને રહું છું.’

📗 *_સ્વામીની વાતો_* 🗣
કરોડ મણ સૂતરની આંટિયું ગૂંચાઈ ગઈ છે તે કેમ ઊખળે? કોઈ દાખડો કરે તો પણ ન ઊખળે, પણ જો આ બ્રહ્માંડ જેવડો ફાળકો કરે તો સહેજે ઊખળે. એમ જીવ ગૂંચાઈ ગયો છે. પણ ભગવાન ભજે તો ઊખળે. ૬/૨૭૧

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
દાસને ક્યારેય દુઃખ હોતું નથી. દાસ-સેવક

📙 *_અનિર્દેશિ અમૃત,_* તા.૧૨-૭-૧૯૮૧, નિયમની એકાદશી, હરિધામ, વાત-૮૮ 🔯
મોટાપુરુષની આજ્ઞા પાળવામાં કોઈ મુક્તની મહોબત ના જોઈએ. એને કહી દેવાનું. ખોટું લાગે તો ઠંડુ પાણી પી લે. હેત-માયા-દયા-પ્રીતિ બહુ ખતરનાક ચીજ છે. ભેગા રહેવા છતાંય વર્ષોથી દૂર જ રહીએ છીએ. ભાગ્યે જ એવા બહુ ઓછા મુકતો હશે જે ઘટતા નહિ હોય. ૫૦%ની સેવા થઈ ગઈ. ૬૦% ખોટમાં જતા હશે. બધાને પટલ થવું છે, બધાનું કોઈ આગવું અંગ છે. હું તારી ગાય આ ભાવના રાખીને જીવવું છે... તો
- મને મારો લોક ના નડે.
- મારી અને એની પ્રીતિ વચ્ચે કોઈ ચીજ ના નડે.
- ન નડે મારું જ્ઞાન, ન નડે મારી કોઈ વૃત્તિ, ન નડે મારો કોઈ ગુણ, ન નડે મારી સમજણ, ન નડે કોઈ મહોબત, ન નડે મારી સંકલ્પસિદ્ધિ, ન નડે મારું કલ્યાણ.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

30 Jan, 02:37


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને વિનય કરીને યુક્ત એવા જે અમારા આશ્રિત સત્સંગી તેમણે ગુરુ, રાજા, અતિવૃદ્ધ, ત્યાગી, વિદ્વાન અને તપસ્વી એ છ જણા આવે ત્યારે સન્મુખ ઉઠવું અને આસન આપવું તથા મધુર વચને બોલાવવું ઇત્યાદિક ક્રિયાએ કરીને એમનું સન્માન કરવું. ૬૯

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૬૭: સત્પુરુષના ગુણ આવ્યાનું
જે પુરુષને પરમેશ્વર વિનાની બીજે ક્યાંય પ્રીતિ ન હોય તેનો એમ ગુણ ગ્રહણ કરે જે, ‘આ પુરુષ તો અતિશય મોટા છે અને એની આગળ લાખો માણસ હાથ જોડીને ઊભા રહે છે તો પણ લેશમાત્ર સંસારના સુખને ઇચ્છતા નથી. અને હું તો અતિશય પામર છું જે કેવળ સંસારના સુખમાં આસક્ત થઈ રહ્યો છું અને પરમેશ્વરની વાતમાં તો લેશમાત્ર સમજતો જ નથી, માટે મને ધિક્કાર છે.’ એવી રીતે અનુતાપ કરે અને મોટાપુરુષનો ગુણ ગ્રહણ કરે અને પોતાના અવગુણ ગ્રહણ કરીને અનુતાપ કરે. પછી એમ ને એમ પરિતાપ કરતે કરતે એના હૃદયને વિષે વૈરાગ્ય ઊપજે અને પછી તેમાં સત્પુરુષના જેવા ગુણ આવે છે.

📗 *_સ્વામીની વાતો_* 🗣
અમે તો વિચારીને જોયું ત્યાં જીવનો વાંક નથી, ગુરુનો જ વાંક છે. તે જેવા ગુરુ હોય તેવો પોતે થાય. ૬/૨૬૭

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
મનનો વિશ્વાસ નહિ કરી હરિભક્તનો દાસ થઈને રહે તે બુદ્ધિમાન છે. દાસ-સેવક

📙 *_અનિર્દેશિ અમૃત,_* તા.૧૨-૭-૧૯૮૧, નિયમની એકાદશી, હરિધામ, વાત-૮૬ 🔯
અભાવ-અવગુણની વાત એટલે બીજાના કલ્યાણની ચિંતા. તમે કો'કની વાત કરો કે ફલાણો આવો છે એટલે તમને એના કલ્યાણની ચિંતા થઈ ગઈ. તમે પ્રભુ થઈ ગયા. તું તારું કરી લે બસ. એટલે અરસપરસની આવી પ્રીતિ સુંદર દ્રઢ થઈ જાય તે માટે... નથી ડહાપણમાં પડવું. નથી કોઈ જ્ઞાનના અભિનિવેશમાં જવું. મોટાપુરુષને ગમે છે એટલું જ કરીને બેસી રહેવું છે.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

29 Jan, 02:46


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને જે પુરુષ જેવા ગુણવાળો હોય તે પુરુષને તેવા વચને કરીને દેશાકાલાનુસારે યથાયોગ્ય બોલાવવો પણ એથી બીજી રીતે ન બોલાવવો. ૬૮

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૬૭: સત્પુરુષના ગુણ આવ્યાનું
કોઈ સત્પુરુષ છે તેને આ લોકના સુખમાં તો પ્રીતિ જ નથી અને પરલોક જે ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેને વિષે વાસના છે. અને જે તેનો સંગ કરે તેનું પણ એવી જ જાતનું હિત કરે જે, ‘આ મારો સંગી છે તેને આ સંસારની વાસના તૂટી જાય ને ભગવાનને વિષે પ્રીતિ થાય તો ઘણું સારું છે.’ અને જેટલું કાંઈ જતન કરે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ગયા કેડે સુખ આપે એવું જ કરે, પણ દેહના સુખને અર્થે તો કાંઈ ક્રિયા કરે જ નહીં.

📗 *_સ્વામીની વાતો_* 🗣
ભગવાન તો એક જીવ ભજે તે સારુ બ્રહ્માંડ બોળી નાખે. તેની એક વાત છે જે, એક ચકલી હતી તે ઊંચી પર્વત ઉપર બેસીને ભજન કરતી હતી. તે કહે જે, “મુને આંહીં બેઠે બેઠે પાણી પાય તો પીઉં.” પછી બ્રહ્માંડ બોળીને ત્યાં લગી પાણી ભરી દીધું એટલે પીધું. ૬/૨૬૬

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
અમારે તો હરિભક્તોને બ્રહ્મરૂપ કરવા એટલો જ ઘાટ છે. બ્રહ્મરૂપ

📙 *_અનિર્દેશિ અમૃત,_* તા.૧૨-૭-૧૯૮૧, નિયમની એકાદશી, હરિધામ, વાત-૮૦ 🔯
સાધકોનો લોક જુદો છે. રસોડામાં હોય ને સીધો એને ઑફિસમાં મૂકી દીધો હોય, ઑફિસમાં હોય ને ઇલેકટ્રીક ડિપાર્ટમેન્ટમાં મૂકી દીધો હોય, જુદા જુદા ડિપાર્ટમેન્ટમાં મૂકી દીધા હોય, વાસણા જવું પડે, દિલ્હી જવું પડે અને ન જવાય એ લોક કહેવાય. મને એ ફાવશે, મને એ નહિ ફાવે. *જેવું-તેવું, જ્યાં-ત્યાં, જ્યારે-ત્યારે ચલાવે એનું નામ લોક ઊડયો કહેવાય. આપણે ક્યાં છીએ? એ બધાએ વિચાર કરી લેવાનો છે.*

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

28 Jan, 03:38


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને *પોતાના જે સેવક હોય તે સર્વની પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ના વસ્ત્રદિકે કરીને યથાયોગ્ય સંભાવના નિરંતર રાખવી.* ૬૭

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૬૬: શાસ્ત્રના શબ્દછલનું, ચતુર્વ્યૂહની વાતનું
કોઈ ગમે તેવાં શાસ્ત્ર વંચાતાં હોય અને તેમાં ભગવાનનું નિર્ગુણપણે કરીને પ્રતિપાદન આવે તે ઠેકાણે એમ જાણવું જે, એ ભગવાનની મૂર્તિનો મહિમા કહ્યો છે, પણ ભગવાન તો સદા મૂર્તિમાન જ છે. એવી રીતે જે સમજે તેને એકાંતિક ભક્ત કહીએ.

📗 *_સ્વામીની વાતો_* 🗣
સ્વામી કહે, “જેના અક્ષર ગુરુ હોય તે અક્ષરધામમાં લઈ જાય ને પુરુષોત્તમને મેળવે.” ૬/૨૬૪

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
જે સાચો બ્રહ્મરૂપ થયો છે તેના અંતરમાં કોઈ પ્રપંચ હોતો નથી. બ્રહ્મરૂપ

📙 *_અનિર્દેશિ અમૃત,_* તા.૧૨-૭-૧૯૮૧, નિયમની એકાદશી, હરિધામ, વાત-૭૯ 🔯
એક હરિભગતના જીવનમાં એવો પ્રસંગ ઊભો કરી દીધો અને જય સ્વામિનારાયણ...! વગર દાખડે લોક ઊડી ગયો. એમનું તો કામ થઈ ગયું. લોકની મહોબત છોડીને સત્સંગ કરે કો'ક. અક્ષરનો અનાદિ મહામુક્ત. સામાન્ય માનવીનું એ કામ નથી.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

27 Jan, 14:08


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને જે મનુષ્ય જેવા ગુણે કરીને યુક્ત હોય તે મનુષ્યને તેવા કાર્યને વિષે વિચારીને જ પ્રેરવો પણ જે કાર્ય ને વિષે જે યોગ્ય ન હોય તે કાર્ય વિષે તેને ક્યારેય ન પ્રેરવો. ૬૬

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૬૩: નિશ્ચયનું, તત્ત્વે કરીને ભગવાન જાણ્યાનું
શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને અતિ દ્રઢ નિશ્ચય હોય તેનું થોડાકમાં લક્ષણ કહું તે સાંભળો જે, જેને પરિપક્વ નિશ્ચય હોય અને તે પોતે અત્યંત ત્યાગી હોય તોય પણ તે પાસે ગમે તેવી પ્રવૃત્તિમાર્ગની ક્રિયા કરાવીએ તો તે કરે, પણ તેમાંથી પાછો હઠે નહીં અને કચવાઈને પણ કરે નહીં, રાજી થકો કરે. અને બીજું એ લક્ષણ જે, ગમે તેવો પોતામાં કોઈક સ્વભાવ હોય અને તે કોટિ ઉપાય કરે તોય પણ ટળે એવો ન હોય ને જો તે સ્વભાવને મુકાવ્યાનો પરમેશ્વરનો આગ્રહ દેખે તો તે સ્વભાવને તત્કાળ મૂકે. અને ત્રીજું એ લક્ષણ જે, પોતામાં કાંઈક અવગુણ હોય તો પણ પરમેશ્વરની કથા, કીર્તન તથા ભગવાનના સંત તે વિના ઘડીમાત્ર રહેવાય નહીં, અને પોતાનો અવગુણ લે ને સંતનો ગુણ ગ્રહણ કરે, અને ભગવાનની કથા-કીર્તન અને ભગવાનના સંતનો અતિ મહિમા સમજે. એવું જેને વર્તતું હોય તેને પરિપક્વ નિશ્ચય જાણવો. એવા નિશ્ચયવાળાને કોઈક દિવસ કોઈક પ્રારબ્ધયોગે કરીને કાંઈક વર્તવામાં ફેર પડી જાય તોય પણ તેનું અકલ્યાણ ન થાય. અને એવો નિશ્ચય ન હોય ને તે ગમે તેવો ત્યાગી હોય તોય પણ તેના કલ્યાણમાં ફેર છે.”

📗 *_સ્વામીની વાતો_* 🗣
“અમે કોઈ દિવસ દશોંદ-વિશોંદ કાઢવાની વાત, સૌ કહે છે જે કરો, તો પણ નથી કરી. પણ આજ કહું છું જે, દશોંદ-વિશોંદ કાઢશે તેને ખાવા મળશે; નહીં કાઢે તે દુબળા રહેશે.” એમ કહીને દાજીભાઈને કહ્યું જે, “હવે મોટા થયા તે ધર્મવેરો કાઢવા માંડો.” ૬/૨૬૨

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
અમને તમે જે જે આવીને મળ્યા છો તે સર્વેને બ્રહ્મરૂપ કરવા છે. જીવમાં માયાનો ભાગ ભળ્યો છે તે કાઢવો છે; માટે ખબરદાર થઈને રહેજો, નહિ તો તમારો પગ ટકશે નહિ. બ્રહ્મરૂપ

📙 *_અનિર્દેશિ અમૃત,_* તા.૧૨-૭-૧૯૮૧, નિયમની એકાદશી, હરિધામ, વાત-૭૮ 🔯
વિચાર કરજો આ સત્સંગ કેવો છે. સત્સંગ તો બહુ સારો છે, સર્વોપરી છે, સુંદર છે. સર્વેની પ્રકૃતિ સાથે જડાયેલી એ માયા, ચૈતન્ય સાથે ચોંટી ગયેલી એ પ્રકૃતિ, લોકના જ આભાસે બધા સત્સંગ કરે છે. મોટાપુરુષ બહુ સમર્થ છે. તમે એના ખાતાના જીવ હશો અને તમારે લોક નહિ તોડવો હોય તોય તોડી આપશે!

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

26 Jan, 02:46


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે જે પ્રકારે પૂર્વે કહ્યું એ પ્રકારે કરીને જ નિત્ય પ્રત્યે કરવું અને સંસ્કૃત અને પ્રાકૃત એવા જે સદ્ગ્રંથ તેનો અભ્યાસ પણ પોતાની બુિદ્ધ અનુસારે કરવો. ૬૫

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૬૩: નિશ્ચયનું, તત્ત્વે કરીને ભગવાન જાણ્યાનું
જેમ અગ્નિ પોતાનો પ્રકાશ અને જ્વાળા તેને સમાવીને મનુષ્ય જેવા થાય, તેમ ભગવાન પણ પોતાની સામર્થી છપાવીને જીવના કલ્યાણને અર્થે મનુષ્યની પેઠે વર્તે છે. અને જે મૂર્ખ હોય તે તો એમ જાણે જે, ‘ભગવાન કાંઈ સામર્થી કેમ પ્રકટ કરતા નથી?’ પણ ભગવાન તો મૂળગી જીવના કલ્યાણને અર્થે પોતાની સામર્થી ઢાંકીને વર્તે છે. અને જો પોતાની મોટ્યપ પ્રકટ કરે તો બ્રહ્માંડ પણ નજરમાં ન આવે તો જીવની શી ગણના? એવી રીતે મહિમાએ સહિત જે ભગવાનનો નિશ્ચય તે જેને હૃદયમાં દ્રઢપણે થયો હોય તેને કાળ, કર્મ, માયા કોઈ બંધન કરવા સમર્થ નથી. માટે એવી રીતે તત્ત્વે કરીને જે ભગવાનને જાણે તેને કાંઈ કરવું રહ્યું નથી.

📗 *_સ્વામીની વાતો_* 🗣
ગૃહસ્થ માણસ બીજું ઘર કરે છે તે પણ ખુવાર થાય છે. ૬/૨૬૧

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
માયિકભાવ ટાળવો છે તેથી અપમાન કરીશું એમાં બ્રહ્મરૂપ કરવા સિવાય અમારે કોઈ મતલબ નથી. બ્રહ્મરૂપ

📙 *_અનિર્દેશિ અમૃત,_* તા.૧૨-૭-૧૯૮૧, નિયમની એકાદશી, હરિધામ, વાત-૭૭ 🔯
કોઈને માન મળ્યું ન મળ્યું, બોલાવ્યા ન બોલાવ્યા, એકને બોલાવ્યા ને બીજાને રહી ગયું હોય તો એને સ્હેજ ખોટું લાગી જાય, એ આપણો લોક છે. કોઈ આપણી રીતે ન વરત્યું અને વિચારમાં ગયા એ આપણો લોક છે. આપણને એક વ્યવહારમાંથી બીજા વ્યવહારમાં મૂકી દીધા. વ્યવહારનો કોઈ ભાર જ નહીં. એનું જાણપણું જ નહીં. સેવા કરવા આવ્યા છીએ. સાધકો વ્યવહારમાં ચોંટ્યા એનું નામ લોક કહેવાય. વ્યાવહારિક પ્રક્રિયાએ કરીને એકબીજાની ઉપેક્ષા થાય એનું નામ લોક કહેવાય.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

25 Jan, 02:45


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને જે અમારા સત્સંગીમાં અંબરીષ રાજાની પેઠે આત્મનીવેદી એવા ઉત્તમ ભક્ત હોય તેમણે પણ પ્રથમ કહ્યું તેવી રીતે અનુક્રમે કરીને માનસીપૂજા પ્રર્યંત સર્વ ક્રિયા કરવી ૫૫

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૬૩: નિશ્ચયનું, તત્ત્વે કરીને ભગવાન જાણ્યાનું
અતિ સમર્થ અને અતિ પ્રકાશે યુક્ત અને અતિ મોટા જે એ ભગવાન તે પોતાનું જે આવું ઐશ્વર્ય અને તેજ તેને પોતામાં સમાવીને જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થાય છે, અને મનુષ્ય દર્શન કરી શકે તથા સેવા-અર્ચનાદિક કરી શકે એવું રૂપ ધારણ કરે છે. જેમ કીડીના પગમાં ઝીણો કાંટો વાગ્યો હોય તેને બરછી તથા નરેણીએ કરીને કાઢે તો નીસરે નહીં, તે તો અતિશય ઝીણું લોઢું હોય તેણે કરીને નીસરે; તેમ ભગવાન પણ પોતાની મોટાઈને પોતામાં સમાવીને અતિશય અલ્પ રૂપનું ધારણ કરે છે.

📗 *_સ્વામીની વાતો_* 🗣
આપણામાંય ખોટ્યું કેટલીક હોય, તે જો કહેવા માંડીએ તો ખબર પડે. સૂઝે તેમ આમ તેમ કરીએ પણ અંત્યે એમ કરાવવું છે. તે વાતમાં કહેતા જાઈએ છીએ અને અમારે એક બળદિયો છે તેને હમણાં તો સૌ ખવરાવીએ છીએ પણ ગાડું એના કાંધ ઉપર મૂકવું છે. અંત્યે સૂઝે તેમ ફોસલાવી કરાવીને પણ માખીમાંથી સૂરજ કરવો છે. ૬/૨૫૭

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
સત્સંગીમાત્રને અમારે એવા બ્રહ્મરૂપ કરવા છે, તેમનું માન કાઢવું છે. બ્રહ્મરૂપ

📙 *_અનિર્દેશિ અમૃત,_* તા.૧૨-૭-૧૯૮૧, નિયમની એકાદશી, હરિધામ, વાત-૭૬ 🔯
કો'ક દેશને માટે મરણીયો થાય. વૈજ્ઞાનિકો વિજ્ઞાન માટે મરણિયા થાય. મરણિયા થયા સિવાય તો કોઈ છૂટકો નથી. મરણિયા થવા જ આવ્યા છીએ. જ્યાં સુધી ભક્તના જીવનમાં, સાધુના જીવનમાં લોક છે ત્યાં સુધી એકાંતિક ધર્મ એને માટે ખૂબ દૂર છે. ગૃહસ્થને લોક વળગ્યો છે ને સાધકને વ્યવહાર વળગ્યો છે. ભક્તને ભગવાન સાથે પ્રીતિ કરવા માટે લોકનો પ્રલય કરવો પડશે જ. ધન્ય એ કાશીદાસ મોટાને! ધન્ય એ વડોદરાના નાથા ભગતને! ધન્ય એ પર્વતભાઈ ને ગોરધનભાઈને! જેમનો વ્યવહાર માત્ર વ્યવહાર ન હતો પણ પ્રભુને અર્થે હતો! પ્રભુ માન્ય હતો!

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

24 Jan, 02:47


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને પછી સત્સંગી પુરુષમાત્રને ચાંદલે સહીત ઊર્ધ્વપુંડ્ર તિલક કરવું અને સુવાસિની જે સ્ત્રીઓ તેમને તો પોતાના ભાલને વિષે કુંકુમનો ચાંદલો કરવો ૫૨

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૬૩: નિશ્ચયનું, તત્ત્વે કરીને ભગવાન જાણ્યાનું
સર્વેનું કારણ અક્ષરબ્રહ્મ છે. અને તે અક્ષર તો પુરુષોત્તમ ભગવાનનું ધામ છે. અને એ અક્ષરની સંકોચ ને વિકાસ અવસ્થા થતી નથી, સદાય એકરૂપે રહે છે. અને તે અક્ષર મૂર્તિમાન છે પણ અતિ મોટા છે, માટે કોઈની નજરે અક્ષરનું રૂપ આવતું નથી.

📗 *_સ્વામીની વાતો_* 🗣
ભગવાન, સાધુ, શ્રદ્ધા ને સત્શાસ્ત્ર એ ચાર વાનાં હોય તો પ્રભુ ભજાય; એમાં શ્રદ્ધા નથી બાકી બધું છે. ૬/૨૫૬

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
જીવોને બ્રહ્મરૂપ કરવા જ અમે અવતાર ધારણ કર્યો છે. બ્રહ્મરૂપ

📙 *_અનિર્દેશિ અમૃત,_* તા.૧૨-૭-૧૯૮૧, નિયમની એકાદશી, હરિધામ, વાત- 🔯
મુક્ત અવસ્થાથી, પ્રભુના ભાવથી, દર્શન-સ્પર્શ-સેવા-સમાગમ કરો. પછી ન કહેવું પડે કે હું ગુણાતીત છું. પ્રભુ જ તમારા હૈયામાં પ્રગટ થઈને ખ્યાલ આપી દે કે હું નથી પુરુષ. હું નથી સ્ત્રી. એવી કક્ષાનો અનુભવ મનાય. વચ.ગ.મ.૧૩ ની પ્રભુની વાણીને વિશ્વાસપૂર્વક વિચારો. 'સરસ એક સહજાનંદ' માં સ્વરૂપદર્શનનાં ચેપ્ટરને વિચારો.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

23 Jan, 02:43


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને તે વાર પછી પવિત્ર પૃથ્વીને વિષે પાથર્યું અને શુદ્ધ ને કોઈ બીજા આસનને અડ્યું ન હોય અને જે ઉપર સારી પેઠે બેસાય એવું જે આસન તેણે વિષે પુર્વ્મુખે અથવા ઉત્તરમુખે બેસીને આચમન કરવું ૫૧

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૬૨: સત્ય-શૌચાદિક ગુણ આવ્યાનું
વિચારીને ભગવાનના ભક્ત હોય તેને અતિશય ગરીબપણું પકડવું પણ કોઈનું અપમાન કરવું નહીં; કાં જે, ભગવાન તો ગરીબના અંતરને વિષે પણ વિરાજમાન રહ્યા છે તે એ ગરીબના અપમાનના કરતલનું ભૂંડું કરી નાંખે છે, એવું જાણીને કોઈ અલ્પ જીવને પણ દુખવવો નહીં. અને જો અહંકારને વશ થઈને જેને તેને દુખવતો ફરે તો ગર્વગંજન એવા જે ભગવાન તે અંતર્યામીરૂપે સર્વમાં વ્યાપક છે તે ખમી શકે નહીં, પછી ગમે તે દ્વારે પ્રકટ થઈને એ અભિમાની પુરુષના અભિમાનને સારી પેઠે નાશ કરે છે.

📗 *_સ્વામીની વાતો_* 🗣
શ્રાવણ વદિ છઠને દિવસે વાત કરી જે, *“બીજું બધું ભગવાન કરે પણ જે ભજન ને નિયમ પાળવા એ બે તો કોઈને ન કરી આપે, એ તો પોતાને જ કરવું પડે, તે જો કરે તો થાય.”* ૬/૨૫૫

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
બ્રહ્મરૂપ થયા વિના જન્મ વૃથા ખોવે છે. બ્રહ્મરૂપ

📙 *_અનિર્દેશિ અમૃત,_* તા.૧૨-૭-૧૯૮૧, નિયમની એકાદશી, હરિધામ, વાત-૭૪ 🔯
પ્રકૃતિ અને પુરુષનો ભાવ અત્યારસુધીના આધ્યાત્મિક ઈતિહાસના પાને ક્યાંય ટળ્યો નથી. સ્ત્રી એ સ્ત્રી જ રહી ને પુરુષ એ પુરુષ જ રહ્યો. એ સ્ત્રી-પુરુષના બેલડાની પૂર્ણાહુતી કરવા ચિદાકાશના એ ચૈતન્ય પ્રભુમાં લીન થાય, બિંદુ સાગરમાં સમર્પિત બને, સાગર-સ્વરૂપ બને એવી અતિ ઉત્તમકોટીની કક્ષાએ જવાનો પહેલો મુદ્દો એ છે કે, 'હું અક્ષરધામનો છું. અક્ષરધામના મુકતો સાથે કામ કરી રહ્યો છું.' આ ભાવનાને કે માનીનતાને વાગોળજો, પછી તો બોલવા-ચાલવામાં કેટલો ફેર પડી જશે!

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

22 Jan, 02:51


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને પછી એક સ્થાનને વિષે બેસીને દાતણ કરવું અને પછી પવિત્ર જળે કરીને સ્નાન કરી પછી ધોએલું વસ્ત્ર એક પહેરવું એક ઓઢવું .૫૦

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૬૨: સત્ય-શૌચાદિક ગુણ આવ્યાનું
જેને ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચયે કરીને સંબંધ થાય છે તેને વિષે ભગવાનના કલ્યાણકારી ગુણ આવે છે.

📗 *_સ્વામીની વાતો_* 🗣
આ પંચવિષયરૂપી અઘાસુરે જીવને ગળી લીધા છે. મહારાજ કહે, “જો બધાય પ્રભુ ભજે તો બપોરે મોતૈયાનો વરસાદ વરસાવીએ. તે જે દી કહે તે દી ગોળના, ખાંડના જે કહે તે વરસાવીએ, પણ જીવ માળા લઈ બેસી શકે નહીં.” ૬/૨૪૮

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
જ્યાં સુધી માયાનું બંધન છે ત્યાં સુધી જીવ બ્રહ્મરૂપ થતો નથી. બ્રહ્મરૂપ

📙 *_અનિર્દેશિ અમૃત,_* તા.૧૨-૭-૧૯૮૧, નિયમની એકાદશી, હરિધામ, વાત-૭૩ 🔯
હું કોઈને પણ જોઉં તો 'એ ચિદાકાશનું સ્વરૂપ છે.' એવા ભાવથી મારે જોવું જોઈએ. મારે એની જોડે વાત એ રીતે કરવી જોઈએ. તમને ખબર છે કે અક્ષરપુરુષોત્તમની શુદ્ધ ઉપાસના ક્યાંથી! શાસ્ત્રીજીમહારાજ અને યોગીજીમહારાજ ક્યાંથી! પાગલ અવસ્થામાં જીવનારા માનવીઓ હોઈએ એમ આપણને લાગે. આપણને બોલવા-ચાલવાનો વિવેક પણ ન હોય. એટલા માટે આપણા સહુની ફરજ છે કે આપણે માનવાનું છે કે અક્ષરધામના મધ્યમાં બેઠો છું. અક્ષરધામની મુક્તમંડળી સાથે મારે કામ કરવાનું છે. એની સાથે જ મારે રસબસ થવાનું છે. મારા માટે એ ભગવાનનાં ભવ્ય સ્વરૂપો છે. થોડી દ્રષ્ટિ બદલો, વધારે નહિ.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

22 Jan, 02:50


📚 આજ નો સ્વાધ્યાય 📚 pinned «※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※ 🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕 📜 *શિક્ષાપત્રી* ✍🏻 અને અમારા જે આશ્રિત જન તેમણે પોતાના આચાર્યને આવતા સાંભળીને આદર થકી તત્કાળ સન્મુખ જવું અને તે આચાર્ય પોતાના ગામથી પાછા પધારે ત્યારે ગામની ભાગોળ સુધી વળાવવા જવું. ||૭૨|| 📕 *વચનામૃત* 🎤 ||ગઢડા…»

📚 આજ નો સ્વાધ્યાય 📚

21 Jan, 02:51


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને અમારા આશ્રિત જે મનુષ્ય તેમને શાસ્ત્રે કર્યો જે આપધર્મ તે અલ્પ આપત્કાળને વિષે મુખ્યપણે કરીને ક્યારેય ગ્રહણ ન કરવો ૪૮

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૬૧: બળિ રાજાનું
જેમ જેમ ભગવાન આપણને કસણીમાં રાખે તેમ તેમ વધુ રાજી થવું જોઈએ જે, ‘ભગવાન જેમ જેમ મને વધુ દુઃખ દેશે તેમ તેમ વધુ મારે વશ થશે અને પલમાત્ર મારાથી છેટે નહીં રહે,’ એવું સમજીને જેમ જેમ ભગવાન અતિ કસણી દેતા જાય તેમ તેમ અતિ રાજી થવું, પણ કોઈ રીતે દુઃખ દેખીને અથવા દેહના સુખ સારુ પાછો પગ ભરવો નહીં.

📗 *_સ્વામીની વાતો_* 🗣
જુઓને! શાસ્ત્રમાં પણ કહ્યું છે જે, અંબરીષ, નહુષ, ભરતજી ને ચિત્રકેતુ એમણે ભગવાનને ભજવાને સારુ ચક્રવર્તી રાજ ને સૌનો ત્યાગ કર્યો. ખપવાળાની વાત એમ છે. બાજરો મળે તો તો પ્રભુ ભજવા ને ધીરે ધીરે વે’વાર છે તે ગૌણ કરી દેવો ને ભગવાન મુખ્ય કરી દેવા. આ તો વે’વાર પ્રધાન થઈ ગયો છે તે પ્રભુ શું સાંભરે? ૬/૨૪૬

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
પોતાના જીવાત્માને બ્રહ્મરૂપ માનીને ભગવાનની (અમૃત-ઉપદેશ વચન પ્રમાણે વર્તવારૂપ) સેવા (ઉપાસના) કરે તે સાચા બ્રહ્મ છે. બ્રહ્મરૂપ

📙 *_અનિર્દેશિ અમૃત,_* તા.૧૨-૭-૧૯૮૧, નિયમની એકાદશી, હરિધામ, વાત-૭૨ 🔯
આપણે સહુ ભૂલી જઈએ છીએ કે ભગવાનના સંબંધે કરીને આપણે સહુ અક્ષરધામના છીએ. 'મારા પ્રભુ અક્ષરધામના, હું અક્ષરધામનો. મારી આજુબાજુ ચિદાકાશ મુક્તમંડળી જ કામ કરી રહી છે. કોઈ આકાર નથી, કોઈ નાનો નથી, કોઈ મોટો નથી, સહુ સરખા છે. એવા અક્ષરધામના દિવ્ય મુકતો મારી આજુબાજુ કામ કરી રહ્યા છે.' એવા ભાવમાં બે-ચાર મહિના રહો, વધારે નહિ...

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

20 Jan, 02:50


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને જે બ્રાહ્મણઆદિક ને ત્રિપુંડ્ર જે આડું તિલક કરવું તથા રુદ્રાક્ષની માળા ધારવી, એ બે વાનાં પોતાની કુળપરંપરાએ કરીને ચાલ્યાં આવ્યાં હોય અને તે બ્રાહ્મણાદિક અમારા આશ્રિત થયા હોય તો પણ તેમણે તે ત્રિપુંડ્ર રુદ્રાક્ષનો ક્યારેય ત્યાગ ન કરવો.૪૬

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૬૧: બળિ રાજાનું
આપણે પણ બીજી સર્વ વાસના ટાળીને અને ભગવાનને સર્વસ્વ અર્પણ કરીને ભગવાનના દાસ થઈ રહેશું, અને એમ કરતાંય ભગવાન આપણને વધુ દુઃખ દેશે તો ભગવાન પણ પોતે આપણે વશ થઈ જશે; શા માટે જે, પોતે ભક્તવત્સલ છે અને કૃપાસિંધુ છે, તે જેની પોતાને વિષે અતિ દ્રઢ ભક્તિ દેખે તેને પોતે આધીન થઈ જાય છે. પછી તે પ્રેમભક્તિએ યુક્ત જે ભક્તનું મન તે મનરૂપી દોરીએ કરીને બંધનમાં આવે છે, પછી છૂટવાને સમર્થ થતા નથી.

📗 *_સ્વામીની વાતો_* 🗣
એકાગ્ર થયા વિના કાંઈ સિદ્ધ થાય નહીં, રોટલા ખાવા મળે ને પેટમાં પચે ને ભજન ન કરે તે ભગવાનનો ગુનેગાર કહેવાય; ન મળે ત્યારે તો શું ભજન કરે! પણ જ્યારે મળે ને ન કરે તે તો પરમેશ્વરનો ગુનેગાર છે. ૬/૨૩૬

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
સંસારમાં પ્રીતિ છે, અને એ પ્રીતિને જ ભવબંધન કહ્યું છે, એવી પ્રિતી ભગવાનમાં થઈ જાય તેનું જન્મ-મરણ અને સર્વ વ્યાધિ ટળે છે; એ પ્રીતિ કરાવનાર ગુરુ પરબ્રહ્મરૂપ છે. બ્રહ્મરૂપ

📙 *_અનિર્દેશિ અમૃત,_* તા.૧૦-૭-૧૯૮૧, જ્ઞાનયજ્ઞ હૉલ, હરિધામ, વાત-૭૦ 🔯
મૂંઝવણ એને ના હોય કે જે મોટાપુરુષને હિતકારી માનીને પડ્યો રહે. મોટાપુરુષ હિતકારી છે, પડ્યા રહેવું છે. આ બે જ શબ્દોને વિચારીને પડ્યો રહે એને કોઈ મૂંઝવણ ના હોય. એક પ્રભુના સ્વરૂપને ના હોય અને બીજી એ સ્વરૂપને હિતકારી માને અને પડ્યો રહે એને ના હોય. બાકી બધાને રહેવાની જ. મૂંઝવણની પરાકાષ્ઠા એટલે અવિશ્વાસ અને મૂંઝવણની પુર્ણાહુતી એટલે વિશ્વાસ. આપણને એવી સુંદર તક મળી ગઈ. ધન્યવાદ તમને સહુને કે જે કક્ષાએ મારે લઈ જવા છે એ કક્ષાના દર્શન બહુ પ્રેમથી, સહજતાથી અહીં થઈ રહ્યા છે.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

19 Jan, 03:40


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને તે તિલકના મધ્યને વિષે જ ગોળ એવો જે ચાંદલો તે જે તે ગોપીચંદને કરીને કરવો અથવા રાધિકાજી અને લક્ષ્મીજી તેનું પ્રસાદી એવું જે કુંકુમ તેણે કરીને તે ચાંદલો કરવો.૪૩

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૬૧: બળિ રાજાનું
બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે, *“જે આત્મનિષ્ઠા હોય તે અંત સમે કેટલી સહાય કરે છે?”* પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ નદી તરવી હોય ત્યાં તો જેને તરતાં આવડતું હોય તે તરી જાય ને જેને તરતાં ન આવડતું હોય તે તો ઊભો થઈ રહે; પણ જ્યારે સમુદ્ર તરવો હોય ત્યારે તો તે બેયને વહાણનું કામ પડે છે. તેમ ટાઢ, તડકો, ભૂખ, તરસ, માન, અપમાન, સુખ, દુઃખ તે રૂપી જે નદી તેને તો આત્મનિષ્ઠાવાળો હોય તે તરી જાય; પણ મૃત્યુસમય તો સમુદ્ર જેવો છે, માટે ત્યાં તો આત્મનિષ્ઠાવાળો હોય તથા વગર આત્મનિષ્ઠાવાળો હોય એ બેયને ભગવાનની ઉપાસનારૂપી વહાણનું કામ પડે છે. માટે *અંતકાળે તો ભગવાનનો દ્રઢ આશરો હોય તે જ કામમાં આવે છે પણ અંત સમે આત્મનિષ્ઠા કાંઈ કામમાં આવતી નથી. તે સારુ ભગવાનની ઉપાસનાને દ્રઢ કરીને રાખવી.”*

📗 *_સ્વામીની વાતો_* 🗣
“આ જીવને આ લોક ને નાત-જાતનું જેટલું દ્રઢ થઈ ગયું છે એટલું ભગવાનની કોરનું દ્રઢ નથી થાતું. તે તો જો પાકો વિચાર કરે તો થાય.” તે ઉપર એક સાધુએ પૂછ્યું જે, “એવો વિચાર ક્યારે થાશે?” તો કહે, “જો એવો ખપ હોય ને કરવા માંડે તો થાય.” તે ઉપર વાત કરી જે, “એક દી મહારાજ કહે, ‘ભાઈ, કોઈ એક દી આખો ને એક રાત આખી જો અખંડ ભજન કરે તો તેને ભગવાન દેખાય.’ પછી એક ભક્તે દી આખો ભજન કર્યું ને રાતે કરવા માંડ્યું તે નિદ્રા આવવાની થઈ એટલે ઘંટીએ દળીને પણ આખી રાત ભજન કર્યું, પછી તેને ભગવાન દેખાણા.” ૬/૨૩૪

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
*(સાચા ભગવદી) ગુરુ-સંતમાં નિર્દોષબુદ્ધિ રાખી તેને બ્રહ્મરૂપ જાણીને સેવે તો તે મુમુક્ષુ ભગવાનના ધામને પામે છે; ગુરુની (અમૃત-ઉપદેશ વચન પ્રમાણે વર્તવારૂપી) સેવા વગર ધામ મળતું નથી.* બ્રહ્મરૂપ

📙 *_અનિર્દેશિ અમૃત,_* તા.૧૦-૭-૧૯૮૧, જ્ઞાનયજ્ઞ હૉલ, હરિધામ, વાત-૬૯ 🔯
પ્રભુને તમારામાં રસબસ થવું છે, એમને એકલાને જ રહેવું છે. પ્રભુ તમારા હૈયામાં બીજાનું સ્થાન ના રહેવા દે એટલે મૂંઝવણ છે. ત્યારે કેટલા રાજી થવું જોઈએ! જેમ જેમ મૂંઝવણની પરાકાષ્ઠા એમ અતિ રાજી થવું જોઈએ. ઘણીવાર તો તમારી કમનસીબી ઉપર હું હસ્યા કરું છું કે આટલી સરસ સુંદર તક પ્રભુએ આપી અને ઉદાસ થઈને કેમ બેસી રહેતા હશે! એટલે હું માનું કે 'પ્રભુ જ્યારે પોતાની કો'ક આગવી પ્રીતિ ભક્ત સાથે વધારી રહ્યા હોય એનું નામ મૂંઝવણ કહેવાય.' *પ્રભુએ પોતાના જ અંગત સેવકને પોતાનો માનીને એના દેહનો ઉપયોગ કર્યો હોય એનું નામ મૂંઝવણ કહેવાય. તેવે વખતે શા માટે આનંદમાં ના રહીએ?!*

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

18 Jan, 03:27


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને તે તિલક જે તે ગોપીચંદને કરીને કરવું અથવા ભગવાનની પૂજા કરતાં બાકી રહ્યું અને કેશર કુંકુમાદિકે યુક્ત એવું જે પ્રસાદી ચંદન તેણે કરીને તિલક કરવું.૪૨

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૬૧: બળિ રાજાનું
મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, *“કામ, ક્રોધ, લોભ તથા ભય એમને યોગે કરીને પણ ધીરજ ડગે નહીં તેનો શો ઉપાય છે?”* પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “‘હું દેહ નહીં, હું તો દેહથી નોખો ને સર્વેનો જાણનારો એવો જે આત્મા તે છું,’ એવી જે આત્મનિષ્ઠા તે જ્યારે અતિશય દ્રઢ થાય ત્યારે કોઈ રીતે કરીને ધીરજ ડગે નહીં અને આત્મનિષ્ઠા વિના બીજા અનેક ઉપાય કરે તો પણ ધીરજ રહે નહીં.”

📗 *_સ્વામીની વાતો_* 🗣
ઓહો! અમે નાના હતા ત્યારે કૂવામાં મોટા પાણા નાખતા હતા, પછી ઓલી લીલ જે હોય તે ખસીને પાણી ચોખું થઈ જાય પણ પાછી લીલ ભેળી થઈ જાય. તેમ આ વાતું કરીએ છીએ ત્યારે માયારૂપ લીલ ખસી જાય છે ને જીવ ક્રિયા કરવામાં ઊઠે કે તરત પાછો લીલની પેઠે ભળી જવાય એવો જીવનો સ્વભાવ છે. ૬/૨૨૮

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
માયિક વિષયમાં સુખ મનાય ત્યાં સુધી બાળકબુદ્ધિ છે. બાળકબુદ્ધિ

📙 *_અનિર્દેશિ અમૃત,_* તા.૧૦-૭-૧૯૮૧, જ્ઞાનયજ્ઞ હૉલ, હરિધામ, વાત-૬૮ 🔯
તમારે સરળ નથી થવું છતાંય પ્રભુ સરળતા તરફ લઈ જાય છે એનું નામ મૂંઝવણ છે. મૂંઝવણ કોઈ પેંડા-બરફી જેવી ચીજ હશે? ના. પ્રભુ તમને પરાણે સરળતા તરફ ખેંચી જાય છે એનું નામ મૂંઝવણ છે. પ્રભુ તમારી ગટર પરાણે દિલથી સાફ કરે છે એનું નામ મૂંઝવણ. પ્રભુને તમારી સાથે રસબસ થવું છે એનું નામ મૂંઝવણ.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

17 Jan, 02:50


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને ધર્મવંશી ગુરુ થાકી શ્રીકૃષ્ણ ભગવાનની દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ વર્ણના અમારા સત્સંગી તેમણે કંઠને વિષે તુલસીની બેવડી માળા નિત્ય ધારવી ,અને લલાટ ,હૃદય અને બે હાથ એ ચારે ઠેકાણે ઉધ્વપૂદ્ર તિલક કરવું .૪૧

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૬૦: એકાંતિક ધર્મ પામ્યાનું, વાસના ટાળ્યાનું
*જેને એકાંતિકના ધર્મમાં સ્થિતિ થઈ હોય તે થકી જ એકાંતિકનો ધર્મ પમાય છે.*

📗 *_સ્વામીની વાતો_* 🗣
આ લોક તો દુઃખરૂપ છે, ને જ્યાં કોઈ દુઃખ છે જ નહીં ત્યાં આવતાંક દુઃખ ભરાય છે, માટે કેટલીક જાત્યનાં દુઃખ આવી પડે છે તે કે’વાય નહીં. પણ શું કરીએ, આ લોક જ એવો છે ને વિષયમાં તો કેવળ દુઃખ જ છે. ૬/૨૨૩

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
સત્સંગરૂપી ચિંતામણીનો મહિમા જેને બાળકબુદ્ધિ ન હોય તેને જ સમજાય છે; ઉદ્ધવજીને પણ એવું જ્ઞાન હતું, તે પ્રતાપ દેખાય કે ન દેખાય અપાર મહિમા સમજતા. બાળકબુદ્ધિ

📙 *_અનિર્દેશિ અમૃત,_* તા.૧૦-૭-૧૯૮૧, જ્ઞાનયજ્ઞ હૉલ, હરિધામ, વાત-૬૭ 🔯
મૂંઝવણ કોને ના હોય? પ્રભુને ના હોય. અને જેનું મન પ્રભુમાં આસક્ત હોય એને ના હોય. એમાં આપણે નંબર લગાડી દેવો છે.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

16 Jan, 02:48


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને ઉસ્તવના દિવસને વિષે તથા નિત્ય પ્રત્યે શ્રીકૃષ્ણના મંદિરમાં આવ્યા એવા જે સત્સંગી પુરુષ તેમણે તે મંદિરને વિષે સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો તથા સ્ત્રીઓ તેમણે પુરુષનો સ્પર્શ ન કરવો અને મંદિરમાંથી નીસર્યા પછી પોત પોતાની રીતે વર્તવું ૪૦

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૬૦: એકાંતિક ધર્મ પામ્યાનું, વાસના ટાળ્યાનું
શ્રીજીમહારાજ બોલ્યા જે, “સર્વ સાધન કરતાં વાસના ટાળવી એ સાધન મોટું છે. તે વાસના ટાળવાની એમ વિગતિ છે જે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચવિષય તેને વિષે જેટલી પોતાને તૃષ્ણા હોય તેનો વિચાર કરવો જે, ‘મારે જેટલી ભગવાનને વિષે વાસના છે તેટલી જ જગતને વિષે છે કે ઓછી-વધુ છે?’ તેની પરીક્ષા કરવી. ને જેટલી ભગવાનની વાત સાંભળવામાં શ્રોત્ર ઇન્દ્રિય લોભાતી હોય તેટલી જ જગતની વાત સાંભળવામાં લોભાતી હોય તો એમ જાણવું જે, ‘ભગવાનમાં ને જગતમાં બરોબર વાસના છે.’ એવી જ રીતે સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ સર્વે વિષયનો તપાસ કરવો. અને જ્યારે એવી રીતે તપાસ કરતો કરતો જગતની વાસનાને ઘટાડતો જાય ને ભગવાનની વાસનાને વધારતો જાય તેણે કરીને એને પંચવિષયને વિષે સમબુદ્ધિ થઈ જાય છે. ને સમબુદ્ધિ થયા પછી નિંદા ને સ્તુતિ સરખાં લાગે અને સારો સ્પર્શ ને ભૂંડો સ્પર્શ સરખો લાગે; તેમ જ સારું રૂપ ને ભૂંડું રૂપ તથા બાળ, યુવાન ને વૃદ્ધ એવી જે સ્ત્રીઓ તથા કચરો ને કંચન એ સર્વે સરખું ભાસે; તેમ જ સારા ને ભૂંડા જે રસ ને ગંધ તે પણ સરખા ભાસે; એવી રીતે સ્વાભાવિકપણે વર્તાય ત્યારે જાણીએ જે વાસના જિતાણી. અને *વાસનારહિત વર્તવું એ એકાંતિકનો ધર્મ છે.* અને વાસના જરાક રહી જાય તો સમાધિવાળો હોય અને નાડી-પ્રાણ તણાતાં હોય તોય પણ વાસના સમાધિમાંથી પાછો ખેંચી લાવે છે; માટે વાસના ટાળે તે જ એકાંતિક ભક્ત છે.”

📗 *_સ્વામીની વાતો_* 🗣
“મહારાજ કહે, ‘વિષયનો સ્પર્શ કરવો જ નહીં, એટલે મન પણ ઇન્દ્રિયું લગણ આવે જ નહીં, માટે વિષયથી છેટે રહેવું.’ ને ભગવાન પણ મળવા હતા એવા મળ્યા છે; હવે આવા જોગમાં જો વિષયની આસક્તિ રહી તો બહુ ખોટ જાશે. ને મોટા મોટાનો પણ વિષયથી છેટે રહેવાનો જ મત છે.” ત્યારે કો’કે કહ્યું જે, “વિષય જણાતા નથી.” ત્યારે સ્વામી બોલ્યા જે, “ગળ્યું, ખાટું, ખારું, સારું જણાય છે કે નહીં? એ તો જણાય, પણ જીવને મૂકવું નથી. અરે, ગરજ જ ક્યાં છે? જોને ગરજે તો ગધેડાને પણ બાપ કહે છે. તે આ જીવે હાડકાં, માંસ ને નરક તેમાં જ માલ માન્યો છે; તે રહેશે નહીં.” ૬/૨૨૨

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
જ્યાં સુધી માયાની મોટપ અંતરમાં મનાય છે, ત્યાં સુધી તે બાળકબુદ્ધિ છે. અભાવ-અવગુણ

📙 *_અનિર્દેશિ અમૃત,_* તા.૧૦-૭-૧૯૮૧, જ્ઞાનયજ્ઞ હૉલ, હરિધામ, વાત-૬૬ 🔯
મનમુખી જીવન કરોડો વર્ષોથી જીવ્યા અને ગુરુમુખી જીવવાની સુંદર તક હવે આપણને મળી. આપણે ખરેખર ખાટી જવાના છીએ. કરોડો વરસથી પોતાની રીતે જીવેલા એ મનના ભાવ-પાશને હવે પ્રભુમય બનાવવા માટેની મંગલમય તક આપણને મળી. આપણે કેવા નસીબદાર હોઈશું! એટલે મોટાપુરુષની સાથે ખરેખરી પ્રીતિ તમને હોય તો મનને હડસેલો જ. પ્રીતિનું લક્ષણ જ મન-બુદ્ધિની ઉપેક્ષા.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

15 Jan, 02:57


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને શ્રીકૃષ્ણ ભગવાનની જે ભક્તિ તે ધર્મરહિત એવી કોઈ પ્રકારે ન કરવી અને અજ્ઞાની એવા જે મનુષ્ય તેમની નિંદા ના ભય થકી શ્રીકૃષ્ણ ભગવાનની સેવાનો ત્યાગ કરવો જ નહિ. ૩૯

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૫૯: અસાધારણ સ્નેહનું
શુભ અને અશુભ એવાં જે દેશ, કાળ ને ક્રિયા તેના હેતુ તો પુરુષ છે. તે પુરુષ જો અતિશય સમર્થ હોય તો સર્વ પૃથ્વીમાં દેશ, કાળ ને ક્રિયા તે પોતાના સ્વભાવ પ્રમાણે પ્રવર્તાવે ને તેથી ઊતરતો હોય તો એક દેશમાં પ્રવર્તાવે ને તેથી ઊતરતો હોય તો એક ગામમાં પ્રવર્તાવે ને તેથી ઊતરતો હોય તો એક ફળી તથા એક પોતાનું ઘર તેમાં પ્રવર્તાવે. એવી રીતે એ શુભ-અશુભ જે દેશ, કાળ ને ક્રિયા તેના હેતુ તો શુભ ને અશુભ એ બે પ્રકારના પુરુષ છે.

📗 *_સ્વામીની વાતો_* 🗣
આ તે કાંઈ વાતું છે? આ તો અમૃત છે! તે દેવલોકમાં અમૃત પીવા જીવ જાય છે પણ આંહીં પીવા નવરો નહીં. આ તો પ્રાપ્તિનોય પાર નહીં, ને જીવમાં ખોટનોય પાર નહીં. ઓહો! આ મહારાજ પુરુષોત્તમ ને આ સાધુ એ કોઈ દી આવ્યા નથી ને આવશે પણ નહીં, ને એ પુરુષોત્તમનું દીધું ઐશ્વર્ય બીજા અનંત અવતારાદિક પામ્યા છે, એમાં બધુંયે આવી ગયું. ૬/૨૧૮

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
હરિજન થઈને હરિજનનો અભાવ લે તે સત્સંગ કરતો હોય તોપણ તેની બાળકબુદ્ધિ જાણવી. બાળકબુદ્ધિ

📙 *_અનિર્દેશિ અમૃત,_* તા.૧૦-૭-૧૯૮૧, જ્ઞાનયજ્ઞ હૉલ, હરિધામ, વાત-૬૫ 🔯
કથા સાંભળવા બેસીએ ને મન બીજે જવાને સમર્થ ન થાય એનું નામ સાંભળ્યું કહેવાય. મનને હડસેલે એનું નામ સેવક કહેવાય. મનને ન ગણે એનું નામ સેવક કહેવાય. એનું નામ ખરેખરો સબંધ કહેવાય. એને ગણવાનું નથી, એની ઉપેક્ષા કરવાની છે. એનું નામ સબંધ કહેવાય.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

14 Jan, 03:32


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને જે વસ્ત્ર પહેર્યે થકે પણ પોતાના અંગ દેખાય તેવું જે ભૂંડું વસ્ત્ર તે અમારા સત્સંગી તેમને ન પહેરવું ૩૮

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૫૯: અસાધારણ સ્નેહનું
મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “એ પ્રીતિના બળને જણાયાનું શું કારણ છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સત્સંગ અને સત્શાસ્ત્રનું શ્રવણ કરતે સતે એને ભગવાનને વિષે અસાધારણ પ્રીતિ છે તે જણાઈ આવે છે.”

📗 *_સ્વામીની વાતો_* 🗣
પંચ જ્ઞાન-ઇન્દ્રિયો વશ રાખી હોય તો એની વાંસે ઓલી પાંચ છે. માટે ઝાઝો પંચવિષયનો જોગ થાવા દેવો નહીં ને જોગ થયે સમું રહે તેવું નથી. માટે જેટલું અવશ્ય હોય તે કરવું; બાકી પડ્યું મૂકવું ને તેમાં દોષ જોવા એને જ્ઞાની કહ્યો છે. ને કેટલાક તો કાનમાં પૂમડાં ઘાલી મૂકે છે તે સાંભળવું ઘટે તે ટાણે કાઢી લે ને જોવું ઘટે તે જુએ, પણ પાંચ હાથથી છેટે દ્રષ્ટિ જાય જ નહીં, એમ જ સૂંઘે નહીં, તેમ જ ત્વચાને એક ઓછું પાથરી દેવું પણ વધુ નહીં. તે વિના ન ચાલે તો એકલશૃંગીની પેઠે થાશે, માટે બીતા રહેવું ને પાપ મૂકવાં ને પ્રભુ ભજવા એ સિદ્ધાંત રાખવું. ૬/૨૧૪

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
સત્સંગ કરતાં જો અનંત અપાર (માયિક) સુખની પ્રાપ્તિ થાય તો તેને બુદ્ધિવાળો માણસ દુઃખરૂપ માને છે; અને તે જ પાકો ભક્ત છે, બીજા બાળકબુદ્ધિ છે. અભાવ-અવગુણ

📙 *_અનિર્દેશિ અમૃત,_* તા.૧૦-૭-૧૯૮૧, જ્ઞાનયજ્ઞ હૉલ, હરિધામ, વાત-૬૪ 🔯
પ્રભુ જ્યારે એમના સાક્ષાત્કારની સ્થિતિએ લઈ જાય છે ત્યારે નથી કોઈ સ્ત્રી, નથી કોઈ પુરુષ, નથી કોઈ પરણેલું, નથી કોઈ કુંવરુ, નથી કોઈ જીત, નથી કોઈ હાર, નથી કોઈ હરખ, નથી શોક. કેવળ આનંદ બસ...! બહુ ઊંચી કક્ષાની આ વાત છે.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

13 Jan, 02:49


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને ગુરુ ,દેવ અને રાજા એ ત્રણના દર્શનને અર્થે જયારે જવું ત્યારે ઠાલે હાથે ન જવું અને કોઈનો વિશ્વાસઘાત ન કરવો અને પોતાના મુખે કરી પોતાના વખાણ ના કરવા ૩૭

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૫૯: અસાધારણ સ્નેહનું
મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ! ભગવાનને વિષે અસાધારણ પ્રેમ થાય તેનું શું કારણ છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, *“એક તો ભગવાનનો વિશ્વાસ હોય જે, ‘આ મને મળ્યા છે તે નિશ્ચય જ ભગવાન છે,’ તથા આસ્તિકપણું હોય, તથા ભગવાનનાં જે ઐશ્વર્ય તેને જાણે જે, ‘આ ભગવાન છે તે બ્રહ્મમહોલ, ગોલોક, શ્વેતદ્વીપ એ આદિક સર્વે ધામના પતિ છે તથા અનંત કોટિ બ્રહ્માંડના પતિ છે તથા સર્વના કર્તા છે,’ અને પુરુષ, કાળ, કર્મ, માયા, ત્રણ ગુણ, ચોવીસ તત્ત્વ, બ્રહ્માદિક દેવ એ કોઈને આ બ્રહ્માંડના કર્તા જાણે નહીં, એક ભગવાન પુરુષોત્તમને જ કર્તા જાણે અને સર્વના અંતર્યામી જાણે. એવી રીતની સમજણે સહિત જે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપને વિષે નિશ્ચય તે જ પરમેશ્વરને વિષે અસાધારણ સ્નેહનું કારણ છે.”*

📗 *_સ્વામીની વાતો_* 🗣
આ જીવ કોઈ દી પ્રભુ ભજવા નવરો થયો નથી. ને સર્વે ધૂડ્યનું છે, પણ માંહી ચોંટી રહે છે ને જ્યારે શબ્દ સંભળાય ત્યારે ઝડપ કાન દે, રસ આવે ત્યાં તરત દોડી પૂગે, રૂપ આવે તો ઝડપ જોઈ લે, સ્પર્શ આવે કે ઝડપ ત્વચા સ્પર્શ કરી લે, ને ગંધ આવે કે ઝડપ નાસિકાએ સૂંઘી લે, એમ પંચવિષયમાં ઝડપું નાખે છે. અને એ બધાય વિષય છે તો વિષ્ટાના, ઇન્દ્રાણી ચંદન લગાય અંગ એ સવૈયો બોલ્યા, એવા વિષય છે. માટે નિજાત્માનં બ્રહ્મરૂપમ્ એવું થાવું. તે વિના છૂટકો નથી. ૬/૨૧૧

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
મનુષ્યચરિત્રમાં પણ અવગુણ ન જુએ તે એકાંતિક, શ્રીહરિનો દાસ કહેવાય. અભાવ-અવગુણ

📙 *_અનિર્દેશિ અમૃત,_* તા.૧૦-૭-૧૯૮૧, જ્ઞાનયજ્ઞ હૉલ, હરિધામ, વાત-૬૩ 🔯
મનન-ચિંતવન એ બ્રહ્મનો સાક્ષાત્કાર છે. એ આપણી ફરજ છે. તમે લપસી પડો છો, તમે ઉદાસીનતામાં જતા રહો છો, તમારું મન મોળું પડે છે એનું એટલું જ કારણ કે પ્રસંગોને વાગોળ્યા નથી, વિચાર્યા નથી. એટલે બધાની પાસે ફરજીયાત લખાવડાવવું છે.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

12 Jan, 03:09


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને *ગુરુનું અપમાન ન કરવું તથા જે અતિશય શ્રેષ્ઠ મનુષ્ય હોય તથા જે લોકો ને વિષે પ્રતિષ્ઠિત મનુષ્ય હોય તથા જે વિદ્વાન મનુષ્ય હોય તથા જે શસ્ત્રધારી મનુષ્ય હોય તે સર્વે નું અપમાન ન કરવું.* ૩૫

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૫૮: દેહ, કુસંગ ને પૂર્વ સંસ્કારનું; મોટાને જાણે તેવો થાય
મહાનુભાવાનંદ સ્વામીએ પૂછ્યું જે, *“હે મહારાજ! સત્સંગમાં રહેતે થકે જેટલા અવગુણ હોય તે સર્વે નાશ પામી જાય અને દિનદિન પ્રત્યે ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામતી જાય એનો શો ઉપાય છે?”* પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “મોટાપુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય. અને અતિશય જે મોટા હોય તેને જો અતિશય નિષ્કામી જાણે તો પોતે કૂતરા જેવો કામી હોય તે નિષ્કામી થાય અને જો મોટાપુરુષને વિષે કામીપણાનો દોષ પરઠે તો ગમે તેવો નિષ્કામી હોય તોય પણ અતિશય કામી થાય. અને મોટાને વિષે ક્રોધી-લોભીપણું પરઠે તો પોતે ક્રોધી-લોભી થાય. અને *જો મોટાપુરુષને અતિશય નિષ્કામી, નિર્લોભી, નિઃસ્વાદી, નિર્માની, નિઃસ્નેહી સમજે તો પોતે પણ એ સર્વ વિકારથી રહિત થઈ જાય અને પાકો હરિભક્ત થાય.*

📗 *_સ્વામીની વાતો_* 🗣
આણી કોર દ્વારકાનાથ ને ઓણી કોર વડનગર ને વીસનગર ને આણી કોર સાબરમતી ને નર્મદા એ બધેય ભગવાન ફર્યા છે, કાંઈ બાકી રહ્યું નથી ને આ સાધુ પણ બધે ફર્યા છે. માટે એ સંભારવું. ૬/૨૦૧

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
જે આત્મા અને દેહને એક કરીને માને છે તેને જ બીજાનો અવગુણ દેખાય છે. અભાવ-અવગુણ

📙 *_અનિર્દેશિ અમૃત,_* તા.૧૦-૭-૧૯૮૧, જ્ઞાનયજ્ઞ હૉલ, હરિધામ, વાત-૬૧ 🔯
આપણાં જીવનમાં આપણાથી આવી થોડીઘણી પણ ભૂલ ન થાય ઝાકળ શી, એવી કક્ષા ઉપર આપણે સહુ બેઠા છીએ. બહુ ધ્યાનથી સાંભળજો. હરિભક્તોનો સબંધ કેવો અદ્ભૂત છે. આંખમાં આંસુ આવી જાય. પણ કો'ક બહુ નાની શી સમજણ-અણસમજણ હૈયામાં બેસી રહી છે એનો પ્રલય કરવો છે. એટલે કાયમ હું એક શબ્દ વાપરું છું કે કિનારે આવેલા વહાણને ડુબાડીએ નહિ. દૂર દૂર ૨૨૦૦ માઈલ દુરનો એ દરિયો ખેડીને આપણે સહુ બેઠા છીએ. છેવટે નજીક ૧૦ ફૂટના એ એરિયામાં આપણે ડૂબી જઈએ અને દાખડો અફળ જાય એવી કરુણ હાલત આપણા સહુની ન થાય એટલા માટે કિનારે આવેલું નાવડુ ડુબાડવું નથી.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

11 Jan, 02:25


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને અમારા સત્સંગી જે પુરુષમાત્ર તેમણે બાઈ માણસના મુખ થકી જ્ઞાનવાર્તા ન સાંભળવી અને સ્ત્રીઓ સાથે વિવાદ ન કરવો તથા રાજા સંગાથે તથા રાજાના માણસ સંગાથે વિવાદ ન કરવો ૩૪

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૫૮: દેહ, કુસંગ ને પૂર્વ સંસ્કારનું; મોટાને જાણે તેવો થાય
આનંદાનંદ સ્વામીએ પૂછ્યું જે, *“શો ઉપાય કરે તો મોટાપુરુષ રાજી થાય?”* પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પ્રથમ તો મોટા સંત સાથે નિષ્કપટપણે વર્તે અને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર અને ઈર્ષ્યા એ સર્વનો ત્યાગ કરે અને સંતનો ગુલામ થઈને રહે ને અંતરમાં માન ટળેભાવે રહે પણ દેહે કરીને સર્વેને નમતો રહે, તો એની ઉપર મોટા સંત રાજી થાય છે.”

📗 *_સ્વામીની વાતો_* 🗣
આ સાધુ પાસે ભગવાન છે. તે જે એનો સંગ કરે તેને દિયે છે. માટે આ સાધુના સમાગમમાં માલ છે; માટે એની આગળ દીન આધીન થાવું, એને નમવું ને એનો અભિપ્રાય જાણવો જે, શું એનો સિદ્ધાંત છે? એમ જાણીને તે પ્રમાણે વર્તવું. ૬/૨૦૦

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
સ્વાર્થ માટે સત્સંગમાં લેવા-દેવાનો વહેવાર કરે છે તે પરસ્પર લડીને (સાચા ભગવદી) સંત-હરિજનનો અવગુણ લઈને કુસંગી થઈ જાય છે. અભાવ-અવગુણ

📙 *_અનિર્દેશિ અમૃત,_* તા.૧૦-૭-૧૯૮૧, જ્ઞાનયજ્ઞ હૉલ, હરિધામ, વાત-૬૦ 🔯
આજે એક સમાજ એવો છે કે 'નો' શબ્દ એમનાં જીવનમાં નથી. સમર્પણની પરાકાષ્ઠાએ પહોંચી ગયેલો આપણો સમાજ છે. શું ન થાય એ ભાવનાથી જીવનારો સમાજ છે. ખપી ગયા પછી જાણપણું જરાય ન રાખે અને સેવકભાવે ઓતપ્રોત થઈ જનારો એક સમાજ છે. સેવા કરવા છતાંય તમારી પાસે કોઈ અપેક્ષા ન રાખે એવો એક સમાજ છે, છતાંય ઝાકળ શી ઝીણી અંતરાયની દિવાલ નડે છે.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

10 Jan, 02:49


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને ચોર માર્ગે કરીને પેસવું નહિ અને નીસરવું નહિ અને જે સ્થાનક ધાણિયાતું હોય તે સ્થાનકને વિષે તેના ધણીને પૂછ્યા વિના ઉતારો ન કરવો ૩૩

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૫૮: દેહ, કુસંગ ને પૂર્વ સંસ્કારનું; મોટાને જાણે તેવો થાય
આનંદાનંદ સ્વામીએ પૂછ્યું જે, “પૂર્વના સંસ્કાર મલિન હોય તે કેમ ટળે?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, *“અતિશય જે મોટાપુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તો નાશ પામે અને મોટાપુરુષનો રાજીપો થયો હોય તો રાંક હોય તે રાજા થાય અને ગમે તેવાં ભૂંડાં પ્રારબ્ધ હોય તો રૂડાં થાય અને ગમે તેવું તેને માથે વિઘ્ન આવનારું હોય તે નાશ થઈ જાય.”*

📗 *_સ્વામીની વાતો_* 🗣
આપણે કાંઈએ કરવું નથી, કાં જે, સત્સંગમાં માલ છે તેણે કરીને ઉઘાડી આંખ્ય છે. તે જોશું ત્યાં તો આ સાધુ ને ભગવાનનાં દર્શન થાય છે ને વિંચાશે ત્યારે પણ આ સાધુ ને ભગવાન દેખાશે. માટે ‘જીવતે લાખના ને મુએ સવા લાખના.’ હવે કોઈ વાતે ફિકર નથી. ને ‘દાસના દુશ્મન હરિ કે’દી હોય નહીં, એ જેમ કરશે તે ઠીક જ કરશે.’ ૬/૧૯૯

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
ગુણ-અવગુણ આવે ત્યાં સુધી તે પાકો સત્સંગી કહેવાય નહિ. અભાવ-અવગુણ

📙 *_અનિર્દેશિ અમૃત,_* તા.૧૦-૭-૧૯૮૧, જ્ઞાનયજ્ઞ હૉલ, હરિધામ, વાત-૫૯ 🔯
ભક્ત અને ભગવાન વચ્ચે અંતરાય ખીણ જેવો, ખાડાટેકરા જેવો, હિમાલય જેવો, લાકડા જેવો કે પથ્થર જેવો નથી. ભીંત જેવો નથી. ઝાકળની ઝરણ કે પારદર્શક કોઈ કાપડ હોય જેમાંથી એકબીજાને જોઈ પણ શકતા હોય અને છતાંય એવો બહુ સૂક્ષ્મ અંતરાય હજારો માઈલ દૂર એને રાખે છે. એવી આપણા સહુની કરુણ હાલત છે.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

09 Jan, 02:46


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને જે ઔષધ દારૂ તથા માંસ તેને યુક્ત હોય તે ઔષધ ક્યારેય ન ખાવું અને વળી જે વૈધના આચરણ ને જાણતા ન હોઈએ તે વૈધે આપ્યું જે ઔષધ તે પણ ક્યારેય ન ખાવું. ૩૧

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૫૭: અસાધારણ મોક્ષનું કારણ
મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ! મોક્ષનું અસાધારણ કારણ તે શું છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, *“ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું માહાત્મ્ય જાણવું એ બે અસાધારણ મોક્ષના હેતુ છે.”*

📗 *_સ્વામીની વાતો_* 🗣
આ દેહ હાડકાંનો, સ્ત્રીનો દેહ પણ હાડકાંનો ને છોકરાંનો પણ હાડકાંનો, એમાં કાંઈયે માલ નથી. ને ચૂનો એ ધોળી ધૂડ્ય ને આ બીજી અમથી ધૂડ. દેહ ધૂડનો, રૂપિયા ધૂડના, કુટુંબી ધૂડનાં, ખાવું ધૂડનું, ખોરડાં ધૂડનાં એમ છે. ને એમાં જીવ માલ માનીને ચોંટ્યો છે. પણ કાળ ખાઈ જાશે. માટે ભગવાન ભજી લેવા, બાકી બધું ધૂડનું છે. ૬/૧૯૧

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
પોતાનું પ્રતિપાદન કરે તેવા સંતના ગુણ ગાય અને બીજાના અવગુણ ગાય એવા સંત-હરિભક્તોને કાળનેમીદૈત્ય જેવા જાણવા. અભાવ-અવગુણ

📙 *_અનિર્દેશિ અમૃત_* જુલાઈ-૧૯૮૧, હરિધામ, વાત-૫૫ 🔯
જે માણસ નિયમમાં દ્રઢ રહે, આહાર-વિહારમાં દ્રઢ, નિયમમાં દ્રઢ, મર્યાદામાં દ્રઢ. નિયમ પ્રમાણે આપણે જો વર્તતા હોઈએ તો સુખિયા જ છીએ. ફિઝિકલી તમારે વર્તવાનું છે, સૂક્ષ્મની જવાબદારી એમની છે.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

08 Jan, 02:45


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને લોક ને શાસ્ત્ર તેમણે મળમૂત્ર કરવાને અર્થે વર્જ્યા એવા સ્થાનક જે જીર્ણ દેવાલય, નદી તળાવના આરા તથા માર્ગ, વાવેલું ખેતર , વૃક્ષની છાયા તથા ફૂલવાડી- બગીચા, એ આદિક જે સ્થાનક તેમણે વિષે મળમૂત્ર ન કરવું તથા થૂકવું પણ નહિ.૩૨

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૫૭: અસાધારણ મોક્ષનું કારણ
શિવાનંદ સ્વામીએ પૂછ્યું જે, “સત્સંગમાં રહેવાનો ખપ છે, તો પણ કોઈક અયોગ્ય સ્વભાવ છે તે કેમ ટળતો નથી?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે સ્વભાવ સત્સંગમાં અંતરાય કરતો હોય તે ઉપર જેને અભાવ ન આવે ત્યાં સુધી એને ક્યાં સત્સંગનો પૂરો ખપ છે? અને તે સ્વભાવને પણ ક્યાં પૂરો શત્રુ જાણ્યો છે? ત્યાં દ્રષ્ટાંત છે: જેમ કોઈક પુરુષ આપણો મિત્ર હોય ને તે જ પુરુષે આપણા ભાઈને મારી નાખ્યો હોય તો પછી તે સાથે મિત્રપણું ન રહે અને તેનું માથું કાપવાને તૈયાર થાય; કાં જે, મિત્ર કરતાં ભાઈનો સંબંધ અધિક છે. તેમ જો એને પોતાનો સ્વભાવ વર્તમાનમાં ભંગ પડાવીને સત્સંગથી વિમુખ કરે એવો છે ને તોય પણ એની ઉપર વૈરભાવ આવતો નથી અને તે સ્વભાવ ઉપર રીસ ચઢતી નથી, તો જો એને સત્સંગમાં પૂરું હેત નથી. અને જો જેવું ભાઈમાં હેત મનુષ્યને છે તેવું જો સત્સંગ ઉપર હેત હોય તો ભૂંડા સ્વભાવને તત્કાળ ટાળી નાંખે. શા માટે જે, જીવ તો અતિ સમર્થ છે; કેમ જે, મન અને ઇન્દ્રિયો એ સર્વે તો ક્ષેત્ર છે અને જીવ તો એનો ક્ષેત્રજ્ઞ છે, માટે જે કરે તે થાય.”

📗 *_સ્વામીની વાતો_* 🗣
કેટલેક ઠેકાણે ધર્મ કરે છે તેમાં કરોડ મણ દાણા વાવરે છે. પણ એક અધશેર બરોબર ન આવે, ને એક અધશેર પણ એવું છે. જેમ ઋષિએ વનમાં સાથવાની ચાર પત્રાવળી પોતાને સારુ પૂરી હતી, પણ જો ઓલ્યા ઋષિ માગવા આવ્યા તેને દીધી તો તે ટાણે ચારે ખાઈ ગયા ને જ્યારે હાથ ધોયા ત્યારે તેમાં નોળિયો આળોટ્યો, ત્યાં સોનાનો થઈ ગયો ને પાંડવે યજ્ઞ કર્યો તેમાં ન થયો. કાં જે, એનું દ્રવ્ય એવું હતું. એ ધન તે મરુત રાજાનું લૂંટીને લાવ્યા હતા ને ઓલ્યો થોડો જ સાથવો હતો પણ મહેનત કરીને ભેળો કરેલ અને વળી શ્રદ્ધા સોતું દીધું, તેમ આગળ પાત્ર પણ એવું હતું. માટે પાત્ર જોઈને દાન કરવું. ૬/૧૯૭

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
આ જગતમાં જે અધર્મ રાખે અને અમારો તથા અમારા સંતો-હરિભક્તોનો જે અવગુણ બોલે તેવા જનનો ત્યાગ કરવો; દેહમાં પ્રાણ રહે ત્યાં સુધી આ નિયમ રાખજો, તો અમે તમારો તત્કાળ ઉદ્ધાર કરીશું. અભાવ-અવગુણ


*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

07 Jan, 02:48


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને ગાળ્યા વિનાનું જે જળ તથા દૂધ તે ન પીવું અને જે જળને વિષે જીણા જીવ ઘણાક હોય તે જળે કરીને સ્નાનાદિક ક્રિયા ના કરવી.૩૦

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૫૬: પોલા પાણાનું
‘ગમે તેવો પાપી હોય ને અંત સમે જો તેને ‘સ્વામિનારાયણ’ એવા નામનું ઉચ્ચારણ થાય તો તે સર્વ પાપ થકી છૂટીને બ્રહ્મમોહોલને વિષે નિવાસ કરે, તો જે એ ભગવાનનો આશ્રિત હોય તે એ ભગવાનના ધામને પામે એમાં શો સંશય છે?’ એમ માહાત્મ્ય સમજે. તે સારુ જે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની ઉપાસનાનું બળ સત્સંગ કરીને દિવસે દિવસે વૃદ્ધિ પમાડવું.

📗 *_સ્વામીની વાતો_* 🗣
ઓહોહો! આ ભરતખંડમાં આવો જોગ થઈ ગયો ! આ સાધુ, આ વાતું ને આ ધર્મ જો ખરેખરા ઓળખાય તો, ને આ સાધુ ઓળખાય તો કાંઈ કાચું નથી ને આ વાતું તો કોઈને મળી નથી. ૬/૧૯

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
જ્યાં સુધી વિષયનો અભાવ ન થાય ત્યાં સુધી મોહ પણ ટળતો નથી; મોહ જીવને જન્મ-મરણનો હેતુ છે. અભાવ-અવગુણ

📙 *_અનિર્દેશિ અમૃત_* જુલાઈ-૧૯૮૧, હરિધામ, વાત-૪૦ 🔯
એકાંતિકી ભક્તિમાં બે ચીજ ભયંકર બંધનરૂપ છે. એક છે લોક અને બીજું છે પોતાની રીતનું જીવન. પોતાની રીતની માનીનતા, કો'ક સત્ય. પ્રભુની ભેગા જ રહેતા હોઈએ છતાંય પ્રભુથી લાખો ગાઉ દૂર હોઈએ એવી આપણી કરુણ હાલત ન બને એટલા માટે જ સૌની પાછળ પડ્યો છું.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

06 Jan, 03:17


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને જે શાસ્ત્ર ને વિષે શ્રીકૃષ્ણ ભગવાન તથા શ્રીકૃષ્ણ ભગવાન ના જે વરહાદિક અવતાર તેમનું યુક્તિ એ કરીને ખંડન કર્યું હોય, એવા જે શાસ્ત્ર તે ક્યારેય ન માનવા અને ન સાંભળવા૨૯

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૫૬: પોલા પાણાનું
જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેના માનમાં જે અટંટ રહે તો એ મોટો તો કહેવાય પણ જેવું અર્ધા કોશનું કે પા કોશનું પાણી થયું એવો મોટો થાય, પણ જેવા નિર્માની ભક્તમાં મોટા ગુણ આવે તેવા મોટા ગુણ એમાં ન આવે. માટે જેને ભગવાનને પ્રસન્ન કરવા હોય તેને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ તથા બીજા કોઈ શ્રેષ્ઠ ગુણ હોય તેને અભિમાને કરીને અટંટ થવું નહીં, તો એ પુરુષના હૃદયને વિષે પ્રકટ પ્રમાણ એવા જે શ્રીકૃષ્ણ નારાયણ તે પ્રસન્ન થઈને નિવાસ કરીને રહે છે.

📗 *_સ્વામીની વાતો_* 🗣
પુસ્તકમાં તો વાતું લખી હશે પણ કોઈને તે કામ આવી નથી. કાં જે, વચનામૃતની આખી પ્રત્યું પાસે પડી રહીયું ને વળી ભણેલા તે પણ સત્સંગમાંથી ગયા છે. ૬/૧૮૭

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
મોક્ષનું રહસ્ય નથી સમજતા તો તે ઘોર અંધારા જેવા છે, અને નિયમ-ધર્મનો અભાવ હોવાથી જમપુરીમાં જાય છે. અભાવ-અવગુણ

📙 *_અનિર્દેશિ અમૃત_* જુલાઈ-૧૯૮૧, હરિધામ, વાત-૩૯ 🔯
અત્યારસુધીના આધ્યાત્મિક ઈતિહાસની મુક્ત પ્રણાલિકા એટલું જ કહે છે કે આપણે કોઈમાં બંધાવું નથી. મુક્તિ પણ જોઈતી નથી. મુક્તિ પાછળ આવવી જોઈએ, કલ્યાણ પાછળ આવવું જોઈએ. કલ્યાણને માટે દોટ ન હોઈ શકે, મુક્તિને માટે દોટ ન હોઈ શકે. આપણે એનામાં બંધાઈ જવું છે, રસરૂપ થઈ જવું છે. હું અને 'તું' બસ.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

05 Jan, 02:56


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને જે મનુષ્ય ભકિત અથવા જ્ઞાનનું આલંબન કરીને સ્ત્રી , દ્રવ્ય અને રસાસ્વાદ તેને વિષે અતિશય લોલુંપ થકા પાપને વિષે પ્રવતતા હોય તે મનુષ્યનો સમાગમ ન કરવો .૨૮

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૫૫: ભજન, સ્મરણ ને વર્તમાનના દ્રઢાવનું
જો મોટાપુરુષની સેવામાં ખબડદાર થઈને રહે તો એનાં પાપ બળીને ભષ્મ થઈ જાય અને જો અતિ પાપીનો સંગ થાય તો પાપનો વધારો થાય અને કાંઈક સુકૃત હોય તે પણ નાશ પામે.

📗 *_સ્વામીની વાતો_* 🗣
વહાણ છે તેનું સુકાન ધ્રુવ સામું મરડે છે ને તેના ખેવટિયા ધ્રુવ સામું જોઈ રહે છે, તેમ આપણે ભગવાન સામું જ જોવું ને બીજે માલ નથી, ને બીજે તો જે જે કરીએ છીએ તેમાં વેઠિયાની પેઠે મંડ્યા છીએ. ૬/૧૮૫

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
જીવને સ્વપ્ન આવે છે તે ઉપરથી સંસારમાં ભાવ કે અભાવ એનો એનો ખ્યાલ આવે છે. અભાવ-અવગુણ

📙 *_અનિર્દેશિ અમૃત_* જુલાઈ-૧૯૮૧, હરિધામ, વાત-૩૮ 🔯
ગુણાતીતાનંદસ્વામીની બહુ નાની ઉંમર હતી. એ વખતે મહારાજ ગુણાતીતાનંદસ્વામીના ઘરે ભાદરા પધાર્યા. ભક્ત અને ભગવાન એકબીજાના સામું જોઈ રહ્યા હતા. મહારાજે પૂછ્યું, "ગુણાતીત! શું વિચાર કરો છો?" એ વખતે ગુણાતીતાનંદસ્વામીનું નામ હતું મૂળજી શર્મા.
અનાદિ ચૈતન્ય સ્વરૂપ, જીવના રગેરગના જાણનાર એવા ગુણાતીતાનંદસ્વામીએ પ્રભુને એટલી જ પ્રાર્થના કરી, "હે મહારાજ! હે પ્રભુ! તમે ઘણા બ્રહ્માંડોમાં જાવ છો. ઘણા અવતારો થકી તમે કામ કરો છો પણ દરેક મુક્ત એની રીતે જીવે છે. હું તમને એ મુકતો વતીની પ્રાર્થના એટલી જ કરું છું." આપણા માટે ગુણાતીત મહારાજને પ્રાર્થના કરે છે સાંભળજો. *"તમારા સબંધવાળો સેવક ન કોઈ લોકમાં બંધાય, ન કોઈ પ્રવૃત્તિમાં બંધાય, ન કોઈ પ્રકૃતિમાં બંધાય, ન તમારા ધામની મુક્તિમાં બંધાય, ન તમારા મુકતોમાં બંધાય, ન કોઈ ધર્મ-જ્ઞાન-વૈરાગ્ય-ભક્તિ આદિ કોઈ કલ્યાણકારી ગુણમાં બંધાય પણ કેવળ તમારામાં જ બંધાય એટલું કરી આપજો."* આ ગુણાતીત માંગે છે. બીજા કોઈને માંગતા આવડતું જ નથી.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

04 Jan, 02:13


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને ચોર,પાપી,વ્યસની,પાખંડી,કામી તથા કીમિયા આદિક ક્રિયા એ કરીને જનનો ઠગનારો એ છ પ્રકારના જે મનુષ્ય તેમનો સંગ ન કરવો. ૨૭

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૫૪: ભાગવત ધર્મના પોષણનું, મોક્ષના દ્વારનું
જેને પરમેશ્વરના વચનની ખટક રહે અને નાનું-મોટું વચન લોપી શકે નહીં એવી રીતનો જેનો સ્વભાવ હોય, તેને ગમે તેવો આપત્કાળ આવે તોય પણ એ ધર્મ થકી પડે જ નહીં; માટે જેને વચનમાં દ્રઢતા છે તેનો જ ધર્મ દ્રઢ રહે અને તેનો જ સત્સંગ પણ દ્રઢ રહે.

📗 *_સ્વામીની વાતો_* 🗣
આ સાધુનું તો દર્શન કર્યે પંચમહાપાપ બળી જાય; પણ પૂરું માહાત્મ્ય ક્યાં જાણ્યામાં આવ્યું છે? ૬/૧૭૯

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
જેને ભગવાન અને ભગવાનના (સાચા ભગવદી) સંતને પ્રસન્ન કરવાનો મનમાં ભાવ હોય અને દેહનો અભાવ થયો હોય તે ધન અને નારીનો ત્યાગ કરી શકે; આ પ્રકારના જે ત્યાગી કે ગૃહસ્થ હરિજન છે તે મનુષ્ય તનમાં મુક્ત છે. અભાવ-અવગુણ

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૨/૭/૧૯૮૧, બેંગલોર, વાત-૩૭ 🔯
ગુણાતીતાનંદસ્વામીએ લાખો ચૈતન્યોના વિકાસને અર્થે આટલું જ માંગ્યું, *"હે મહારાજ! તમારામાં સૌને રસબસ કરજો, આટલું જ કરી આપજો."* તમારા યોગમાં રહે છે ને રસબસ બીજે થઈ જાય છે.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

03 Jan, 03:02


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને જે સત્ય વચન બોલવે કરીને પોતાનો દ્રોહ થાય તથા પારકો દ્રોહ થાય એવું જે સત્ય વચન તે ક્યારેય ન બોલવું અને જે કૃત્ઘની હોય તેના સંગનો ત્યાગ કરવો અને વ્યવહાર કાર્યને વિશે કોઈની લાંચ ન લેવી.૨૬

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૫૪: ભાગવત ધર્મના પોષણનું, મોક્ષના દ્વારનું
જેવો એ જીવને પોતાના સંબંધીને વિષે દ્રઢ પ્રસંગ છે તેવો ને તેવો જ પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુને વિષે થાય તો એ જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે.

📗 *_સ્વામીની વાતો_* 🗣
દેહને તો શું કરવું છે? આમ ને આમ પરપોલા જેવું કરી રાખે છે, એવું ન રાખવું. ખાસડા જેવું કરી નાખવું. આ જોને અમારા પગ વજ્ર જેવા છે, તે કાંટો વાગે નહીં ને ધગે પણ નહીં; ને એક વાર મહારાજ પાસે જાતા હતા, તે રસ્તામાં શૂળ હતી તે કરડ કરડ બોલતી ગઈ ને અમે ચાલ્યા ગયા. કાંઈયે થયું નહીં; માટે દેહ જો પરપોલા જેવું રાખ્યું હોય તો જરાક વા ન આવે કે જીવમાંથી આકળો થઈ જાય. તે માટે એવું દેહ ન રાખવું. ૬/૧૭૭

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
અભાવ આવે ત્યાં સુધી (પોતાના આત્માની) સેવામાં કાચપ છે. અભાવ-અવગુણ

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૨/૭/૧૯૮૧, બેંગલોર, વાત-૩૫ 🔯
સવારના પહોરમાં દસ મિનિટ બેસીને મિયાંજી-રતનજી, સારાભાઈને સંભારવાના... આવું જીવન જીવી ગયા! આ રીતે સંભારાય કે ન સંભારાય? નટુભાઈને માથે માછલાં નિચોવાઈ ગયાં. ખાવાનું મળ્યું નહિ. ત્રણ મહિના ખરીસિંગ ને ચણા જ ખાધા. કેટલા મહિના? ૩ મહિના. સુરતની ભાગોળે શું ખાધું? ચણા. નટુભાઈ ખીસ્સામાં ચણા રાખે. ધન્યવાદ એમને કે કોઈ સંકલ્પ ન ઊઠ્યો, 'સ્વામી આટલા બધા આશીર્વાદ આપે છે!' એના કાગળનો જવાબ આપું. બીજા કોઈને જવાબ ન આપું પણ એણે એકધારી નિર્દોષબુદ્ધિ રાખી. એ કામ કરી જશે. ૫૦ ગામડામાં અદ્ભૂત કામ કરી જવાના.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

02 Jan, 03:00


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને જેના વચનને સંભળાવે કરીને શ્રીકૃષ્ણ ભગવાન ની ભકિત ને પોતાનો ધર્મ એ બે થકી પડી જવાય તેના મુખથકી ભગવાન ની કથા વાર્તા ન સાંભળવી.૨૫

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૫૪: ભાગવત ધર્મના પોષણનું, મોક્ષના દ્વારનું
સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને માહાત્મ્યજ્ઞાન તેણે સહિત જે ભગવાનની ભક્તિ તેણે યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે પણ એવા સાધુના પ્રસંગ થકી ઉઘાડું થાય છે.

📗 *_સ્વામીની વાતો_* 🗣
માન, કામ, ક્રોધમાં જીવ ભરાઈ રહ્યો છે, તેણે શું ભગવાન ભજાય છે? ને ગ્રામ્યવાર્તાનું કહ્યું જે, ગ્રામ્યવાર્તા ત્રણ જણ હતા તે કરતા, તેને મહારાજ કહે જે, “આને અમ પાસે આવવા દેશો મા, એ ગ્રામ્યવાર્તા કરે છે.” માટે પ્રયોજનમાત્ર વાત કરવી, પણ બીજી, રાજાની ને શાહુકારની તે શા સારુ કરવી જોઈએ? ભગવાન વિના વાત કરવી ને ભગવાનની સ્મૃતિ વિના ખાવું એ ધૂળ જેવું છે. માટે સાધુનો સમાગમ કરીને કામ, દેહાભિમાન ને ક્રોધ એ ટાળવા. ૬/૧૭૬

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
ધનમાં માલ માન્યો છે તેથી તેને પાપનો અભાવ થતો નથી; તેવો માલ જો ભગવાનમાં મનાય તો કોઈનો છોડાવ્યો કેમ છૂટે? પણ ભગવાનનો ખપ ધનના જેટલો નથી, એવું જીવને અજ્ઞાન છે. અભાવ-અવગુણ

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૨/૭/૧૯૮૧, બેંગલોર, વાત-૩૨ 🔯
હરિભક્તો દુખિયા છે કારણ વ્યવહારમાં પડે એટલે. જ્ઞાન અને વ્યવહારમાં પડેલા હરિભક્તો વરસો સુધી ભેગા રહેવા છતાંય દુઃખીયા. મોટાપુરુષને જે ટાઈમે જે ગમતું હોય એમાં ભળી, અભિપ્રાયમાં ભળીને દોડે એ હરિભક્તો કલાકોમાં સુખિયા થઈ જાય. એવા હરિભક્તો પાક્યા છે. અમારા હાઇવેનું એ ગ્રુપ. એ સમાજ દેખાડીશ. આંખમાં આંસુ આવી જશે તમને. અનબીટન સમાજ. ૧૦૦% માર્ક્સ લેવાની ભાવનાવાળા. એક-બે જણ નથી. દરેક ગામડામાં છુપાયેલા એ હરિભક્તોને યાદ કરીએ તો આંખમાં આંસુ આવી જાય.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

01 Jan, 02:50


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને પોતપોતાના વર્ણશ્રમનો જે ધર્મ તે કોઈ સત્સંગીએ ત્યાગ ન કરવો અને પરધર્મનું આચરણ ન કરવું તથા પાખંડ ધર્મ નું આચરણ ન કરવું તથા કલ્પિત ધર્મનું આચરણ ન કરવું.૨૪

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૫૩: વધ્યાઘટ્યાનું
કોઈ વર્તમાનમાં તો ફેર ન હોય ને તેની સ્વાભાવિક પ્રકૃતિ ઠીક ન જણાતી હોય તેને જોઈને ને તે સાધુમાં બીજા ઘણાક ગુણ હોય તેનો ત્યાગ કરીને જો એકલા અવગુણને જ ગ્રહણ કરે તો તેના જ્ઞાન, વૈરાગ્યાદિક જે શુભ ગુણ તે ઘટી જાય છે. માટે વર્તમાનમાં ફેર હોય તો જ અવગુણ લેવો પણ અમથો ભગવાનના ભક્તનો અવગુણ લેવો નહીં. અને જો અવગુણ લે નહીં તો તેને શુભ ગુણની દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિ થતી જાય છે.

📗 *_સ્વામીની વાતો_* 🗣
“આ દેહને તો જેમ કોઈ પદાર્થ ઉપર તુલસી મૂકે છે ને કૃષ્ણાર્પણ થાય છે એમ કરી મૂકવો, તે વિના મોક્ષ થાય નહીં, ને શાંતિ પણ થાય નહીં.” એટલે એક જણે કહ્યું, “હા, શાંતિ થાતી નથી.” ત્યારે સ્વામી કહે, “ક્યાંથી થાય? શાંતિ તો આવા સાધુમાં છે; તેને સેવે ત્યારે આવે. જે ભગવાન છે તેણે પોતે આ સાધુને શાંતિ આપી છે. તે માટે આ સાધુનો તો સમાગમ જે કરે તેને શાંતિ આવે.” ૬/૧૭૫

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
ગરજુ થઈ સત્સંગ કરવો, આદરને બદલે તિરસ્કાર મળે તોય અભાવ ન આવે તેને ગરજ કહેવાય. અભાવ-અવગુણ

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૨/૭/૧૯૮૧, બેંગલોર, વાત-૩૧ 🔯
કોઈને વિશે ભાવફેર ન ઊઠે. હૈયું ચોવીસેય કલાક શાંત-પ્રશાંત. હૈયું ચોવીસેય કલાક હલકુંફુલ. હૈયું ચોવીસેય કલાક મીઠું અને હૈયું ચોવીસેય કલાક આહલાદક અને સૌંદર્યવાન. આ ચારેય સ્ટેજ જુદાં છે. અને પછી પ્રભુની રસઘન મૂર્તિ. એ કક્ષા પર સહજ જવાના છો. હસતાં, રમતાં, ખાતાં, પીતાં પણ આપણે એવું માનીએ છીએ? દિલથી માનવું જોઈએ કે તું રાજી થાય એટલું મારું. 'તારું છે તે તારા માટે' આવી કક્ષાએ કો'ક જાય એ કો'કમાં નંબર હજારોનો લગાડી દેવો છે.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

31 Dec, 02:48


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને માર્ગને વિષે ચાલતે શીવાલાયાદિક જે દેવમંદિર આવે તેને જોઇને તેને નમસ્કાર કરવો અને આદર થકી તે દેવનું દર્શન કરવું.૨૩

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૫૩: વધ્યાઘટ્યાનું
મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિને પામતો જાય છે અને કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે ઘટતો જાય છે તેનું શું કારણ છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “મોટા જે સાધુ તેનો જે અવગુણ લે છે તે ઘટતો જાય છે અને તે સાધુનો જે ગુણ લે છે તેનું અંગ વૃદ્ધિ પામતું જાય છે ને તેને ભગવાનને વિષે ભક્તિ પણ વૃદ્ધિ પામે છે. માટે તે સાધુનો અવગુણ ન લેવો ને ગુણ જ લેવો.

📗 *_સ્વામીની વાતો_* 🗣
અનંત ક્રિયા થાય પણ ઇન્દ્રિયું ને મનને રોકાય નહીં, ને નેત્રે કરીને ગધેડું, કૂતરું, મીંદડું આદિ જુએ, એમાં શો માલ છે? પણ રહેવાય નહીં. *હાલતાં-ચાલતાં, ખાતાં-પીતાં સર્વે ક્રિયાને વિષે ભગવાન જ સંભારવા.* ૬/૧૭૪

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
*જીવને જેમાં સ્નેહ લાગે છે તેનો તેને ક્યારેય અભાવ આવતો નથી.* અભાવ-અવગુણ

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૨/૭/૧૯૮૧, બેંગલોર, વાત-૩૦🔯
નિર્વિકલ્પ સમાધિમાં એક સમાજ જવાનો. તમે તો જશો જ. તમે નહિ જાવ તો કોણ જવાના છે?


*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

30 Dec, 02:48


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને જે દેવતાને સુરા અને માંસનું નેવેદ્ય થતું હોય અને વળી જે દેવતાની આગળ બકરાં આદીક જીવની હિંસા થતી હોય તે દેવતાનું નેવેદ્ય ન ખાવું.૨૨

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૫૧: હીરે કરીને હીરો વેંધાયાનું
*જેમ હીરે કરીને જ હીરો વેંધાય છે પણ બીજા વતે નથી વેંધાતો; તેમ ભગવાનનો નિશ્ચય તે ભગવાન વતે જ થાય છે અને ભગવાનનું દર્શન પણ ભગવાન વતે જ થાય છે, પણ માયિક એવાં જે ઇન્દ્રિયો, અંતઃકરણ તેણે કરીને નથી થતું.*

📗 *_સ્વામીની વાતો_* 🗣
સાધુને કોઈકે પૂછ્યું જે, “કેમ સ્વામિનારાયણ પ્રગટ્યા તેનો શું અભિપ્રાય છે?” તે તો મહારાજે કહ્યું છે જે, “જીવુંને મૂળ અજ્ઞાન છે તેનો નાશ કરીને અક્ષરધામમાં લઈ જવા, એ અભિપ્રાય છે.” ૬/૧૭૧

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
નિયમભંગ કરે તો તેને ભાવ ન દેવો એટલું જ, પણ તેનો અભાવ તો લેવો જ નહીં. અભાવ-અવગુણ

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૨/૭/૧૯૮૧, બેંગલોર, વાત-૨૯ 🔯
આધાર અને વૃત્તિ પ્રભુ જ્યારે લઈ લે ત્યારે સાધક ખલાસ થઈ જાય અને તે વખતે સારધાર પ્રભુ સાથેનો સંબંધ થઈ જાય એનું નામ એકાંતિક! અને એ વિરલ પુરુષનું કામ છે.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

29 Dec, 02:48


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને દેવતા ,તીર્થ,બ્રાહ્મણ,પતિવ્રતા,સાધુ અને વેદ એમની નિંદા ક્યારેય ન કરવી અને ન સાંભળવી.૨૧

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૫૦: કુશાગ્રબુદ્ધિવાળાનું
જે પોતાના કલ્યાણને અર્થે સાવધાનપણે વર્તે છે તે જ કુશાગ્રબુદ્ધિવાળા છે અને તે વિના તો સર્વ મૂર્ખ છે.

📗 *_સ્વામીની વાતો_* 🗣
માંગરોળમાં મહારાજ મૂલચંદભાઈને ત્યાં જમવા ગયા, તે રસ્તામાં એક કબો વાણિયો વેપારમાં ખોટ ગઈ તેથી ઘેલો થઈ ગયેલ, તે હાટમાં બેઠો બેઠો ત્રાજવામાં ધૂડ્ય ને છાણ ને પાણા ભરી ભરીને તોળે, પછી કહે જે, “લિયો સાકર, લિયો એલચી,” એમ કહે. પછી મહારાજ કહે, “આ કોણ છે?” એટલે હરિજને કહ્યું જે, “આ તો કબો ગાંડો છે.” ત્યારે મહારાજ કહે, “હું તો જે જીવ ભગવાનને નથી ભજતા એ બધાય કબા ગાંડા છે એમ જાણું છું.” ૬/૧૬૯

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
હરિજનોને પરસ્પર અભાવ આવે છે, તેનું કારણ લૌકિક ભાવ છે; જો દિવ્યભાવ રાખે તો કલેશ આવતો નથી. અભાવ-અવગુણ

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૨/૭/૧૯૮૧, બેંગલોર, વાત-૨૮ 🔯
આપણે આ ધરતી પર કાયમ રહેવાના રહેવાના છીએ? પ્રભુના ભાવથી સૌની સેવા કરવા આવ્યા છીએ. આપણું થોડું છે? પણ એકએક સેકન્ડ એવી બનાવવી છે કે યોગીજીમહારાજ ને શાસ્ત્રીજીમહારાજ ગ્રહણ કરે બસ. એટલે કદાચ જોવાઈ ગયું હોય, બોલાઈ ગયું હોય, આઘુંપાછું થઈ ગયું હોય તો ભજન-પ્રાર્થના કરી લેવા. જે દિવસે તોબરો ચઢી જાય, કાંઈ બોલાઈ જાય ત્યારે પ્રાર્થના કરવી. વડીલ સંતોને કહી દેવું બસ. નિરાકરણ થઈ ગયું. મૂંઝાવું નહિ. શું થશે? કેમ થશે? આવા ને આવા રહ્યા એ વિચાર જ કાઢી નાખવાનો. હું આવો ને આવો રહ્યો? છીએ જ નહીં, વધીએ જ છીએ.


*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

28 Dec, 02:45


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ કોઈને મિથ્યા અપવાદ આરોપણ ન કરવો અને કોઈને ગાળ તો ક્યારેય ન દેવી. ૨૦

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૫૦: કુશાગ્રબુદ્ધિવાળાનું
કેટલાક તો વ્યવહારમાં અતિ ડાહ્યા હોય તો પણ પોતાના કલ્યાણને અર્થે કાંઈ જતન કરે નહીં તથા કેટલાક શાસ્ત્ર, પુરાણ, ઇતિહાસ તેના અર્થને સારી પેઠે જાણતા હોય તો પણ પોતાના કલ્યાણને અર્થે કાંઈ જતન કરે નહીં; માટે એને કુશાગ્રબુદ્ધિવાળા ન જાણવા, એને તો જાડી બુદ્ધિવાળા જાણવા. અને જે કલ્યાણને અર્થે જતન કરે છે ને તેની બુદ્ધિ થોડી છે તો પણ તે કુશાગ્રબુદ્ધિવાળો છે અને જે જગત-વ્યવહારની કોરે સાવધાન થઈને મંડ્યો છે ને તેની બુદ્ધિ અતિ ઝીણી છે તો પણ તે જાડી બુદ્ધિવાળો છે.

📗 *_સ્વામીની વાતો_* 🗣
ભગવાનનાં કથા-કીર્તન થાતાં હોય ત્યારે ધ્યાન મૂકી દેવું. કેમ જે, એમાંથી જ્ઞાન થાય ત્યારે ધ્યાન ટકે. ૬/૧૬૭

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
હરિજન થઈને હરિજનનો અભાવ અભાવ લે તે સત્સંગ કરતો હોય તોપણ તેની બાળકબુદ્ધિ જાણવી. અભાવ-અવગુણ

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૨/૭/૧૯૮૧, બેંગલોર, વાત-૨૭ 🔯
આપણે શાંત-પ્રશાંત જીવનમાં ૬ મહિનામાં જતું રહેવું છે. કેટલા મહિનામાં? ૬ મહિનામાં જવું છે એટલે અહીં આવ્યા છીએ. ફરવા થોડા આવ્યા છીએ? પ્રાર્થનાથી જવાય. સેવાથી જવાય. સેવા સર્વોત્તમ માર્ગ છે એટલે કોઈનો અભાવ નહિ. બધાનું જ ગમે એ પહેલું સ્ટેજ.


*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

27 Dec, 02:40


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને તે સચ્છૂદ્ર થકી બીજા જે જાતિએ કરીને ઊતરવા એવા ભક્તજન તેમણે તો ચંદનાદિક કાષ્ઠની જે બેવડી માળા તે ભગવાનની પ્રસાદી કરાવીને કંઠને વિષે ધારવી,અને લલાટને વિષે કેવળ ચાંદલો કરવો પણ તિલક ન કરવું.૪૫

📕 *વચનામૃત* 🎤
ગઢડા અંત્ય ૩૪: ભગવાનને વિષે જ વાસના રહ્યાનું
જેમ આત્મનિવેદી સાધુ-બ્રહ્મચારીના નિયમ છે, તેમ જ આત્મનિવેદી ન હોય તો પણ સ્ત્રીને ન જોવાનો નિયમ રાખે તથા સ્ત્રીની વાર્તા ન સાંભળવાનો નિયમ રાખે, એવી રીતે પંચવિષયના ત્યાગ સંબંધી નિયમને દ્રઢપણે સાવધાન થકો પાળે; તથા ભગવાન ને ભગવાનના ભક્ત તેની દેહે કરીને પરિચર્યા કરે, તથા ભગવાનની કથા સાંભળે, ઇત્યાદિક નવ પ્રકારની ભક્તિ સંબંધી જે નિયમ તેને પાળે, ત્યારે એના મનમાં પણ શુભ સંકલ્પ થવા લાગે; એવી રીતે બે પ્રકારના નિયમમાં જે વર્તે તો તેને વૈરાગ્ય ને ભગવાનને વિષે પ્રીતિ એ બે ન હોય તો પણ તે થાય ને અતિશય બળિયો થઈ જાય ને એને પદાર્થમાં અશુભ વાસના ટળીને એક ભગવાનની વાસના દિવસે દિવસે વૃદ્ધિ પામતી જાય છે.

📗 *_સ્વામીની વાતો_* 🗣
ગૃહસ્થાશ્રમમાં રહીને કથાવાર્તા કરે છે ને સાંભળે છે તેના તો ત્રિવિધ તાપ ટળી ગયા છે, ને તપ સર્વે થઈ રહ્યાં છે ને ભગવાનના શરણને પામી રહ્યો છે. ગૃહસ્થાશ્રમમાં બહુ કામ ને બહુ વિઘ્ન, માટે તેને અધિક કહ્યો છે; ને ગૃહસ્થાશ્રમીને ભગવાનની મૂર્તિને ધરી રહ્યા એવા સાધુનો આશરો છે તે તો ઘરમાં બેઠાં સર્વ તીર્થને સેવી રહ્યો છે. ૫/૯૭

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
ભગવાનના કેટલાયે અવતારો થયા છે અને તે દરેકના જુદા જુદા ભક્તો થયા છે, તે બધા ભગવાનના દાસ થઈને રહ્યા છે, પણ કોઈ સ્વામી થઈને બેઠું નથી. કોઈપણ થયો હોય તો બતાવો. પ્રકરણ-૧૩: દાસપણું

📙 *_અનિર્દેશિ અમૃત_* વાત-૧૭૫ 🔯
ઘણાને એમ થતું હશે કે આવા સમૈયા શા માટે ઉજવાતા હશે? હેતવાળો-સદભાવવાળો સમૈયામાં આવે, જુએ, ગુણ લે, હેત થાય. હેત થાય પછી નિષ્ઠા થાય, નિષ્ઠા થયા પછી વિશ્વાસ આવે, વિશ્વાસ આવ્યા પછી ટૂક ટૂક વર્તે. એના પછી ખ્યાલ આવે કે મોટાપુરુષનો શો અભિપ્રાય છે. પછી ખ્યાલ આવે કે મારે આમનામાં જોડાવાનું છે. પછી એ હાઇવે પરથી નહીં ઊતરે.


*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

26 Dec, 02:46


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને જેના હાથનું રાંધેલ અન્ન તથા જેના પાત્રનું જળ તે ખપતું ન હોય તેણે રાંધેલ અન્ન તથા તેના પાત્રનું જળ તે શ્રીકૃષ્ણ ભગવાનની પ્રસાદી ચરણામૃતના માહાત્મ્યે કરીને પણ જગન્નાથપુરી વિના અન્ય સ્થાનકને વિષે ગ્રહણ ન કરવું અને જગન્નાથજીનો પ્રસાદ લેવાય તેનો દોષ નહીં ૧૯

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૪૯: અંતર્દ્રષ્ટિનું
ભગવાનની મૂર્તિને અંતરમાં ધારીને તે સામું જોઈ રહેવું તેનું નામ અંતર્દ્રષ્ટિ છે. અને તે મૂર્તિ વિના બીજે જ્યાં જ્યાં વૃત્તિ રહે તે સર્વે બાહ્યદ્રષ્ટિ છે.

📗 *_સ્વામીની વાતો_* 🗣
ઊંઘ ને આહાર તો વધાર્યાં વધે ને ઘટાડ્યાં ઘટે, ઊંઘ તો બે પહોર કરવી, સુધી કરે તો! ને ખાવું તે દોઢ શેર સુધી ખાવું. ૬/૧૬૫

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
ભગવાન અને ભગવાનના ભક્તનું માહાત્મ્ય દિન દિન પ્રત્યે અધિક ને અધિક સમજે, ને તેનો અભાવ ક્યારેય ન લે અને ધર્મનું પાલન કરે એવી રીત અમે સ્થાપી છે. આજ્ઞા

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૨/૭/૧૯૮૧, બેંગલોર, વાત-૨૬ 🔯⚠️
*ગુણાનુવાદ ગાતાં ગાતાં.. મહિમાના આવા વિચારો કરતાં.. કરતાં.. સેવકભાવથી પ્રાર્થના કરતાં કરતાં.. સેવકભાવના પ્રસંગો યાદ કરતાં કરતાં.. ગમતામાં વર્તવા માટેનું બળ માંગતા માંગતા.. આપણે કામ કર્યે જવાનું.. આટલું જ સાધન બસ. કેટલું સારું સાધન છે!*


*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

24 Dec, 01:55


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને *અમારા આશ્રિત જે પુરુષ તથા સ્ત્રીઓ તેમણે વ્યભિચાર ન કરવો અને જુગટું આદિક જે વ્યસન તેનો ત્યાગ કરવો અને ભાંગ્ય, માફક, માજમ, ગાંજો આદિક જે કેફ કરનાર વસ્તુ તે ખાવી નહિ અને પીવી પણ નહિ.* ૧૮

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૪૮: ચાર પ્રકારના કુસંગીનું
પ્રાર્થના કરવી જે, ‘હે મહારાજ! કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષ્યા અને દેહાભિમાન એ આદિક જે અંતઃશત્રુ તે થકી રક્ષા કરજ્યો અને નિત્ય તમારા ભક્તનો સમાગમ દેજ્યો.’ એવી રીતે નિત્યે ભગવાનની પ્રાર્થના કરવી અને એ કુસંગી થકી ને અંતઃશત્રુ થકી નિરંતર ડરતા રહેવું.

📗 *_સ્વામીની વાતો_* 🗣
કેટલાક ઢોર સાથે જીવ જોડે છે ને સંભારે છે તે ઢોર એને વશ થઈ રહે છે ને વાંસે ફરે છે; એમ ભગવાન સામું જોઈ રહે ને જીવ જોડે તે એ વશ થયા વિના કેમ રહે? એ તો પછી એની વાંસે જ ફરે ને સામું જોઈ રહે, કેમ જે, ભક્તવત્સલ છે. તે માટે ભગવાન સામું જોઈ રહેવું ને બીજું ઝાડ આદિક કાંઈ જોવું નહીં; ને દેહને ઘસારો લગાડવો હોય તો રાત્રિમાં બે-બે ઘડી ભજનમાં બેસવા માંડે. ૬/૧૬૪

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
સાચા સંતનો ને સત્સંગનો જ્યાં સુધી મનમાં અભાવ રહે, ત્યાં સુધી તે પાપના ફળરૂપ દુઃખ ભોગવે છે. આજ્ઞા

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૨/૭/૧૯૮૧, બેંગલોર, વાત-૨૫ 🔯
આપણે બધાએ કોઠારીસ્વામી, પ્રેમસ્વામી, શાસ્ત્રીસ્વામી એવા સુહ્રદ સંતોની ગોદમાં પડ્યા રહેવું. બીજું કાંઈ કરવા જેવું નથી. ડાયનૅમિક સંતો.. ડાયનૅમિક યુવકો.. ડાયનૅમિક હરિભક્તો અને ડાયનૅમિક બહેનો. અદ્ભૂત સમાજ પૃથ્વી પર સાકાર થઈ રહ્યો છે અદ્ભૂત! એ સમાજના આપણે સેવકો છીએ. આવો સમાજ આપણને ક્યાં મળશે બસ!

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼

🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

23 Dec, 02:48


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને ધર્મ કરવાને અર્થે પણ અમારા સત્સંગી કોઈએ ચોરનું કર્મ ન કરવું અને ધણીયાતું જે કાષ્ઠ, પુષ્પ આદિક વસ્તુ તે તેના ધણીની આજ્ઞા વિના ન લેવું. ૧૭

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૪૮: ચાર પ્રકારના કુસંગીનું
જે ભગવાનનો ભક્ત હોય તેને નિત્ય પ્રત્યે ભગવાનની પૂજા કરીને ને સ્તુતિ કરીને ભગવાન પાસે એમ માગવું જે, ‘હે મહારાજ! હે સ્વામિન્! હે કૃપાસિંધો! હે શરણાગતપ્રતિપાળક! કુસંગી થકી મારી રક્ષા કરજ્યો.’

📗 *_સ્વામીની વાતો_* 🗣
આ જીવ તો ઝાડ, પથરા, ધૂળ ને બેલાં એ જુએ છે, તેમાં શો માલ છે? અને મૂળ શાસ્ત્રમાં કહ્યું જે, “નેત્ર આગળ આવે તે જોવું, પણ બહુ લાંબી દ્રષ્ટિ ન કરવી.” એમ સાધુનો મારગ છે, પણ વારે વારે વખાણ કરે જે, “આવું હતું ને આમ થાશે,” ને શાસ્ત્રમાં કહ્યું છે જે, નિયમ પ્રમાણે જમે તે સદા ઉપવાસી. ને વસ્ત્ર પણ નિયમ પ્રમાણે રાખે તે ત્યાગી, માટે નિયમમાં રહેવું. ૬/૧૬૨

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
અભાવને લીધે દ્રષ્ટિ વિરૂપ થઈ જાય છે ને ગુણને દોષરૂપ કરી નાખે છે. આજ્ઞા

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૨/૭/૧૯૮૧, બેંગલોર, વાત-૨૪ 🔯
વચ.ગ અંત્યના ૩૦ પ્રમાણે મોટાપુરુષ ચોવીસ કલાક એ જ જોયા કરતા હોય કે તમે કેટલા વધ્યા ને ઘટ્યા બસ. કેટલો એનો સબંધ પાકો થયો, દ્રઢ થયો એટલું જ જોયા કરતા હોય.


*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼

🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

22 Dec, 02:48


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને ક્યારેક પોતા વતે કાંઈક અયોગ્ય આચરણ થઇ ગયું હોય અથવા કોઈ બીજા વતે અયોગ્ય આચરણ થઇ ગયું હોય તો શાસ્ત્રાદિકે કરીને પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું અથવા ક્રોધે કરીને પણ પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું ૧૬

📕 *વચનામૃત* 🎤🎂💫
કારિયાણી ૫: અવતાર ધર્યાના પ્રયોજનનું
શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનને અવતાર ધર્યાનું એ જ પ્રયોજન છે જે, ભગવાનને વિષે અતિશય પ્રીતિવાળા જે ભક્ત હોય તેની ભક્તિને આધિન થઈને તે ભક્તને સુખ દેવાને અર્થે જેવી ભક્તની ઇચ્છા હોય તેવા રૂપનું ધારણ કરે છે. પછી જેવા જેવા પોતાના ભક્તના મનોરથ હોય તે સર્વે પૂરા કરે છે. અને તે ભક્ત હોય તે સ્થૂળભાવે યુક્ત છે અને દેહધારી છે, માટે ભગવાન પણ સ્થૂળભાવને ધારણ કરીને દેહધારી જેવા થાય છે અને તે પોતાના ભક્તને લાડ લડાવે છે; અને પોતાની સામર્થીને છપાડીને તે ભક્ત સંગાથે પુત્રભાવે વર્તે છે અથવા સખાભાવે વર્તે છે અથવા મિત્રભાવે વર્તે છે અથવા સગાંસંબંધીને ભાવે વર્તે છે, તેણે કરીને એ ભક્તને ભગવાનની ઝાઝી મર્યાદા રહેતી નથી. પછી જેવી એ ભક્તને ઇચ્છા હોય તેવી રીતે લાડ લડાવે છે. માટે *પોતાના જે પ્રેમી ભક્ત તેના મનોરથ પૂરા કરવા એ જ ભગવાનને અવતાર ધર્યાનું પ્રયોજન છે અને તે ભેળું અસંખ્ય જીવનું કલ્યાણ પણ કરે છે ને ધર્મનું સ્થાપન પણ કરે છે.*

📗 *_સ્વામીની વાતો_* 🗣
આ જીવ તો ઘરમાં, કુટુંબમાં, લોકમાં, ભોગમાં ને દેહમાં ગીરના આંધળાની પેઠે વળગ્યો છે; પણ અંતે રહેવું નથી, એ મૂકીને ચાલ્યું જવાશે. ૬/૧૫૮

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
ભગવાન અને સંતની અપાર કૃપા થઈ હોય તોપણ જો હરિભક્તોનો તેને અભાવ હોય તો તે ધામમાં જઈ શકતો નથી. આજ્ઞા

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૨/૭/૧૯૮૧, બેંગલોર, વાત-૨૩ 🔯
સવારે પૂજામાં પહેલી પ્રાર્થના કરવી. બીજું એના શરીરના કોઈ અંગનો વિચાર કરવો. ત્રીજું કોઈ સ્મૃતિ આપી હોય એનો વિચાર કરવો. ચોથું એણે જે વાતો કરી હોય એ વિચારવી. પાંચમું મુકતોના ગુણાનુવાદ. આ પાંચ વસ્તુને આપણે દિલથી સવારના પહોરમાં કરવી. ૧૦ મિનિટ તો બહુ જ થઈ ગઈ. પણ મનને હડસેલીને પ્રાર્થના કરવાની કે, 'હે મહારાજ! હલકાફૂલ થઈને હું તમારો સબંધ કરી શકું એવું બળ આપજો.' *તમારી જવાબદારી છે દસ જ મિનિટની. કેટલી? ૧૦ જ મિનિટની. અમે એમ નથી કહેતા કે, એકધાર્યા મૂર્તિમાં રહો.* કો'ક વિચાર પ્રદર્શિત કરો એ ભાવના. દરેક વિચારને હાથપગ આપવા માટે સહજાનંદ પૃથ્વી પર આવ્યા છે. તમે જેવા ધારો એવા થાવ.


*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼

🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

21 Dec, 02:50


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને જે માંસ છે તે તો યજ્ઞનું શેષ હોય તો પણ આપત્કાળમાં પણ ક્યારેય ન ખાવું અને ત્રણ પ્રકારની સુરા અને અગિયાર પ્રકારનું મદ્ય તે દેવતાનું નૈવેધ હોય તો પણ ન પીવું. ૧૫

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૪૫: સાકાર-નિરાકારનું
ભગવાન પુરુષોત્તમ તો સદા સાકાર જ છે પણ નિરાકાર નથી અને જે નિરાકાર કહે છે તે તો સમજતા નથી.

📗 *_સ્વામીની વાતો_* 🗣
ઓહો! જુઓને, પરદેશથી વાતું સાંભળવા આવે છે ને આ આંહીંના મેડે ને બીજે બેઠા રહે છે તે શું સમજ્યા? ખરેખરો થઈને સાધુમાં વળગે તો કામાદિક શત્રુ બળી જાય ને ભગવાનમાં જોડાય. ને જેને ખાવા મળતું હોય ને ભગવાનને ન ભજે એ જેવો કોઈ પાપી નહીં, અધર્મી નહીં, મૂર્ખ નહીં ને અણસમજુ નહીં. ઓહો! આવા મહારાજ મળ્યા ને એવી ખોટ રહી જાય છે એ જેવું શું છે? ૬/૧૫૭

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
સંતો અને હરિભક્તો અલૌકિક છે, તેમનો દૈહિક દોષ દેખીને અભાવ ન લેવો; તે તો બ્રહ્મ અગ્નિ જેવા છે, લીલું, સુંકું જે તેનો સ્પર્શ કરે, તે બળી જાય એવો એમનો સહજ સ્વભાવ છે. આજ્ઞા

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૨/૭/૧૯૮૧, બેંગલોર, વાત-૨૨ 🔯
હું ખરેખર સુહ્રદભાવથી સેવા કરી શકું છું? ખરેખર અલ્પસંબંધવાળા બધા મારા મનાય છે? બસ, આટલો જ વિચાર કરવાનો છે. પૉઝિટિવ જ વિચાર. મારામાં દોષ છે ને મારામાં સ્વભાવ છે એ કાંઈ વિચાર નથી કરવો. એક જ વિચાર કરવો કે હું ખરેખર સેવા કરું છું? એક. મારી આ ભાવના વ્યવસ્થિત છે? બે. હું અલ્પસબંધમાં ખરેખર ખોવાઈ ગયો છું? ત્રણ. પતી ગયું, બીજું કાંઈ કરવાનું નથી. પછી ભજન કરતાં કરતાં જેટલું થાય એટલું કર્યે જવાનું.


*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼

🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

21 Dec, 02:48


📚 આજ નો સ્વાધ્યાય 📚 pinned «※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※ 🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕 📜 *શિક્ષાપત્રી* ✍🏻 અને માર્ગને વિષે ચાલતે શીવાલાયાદિક જે દેવમંદિર આવે તેને જોઇને તેને નમસ્કાર કરવો અને આદર થકી તે દેવનું દર્શન કરવું.||૨૩|| 📕 *વચનામૃત* 🎤 ||ગઢડા પ્રથમ ૫૩: વધ્યાઘટ્યાનું|| મુક્તાનંદ સ્વામીએ…»

📚 આજ નો સ્વાધ્યાય 📚

20 Dec, 02:47


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને આત્મઘાત તો તીર્થને વિષે પણ ન કરવો, ને ક્રોધે કરીને ન કરવો અને ક્યારેક કોઈ અયોગ્યા આચરણ થઇ જાય તે થકી મૂંઝાઈને પણ આત્મઘાત ન કરવો અને ઝેર ખાઈને તથા ગળે ટૂંપો ખાઈને તથા કૂવે પડીને તથા પર્વત ઉપરથી પડીને ઇત્યાદિક કોઈ રીતે આત્મઘાત ન કરવો. ૧૪

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૪૪: બળબળતા ડામનું, ડગલાનું
દેહ ને દેહનાં સંબંધીને વિષે અહંમમત્વનો ત્યાગ કરીને ને પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને ને સર્વ વાસનાનો ત્યાગ કરીને સ્વધર્મમાં રહ્યો થકો જે ભગવાનને ભજે છે તે સાધુ કહેવાય છે.

📗 *_સ્વામીની વાતો_* 🗣
હવે નવરા થયા તે ભૂતના વાંસડાની પેઠે મનને સેવામાં જોડી દેવું ને વિષયમાં સંકોચ કરવો, પણ જો એમ નહીં થાય તો નિયમ નહીં રહે, ને શેર એક ખાવું કાં દોઢ શેર ખાવું; પણ બશેર લગી તો ન જ પૂગવું ને ઝાઝું સૂવું નહીં; કેમ જે, સૂતે સૂતે અન્ન પચીને પછી ઇન્દ્રિયું બળવાન થાય તે માટે સંકોચ રાખવો. ૬/૧૫૩

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
જો અભાવ વચન સાંભળવામાં રુચિ રાખે તો પછી તેનો કોઈ નિર્ધાર રહેતો નથી. આજ્ઞા

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૨/૭/૧૯૮૧, બેંગલોર, વાત-૧૯ 🔯
ભૂલેચુકેય પ્રભુનું નામ લેનાર ગમે તેવો ભ્રષ્ટાચારી જીવ એ યજ્ઞને યોગ્ય થઈ જાય. એટલે આજે અહીંયા બહુ દ્રઢ સંકલ્પ કરવાનો, પ્રાર્થના કરવાની કે, 'હે મહારાજ! તમને જ રાજી કરવા માટે સેવા કરવી છે. મારી જાતને રાજી કરવી નથી, મારી નાતને રાજી કરવી નથી.'


*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼

🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

03 Dec, 02:45


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
એ હેતુ માટે અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે સાવધાનપણે કરીને નિત્ય પ્રત્યે આ શિક્ષાપત્રીને અનુસરીને જ વર્તવું. પણ પોતાના મનને જાણે તો ક્યારેય ન વર્તવું.૨૦૫

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૩૭: દેશવાસનાનું, અગિયાર પદવીનું
*'ભગવાન વિના બીજો કોઈ જગતનો કર્તા છે જ નહીં,’ અને એમ જાણે જે, ‘ભગવાન વિના સૂકું પાંદડું પણ ફરવાને સમર્થ નથી,’ એવી જેને ભગવાનને વિષે સાકારપણાની દ્રઢ પ્રતીતિ હોય ને તે હોય તો પણ એ અમને ગમે છે. અને એને માથે કાળ, કર્મ ને માયા તેનો હુકમ નથી; અને જો એને દંડ દેવો હોય તો ભગવાન પોતે દે છે, પણ એને માથે હુકમ નથી.*

📗 *_સ્વામીની વાતો_* 🗣
મહારાજ કહેતા જે, “ઇન્દ્રે બ્રાહ્મણ માર્યો, તે વાંસે ચાર બ્રહ્મહત્યા વળગી. પછી નારદજીને પૂછ્યું ત્યારે કહે, ‘તારા ભાઈ વામનજીને તું ભગવાન જાણીને ભજ તો છૂટીશ.’ પછી ભજ્યા એટલે છૂટી.” એમ આ સ્થૂળ દેહનો તો નાશ થાય છે, પણ સૂક્ષ્મ ને કારણ એ બે તો બ્રહ્મહત્યા વળગી છે, તે સાધુને પૂછીને તથા આત્મવિચાર શીખીને મનન કરે તો નાશ થઈ જાય છે, નીકર જ્યાં જાય ત્યાં ભેળી રહે છે અને આ મહારાજનો અવતાર તો મૂળ અજ્ઞાનનો નાશ કરીને બ્રહ્મરૂપ કરવા થયો છે ને બીજે તો બધું ડોળી નાખ્યું છે. ૬/૯૪

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
મારા ભક્તે કીડી જેવાનો પણ દ્રોહ ન કરવો, એ અમારી આજ્ઞા છે. આજ્ઞા

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૪/૧૦/૧૯૮૦, યોગીજીમહારાજનું શ્રાદ્ધ, વાસણા, વાત-૩૩૦ 🔯
તમારામાં લાખો ટન દોષ હશે. એની ચિંતા નહિ કરતા. લાખો ટન સ્વભાવ હશે એની ચિંતા નહિ કરતા પણ જો તમે સરળ નહિ વર્તો તો ધામમાં નહિ લઈ જાય. એ તમારા દોષ-સ્વભાવ સામે જોતા નથી. એની એમને પડી જ નથી. એમને કાળા ઊપર સફેદો મારતાં વાર નહિ લાગે. એનું કાળું ભૂસતાં કેટલી વાર લાગવાની છે? પણ જે પ્રકૃતિ ને મૂળ વૃત્તિને લઈને આપણો જન્મ છે. એ મૂળ વૃત્તિ કાઢવા માટે સરળ થવું પડે. એટલે જો સરળતાની ખામી રહી જાય તો ફરી જનમ લેવો પડે. એટલે ફરી હજામત. પછી આપણી જિંદગી બગડે, સમય બગડે. કદાચ આ પુરુષ એ કક્ષાના મળ્યા ન મળ્યા એ મોટો પ્રશ્ન છે!


*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼

🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

02 Dec, 02:50


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને સર્વ જે સચ્શાસ્ત્ર તેમનો જે સાર તેને અમે અમારી બુદ્ધિએ કરીને ઉદ્ધારીને આ શિક્ષાપત્રી જે તે લખી છે ,તે કેવી છે તો સર્વે મનુષ્યમાત્રને મનવાંછિત ફળની દેનારી છે.૨૦૪

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૩૬: કંગાલના દ્રષ્ટાંતે સાચા ત્યાગીનું
જે ત્યાગી હોય તેને તો કચરો અને કંચન એ બેય બરોબર હોય અને ‘આ પદાર્થ સારું અને આ પદાર્થ ભૂંડું,’ એવી તો સમજણ જ હોય નહીં અને એક ભગવાનને વિષે જ પ્રીતિ હોય તે જ સાચો ત્યાગી છે.

📗 *_સ્વામીની વાતો_* 🗣
સાધારણ ભક્તનું તો ઠીક છે ને જેને ઉત્તમ થાવું હોય તેને કોઈ પદાર્થમાં જીવ બંધાવા દેવો નહિ ને હેત ન રાખવું; તો નિર્વિઘ્ને ભગવાનના ધામમાં પહોંચાય... ને અક્ષરધામના મુક્ત પણ આંહીં ભગવાન ભેળા આવે છે; ત્યારે કસર ટળે છે. માટે આ તો પુરુષોત્તમ પ્રગટ્યા છે ને તેના સાધુ છે ત્યાં ખબરદાર થઈને મંડવું; કેમ જે, તે વાત પછી નહિ મળે. ૬/૯૩

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
(સાચા ભગવદી) સંતની આજ્ઞા મુજબ વર્તન કરે, યથાશક્તિ કથા-વાર્તા કરે, ધ્યાન-ભજન કરે, સંતને દીન-આધીન (જ્ઞાન ગરીબ થઈ) રહે, નિર્માનીપણે વર્તે તેને અમે પાકો સત્સંગી જાણીએ છીએ; તે અમારો છે. આજ્ઞા

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૪/૧૦/૧૯૮૦, યોગીજીમહારાજનું શ્રાદ્ધ, વાસણા, વાત-૩૨૮ 🔯
તમે જે માગશો એથી અનંતગણું આપશે. તમે થાકશો એટલું આપશે પણ જ્યાં સુધી પોતાનું જીવન છે એ પ્રભુનું થઈ જાય એટલી ઈચ્છા રાખીએ. અમારે બુદ્ધુ બનીને કામ કરવું પડે છે. અજ્ઞાની થઈને જાણે ડફોળ ન હોઈએ! સૂઝ ન હોય, ગાંડા માણસની માફક બધાની સાથે પ્રીતિ કરવા વર્તવું પડે છે. બ્રહ્માંડોના વ્યવહારની અમારે કોઈ ચિંતા નથી પણ એક જીવને હેત થઈ જાય એટલે એની કક્ષાએ જઈને, રાંક થઈને વર્તવું પડે છે!

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસ ના દાસ બનાવશોજી..* 🚼

🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

01 Dec, 03:58


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને અમારે આશ્રિત એવા જે સત્સંગી બાઈ ભાઈ સર્વ તેમના જે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ તે જે તે સંક્ષેપે કરીને આવી રીતે અમે લખ્યા છે .અને આ ધર્મનો જે વિસ્તાર તે તો અમારા સંપ્રદાયના જે ગ્રંથ તે થકી જાણવો.૨૦૩

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૩૫: કલ્યાણના જતનનું
એક ક્રોધ, બીજું માન, ત્રીજી ઈર્ષ્યા, ચોથું કપટ એ ચાર વાનાં પરમેશ્વર સાથે તથા સંત સાથે રાખે નહીં, તો કોઈ દિવસ એની આસુરી બુદ્ધિ થાય નહીં.

📗 *_સ્વામીની વાતો_* 🗣
સારા સાથે જીવ બાંધવો. કેમ જે, કહેનારા કોઈ ન મળે ત્યારે એ કરવું ને સુખિયા રહેવું. ને પોતાની ખોટ કહેવી ને જે ન સૂઝતી હોય તેઓને કહેવું જે, “હુંમાં જે જે વાતની ખોટ હોય તે દયા કરીને તમે કહેજો.” એમ રોજ કહેવું, કાં આઠ દિવસે, કાં પંદર દિવસે, કાં મહિને તો જરૂર કહેવું; કાં જે, મહિને તો જરૂર કોઈક ભેગ થઈ જાય. તે ઉપર નામાના વચનામૃતનું (વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ ૩૮.) કહ્યું જે, મહિને ન ચૂકવે તો ભેળું થઈ જાય. આમ ભગવાનને ગમે છે, તે ગમતું તમને કહ્યું. ૬/૯૦

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
ભગવાન કે સત્પુરુષમાં જ્યાં સુધી જીવ બાંધે નહિ ત્યાં સુધી શાસ્ત્ર ભણે કે હુન્નર શીખે તો પણ મોક્ષ થાય નહિ. આજ્ઞા

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૪/૧૦/૧૯૮૦, યોગીજીમહારાજનું શ્રાદ્ધ, વાસણા, વાત-૩૨૪ 🔯
એક ચોર પર્વતભાઈના ખેતરમાં ચોરી કરવા પેઠો. પર્વતભાઈ કહે, 'ઊભો રહે ચિંતા ન કરીશ. હું આવ્યો છું.' ચોર ડઘાઈ ગયો, એને બેસાર્યો. પછી પર્વતભાઈએ જાતે જ ચણાનો ઓળો શેકી આપ્યો, જાતે જ ફોલતા જાય ને મહારાજની વાતો કરતા જાય. પછી એને ગાંસડો બાંધી આપ્યો અને સત્સંગી કરી નાખ્યો. એમ પોતાના ૧૨ સાથીને સાધુ બનાવ્યા. ખેતરમાં સાથે ફરે ને વાતો કરે. આવા પ્રભુ છે ને આવા પ્રભુ છે. કેટલી સેવા કરી, એ દ્રષ્ટિ કેવી હશે!

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસ ના દાસ બનાવશોજી..* 🚼

🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

30 Nov, 02:49


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને જાતિએ કરીને જે બ્રાહ્મણ હોય તે કોઈએ પણ ચર્મવારી ન પીવું અને ડુંગળી ને લસણ આદિક જે અભક્ષ્ય વસ્તુ તે બ્રાહ્મણ જાતિ હોય તેણે કોઈ પ્રકારે ન ખાવું ૧૮૬

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૩૫: કલ્યાણના જતનનું
બુદ્ધિ તો ઝાઝી છે પણ એણે કોઈ મોટા સંતનો અથવા પરમેશ્વરનો અવગુણ લીધો છે, તે અવગુણરૂપ દોષ એની બુદ્ધિમાં આવ્યો છે, તે સર્પની લાળ સરખો છે, માટે એ તો કલ્યાણને માર્ગે ક્યાંથી ચાલે? પણ જો કોઈક એના મુખની વાત સાંભળે તો તે સાંભળનારાની બુદ્ધિ પણ સત્સંગમાંથી પાછી પડી જાય છે. અને એવી દૂષિત બુદ્ધિવાળો જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં ભગવાનનો અથવા ભગવાનના ભક્તનો દ્રોહ જ કરે. અને જેની બુદ્ધિ એવી રીતે દૂષિત ન હોય ને તે જો થોડી જ હોય તો પણ તે પોતાના કલ્યાણને અર્થે જતન કરતો થકો પાછો પડતો નથી.

📗 *_સ્વામીની વાતો_* 🗣
“સંચિત, *૧* ક્રિયમાણ *૨* ને પ્રારબ્ધ *૩* તે પણ જાણવું, તે નીમ *૪* ધર્યાં તે દિવસથી સંચિત જે પૂર્વે કર્યાં પાપ તે બળી જાય, ને ક્રિયમાણ કરવું નહીં, *૫* ને પ્રારબ્ધ ભોગવવું પડે તેમાં મૂંઝાવું નહીં, ને જો તે પ્રારબ્ધ ન ભોગવાવે તો દેહ છૂટી જાય. કેમ જે, પ્રારબ્ધે કરીને તો દેહ બંધાણું છે, માટે ભોગવવાં. તે શૂળીનું કષ્ટ કાંટે ઉગારે.” પછી સાધુ સર્વે તથા હરિભક્ત સર્વેએ કહ્યું જે, “ઓહો! બહુ વાતું થાય છે, આ પ્રમાણે રહે તો કાંઈ દુઃખ જ આવે નહીં.” પછી સ્વામી કહે જે, “હું એકે ધારતો નથી. આફૂરી માંહેથી કે’વાય છે.” ત્યારે સાધુ કહે, “ભગવાન પ્રવેશ કરીને બોલાવે છે.” તો કે, “હા, એમ જ. તે જુઓને, એમ થાય છે તેમાંથી મોટા હરિજનનો, મોટા સાધુનો, આચાર્યનો ને મહારાજનો પણ અવગુણ આવે. પછી તેમાંથી મોડોવેલો મરવા ટાણે સાધુ પણ વિમુખ થઈ જાય. માટે તેમ ન જ કરવું.” ૬/૭૯
(૬/૭૯)
*૧.* જીવ અનાદિ છે, તેમ તેનું ચોર્યાસી લાખ યોનિમાં ભટકવું પણ અનાદિ છે. જુદા જુદા દેહમાં જીવે અનેક કર્મ કર્યાં છે, તે પાપ-પુણ્યનો સંચિત જથ્થો તે સંચિત કર્મ. આ જૂનો જથ્થો જીવ સાથે એકરસ થઈને રહે છે, તેને વાસના - કારણ શરીર કહેવાય છે. તેમાંથી મનુષ્ય શરીર (વિપાકોન્મુખ દેહ) બંધાય છે.
*૨.* હાલ વર્તમાનકાળે જે કર્મ કરીએ તેને ક્રિયમાણ કહે છે. ભગવાનના ભક્તને ક્રિયમાણ હોવા છતાં શુભ ક્રિયાને લીધે તેના પાશ નથી લાગતા. સંચિત તો બળી જ ગયાં છે. પ્રારબ્ધનું સુખ-દુઃખ ભગવાનની ઇચ્છાને અવલંબે છે. છતાં કુસંગ કરે તો તેનું સંચિત કર્મ બંધાવા લાગે છે ને ફરી માયામાં લપટાય છે. જન્મ-મરણ ઊભું થાય છે. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, અક્ષરબ્રહ્મ કે મુક્ત - ત્રણેને કર્મબંધન નથી. દેહ ધરવામાં કાળ, કર્મ કે માયાને તેઓ આધીન થતા નથી. સ્વતંત્ર છે ને જે જન્મ-મરણ જેવું દેખાય છે તે નટની માયા જેવું છે.
*૩.* મનુષ્ય યોનિમાં પ્રારબ્ધ પ્રમાણે દેહની સ્થિતિ-રીતિ હોય છે. ભગવાનનો ભક્ત થાય અને કદાચ આ ને આ દેહે મુક્ત થઈ જાય તો પણ દેહ પ્રારબ્ધનો બન્યો હોવાથી સુખ-દુખ ભોગવવું પડે છે. અન્ય મનુષ્ય કરતાં ભક્તને એટલું વિશેષ છે કે ભગવાન તેના પ્રારબ્ધનું નિયંત્રણ કરે છે. એટલે ભગવાનની ઇચ્છા એ જ ભક્તનું પ્રારબ્ધ બની રહે છે.
*૪.* નિયમ.
*૫.* વર્તમાન ધરાવ્યાં પછી નિયમ લોપવા નહીં. બાકી નિત્ય, નૈમિત્તિક કર્મ તો કરવાનું રહે છે.

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
જે જન અમારા સંતો-હરિજનોના અવગુણ કહે ને બીજની પાસેથી સાંભળે તો તેનો ઉદ્ધાર ક્યારેય થતો નથી, એ તો બધા જમપુરીમાં જાય છે; આટલી વાત અંતરમાં દ્રઢ કરીને રાખજો, આ અમારી આજ્ઞા છે. આજ્ઞા

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૪/૧૦/૧૯૮૦, યોગીજીમહારાજનું શ્રાદ્ધ, વાસણા, વાત-૩૨૩ 🔯
મેં નક્કી જ કર્યું છે કે મારે આ રાખનાં ઢગલા પર બેસવું છે. મારો દેહ, ઈન્દ્રિયો-અંતઃકરણ, મારી માનીનતા, સત્યો, ભાવના, મારો રજોગુણ, મારો તમોગુણ, મારો સત્વગુણ... બધા જ ગુણોની રાખ પર હું ચૈતન્ય, પ્રભુ પ્રાણ એવી સમજણ દ્રઢ કરવાનો સમય આવ્યો.


*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસ ના દાસ બનાવશોજી..* 🚼

🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

29 Nov, 02:57


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે વેદશાસ્ત્રનો અભ્યાસ કરવો ને ગુરુની સેવા કરવી ,ને સ્ત્રીઓની પેઠે જ સ્ત્રેણ પુરુષનો સંગ જે તે સર્વકાળે વર્જ્વો ૧૮૫

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૩૪: ભગવાને કળ ચઢાવ્યાનું
ભગવાનથી જે વિમુખ જીવ હોય તેને જે સુખ-દુઃખ આવે છે તે તો પોતાને કર્મે કરીને આવે છે, અને જે ભગવાનના ભક્ત હોય તેને જેટલું દુઃખ થાય છે તે તુચ્છ પદાર્થને અર્થે ભગવાનની આજ્ઞા લોપવે કરીને થાય છે ને જેટલું સુખ થાય છે તે ભગવાનની આજ્ઞા પાળવે કરીને થાય છે.


📗 *_સ્વામીની વાતો_* 🗣
આ દેહે ભગવાનને ભજી લેવા, ને દેહ તો હમણાં પડશે, માટે આ તો વીજળીના ઝબકારામાં મોતી પરોવી લેવું, તેમ થોડામાં કામ કાઢી લેવું. ને કોઈ વાતનો મમત કે પક્ષપાત ન રાખવો; કાં જે, એમાં બહુ ભૂંડું થાય છે. ૬/૭૭

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
અમે એને જ હરિભક્ત જાણીએ છીએ કે, જે અમારાં (અમૃત-ઉપદેશ) વચન પાળે, ગમતામાં વર્તે, નાની-મોટી આજ્ઞાઓમાં વિશ્વાસ કરે. આજ્ઞા

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૪/૧૦/૧૯૮૦, યોગીજીમહારાજનું શ્રાદ્ધ, વાસણા, વાત-૩૨૨ 🔯
ખરેખરો ખેલ ખેલવાનો સમય આવ્યો. ખાંડાની ધાર પર જીવવાનો સમય આવ્યો. આત્મીયતા પ્રગટાવવાનો સમય આવ્યો. દેહના પડદાથી પર જવાનો સમય આવ્યો. ચૈતન્યભાવે અખંડ રહેવાનો સમય આવ્યો. 'હું' અને 'તું' ને એક બનાવવાનો સમય આવ્યો. 'એના સિવાય કોઈ ચીજ રાખવી નથી' એનો સમય આવ્યો. સારું-નરસું, ખરાબ-ખોટું, ગુણ-અવગુણ અહીંથી પ્રકૃતિપુરુષ સુધીનું બધું જ રાખ કરીને એની પર આસન કરીને પુરુષોત્તમનારાયણની મૂર્તિને સંભારવાનો સમય આવ્યો. પછી ખોવાનું કે પામવાનું ક્યાં બાકી રહ્યું? એને સળગાવવું જ છે. મારે 'તું' જોઈએ છે. એવી એક સર્વોચ્ચ સમર્પણમાં જવાની સુંદર તક આવી છે.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસ ના દાસ બનાવશોજી..* 🚼

🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

28 Nov, 02:47


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને તે સ્ત્રીઓની વાર્તા કયારેય ન કરવી અને ન સાંભળવી અને જે સ્થાનકને વિષે સ્ત્રીઓનો પગફેર હોય તે સ્થાનકને વિષે સ્નાનાદિક ક્રિયા કરવા ન જવું ૧૭૬

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૩૪: ભગવાને કળ ચઢાવ્યાનું
પરમેશ્વરના વચનને મૂકીને જ્યારે આડો-અવળો ડોલે છે ત્યારે ક્લેશને પામે છે અને જો વચનને વિષે રહે તો જેવો ભગવાનનો આનંદ છે તેવા આનંદમાં રહે છે, અને જેટલું જે ભગવાનનું વચન લોપે છે તેટલો તેને ક્લેશ થાય છે. માટે ત્યાગીને જે જે આજ્ઞા કરી છે તે પ્રમાણે ત્યાગીને રહેવું અને ગૃહસ્થને જે પ્રમાણે આજ્ઞા કરી છે તે પ્રમાણે ગૃહસ્થને રહેવું ને તેમાં જેટલો ફેર પડે છે તેટલો ક્લેશ થાય છે.

📗 *_સ્વામીની વાતો_* 🗣
આ શરીર તો માટીનો ઢગલો છે, તે સાજું હોય ત્યાં સુધી કીર્તન કે ભજન થાય. ને શનૈઃ શનૈઃ પંથાઃ જેમ રાજાના દીકરાને એક દિવસે ઝાઝું ખવરાવે તેમાં મોટો ન થાય ને રોજ ભૂખ પ્રમાણે ખવરાવે તો વધે. એમ જ્ઞાન પણ ધીરે ધીરે સમાગમથી થાય છે. ને જોગ વિના રસોઈ થાય નહીં, એમ જોગ વિના પ્રભુ ભજાય નહીં, ને જે વાતું સાંભળે તે વૃદ્ધિ પામે. ને ઝાઝું ખાય તો ઊંઘ ઝાઝી આવે, અને શું કાંઈ ખાઈ ખાઈને સૂઈ રહેવાને ભેળા થયા છીએ? તે આજ-કાલ, મહિને કે છ મહિને સાધુનો સમાગમ કર્યે છૂટકો છે. ૬/૬૭

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
આજ્ઞારૂપી દોર પર નજર રાખીને જે ચાલે તેની જીત થાય છે. આજ્ઞા

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૪/૧૦/૧૯૮૦, યોગીજીમહારાજનું શ્રાદ્ધ, વાસણા, વાત-૩૨૧ 🔯
ભક્તિનું સર્વોપરી લક્ષણ એ છે કે એમનાં મનુષ્યચરિત્ર સંપૂર્ણ ગમે અને એમાં તમે દિવ્યતા માનો અને સ્વપ્નમાંય સંકલ્પ ન ઊઠે કે આ આવું કેમ કરતા હશે? આવી રીતે કેમ વર્તતા હશે? એનું નામ પ્રભુની રસઘન મૂર્તિનાં દર્શન કર્યા કહેવાય!

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસ ના દાસ બનાવશોજી..* 🚼

🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

27 Nov, 02:56


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને વળી જે રજસ્વલા એવી જે સુવાસિની અને વિધવા સ્ત્રીઓ તે ત્રણ દિવસ સુધી કોઈ મનુષ્યને તથા વસ્ત્રદિક ને અડે નહિ ,અને ચોથે દિવસે નાહીને અડવું .(એવી રીતે ગૃહસ્થાશ્રમી એવા જે પુરુષ અને સ્ત્રીઓ તેમના જે આ વિશેષ ધર્મ કહ્યા તે સર્વે ધર્મ્વંશી આચાર્ય અને તેમની પત્નીઓ તેમણે પણ પાળવા ,કેમ ક એ ગૃહસ્થ છે )૧૭૪

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૩૩: મૂઢપણું, પ્રીતિ ને સમજણનું
એક જ સાધને કરીને ભગવાન રાજી થાય તે કહીએ તે સાંભળો જે, *ભગવાનનો જે દ્રઢ આશરો એ જ એક સર્વ સાધનમાં મોટું સાધન છે, તેણે કરીને ભગવાન રાજી થાય છે.* અને તે આશરો અતિ દ્રઢ જોઈએ, જેને વિષે કાંઈ પોલ રહે નહીં.

📗 *_સ્વામીની વાતો_* 🗣
એક જણે પ્રશ્ન પૂછ્યો જે, “ઠેઠ મહારાજ પાસે ને તમારી પાસે કેમ અવાય?” ત્યારે સ્વામી કહે, “મહારાજને પુરુષોત્તમ જાણે ને ભગવાનની આજ્ઞા પાળે તો અવાય.” ૬/૨૭

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
શ્રીહરિની આજ્ઞા અનુસાર મિતાહારી ભોજન લે છે તે નિત્ય ઉપવાસી છે. આજ્ઞા

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૪/૧૦/૧૯૮૦, યોગીજીમહારાજનું શ્રાદ્ધ, વાસણા, વાત-૩૧૮ 🔯
જે ટાઈમે જે વખતે જે યુગપુરુષ પૃથ્વી પર વિચરણ કરતા હોય એને શું ગમે છે? એની રુચીમાં પૂછ્યા કર્યા વગર ભળી જવું એ જ અષ્ટાંગયોગ, એ જ ધ્યાન, એ જ કોટિ તપ, એ જ કોટિ વ્રત, એ જ કોટિ જ્ઞાન, એ જ કોટિ યજ્ઞ. એક બાજુ કોટિ યજ્ઞ કરો અને એક બાજુ મોટાપુરુષનું વચન પડવા દો તો યજ્ઞનું ફળ મળે નહિ. એક બાજુ કરોડ માળા ફેરવો ને એક બાજુ મોટાપુરુષનું વચન પડવા દો કે ઉલ્લંઘી નાખો કે ઉપેક્ષા સેવો તો ભજનનું ફળ નહિ મળે.


*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસ ના દાસ બનાવશોજી..* 🚼

🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

26 Nov, 02:47


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને સુવાસિની ને વિધવા એવી જે સ્ત્રીઓ તેમણે વસ્ત્ર પહેર્યા વિના ન્હાવું નહિ , અને પોતાનું જે રાજ્સ્વ્લાપનું તે કોઈ પ્રકારે ગુપ્ત ન રાખવું .૧૭૩

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૩૨: માળા અને ખીલાનું
જેને ભગવાનનું ધ્યાન કરવું તેને અંતઃકરણના ઘાટને જોઈને કચવાઈ જવું નહીં ને અંતઃકરણના ઘાટને માનવા પણ નહીં, ને પોતાને ને અંતઃકરણને જુદું માનવું અને પોતાના આત્માને જુદો માનીને ભગવાનનું ભજન કરવું.

📗 *_સ્વામીની વાતો_* 🗣
જીવને ચાર ઘાંટી મેં વિચારી રાખી છે. તેમાં એક તો પુરુષોત્તમ જાણવા, બીજી સાધુ ઓળખવા, ત્રીજી પંચવિષયમાંથી પ્રીતિ ઊખેડવી ને ચોથી આ જીવ ને દેહ એક થઈ ગયો છે તેથી આત્મા નોખો સમજવો. તે એ ચાર ઘાંટી જબરી છે. તેમાં બેનું કામ ભારે છે. એક તો પંચવિષયમાંથી પ્રીતિ ઊખેડવી ને બીજી દેહથી જીવ નોખો જાણવો એ. ૬/૨૪

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
સ્ત્રી/પુરુષરૂપી માયા ભયંકર છે; ભગવાનની આજ્ઞામાં જે ભક્ત વર્તે છે, તેને એ માયા પીડતી નથી. આજ્ઞા

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૪/૧૦/૧૯૮૦, યોગીજીમહારાજનું શ્રાદ્ધ, વાસણા, વાત-૩૧૬ 🔯
*તને જે ગમે એટલું જ કરીને બેસી રહેવું છે. અભિપ્રાય પ્રમાણેની સેવા કરી લેવી છે. મોટાપુરુષને જે ટાઈમે જે વખતે જે ગમે એ પ્રમાણે વર્તવું એનું નામ સર્વોપરી સેવા.*

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસ ના દાસ બનાવશોજી..* 🚼

🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

25 Nov, 03:00


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને હોળીની રમત ન કરવી,અને આભૂસણઆદિકનું ધારણ ન કરવું ,અને સુવર્ણઆદિક ધાતુના તારે યુક્ત એવા જે ઝીણા વસ્ત્ર તેનું ધારણ પણ ક્યારેય ન કરવું ૧૭૨

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૩૨: માળા અને ખીલાનું
તમે સર્વે હરિભક્તને અમે પ્રશ્ન પૂછીએ છીએ જે, ‘જેમ વિમુખ જીવ ગ્રામ્ય પંચવિષયમાં બંધાણા છે ને તે વિષય વિના પળમાત્ર ચાલતું નથી, તેમ તમે ભગવાનની કથાવાર્તાનું જે શ્રવણાદિક તે રૂપી જે વિષય તેમાં દ્રઢપણે બંધાઈને એના વિષયી થયા છો કે નહીં?’ અને વળી બીજો પ્રશ્ન પૂછીએ છીએ જે, ‘જેમ પક્ષી ચારો કરીને પોતાના માળામાં આવે છે, તેમ તમે સર્વે ભગવાનની કથા-કીર્તનાદિકરૂપી ચારો કરીને પાછા ભગવાનના સ્વરૂપરૂપી માળામાં વિરામ કરો છો? કે બીજે જ્યાં-ત્યાં વિરામ કરો છો? અને વળી જેમ ધણિયાતું ઢોર હોય તે સીમમાં ચરીને સાંજે પોતાને ખીલે આવે છે અને જે હરાયું ઢોર હોય તે ખીલે આવે નહીં અને જેનું-તેનું ખેતર ખાઈને જ્યાં-ત્યાં બેસી રહે, પછી કોઈક ધોકા મૂકે કાં વાઘ આવે તો મારે, તેમ તમે તે ધણિયાતા ઢોરની પેઠે પોતાને ખીલે આવો છો? કે હરાયા ઢોરની પેઠે કોઈનું ખેતર ખાઈને જ્યાં-ત્યાં બેસીને વિરામ કરો છો?’ એ સર્વે પ્રશ્નનો ઉત્તર પોતાના અંતરમાં વિચારીને મોટા મોટા હો તે કરો.”

📗 *_સ્વામીની વાતો_* 🗣
“આ દેહ ધર્યો છે તેણે કરીને તો ભગવાન ભજી લેવા. ને આ ભરતખંડમાં મનુષ્યદેહ કાંઈ થોડા પુણ્યે આવતો નથી. તે દેવતા પણ કહે છે જે, ‘અહો અમીષાં.’” એ શ્લોક બોલીને કહે જે, “એમ દેવતા પણ ઇચ્છે છે. તે મળ્યો ને વળી ભગવાન ને ભગવાનના સંત મળ્યા એ કાંઈ થોડી પ્રાપ્તિ નહીં. જુઓને, દસ કે વીસ લાખ રૂપિયા હશે તે કાંઈ ભેળા નહીં આવે ને રૂપિયાવાળાને પણ એક શેર ઉપરાંત ખવાતું નથી ને જેને રૂપિયા ન હોય તેને પણ તેટલું જ ખવાય. માટે જોઈએ તેટલું ને કામ આવે તેટલું પેદા કરવું એ ઠીક છે.” ૬/૧૬

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
સમાધિનિષ્ઠ હોય, બ્રહ્મવેતા હોય, પણ જો નિયમ અને નિશ્વયમાં (આજ્ઞા-ઉપાસનામાં) શિથિલ વર્તે તો તેને અસુર અને વિમુખ જાણવો. આજ્ઞા

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૪/૧૦/૧૯૮૦, યોગીજીમહારાજનું શ્રાદ્ધ, વાસણા, વાત-૩૧૪ 🔯
આ જાન નથી. જાન વ્યવહાર કહેવાય. આ એકતાનો સત્સંગ છે. સંતો હરિભક્તોમાં ઓતપ્રોત થઈ જાય અને હરિભક્તો સંતોમાં ઓતપ્રોત થઈ જાય એનું નામ સત્સંગ. સાધુ હરિભક્તોનું ખમે ને હરિભક્તો સાધુનું ખમે એનું નામ સત્સંગ છે. સાધુ હરિભક્તો આગળ સરળ થાય હરિભક્તો સાધુ આગળ સરળ થાય એવી કો'ક સરળતા માટે આપણે ભેગા થયા છીએ. પછી એની છાતીમાં બેસી જઈશું. એની મસ્તી ને એનો આનંદ એવો છે કે પછી તો તમે ગાંડા થઈ જશો! એટલે પહેલી ભાવના એ કે સેવક થઈને જીવવું છે.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસ ના દાસ બનાવશોજી..* 🚼

🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

24 Nov, 02:55


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને યુવાન અવસ્થાને વિષે રહી એવી જે વિધવા સ્ત્રીઓ તેમને યુવાન અવસ્થાવાળા જે પોતાના સંબંધી પુરુષ તેમની સંગાથે પણ એકાંત સ્થળને વિષે આપત્કાળ પડ્યા વિના ન રહેવું. ૧૭૧

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૩૨: માળા અને ખીલાનું
જેમ પક્ષી હોય તે પોતાના માળાને મૂકીને ચરવા નીકળે છે તે ચારો કરીને રાત્રિ સમે પોતપોતાના માળામાં જઈને વિરામ કરે છે, પણ પોતપોતાના સ્થાનકને કોઈ દિવસ ભૂલીને બીજાને સ્થાનકે જતાં નથી; તેમ ભગવાનના ભક્ત છે તે ભગવાનની કથા, કીર્તન, શ્રવણાદિક એવો જે ચારો તેને ચરીને પોતાનો માળો જે ભગવાનનું સ્વરૂપ તેમાં જઈને વિરામ કરે છે. અને વળી પશુ-પક્ષી સર્વે જીવ જેમ પોતપોતાનો ચારો કરીને પોતપોતાને સ્થાનકે જઈને વિરામ કરે છે, તેમ મનુષ્ય પણ જે જે કાર્ય હોય તેને અર્થે દેશ-વિદેશ જાય છે, પણ પોતાને ઘેર આવે છે ત્યારે નિરાંત કરીને બેસે છે.

📗 *_સ્વામીની વાતો_* 🗣
કામ, ક્રોધ, માન, ઈર્ષા ને દેહાભિમાન એ સર્વે મૂકશે ત્યારે ભગવાન ને ભગવાનના સાધુ રાજી થાશે. ૬/૧૪

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
અમારે એક એક સંત દ્વારા અનંત જનનો મોક્ષ કરવો છે. અક્ષરપતિ અવિનાશી અમે પોતે અનંત શક્તિના ધરનારા આજે મોક્ષના દ્વાર રૂપે પ્રગટ છીએ. આજે હેતે કરીને તમને પોતાની વાત કરીએ છીએ. પ્રકરણ-૨૧: પ્રગટ

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૨૭/૦૯/૧૯૮૦, શાસ્ત્રીજીમહારાજનો શ્રાદ્ધદિન, હરિધામ, વાત-૩૧૩ 🔯
કોઈ બોલાવે ન બોલાવે, પણ ભગવાને ગ્રહણ કર્યા એ ઓછું છે? યોગીજીમહારાજે આપણને ધબ્બો માર્યો એ ઓછું છે? યોગીજીમહારાજે આપણને સ્વીકાર્યા, યોગીજીમહારાજ આપણને ભેટ્યા એ ઓછું છે? માન મળે તોય તારા ચરણે. અપમાન મળે તોય તારા ચરણે. તટસ્થભાવે, સેવકભાવે જીવવાની સૂઝ યોગીજીમહારાજે આપણને આપી છે. પ્રભુ આપણને સામેથી મળે, આનંદ કરાવે, બહુ થઈ ગયું. નહિ જેવા સામાન્ય પ્રસંગો આપણા જીવનમાં બને. ત્યારે આનંદમાં જ રહેવાનું.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસ ના દાસ બનાવશોજી..* 🚼

🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

24 Nov, 02:54


📚 આજ નો સ્વાધ્યાય 📚 pinned «※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※ 🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕 📜 *શિક્ષાપત્રી* ✍🏻 અને અમારે આશ્રિત એવા જે સત્સંગી બાઈ ભાઈ સર્વ તેમના જે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ તે જે તે સંક્ષેપે કરીને આવી રીતે અમે લખ્યા છે .અને આ ધર્મનો જે વિસ્તાર તે તો અમારા સંપ્રદાયના જે ગ્રંથ તે…»

📚 આજ નો સ્વાધ્યાય 📚

23 Nov, 02:50


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને ગર્ભની પાડનારી જે સ્ત્રીઓ તેનો સંગ ન કરવો, ને તેનો સ્પર્શ પણ ન કરવો, અને પુરુષના શૃંગાર રસ સંબંધી જે વાર્તા તે ક્યારેય ન કરવી અને ન સંભાળવી. ૧૭૦

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૩૨: માળા અને ખીલાનું
આ સંસારમાં જે વિષયી જીવ હોય તે પંચવિષય વિના રહી શકે નહીં, તે જેમ એ વિમુખ જીવને પંચવિષય છે તેમ હરિજનને પણ પંચવિષય છે, પણ તેમાં ભેદ છે. તે ભેદ કેમ છે? તો વિષયી જીવ તો ભગવાન વિના અન્ય જે ગ્રામ્ય વિષય તેને ભોગવે છે, અને ભગવાનના ભક્ત છે તેને તો ભગવાનની કથા સાંભળવી તે જ શ્રોત્રનો વિષય છે, અને ભગવાનનાં ચરણારવિંદનો સ્પર્શ કરવો અથવા સંતના ચરણની રજનો સ્પર્શ કરવો તે ત્વચાનો વિષય છે, અને ભગવાનનાં અથવા સંત તેનાં દર્શન કરવાં તે નેત્રનો વિષય છે, અને ભગવાનનો પ્રસાદ લેવો તથા ભગવાનના ગુણ ગાવવા તે જીભનો વિષય છે, અને ભગવાનને ચડ્યાં એવાં જે પુષ્પાદિક તેની સુગંધી લેવી તે ઘ્રાણનો વિષય છે, એવી રીતે વિમુખ અને હરિભક્તના વિષયમાં ભેદ છે.

📗 *_સ્વામીની વાતો_* 🗣
બાજરો ભેળો કરીને ભગવાન ભજવા, બીજું કાંઈ ડોળ કર્યે પાર નહીં પડે અને રૂપિયા હશે તે મરી જાશું ત્યારે પડ્યા રહેશે, એ કાંઈ ઝાઝા કામના નહીં, જેટલા અવશ્ય જોઈએ તેટલા ભેળા કરીને ભજન કરવું ને ઝાઝા હશે તો ક્યાંઈના ક્યાંઈ ઊડી જશે ને મૂળગી વાસના રહેશે. ૬/૩


📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
પ્રગટનું ધ્યાન-ભજન, કથાવાર્તા-કીર્તન, સ્મરણ કરવું. અનેક પ્રકારે તેની પૂજા કરવી. જેને સત્સંગ થયો છે તેને આ પ્રકારે પ્રગટનો સંગ કદી છૂટતો નથી. જેટલું ભગવાનનું વિસ્મરણ એટલો તેને કુસંગ જાણવો. એ કુસંગ ન લાગે તેનો ભય સદા રાખવો. પ્રકરણ-૨૧: પ્રગટ

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૪/૧૦/૧૯૮૦, યોગીજીમહારાજનું શ્રાદ્ધ, વાસણા, વાત-૩૧૨ 🔯
પ્રભુની ગોદમાં બેસવું સહેલું છે પણ સેવક થવું અઘરું છે. આપણે ખરેખરા સેવક થવા આવ્યા છીએ. ભગવાનના તો છીએ જ. કો'કને બે માણસ માનતા હશે, કો'કને પાંચ. સરપંચ ભગવાન જ કહેવાય ને! ન ખીલે ને ન કરમાય એનું નામ સેવક. મારું સારુંય તારા ચરણે છે. મારું નકામુંય તારા ચરણે છે પ્રભુ! તું સ્વીકારજે. તમે સોખડા આવ્યા ને સંતો પાણી આપવાનું ભૂલી ગયા એટલે તોબરો ચડાવવાની જરૂર છે એમ? તમારું મંદિર છે લઈ લો! શાના પટલ થાવ છો? મંદિર આપણું છે. આપણે રસબસ થઈને જીવવું છે.


*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસ ના દાસ બનાવશોજી..* 🚼

🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

22 Nov, 02:49


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને તે વિધવા સ્ત્રીઓ તેમને સુવાસિની સ્ત્રીઓના જેવો વેશ ન ધારવો, તથા સંન્યાસણી તથા વેરાગીણી તેના જેવો વેશ ન ધારવો અને પોતાના દેશ, કુળ અને આચાર તેને વિરુદ્ધ એવો જે વેશ તે પણ ક્યારેય ન ધારવો. ૧૬૯

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૩૧: નિશ્ચય વડે મોટ્યપનું
આજ જે સર્વ હરિભક્ત છે તે એમ સમજે છે જે, ‘અક્ષરાતીત એવા જે ભગવાન પુરુષોત્તમ તે અમને પ્રત્યક્ષ મળ્યા છે અને અમે કૃતાર્થ થયા છીએ.’ એમ સમજીને પ્રત્યક્ષ ભગવાનની આજ્ઞામાં રહ્યા થકા તે ભગવાનની ભક્તિ કરે છે. માટે એવા જે હરિભક્ત તેનો કાંઈક દેહસ્વભાવ જોઈને તેનો અવગુણ લેવો નહીં અને જેને અવગુણ લીધાનો સ્વભાવ હોય તેની તો આસુરી બુદ્ધિ થઈ જાય છે.

📗 *_સ્વામીની વાતો_* 🗣
“ઉત્તમ પુરુષ સેવ્યા હોય પછી તેને બીજાની વાતે એવું સુખ ન આવે, તેને કેમ કરવું?” ત્યારે સ્વામી કહે, “એવાની વાત સાંભળી હોય તેને ધારે, વિચારે ને બાકી બીજાથી પણ ઘટે એટલું ગ્રહણ કરે એમ કરીને ગુજરાન કરે. બાકી મોટા તેનું પોષણ કરે.” ૫/૪૦૬

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
સાધુ, બ્રહ્મચારી, પાળા તમે સૌ અમારા કહેવાવ છો, એટલે તમારા સુખ માટે અમે આ તમને વિવેક શીખવીએ છીએ. જો આ પ્રમાણે નહિ વર્તો તો તમારી મોટપ  રહેશે નહિ. જે દિવસે અદબ ચુક્યા, તે દિવસે સામાન્ય ભેખ જેવા પણ નહિ રહો.  પ્રકરણ-૨૦: ત્યાગી સાધુ

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૪/૧૦/૧૯૮૦, યોગીજીમહારાજનું શ્રાદ્ધ, વાસણા, વાત-૩૧૧ 🔯
'વાણી અમૃતથી ભરી...' આ શ્લોકને ભૂલીએ નહિ. બહુ વાણી મીઠી રાખવી. નીતરતી, નિર્મળ, ભક્તિવાળી રાખવી અને ત્યાં આગળ ખરેખર ભજન કરવું પડશે, પ્રાર્થના કરવી પડશે. જેનો જીવ બળને પામે એની વાણી જ મીઠી હોય. છીછરા માણસની વાણી શું મીઠી હોય? અમથો અમથો છલકાય જાય. ડોળ, ડહાપણ, દેખાવ કરતો હોય એની શું વાણી મીઠી હોય? શક્ય જ નથી.


*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસ ના દાસ બનાવશોજી..* 🚼

🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

21 Nov, 01:42


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને તે વિધવા સ્ત્રીઓ તેમને પોતાના ઘરમાં પોતાના જીવનપર્યત દેહ્નીર્વાહ થાય એટલું જ જો ધન હોય તો તે ધન જે તે ધર્મકાર્યને વિષે પણ ન આપવું અને જો તેથી અધિક હોય તો આપવું. ૧૬૭

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૩૧: નિશ્ચય વડે મોટ્યપનું
*મોટ્યપ તો પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચયે કરીને તથા તે ભગવાનની આજ્ઞાને વિષે વર્તવે કરીને છે. અને એ બે વાનાં જેને ન હોય ને તે ગમે તેવો વ્યવહારે કરીને મોટો હોય તો પણ એ નાનો જ છે.*

📗 *_સ્વામીની વાતો_* 🗣
*આ લીધું ને આ લેવું છે, આ દીધું ને આ દેવું છે, આ કર્યું ને આ કરવું છે, આ ખાધું ને આ ખાવું છે, આ જોયું ને આ જોવું છે, એ આદિક અનેક વાતું ખૂટે તેમ નથી. માટે એમાંથી નિવૃત્તિ પામીને પરમેશ્વરને ભજી લેવા.* ૫/૪૦૫

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
અમારો અને મોટા મોટા સંતનો જે ડર રાખે છે તેના પર અમે પ્રસન્ન થઈએ છીએ. મોટા સંત અને મોટા હરિભક્તો સભામાં જેને પ્રમાણ કરે તેને અમે પૂરા સંત માનીએ છીએ. જે સંતો સરલ સ્વભાવે વર્તે અને કોઈની સાથે દાવ બાંધે નહિ તે અમને ગમે છે. જે સંત પોતાના કરતાં એક દિવસ પણ આગળ દીક્ષા લીધી હોય તેની અદબ રાખવી. એ ગુણે કરીને દીન વર્તતા હોય તો પણ તે મોટા છે એમ જાણી તેની સાથે વિવાદ ન કરવો. આમન્યા રાખવી. પ્રકરણ-૨૦: ત્યાગી સાધુ

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૪/૧૦/૧૯૮૦, યોગીજીમહારાજનું શ્રાદ્ધ, વાસણા, વાત-૩૧૦ 🔯
દુનિયામાં કોઈ નાસ્તિક નથી. એક યા બીજી રીતે બધા જ પ્રભુને સંભારે છે. હવે અવસર આવ્યો છે ખરેખરા દીકરા થવાનો. ભગવાનની ગોદમાં રહેવું, ભગવાનની સેવા કરવી, ભગવાન કહે એમ કરવું એ ચીજ જુદી છે. ભગવાનના ગમતામાં વર્તી એની છાતીમાં બેસવું એ કો'ક ચીજ જુદી છે.


*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસ ના દાસ બનાવશોજી..* 🚼

🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

20 Nov, 03:09


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને ધાવનો જે બાળક તેના સ્પર્શને વિષે તો જેમ પશુને અડી જવાય અને દોષ નથી તેમ દોષ નથી, અને કોઈ અવશ્યનું કામકાજ પડે તેને વિષે કોઈક વૃદ્ધ પુરુષને અડી જવાય, તથા તે વૃદ્ધ સાથે બોલાય તેને વિષે દોષ નથી.૧૬૫

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૩૦: ઘાટના ડંસ બેઠાનું
જેને રજોગુણ સંબંધી મલિન ઘાટ ટાળવા હોય તેને મન-કર્મ-વચને નિષ્કપટપણે સત્સંગ કરવો, તો સત્સંગના પ્રતાપથી એ ઘાટની નિવૃત્તિ થઈ જાય છે.

📗 *_સ્વામીની વાતો_* 🗣
રાત્રિએ વાત કરી જે, “વહેવાર બહુ વધી ગયો તેણે અંતર ઉઝરડાઈ જાય છે. જેમ ટોપરું ખમણીએ કરીને ઉઝરડાય છે તેમાં ટોપરાનો આકાર રહેતો નથી, તેમ ઉઝરડાઈ જાય છે. વળી, વહેવાર છે તો નિર્ગુણ એમ પણ થઈ જાય છે, ને જ્ઞાન તો એક આનો થાય છે ને પંદર આના વહેવાર થાય છે; પણ નિરંતર વાતું થાય તો આંહીં રહ્યા અક્ષરધામ મૂર્તિમાન દેખાય ને સુખ આવે. પણ આ વાત બોલાય એવી નથી, આ તો રાત છે તે બોલી ગયા. માટે કરવાનું તો સારા મોટા એકાંતિક સાધુનો સંગ જ છે.” ૫/૪૦૪

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
કચ્છમાં કાળાતળાવ ગામે શ્રીહરિ બધા સંતોને મળ્યા અને કહેવા લાગ્યા, 'અમારે તમારા દ્વારા કેટલાંય કામ કરવાં છે. તમે અમારા કલ્પવૃક્ષ સમાન છો. તમારાથી મને કોઈ અધિક પ્રિય નથી. તમે અમારા પ્રિય છો એમ જાણીને અમને જે વાત ગમે છે તે તમને કહીએ છીએ. તેનાથી તમારી કીર્તિ વધશે. કીર્તિ પામીને મરવું તે શ્રેષ્ઠ છે પ્રકરણ-૨૦: ત્યાગી સાધુ

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૨૭/૦૯/૧૯૮૦, શાસ્ત્રીજીમહારાજનો શ્રાદ્ધદિન, હરિધામ, વાત-૩૦૯ 🔯
*યોગીજીમહારાજ કહેતા કે જેને જય સ્વામિનારાયણ કહીએ એને વિશે એવો ભાવ રાખવો કે, આ સ્વામીસ્વરૂપ છે, નારાયણ એમાં અખંડ રહ્યા છે, એવા ભાવથી એને બોલાવવા. ખાલી 'જે જે' ના કરવું. યોગીબાપા એવું શીખવાડતા.*


*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસ ના દાસ બનાવશોજી..* 🚼

🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

19 Nov, 03:34


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને તે વિધવા સ્ત્રીઓ તેમને પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તેમનો સ્પર્શ ક્યારેય ન કરવો, અને પોતાની યુવાવસ્થાને વિષે અવશ્ય કાર્ય વિના સમીપ સંબંધ વિનાના જે યુવાન પુરુષ તેમની સાથે ક્યારેય પણ બોલવું નહિ. ૧૬૪

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૩૦: ઘાટના ડંસ બેઠાનું
જો નિષ્કપટપણે કરીને સત્સંગ કરે ને પરમેશ્વરની વાર્તાને ધારે-વિચારે તો એ મલિન ઘાટનો નાશ થાય છે, માટે સત્સંગનો પ્રતાપ તો અતિશય મોટો છે. અને બીજાં સાધન છે તે કોઈ સત્સંગ તુલ્ય થાય નહીં; કાં જે, કોઈ સાધને કરીને જે ઘાટની નિવૃત્તિ નથી થતી તેની નિવૃત્તિ સત્સંગમાં થાય છે.

📗 *_સ્વામીની વાતો_* 🗣
નિવૃત્તિ માર્ગમાં ત્યાગી ખાટ્યા ને ભગવાન રાખવામાં ગૃહસ્થ ખાટ્યા. તે શું જે, ત્યાગીને બેઠાં બેઠાં જમવાનું મળે, પદાર્થ મળે ને કાંઈ કરવું ન પડે; ને ગૃહસ્થને પ્રગટ ભગવાનનું સ્વરૂપ જેમ છે તેમ સમજાણું તેથી ગૃહસ્થ ભગવાન રાખવામાં ખાટ્યા છે. ૫/૪૦૧
(ગુણાતીતાનંદ સ્વામી સમજાવે છે કે જો કોઈ ત્યાગી જાણપણું ચૂકી જાય તો નિવૃત્તિમાર્ગમાં બંધાઈ રહે છે, પરંતુ પ્રગટ ભગવાનનો આનંદ ભોગવી શકે નહીં. અને જે ગૃહસ્થ ભક્તો ભગવાનનો યથાર્થ મહિમા સમજે છે તેઓ પ્રગટ ભગવાનના આનંદમાં અલમસ્ત રહી શકે છે.)


📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
અસુરો ઉત્પાત કરે તો પણ સહન કરવું એ સંતોનો સનાતન ધર્મ છે. શાસ્ત્રમાં તે લખેલો છે, પણ આજ સુધી યથાર્થ રહ્યો નથી, તે અમારો પ્રગટ કરવો છે. અસુરે ધર્મ તોડવાની ટેક લીધી છે. તેમને શસ્ત્ર વિના સાધુતાના વર્તનથી જીતવા છે. અગ્નિ ફાવે તેવો ભયંકર હોય, પણ પ્રમાણમાં વધુ જળ હોય તો ક્ષણ થઈ જાય છે. માટે સંતોએ આકાશ અને નીર સમાન ગુણ રાખવા. દત્તાત્રેયની પેઠે સૌ સાધુઓએ સર્વત્ર શુભ ગુણો ગ્રહણ કરવા, જેથી શુભ ગુણ આવે અને અપકીર્તિ નાશ પામે. પ્રકરણ-૨૦: ત્યાગી સાધુ

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૨૭/૦૯/૧૯૮૦, શાસ્ત્રીજીમહારાજનો શ્રાદ્ધદિન, હરિધામ, વાત-૩૦૮ 🔯
આજે શાસ્ત્રીજીમહારાજનો શ્રાદ્ધદિન ધામધૂમથી ઊજવ્યો. મોટાપુરુષને કોઈ શ્રાદ્ધ હોય નહિ. એ ચીદાકાશનું સ્વરૂપ છે. એને જન્મ-મરણ જ ના હોય તો શ્રાદ્ધ ક્યાંથી! એ લાખ્ખોનું જન્મ-મરણ કાઢવા આવ્યા છે તો એમનું ક્યાંથી શ્રાદ્ધ હોય! એ શ્રાદ્ધ આપણે ઊજવીએ છીએ એની પાછળની ભક્તિ અદા કરવા માટે. જેના ફળસ્વરૂપે એકાકાર થવાય. એના સંબંધે આપણો છેલ્લો સબંધ થયો તો આપણું શ્રાદ્ધ જ ના હોય તો એમનું શ્રાદ્ધ તો ક્યાંથી હોય!

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસ ના દાસ બનાવશોજી..* 🚼

🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

18 Nov, 02:56


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
(હવે વિધવા સ્ત્રીઓના વિશેષ ધર્મ તે કહીએ છીએ.) અમારે આશ્રિત જે વિધવા સ્ત્રીઓ તેમને તો પતિબુદ્ધિએ કરીને શ્રી કૃષ્ણ ભગવાનને સેવવા અને પોતાના પિતા પુત્રાદિક જે સંબંધી તેમની આજ્ઞાને વિષે વર્તવું, પણ સ્વતંત્રપણે ન વર્તવું. ૧૬૩

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૩૦: ઘાટના ડંસ બેઠાનું
સત્સંગમાં જે ભગવાનની વાર્તા થાય તેને ધાર્યા-વિચાર્યા કરે તો આ સત્સંગનો પ્રતાપ એવો છે જે, જે ગુણના ઘાટ થતા હોય તે ઘાટની તેને નિવૃત્તિ થઈ જાય છે અને નિરુત્થાન થઈને અખંડ પરમેશ્વરના સ્વરૂપનું ચિંતવન થાય છે.

📗 *_સ્વામીની વાતો_* 🗣
જન્મ થયા મોર શાદી ક્યાંથી લખાય? તેમ પુરુષોત્તમ આવ્યા નહોતા તેની વાત શાસ્ત્રમાં ક્યાંથી લખાણી હોય? ૫/૩૯૯

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
સત્સંગી એને જ જાણવો જે પોતાનું ધન સંત અર્થે કરી રાખે. ત્યાગી એ સાચો કે જે સ્ત્રી-ધનનો ત્યાગ રાખે. સંસાર થકી ઉદાસ હોય. બીજાને અર્થે અન્ન-વસ્ત્ર અને દેહનો પણ ત્યાગ કરી દે. હરિને રીઝવવા પંચ ઇન્દ્રિયોના સ્વાદનો ત્યાગ કરે, તેને કેવળ ભગવાન સંબંધી જ પંચવિષય હોય. નિષ્કામાદી પંચવર્તમાન દ્રઢ પાળે ને તેના પાલનનું ફળ પણ ભગવાનનો સ્નેહ થાય એ જ છે એમ સમજે. હરિ વિના બીજા સુખને ઈચ્છે જ નહિ. એવા ભક્તને હરિ અનંત સુખ આપે છે. ભગવાનનું સુખ અપાર છે, તે કોઈના કળ્યામાં આવતું નથી. ભગવાનના આકારે જ્યારે દ્રષ્ટિ થાય છે ત્યારે એ સુખનો અનુભવ થાય છે. પ્રકરણ-૨૦: ત્યાગી સાધુ

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૨૭/૦૯/૧૯૮૦, શાસ્ત્રીજીમહારાજનો શ્રાદ્ધદિન, હરિધામ, વાત-૩૦૭ 🔯
તમે બધા જ સમકક્ષાના સેવકના સેવક થઈ જાવ, બસ. આધ્યાત્મિક ઈતિહાસના પાને અઘરામાં અઘરી ચીજ આ છે. મારાથી ગુણે કરીને મોટો હોય એનો તો હું સેવક થવાનો જ છું. મારાથી ગુણે કરીને નાનો હોય એની પાસે તો હું અપેક્ષા રાખવાનો નથી. પણ મારી સરખે સરખો હોય ત્યાં તો આપણું મશીન ફાટી જાય. એકને કાગળ લખુ અને એકને ના લખું તો ખલાસ થઈ જાય. અથવા એકને જ બોલાવ્યા કરું અને બીજાને ના બોલવું તો મશીન ખરાબ થઈ જાય. વિચારવા જેવી વાત છે. દસ-પંદર જણા બેઠા હોય અને આના એકના જ સામું જોયા કરું તો ઈર્ષા તો જાગે જ. માનના સંકલ્પો તો ઉઠે જ. એટલે સમકક્ષાના ભેરુનું ગમે તો બધું જ ગમે. ત્યાં એટલો જ વિચાર કરવાનો છે કે ચિદાકાશના એ ચૈતન્ય સ્વરૂપની પ્રીતિમાં કોઈ ભેદભાવ નથી. જો એના પ્રેમમાં જ ભેદભાવ આવ્યો તો પ્રભુમાં પ્રકૃતિ આવી કે ના આવી? તો એને ગોખવું પડશે. સમકક્ષાના ભેરુમાં કેવળ તું છું. તારા સિવાય કોઈ ચીજ નથી. તારે કોઈ વહેરો-આંતરો નથી. એ પ્રભુનું ચરિત્ર દિવ્ય માન્યું કહેવાય.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસ ના દાસ બનાવશોજી..* 🚼

🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

17 Nov, 02:50


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને સુવાસિની સ્ત્રીઓ તેમને પોતાનો પતિ પરદેશ ગયે સતે આભૂષણ ન ધારવા, ને રૂડા વસ્ત્ર ન પહેરવાं અને પારકે ઘેર બેસવા ન જવું અને હાસ્ય વિનોદાદિકનો ત્યાગ કરવો. ૧૬૨

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૨૯: ધર્માદિકનું બળ વૃદ્ધિ પામ્યાનું; પ્રારબ્ધ, કૃપા અને પુરુષપ્રયત્નનું
અતિ શુદ્ધભાવે કરીને પ્રસન્ન થયા જે ભગવાન તેની ઇચ્છાએ કરીને તથા તે ભગવાનને વરદાને કરીને અથવા અતિ શુદ્ધભાવે કરીને પ્રસન્ન થયા જે ભગવાનના એકાંતિક સાધુ તેના વરદાને કરીને જે રૂડી બુદ્ધિ થાય તેને ભગવાનની કૃપા જાણવી. અને રૂડા સાધુનો સંગ કરે ને પોતે પોતાને વિચારે કરીને જે સારો થાય તેને તો પુરુષપ્રયત્ન કહીએ.

📗 *_સ્વામીની વાતો_* 🗣
*“બોલવું તો ઘટે તેમ, પણ સમજવું તો ખરું.”* ૫/૩૯૬
(ગુણાતીતાનંદ સ્વામીના કહેવાનું તાત્પર્ય એ છે કે પરબ્રહ્મ અને અક્ષરબ્રહ્મ સત્પુરુષ એવા ગુરુનો મહિમા જેમ છે તેમ સમજવો, પરંતુ કહેવામાં વિવેક રાખવો.)

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
જેને જેટલો દ્રઢ નિશ્ચય હોય, તેને તેટલો સત્સંગનો કેફ વર્તે. ગૃહત્યાગ કરવો તે મરવાથી પણ કઠણ છે, પરંતુ ભગવાનને બધાથી પર સર્વોપરિ જાણે તેને કંઈ કઠણ નથી. પ્રકરણ-૨૦: ત્યાગી સાધુ

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૨૭/૦૯/૧૯૮૦, શાસ્ત્રીજીમહારાજનો શ્રાદ્ધદિન, હરિધામ, વાત-૩૦૫ 🔯
*આપણે સાથે મળીને કામ કરવાનું છે. ભેગા મળીને કામ કરવાનું છે. કોઈનું જોયા કર્યા સિવાય કામ કરવાનું છે. સંપીને જ કામ કરવાનું છે. ફરજ નહિ ભક્તિ છે એમ માનીને કામ કરવાનું છે. ભક્તિ નહિ પ્રાણ છે એમ માનીને કામ કરવાનું છે. ભક્તિનું આગળ કોઈ તત્વ હોય તો પરાભક્તિ છે.*

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસ ના દાસ બનાવશોજી..* 🚼

🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

16 Nov, 05:21


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને પતિવ્રતા એવી જે સુવાસિની સ્ત્રીઓ તેમને પોતાની નાભી, સાથળ અને છાતી તેને બીજો પુરુષ દેખે એમ ન વર્તવું, અને ઓઢ્યાના વસ્ત્ર વિના ઉઘડે શરીરે ન રહેવું, અને ભીંડ ભવાઈ જોવા ન જવું, અને નિર્લ્લ્જ એવી જે સ્ત્રીઓ સ્વૈરીણી, કામિની અને પુંશ્વલી એવી જે સ્ત્રીઓ તેમનો સંગ ન કરવો. ૧૬૧

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૨૯: ધર્માદિકનું બળ વૃદ્ધિ પામ્યાનું; પ્રારબ્ધ, કૃપા અને પુરુષપ્રયત્નનું
જો પવિત્ર દેશ હોય, પવિત્ર કાળ હોય અને તમ જેવા સંતનો સંગ હોય ત્યાં ક્રિયા રૂડી જ થાય અને જો સિંધ જેવો ભૂંડો દેશ હોય તથા ભૂંડો કાળ હોય તથા પાતર્યો ને ભડવા અથવા દારૂ-માંસના ભક્ષણ કરનારા તેનો સંગ થાય તો ક્રિયા પણ ભૂંડી જ થાય. માટે પવિત્ર દેશમાં રહેવું અને ભૂંડો કાળ વર્તતો હોય ત્યાંથી આઘુંપાછું ખસી નીસરવું, અને સંગ પણ પ્રભુના ભક્ત અને પંચ વર્તમાને યુક્ત એવા જે બ્રહ્મવેત્તા સાધુ તેનો કરવો, તો હરિભક્તને પરમેશ્વરની જે ભક્તિ તેનું બળ અતિશય વૃદ્ધિ પામે;

📗 *_સ્વામીની વાતો_* 🗣
સાધુતાના ગુણ હોય તેવો ગૃહસ્થ પણ સાધુ કહેવાય, પણ લૂગડાં રંગેલાં તેણે કરીને સાધુ ન કહેવાય. ૫/૩૯૪

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
અમારી રીત અટપટી છે, તે તમને નહિ સમજાય. અમારા શરણે જે કોઈ આવે છે તેને અમે ક્યારેય દુઃખ પડવા દેતા નથી. તેમાં સંતો તો અમારા પરમ નિધિ છે. સંતથી મોટું કોઈ નથી, પણ દેહનું જતન કરવામાં ભગવાનને ભૂલી જાય ને વિષયમાં પ્રીતિ કરે ત્યારે અમને દુઃખ થાય છે. મનુષ્યમાત્રને સર્વ પાપનું મૂળ કારણ આ દેહ છે. દેહમાં આસક્તિ ત્યારે ન રહે જ્યારે તપમાં રુચિ થાય. ને વિષયનો અનાદર થાય ત્યારે તપમાં રુચિ થાય છે. ભગવાનની મૂર્તિ અંતરમાં ધારીને અત્યંત કષ્ટ આપે તેની સહાય અમે કરીએ છીએ. રુચિ શુદ્ધ હોય તો સહાય કરીએ. નહિ તો કોટી કલ્પ સુધી જપ-તપ કરે તો પણ જન્મ-મરણ ન ટળે. પ્રકરણ-૨૦: ત્યાગી સાધુ

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૨૭/૦૯/૧૯૮૦, શાસ્ત્રીજીમહારાજનો શ્રાદ્ધદિન, હરિધામ, વાત-૩૦૪ 🔯
સમર્પણ ઘણા પ્રકારનું પણ સર્વોચ્ચ સમર્પણ.
પહેલું સમર્પણ છે- સ્થૂળ. મારું છે એ તારું. બીજું સમર્પણ છે- હું જે કાંઈ કરું છું એ તું છે. તારે લઈને હું છું. જોનાર તું, ખાનાર તું, પીનાર તું, ચાલનાર તું. ત્રીજું સમર્પણ છે- તારા બળે, જે કંઈ સુખીયો છું એ તારે લઈને છું. મારું કાંઈ નથી. મારે તને સંભારવાના છે અને સ્વીકારવાના છે. સમર્પણ સર્વોપરી બનાવવું છે. સમર્પણને દિવ્ય બનાવવું છે.


*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસ ના દાસ બનાવશોજી..* 🚼

🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

15 Nov, 03:10


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને *તે સુવાસિની સ્ત્રીઓ તેમને રૂપ અને યૌવન તેને યુક્ત અને ગુણવાન એવો જે અન્ય પુરુષ તેનો પ્રસંગ સહજ સ્વભાવે પણ ન જ કરવો.* ૧૬૦

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૨૮:અર્ધબળ્યા કાષ્ઠનું, વધવાઘટવાનું
સત્સંગમાં જેને વધારો થવાનો હોય તેને શુભ વાસના વૃદ્ધિ પામે છે ત્યારે તેને દિવસે દિવસે સત્સંગીમાત્રનો હૈયામાં ગુણ જ આવે અને સર્વ હરિભક્તને મોટા સમજે ને પોતાને ન્યૂન સમજે ને આઠે પહોર તેના હૈયામાં સત્સંગનો આનંદ વર્ત્યા કરે, એવાં લક્ષણ જ્યારે હોય ત્યારે જાણીએ જે, ‘શુભ વાસના વૃદ્ધિ પામી છે.’ અને તે જેમ જેમ વધુ વધુ સત્સંગ કરે તેમ તેમ વધુ વધુ સમાસ થતો જાય અને અતિશય મોટ્યપને પામી જાય છે.

📗 *_સ્વામીની વાતો_* 🗣
લાખું માણસને સત્સંગ કરાવે ને પોતે નર્કમાં જાય એમ કહ્યું. કેમ જે, જીવનું કલ્યાણ કર્યું તે તો ભગવાને કર્યું. જેમ શાહુકારનો ગુમાસ્તો હૂંડી લખે તે સ્વીકારાય તેમ. ૫/૩૯૧

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
પ્રથમ અમારા સ્વરૂપની દ્રઢતા જેના અંતરમાં થાય છે તેને પોતાનું સ્વરૂપ પરમ પ્રકાશિત દેખાય છે. સૂર્ય વિના અંધારું ન ટળે તેમ અમારા સ્વરૂપની દ્રઢતા વિના પોતાનું સ્વરૂપ ઓળખાતું નથી. મારી મૂર્તિ અને મારા વચન તેને અધિક ન્યુન ન સમજવાં. જે નિષ્કપટ વર્તન કરશે તેનો સત્સંગ દિન-દિન વૃદ્ધિ પામશો. સંતની સેવા કરવી તે મોક્ષપદથી પણ અધિક છે. પ્રકરણ-૨૦: ત્યાગી સાધુ

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૨૭/૦૯/૧૯૮૦, શાસ્ત્રીજીમહારાજનો શ્રાદ્ધદિન, હરિધામ, વાત-૩૦૨ 🔯
એ છે ચિદાકાશની દિવ્ય મૂર્તિ. એટલે આપણે બહુ પાકું રાખવું, કદાપિ કોઈ સંજોગોમાં ભગવાનના એ નિર્મળ સંતોનું બધું ગમાડવું છે. તમે દિલથી માનતા હોવ કે તમે અમારા છો તો તો એ ગમે જ. દીકરા-દીકરીઓ, છોકરાં-છૈયાઓનું ગમાડીએ છીએ, વેઠીએ છીએ, સહન કરીએ છીએ. એવી કો'ક મારાપણાની વૃત્તિ સત્સંગને વિશે જો દ્રઢ થઈ જાય તો કામ થઈ જાય.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસ ના દાસ બનાવશોજી..* 🚼

🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

14 Nov, 01:51


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
(હવે સુવાસિની બાઈઓના વિશેષ ધર્મ તે કહીએ છીએ) *અમારે આશ્રિત જે સુવાસિની બાઈઓ તેમને પોતાનો પતિ અંધ હોય, રોગી હોય, દરિદ્રી હોય, નપુંસક હોય, તો પણ તેને ઈશ્વરની પેઠે સેવવો, અને પતિ પ્રત્યે કટુ વચન ન બોલવું.* ૧૫૯

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૨૮:અર્ધબળ્યા કાષ્ઠનું, વધવાઘટવાનુંશ્રીજીમહારાજ બોલ્યા જે, “જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદ્‍વાસનાની વૃદ્ધિ થાય છે ને તેને પ્રથમ તો દિવસે દિવસે સત્સંગીમાત્રનો અવગુણ આવે છે ને પોતાના હૈયામાં એમ જાણે જે, ‘સર્વે સત્સંગી તો અણસમજુ છે ને હું સમજુ છું’ એમ સર્વથી અધિક પોતાને જાણે અને રાત્રિ-દિવસ પોતાના હૈયામાં મૂંઝાયા કરે અને દિવસમાં કોઈ ઠેકાણે સુખે કરીને બેસે નહીં અને રાત્રિમાં સૂએ તો નિદ્રા પણ આવે નહીં અને ક્રોધ તો ક્યારેય મટે જ નહીં અને અર્ધબળેલા કાષ્ઠની પેઠે ધૂંધવાયા કરે, એવું જેને વર્તે ત્યારે તેને એમ જાણીએ જે, ‘એ સત્સંગમાંથી પડવાનો થયો છે.’ અને એવો હોય અને તે જેટલા દિવસ સત્સંગમાં રહે પણ તેના હૈયામાં કોઈ દિવસ સુખ આવે નહીં અને અંતે પાછો પડી જાય છે.

📗 *_સ્વામીની વાતો_* 🗣
મોટા સાથે હેત થયું હોય તો વાસનાવાળાના અંતરમાં પણ સુખ આવે ને તે વિના તો નિર્વાસનિક થયો હોય તો પણ લૂખો શુષ્ક રહે. ૫/૩૯૦

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
અમને તમે જે જે આવીને મળ્યા છો તે સર્વેને બ્રહ્મસ્વરૂપ કરવા છે, જીવમાં માયાનો ભાગ ભળ્યો છે તે કાઢવો છે. માટે ખબરદાર થઈને રહેજો. નહિ તો તમારો પગ ટકશે નહિ. પ્રકરણ-૨૦: ત્યાગી સાધુ

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૨૭/૦૯/૧૯૮૦, શાસ્ત્રીજીમહારાજનો શ્રાદ્ધદિન, હરિધામ, વાત-૩૦૧ 🔯
એમનું બધું જ ગમે એનું નામ એકાંતિક. એમનું બધું જ ગમવું જોઈએ, એ ટોકે, વઢે, ધગે બધું જ. વઢે-ટોકે-ધગે એનું કારણ શું હશે? ભક્તિ પ્રગટાવવા માટે. વગર વાંકે તમને ડામ દે એની પાછળનું કારણ શું હશે? તમારા અહમને ઓગળવા માટે. તમારી સારપને કાઢવા. તમે છો એને ભૂલાડવા. તમને એમના જેવા બનાવવા. શા માટે લાભ ના લઈએ? થોડા વિચારને પામીએ તો સુખિયા થઈ જઈએ.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસ ના દાસ બનાવશોજી..* 🚼

🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

13 Nov, 02:49


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને ધનાઢ્ય એવા જે ગૃહસ્થ સત્સંગી તેમને હિંસાએ રહિત એવા જે વિષ્ણુ સંબંધી યજ્ઞ તે કરવા તથા તીર્થને વિષે તથા દદ્રાશી આદિ પર્વને વિષે બ્રાહ્મણ તથા સાધુ તેમને જમાડવા. ૧૫૫

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૨૭: ભગવાન અખંડ નિવાસ કરી રહે તેવી સમજણનું
જે આંખ્યો કાઢીને પોતાથી ગરીબ હોય તેને બિવરાવે છે ને મનમાં જાણે જે, ‘હું મોટો થયો છું,’ પણ એ મોટો નથી અથવા સિદ્ધાઈ દેખાડીને લોકોને ડરાવે છે, એવા જે જગતમાં જીવ છે તે ભગવાનના ભક્ત નથી, એ તો માયાના જીવ છે અને યમપુરીના અધિકારી છે. અને એવાની જે મોટ્યપ છે તે સંસારના માર્ગમાં છે.

📗 *_સ્વામીની વાતો_* 🗣
ગૃહસ્થને રૂપિયાનું ભજન થાય છે ને ત્યાગીને દેહનું ભજન થાય છે. ૫/૩૮૭

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
સંસારમાંથી ચિત્ત ઉખેડી હરિમાં જોડે તે સંત. સંત જીવના સાચા હેતુ છે. ભગવાન અને સંત વિના બીજું બધું ઘોર નર્ક તુલ્ય જાણે તે હરિજન સાચો. પ્રકરણ-૨૦: ત્યાગી સાધુ

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૨૭/૦૯/૧૯૮૦, શાસ્ત્રીજીમહારાજનો શ્રાદ્ધદિન, હરિધામ, વાત-૨૯૯ 🔯
જેમને જોવાના છે, જાણવાના છે, જેમનું ધ્યાન કરવાનું છે, જેમને સંભારવાના છે એ તો તમારી સામે બેઠા છે. એને તો તમે નવડાવો છો, એને તો તમે જમાડો છો, એમનું જે કાંઈ આવું ચરિત્ર છે એને સંભારવું એનું નામ ધ્યાન. નિર્દોષબુદ્ધિથી ગુણગાન ગાવા એનું નામ ભક્તિ. માનવીથી બીજું કાંઈ થઈ શકે એમ નથી. ધ્યાન કરવા જશો તો જય સ્વામિનારાયણ...! જતા રહેવાના છો... ક્યાંયના ક્યાંય ભાગી જશો. *પ્રભુના અને પ્રભુના આવા મુકતોના ગુણાનુવાદ ગાઈએ અને આનંદ કરીએ. આપણે આટલું જ કરવાનું છે.*

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસ ના દાસ બનાવશોજી..* 🚼

🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

12 Nov, 02:46


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને તે જો પોતાના મૂળ ગરાસનું તથા વતનનું ગામ હોય, તો પણ તેનો વિવેકી એવા જે અમારા સત્સંગી ગૃહસ્થ તેમને તત્કાળ ત્યાગ કરી દેવો અને જ્યાં ઉપદ્રવ ન હોય, તેવો જે બીજો દેશ તે પ્રત્યે જઈને સુખે થી રહેવું. ૧૫૪

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૨૭: ભગવાન અખંડ નિવાસ કરી રહે તેવી સમજણનું
*જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યાદિક જે અનંત શુભ ગુણ તેણે યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે. પછી તે ભક્ત જે તે ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારનાં ઐશ્વર્યને પામે છે ને અનંત જીવના ઉદ્ધારને કરે છે. અને એવી સામર્થીએ યુક્ત થકો પણ અન્ય જીવનાં માન-અપમાનને સહન કરે છે એ પણ મોટી સામર્થી છે; કાં જે, સમર્થ થકા જરણા કરવી તે કોઈથી થાય નહીં, એવી રીતે જરણા કરે તેને અતિ મોટા જાણવા.*

📗 *_સ્વામીની વાતો_* 🗣
ખાઈને દેહ જાડું કરવું ને ઝાઝું ઊંઘવું એ બે મને ગમે નહીં. કેમ જે, એ બે કામના હેતુ છે. ને મન પણ નવરું રહે તો વ્યભિચાર કરે, માટે નવરું ન રાખવું. ૫/૩૮૫

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
ચાર વર્ણ ઉપરાંત પણ જેણે જેણે અમારો આશ્રય કર્યો છે તેનો મોક્ષ અમે કરીશું. અમારી નિયંતાશક્તિ મહાબળવતી છે. અમે જે જે નિયમ કર્યા છે તેને જીવો, ઈશ્વરો કોઈ લોપી શકતા નથી. જે તેનો લોપ કરે છે તે સ્વયં તત્કાળ લોપાઈ જાય છે. આ અમારી મરજી તમને કહી. માટે જે કરો તે વિચારીને કરજો. મરજી પ્રમાણે વર્તે તેમાં અપાર સુખ રહ્યું છે. તમે સર્વે મુનિ સુજ્ઞ છો. તમને વધુ શું કહેવું? પ્રકરણ-૨૦: ત્યાગી સાધુ

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૨૭/૦૯/૧૯૮૦, શાસ્ત્રીજીમહારાજનો શ્રાદ્ધદિન, હરિધામ, વાત-૨૯૭ 🔯
આપણે ત્રણ ભાવનાઓ વાગોળતા વાગોળતા અહીંયાંથી જવું છે. એમનું સામર્થ્ય, ઐશ્વર્ય, સંકલ્પો પૂરા કરવાની સિદ્ધિ એ તો સહજ ગમવાનું છે જ. જગતને જે જોઈએ અને આપે તો જગત રાજી જ થવાનું છે પણ ભક્તિનું સર્વોપરી લક્ષણ એ છે કે એમના મનુષ્ય ચરિત્ર સંપૂર્ણ ગમે અને એમાં તમે દિવ્યતા માનો અને સ્વપ્નમાંય તમને સંકલ્પેય ના ઊઠે કે આ આવું કેમ કરતા હશે? આવી રીતે કેમ વર્તતા હશે? એનું નામ પ્રભુની રસઘનમૂર્તિનાં દર્શન કર્યા કહેવાય.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસ ના દાસ બનાવશોજી..* 🚼

🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

11 Nov, 02:47


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને જે ઠેકાણે પોતે રહેતા હોઈએ તે ઠેકાણે કોઈક કથાન ભૂંડો કાળ અથવા શત્રુ અથવા રાજા તેન ઉપદ્રવે કરીને સર્વ પ્રકારે પોતાની લાજ જતી હોય કે ધનનો નાશ થતો હોય, કે પોતાના પ્રાણનો નાશ થતો હોય. ૧૫૩

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૨૭: ભગવાન અખંડ નિવાસ કરી રહે તેવી સમજણનું
જે એમ સમજતો હોય જે, ‘આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે ને ડોલાવી ડોલે છે તથા આ તારામંડળ જેનું રાખ્યું અધર રહ્યું છે તથા જેના વરસાવ્યા મેઘ વર્ષે છે તથા જેની આજ્ઞાએ કરીને સૂર્ય-ચંદ્ર ઉદય-અસ્તપણાને પામે છે તથા ચંદ્રમાની કળા વધે-ઘટે છે તથા પાળ વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહે છે તથા જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે અને તેને હાથ, પગ, નાક, કાન એ આદિક દસ ઇન્દ્રિયો થઈ આવે છે તથા આકાશને વિષે અધર જળ રાખી મૂક્યું છે અને તેમાં ગાજવીજ થાય છે, એવાં *અનંત આશ્ચર્ય છે તે સર્વે મને મળ્યા એવા જે ભગવાન તેનાં કર્યાં થાય છે,’ એમ સમજે, પણ પ્રગટ પ્રમાણ જે ભગવાન તે વિના બીજો કોઈ એ આશ્ચર્યનો કરનારો છે એમ માને નહીં. અને ‘પૂર્વે જે જે અનંત પ્રકારનાં આશ્ચર્ય થઈ ગયાં છે તથા હમણાં જે થાય છે તથા આગળ થશે તે સર્વે મને મળ્યા એવા પ્રત્યક્ષ ભગવાન તે વતે જ થાય છે’ એમ સમજે.*

📗 *_સ્વામીની વાતો_* 🗣
બે પ્રકારના સાધુ-સત્સંગી છે, તેમાં એક વિષય મળે તો રાજી થાય ને એક વિષય ટળે તો રાજી થાય. ૫/૩૭૮

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
અમારી વિદ્યા બ્રહ્મવિદ્યા છે. તે સર્વથી પર મહાવિદ્યા કહેવાય છે. આ વખતે સૌ પર અમે કૃપા કરી છે, તો બ્રહ્મવિદ્યામાં સૌની ગતિ થઈ છે. મેં સંકલ્પ કર્યો છે - સૌ જીવને મારો યોગ કરવી માયાપાર કરવા તેનાથી જીવમાત્ર તરી જશે. અમારો સંકલ્પ મિથ્યા થતો નથી તે જરૂર જાણજો. પ્રકરણ-૨૦: ત્યાગી સાધુ

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૧૩/૦૯/૧૯૮૦, શ્રી ઠાકોરજીના પાટોત્સવે પ્રાર્થના, વાત-૨૯૬ 🔯
ભગવદીની ગોદ સુંવાળી લાગે એનું નામ સ્થિતિ.
ભગવદીની ગોદ સુંવાળી લાગે એનું નામ પ્રસન્નતા
ભગવદીનું બધું જ ગમે એનું નામ નિર્વિકલ્પ સમાધિ.
ભગવદીની વફાદારી એ સાક્ષાતની વફાદારી.
આવી ભાવના દરેક સેવકમાં સાકાર સ્વરૂપે પ્રગટાવજો.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસ ના દાસ બનાવશોજી..* 🚼

🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

10 Nov, 03:27


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને *પોતાના કામકાજ કરવા તેડ્યા જે મજુર તેમને જેટલું ધન અથવા ધન્ય દીધાનું કહ્યું હોય તે પ્રમાણે જ આપવું પણ તેનાથી ઓછું ન આપવું અને પોતાપાસે કોઈ કરજ માંગતો હોય ને તે કરજ દઈ ચુક્યા હોઈએ તે વાત ને છાની ન રાખવી, તથા પોતાનો વંશ તથા કન્યાદાન એ પણ છાનું ન રાખવું, અને દુષ્ટ એવા જે જણ તેમની સાથે વ્યવહાર ન કરવો.* ૧૫૨

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૨૭: ભગવાન અખંડ નિવાસ કરી રહે તેવી સમજણનું
શ્રીજીમહારાજ અર્ધ ઘડી સુધી તો પોતાની નાસિકાના અગ્ર સામું જોઈ રહ્યા ને પછી બોલ્યા જે, *“પરમેશ્વરને ભજવાની તો સર્વને ઇચ્છા છે પણ સમજણમાં ફેર રહે છે, માટે જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે.*

📗 *_સ્વામીની વાતો_* 🗣
*અક્ષરનું તેજ દેખાય તેમાં પણ માલ ન માનવો; ત્યારે ઐશ્વર્યમાં માલ ન માનવો એમાં શું કહેવું? ને અક્ષરનું તેજ તો સુખરૂપ છે પણ તે પુરુષોત્તમની મૂર્તિ જેવું નહીં એમ સમજે તે ઉપાસના કહેવાય.* ૫/૩૬૯

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
તમારું હિત વિચારી અમે નિયમરૂપી કોટ વજ્ર જેવો અભય બનાવ્યો છે. આ કોટ તુલ્ય બીજો કોટ નથી નથી. આ કોટના પાયા પાતાળ સુધી ઊંડા છે ને તેની ઊંચાઈ અક્ષરધામ સુધી કરી છે. કાળ-કર્મ તેને સ્પર્શી શકતાં નથી. આ કોટમાં તમે સુરક્ષિત છો. હવે બાહ્ય કુસંગીમાત્રનો ભય લેશ પણ નથી. પ્રકરણ-૨૦: ત્યાગી સાધુ

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૧૩/૦૯/૧૯૮૦, શ્રી ઠાકોરજીના પાટોત્સવે પ્રાર્થના, વાત-૨૯૫ 🔯
*બીજાને જોઈએ અને આનંદ થાય, બીજાની સેવા કરીએ ને પ્રભુ જ દેખાય, બીજાને જમાડીએ ને તમે જ જમો બીજા સાથે વાત કરીએ ને તમે જ વાત કરતા હોય એવું દેખાય... આવી કો'ક મંગલકારી ભાવનામાં એક-બે-પાંચ જણને નહિ પણ આખા સમાજને લઈ જવાનો આપનો સંકલ્પ છે. સાકાર થઈ રહ્યો છે તો અમને ખૂબ બળ આપજો, જેના ફળસ્વરૂપે અમારો આનંદ એક સેકન્ડના લાખમાં ભાગમાં જઈ શકે નહિ.*

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસ ના દાસ બનાવશોજી..* 🚼

🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

09 Nov, 02:51


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને પોતાના જે આચાર્ય તે થકી તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે મંદિર તે થકી કરજ ન કાઢવું, અને વળી તે પોતાના આચાર્ય થકી અને શ્રી કૃષ્ણના મંદિર થકી પોતાના વ્યવહારને અર્થે પાત્ર, ઘરેણા અને વસ્ત્રાદીકે જે વસ્તુ તે માંગી લાવવા નહિ. ૧૫૦

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૨૫: વીસ કોશના પ્રવાહનું
*જે ભક્તની ચિત્તવૃત્તિ ભગવાનના સ્વરૂપને વિષે જોડાણી તેને અષ્ટાંગયોગ વગર સાધે સધાઈ રહ્યો.* માટે અમે કહ્યાં જે આત્મનિષ્ઠા અને ભગવાનના માહાત્મ્યનું જ્ઞાન એ બે સાધન તે દ્રઢપણે રાખવાં; અને વર્તમાનધર્મ છે તે તો ભગવાનની આજ્ઞા છે, તે જરૂર રાખવાં.

📗 *_સ્વામીની વાતો_* 🗣
*સંતમાં જોડાણો હોય તેનું એ લક્ષણ છે જે, તેની અનુવૃત્તિમાં રાજી રહે ને તે કહે તેટલું જ કામ કરે પણ જાસ્તી કરે નહીં ને એવાની ફકર તો સંતને રહે.* પછી તેની તે પાંચ દિવસે, મહિને, બે મહિને કે ચાર મહિને ખબર રાખ્યા કરે, ને ખબર ન રાખે તો બગડી જાય માટે ખબર રાખે; ને તમોગુણીને તો કંઈ સૂઝે નહીં, માટે તેને મોકળો મેલીએ તો ઠીક પડે ને મરોડીએ તો મૂંઝાય. ૫/૩૫૦

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
હે સંતો! પૂર્વે સંતો-ભક્તો મહાસમર્થ થઈ ગયા. જે કાંઈ કષ્ટ આવ્યું તે સઘળું સૌએ હસતે મોંએ સહન કર્યું છે, પણ અકળાયા નથી. આ પરથી તમે કેવી સમજણ દ્રઢ કરી છે તે વિચારવું. જેથી ક્યારેક અધિક કષ્ટ પડે તો પણ મન પાછું ન હઠે! દેશકાળે પણ સમજણ ન ફરે! પ્રકરણ-૨૦: ત્યાગી સાધુ

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૧૩/૦૯/૧૯૮૦, શ્રી ઠાકોરજીના પાટોત્સવે પ્રાર્થના, વાત-૨૯૩ 🔯
આજના શુભ મંગલકારી દિવસે બીજી કાંઈ અભીપ્સા નથી, એક જ અભીપ્સા છે, પ્રાર્થના છે, સંબંધે જીવાડજો. સેવકભાવની સૂઝ આપજો. કેવું ભવ્ય સ્વરૂપ યોગીજીમહારાજ! કદાપિ કોઈ સંજોગોમાં હું જેવો શબ્દ કાઢે જ નહીં. થથરે... ભૂલેચૂકેય હું શબ્દ બોલાઈ ગયો હોય તો થથરે... ઠાકોરજી ખોવાઈ ગયા, થથરે... ઠાકોરજીને પાણી ન પાયું, થથરે... ઠાકોરજીના થાળની સેવા ન થઈ, થથરે... એ કેવી ભક્તિ હશે! *એ પરાભક્તિની સૂઝ હે મહારાજ! સર્વ પ્રકારે આપના તરફ ને આપના મુકતો તરફ થાય એવું ખૂબ બળ આપજો.*

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસ ના દાસ બનાવશોજી..* 🚼

🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

08 Nov, 02:48


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને *એકાદશી આદિક જે વ્રત તેમનું જે ઉદ્યાપન તે જે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાશાસ્ત્ર કરવું, તે ઉદ્યાપન કેવું છે તો મનવાંછિત ફળનું આપનારું છે.* ૧૪૮

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૨૫: વીસ કોશના પ્રવાહનું
જેમ કોઈ કૂવો હોય ને તે ઉપર વીસ કોશ ફરતા હોય ને તેનો પ્રવાહ જુદો જુદો ચાલતો હોય ત્યારે તે પ્રવાહમાં જોર હોય નહીં અને તે વીસે કોશનો પ્રવાહ ભેળો કરીએ તો નદીના જેવો અતિશય બળવાન પ્રવાહ થાય, તે કોઈનો હઠાવ્યો પાછો હઠે નહીં; તેમ જેની વૃત્તિ નિર્વાસનિક થાય છે ત્યારે તેનું ચિત્ત છે તે ભગવાનના સ્વરૂપમાં જોડાય છે.

📗 *_સ્વામીની વાતો_* 🗣
સુખી થાવાના પ્રકાર: એક તો કોઈ રીતે કરીને ભગવાનમાં જોડાયા હોય તથા સંતમાં જોડાયા હોય તથા આત્મજ્ઞાને કરીને ઇન્દ્રિયું નિયમમાં કરી હોય તથા ભગવાનના નિશ્ચે સહિત વૈરાગ્ય હોય તથા સન્નિવર્તિવાળા જીવ હોય; એ પાંચ પ્રકારથી સુખી રહેવાય. માટે પોતાનું તળ તપાસી જોવું જે, એમાંથી મારે કયું અંગ છે, તે વિચારી સુખી રહેવું. ૫/૩૪૮

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
આ સંતો આ લોકના નથી. બધાનાં એક મન છે. ભગવાનની મૂર્તિમાં વૃત્તિ ડોલાવ્યાં વિના એક તાન થઈને સૂર્યની જેમ શોભે છે. ભગવાન વિના બીજી કોઈ ચાહના નથી. દેહાદીકના દુઃખને ગણકારતા નથી. ભગવાનમાં અપાર સુખ માને છે. *વિષયમાં દુઃખ માનીને કોઈ સંગ્રહ કરતા નથી. ભગવાન વિનાની વસ્તુ બધી દુઃખદાયક જાણે છે. જો દુઃખદાયક ન જાણે તો તેનો અભાવ ન થાય. અને અનંત જન્મ ખોવે છે. જેને સત-અસતનું જ્ઞાન છે, જે કાંઈ પ્રવૃત્તિ કરે છે તે ભગવાન સંબંધી કરે છે અને તેને નિવૃત્તિ માને છે એવા એકાંતિક ભક્ત હોય તેને આ વાતની ગમ પડે છે. તે સિવાય બીજા તો બધું એક કરીને માને છે. હંસ અને બકની જેમ ભક્ત અને અભક્તની રીત જુદી હોય છે. તે સત્સંગ કર્યા વિના માલુમ પડે નહિ. સત્સંગ કરવા છતાં જે ઘટી જાય તેને સત્સંગ થયો ગણાય નહિ.* (IMP) પ્રકરણ-૨૦: ત્યાગી સાધુ

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૧૩/૦૯/૧૯૮૦, પૂ. શાસ્ત્રીસ્વામીજીનો પ્રાગટયદિન, વાત-૨૯૧ 🔯
સુરુચી એટલે અંતરમાં દ્રઢ ગાંઠ!
સુરુચી એટલે સદૈવ પ્રયત્ન!
સુરુચી એટલે ભરતી-ઓટ જ નહીં. કદાચ ધ્યેયને ન પમાય તોય સુરુચી ન છોડે. 'મારાથી આજ્ઞામાં નથી વર્તાતું, પણ વાંક તો મારો જ છે. એ મારો દેહભાવ છે.' એવું અંતરથી કબુલવું એનું નામ સુરુચી. સુરુચીની ગાંઠ એટલે અખંડ દિવ્યભાવ અને અખંડ દિવ્યભાવ હોય એટલે આપણો વિજય થાય જ.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસ ના દાસ બનાવશોજી..* 🚼

🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

07 Nov, 02:46


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને તે ગૃહસ્થાશ્રમી સત્સંગી તેમણે પોતાની જે વૃતિ અને ઉદ્યમ તે થાકી પામ્યું જે ધન ધાન્યાદિક તે થાકી દસમો ભાગ કાઢીને શ્રીકૃષ્ણ ભગવાનને અર્પણ કરવો અને જે વ્યવહારે દુર્બળ હોય તેમણે વીસમો ભાગ અર્પણ કરવો. ૧૪૭

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૨૫: વીસ કોશના પ્રવાહનું
સમાધિ થાય છે તેના બે ભેદ છે - એક તો પ્રાણાયામે કરીને પ્રાણનો નિરોધ થાય છે તે ભેળો ચિત્તનો પણ નિરોધ થાય છે અને બીજો પ્રકાર એ છે જે, ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે. તે ચિત્તનો નિરોધ ક્યારે થાય છે? તો જ્યારે સર્વ ઠેકાણેથી વૃત્તિ તૂટીને એક ભગવાનને વિષે વૃત્તિ જોડાય. અને તે *ભગવાનને વિષે વૃત્તિ ક્યારે જોડાય? તો જ્યારે સર્વ ઠેકાણેથી વાસના તૂટીને એક ભગવાનના સ્વરૂપની વાસના થાય, ત્યારે તે વૃત્તિ કોઈની હઠાવી ભગવાનના સ્વરૂપમાંથી પાછી હઠે નહીં.*

📗 *_સ્વામીની વાતો_* 🗣
*ભગવાન ને ભગવાનના ભક્તની સેવા એ બેમાં જ માલ છે.* ૫/૩૪૪

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
ગુરુ થઈને શિષ્યને સાચી વાત દેખાડે નહિ તે ગુરુ પથ્થરના વહાણ સમાન છે. પ્રકરણ-૧૯: ગુરુ

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૧૩/૦૯/૧૯૮૦, પૂ. શાસ્ત્રીસ્વામીજીનો પ્રાગટયદિન, વાત-૨૯૦ 🔯
એક યુવકથી દૂધપાક ઢોળાઈ ગયો. ફરી પીરસ્યો, ફરી ઢોળાઈ ગયો. ત્રીજી વાર પીરસી મેં મારી અસલી અદામાં, મારા દેહભાવમાં આવી કહ્યું, 'બાહુક! સૂઝ નથી પડતી.' મારી નજીક આવીને સ્વામીએ ધીમે રહીને મને કહી દીધું, "શાસ્ત્રીજીમહારાજ જમે છે." હું તો સ્તબ્ધ જ થઈ ગયો! એ દ્રષ્ટિ જુદી હતી. એ દર્શન એમને જ હતું. *રસોડાવાળા જમાડે તો પ્રેમથી જમાડવા જોઈએ. ચણનારા ચણે તો બહુ પ્રેમથી ચણવું જોઈએ. એ અહોહોભાવે, સેવકભાવે થયેલી સેવાનું અનંતગણું ફળ છે. દેહાઘ્યાસથી કરેલી સેવા પશુસમાન છે. એવા સેવકનો બહુ વિશ્વાસ ન રખાય.*

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસ ના દાસ બનાવશોજી..* 🚼

🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

06 Nov, 03:00


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને *પોતાના વ્યવહારને કાર્યને વિષે જેટલા ધનની ઊપજ હોય તથા જેટલો ખર્ચ હોય તે બેયને સંભારીને નિત્ય પ્રત્યે રૂડા અક્ષરે કરીને પોતે તેનું નામ લખવું.* ૧૪૬

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૨૫: વીસ કોશના પ્રવાહનું
પૂર્ણકામપણું તો આત્મનિષ્ઠા ને ભગવાનના માહાત્મ્યનું જ્ઞાન તેણે કરીને જ થાય છે; અને એ બેમાં જેટલી ન્યૂનતા રહે છે તેટલી પૂર્ણકામપણામાં ન્યૂનતા રહે છે.

📗 *_સ્વામીની વાતો_* 🗣
*ઝેરના લાડવા ખાતાં સારા લાગે પણ ઘડીક પછી ગળું ઝલાય, તેમ આ વે’વાર છે.* ૫/૩૩૬

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
એક લાખ સાધન કરે પણ તેનું ફળ એટલું જ છે વિષયથી રાગ તોડી, આત્મરૂપ થઈ પરમાત્માની ભક્તિ કરવી. આત્મનિષ્ઠ થઈ ભગવાનમાં પ્રીતિ કરે છે તેને અમે બ્રહ્મનિષ્ઠ કહીએ છીએ. આટલી વાત નવીન છે. પ્રકરણ-૧૯: ગુરુ

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૧૩/૦૯/૧૯૮૦, પૂ. શાસ્ત્રીસ્વામીજીનો પ્રાગટયદિન, વાત-૨૮૮ 🔯
*મને ગમે છે સેવકભાવ. સેવકભાવે જીવતા સેવકોના ટોળાં ઊભાં કરવાં છે.* અધ્યાત્મિક ઈતિહાસના પાને હજુ સુધી આવો સમાજ સ્થપાયો નથી. સાકારપણે સેવકભાવ હવે મૂર્તિમાન થવાનો છે.
★ 'તું પહેલો પછી હું' એનું નામ સેવકભાવ.
★ 'તારી સેવા એ મારી સેવા' એ સેવકભાવ.
★ તારા ગુણગાન, એ સેવકભાવ.
★ તારી સાથેની મર્યાદા, એ સેવકભાવ.
★ તારે લઈને હું, એ સેવકભાવ.
★ તારી સેવા એ પ્રભુની સેવા છે એ સેવકભાવ.
અને *જે દિવસે તમે સેવક, એ દિવસે સર્વાંગ સુંદર પ્રભુ તમારા! હદ થઈ ગઈ. પ્રભુ સામેથી પ્રીતિ કરશે!*

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસ ના દાસ બનાવશોજી..* 🚼

🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

05 Nov, 02:16


🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 😇📚

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને આ શિક્ષાપત્રી લખ્યાનું જે કારણ છે તે સર્વે તેમને એકાગ્ર મને કરીને ધારવું અને આ શિક્ષાપત્રી જે અમે લખી છે તે સર્વેના જીવને હિતની કરનારી છે.

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૧: અખંડ વૃત્તિનું
*ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ સાધન કઠણ નથી. અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી. કાં જે, ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણિ તુલ્ય છે.* જેમ ચિંતામણિ કોઈક પુરુષના હાથમાં હોય તે પુરુષ જે જે પદાર્થને ચિંતવે તે તે પ્રાપ્ત થાય છે; તેમ ભગવાનની મૂર્તિને વિષે જેના મનની અખંડ વૃત્તિ રહે છે તે તો જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ એમના સ્વરૂપને જો જોવાને ઇચ્છે તો તત્કાળ દેખે છે તથા વૈકુંઠ, ગોલોક, બ્રહ્મમહોલ એ આદિક જે જે ભગવાનનાં ધામ છે તેને પણ દેખે છે. માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ કઠણ સાધન પણ નથી અને તેથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી.”

📗 *_સ્વામીની વાતો_* 🗣
“અમે કોઈ દિવસ દશોંદ-વિશોંદ કાઢવાની વાત, સૌ કહે છે જે કરો, તો પણ નથી કરી. પણ *આજ કહું છું જે, દશોંદ-વિશોંદ કાઢશે તેને ખાવા મળશે; નહીં કાઢે તે દુબળા રહેશે.”* એમ કહીને દાજીભાઈને કહ્યું જે, “હવે મોટા થયા તે ધર્મવેરો કાઢવા માંડો.” ૬/૨૬૨

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
*પદાર્થએ કરીને થયેલ સત્સંગ મૂળ વિનાનો છે. મનનું ધાર્યું થાય ત્યાં સુધી સત્સંગમાં દિવસો વિતાવે, પદાર્થ ન મળે કે તરત વિમુખ થઈ જાય. પદાર્થની ઈચ્છાથી સત્સંગ કરે તેને મોક્ષનો ખપ નથી.* દેહના અંત સુધી તેની ઈચ્છા મુજબ પદાર્થ મળ્યા કરે તો સત્સંગમાં તન છૂટે ત્યાં સુધી ટકી રહે. કોઈને દોષબુદ્ધિ થઈ જાય તોપણ સત્સંગથી વિમુખ થાય છે. પ્રકરણ-૨૫: સુખ-દુઃખ

📙 *_અમૃતબિંદુ_* વાત-૨૮૯ 🔯
*મને ત્રણ કીર્તન ગમે. :-*
૧. *'સુરુચિ એ જીવનું જીવન છે...'*
૨. *'મારો જીવન આનંદ તું, બ્રહ્માનંદ તું...'*
૩. *'કરુણા કરી મુજ આતમમાં પ્રગટાવી ગુણાતીત જ્યોત...'*

*આ ત્રણ કીર્તનનો વિચાર કરે એના પોતાના સ્વભાવનું પોષણ કોઈ દિવસ ન થાય, કોઈ સંજોગોમાં ન થાય. એની ગાડી એકધારી પાટા ઉપર હોય; ૧૦૦% હોય.*

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસ ના દાસ બનાવશોજી..* 🚼

🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
💐🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻💐


https://t.me/aajano_swadhyay

📚 આજ નો સ્વાધ્યાય 📚

03 Nov, 03:24


💫 *Best of the Year* 🎆

🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 😇📚

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને *જે બાઈ ભાઈ આ શિક્ષાપત્રી પ્રમાણે નહિ વર્તે તે તો અમારા સંપ્રદાય થાકી બાહેર છે .એમ અમારા સંપ્રદાયવાળા સ્ત્રી પુરુષ તેમણે જાણવું.* ૨૦૭

📕 *વચનામૃત* 🎤
ગઢડા અંત્ય ૧૧: સીતાજીના જેવી સમજણનું
*જીવને જેવી દેહને વિષે આત્મબુદ્ધિ છે તેવી ભગવાન તથા ભગવાનના ભક્તને વિષે આત્મબુદ્ધિ હોય તો તેને કોઈ રીતનું વિઘ્ન લાગે નહીં. અને ગમે તેવાં દેશકાળાદિક ભૂંડાં આવે તેણે કરીને એ ભગવાન ને ભગવાનના ભક્ત થકી વિમુખ થાય નહીં.*

📗 *_સ્વામીની વાતો_* 🗣
પૃથ્વી ગંધને મૂકે પણ ભીષ્મનું બ્રહ્મચર્ય ન જાય, એમ અડગ ભગવાનને સમજે. વળી, મહારાજે કરોડ કરોડ સાધન કહ્યાં છે પણ *તેમાં ત્રણ મુખ્ય છે; તેમાં એક ભગવાન, બીજું તેમના ભક્તને વિષે આત્મબુદ્ધિ ને ત્રીજી આજ્ઞા, એ ત્રણ જો બરાબર સમજે તો બધુંય થયું.* ને આજ્ઞામાં ધર્મ પણ આવી ગયો ને આજ્ઞામાં સર્વે સાધન પણ આવી ગયાં. અને આપણે મહારાજની આજ્ઞા, ઉપાસના તથા એકાંતિક સંત સાથે હેત છે. માટે જે જે કરવાનું છે તે આપણે થઈ રહ્યું છે, હવે કાંઈ કરવું રહ્યું નથી. ૬/૨૯૨

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
પીપળાવમાં શ્રીહરિ કહે, *'ભગવનનિષ્ઠ સંતની સેવા કરવા માટે અમે માર્ગ શોધતા હતા, તે એક માર્ગ જડ્યો કે જીવતા સુધી દરેક સમૈયાના પ્રસંગે હરિભક્તો સંતોને જમવા રસોઈ આપે, ત્યારે ભાવથી પીરસવું.* સત્સંગમાં આવ્યા ત્યારથી આ નિયમ શ્રદ્ધાથી રાખ્યો છે. કોઈ દિવસ ભૂલતા નથી. અંગમાં વ્યથા હોય ત્યારે તો નિર્ધાર રહે નહિ એ અમારો નિયમ છે, તે તમને આજે કહ્યો.
બીજો નિયમ એ છે કે *સમૈયે સમૈયે એક વાર સંતને મળવું.*
*ધર્મસર્ગને આશ્રિત બ્રાહ્મણથી અંત્યજ સુધી જે કોઈ છે, તેને અંત સમે દર્શન દેવામાં, ગમે ત્યાં તેનો દેહ છૂટે તોપણ, દેશકાળ નડતો નથી. સ્મૃતિ રહે કે ન રહે, પણ અમે તેને ભૂલતા નથી, એ ત્રીજો નિયમ છે તે અમે ક્યારેય કોઈ પણ અવસ્થામાં ભૂલતા નથી.'* પ્રકરણ-૨૩: શ્રીહરિનો સ્વાભાવિક ગુણ

📙 *_ચૈતન્યધોધ_* વાત-૬૨૭ 🔯
*ભગવાન સ્વામિનારાયણ અને ગુણતીતપુરુષોના સંબંધ આગળ તમારા ગુણો, દોષો, બુદ્ધિ-શક્તિની સમજણ, ઐશ્વર્ય-પ્રતાપ, પંચમહાભૂતનો કાબુ, રિદ્ધિ-સિદ્ધિ, અંતર્યામી શક્તિ, નિર્ગુણ મૂર્તિઓના નિર્ગુણભાવો ઝીરો છે. એ ગણતરીમાં લેતા જ નથી તો તમારું શુ ગણતરીમાં લેતા હશે?*
(૧) *તમે પ્રભુને કેટલા સંભારો છો?*
(૨) *તમે પ્રભુને કેટલા સ્વીકારો છો?*
(૩) *તમે પ્રભુને કેટલા માનો છો?*

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસ ના દાસ બનાવશોજી..* 🚼

🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
💐🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻💐


https://t.me/aajano_swadhyay

📚 આજ નો સ્વાધ્યાય 📚

02 Nov, 02:23


💫 *Best of the Year* 🎆

📚😇 *આજ નો સ્વાધ્યાય* 😇📚

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને *પોતાના વ્યવહારને કાર્યને વિષે જેટલા ધનની ઊપજ હોય તથા જેટલો ખર્ચ હોય તે બેયને સંભારીને નિત્ય પ્રત્યે રૂડા અક્ષરે કરીને પોતે તેનું નામ લખવું.* ૧૪૬

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૨૭: ભગવાન અખંડ નિવાસ કરી રહે તેવી સમજણનું
*જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યાદિક જે અનંત શુભ ગુણ તેણે યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે. પછી તે ભક્ત જે તે ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારનાં ઐશ્વર્યને પામે છે ને અનંત જીવના ઉદ્ધારને કરે છે. અને એવી સામર્થીએ યુક્ત થકો પણ અન્ય જીવનાં માન-અપમાનને સહન કરે છે એ પણ મોટી સામર્થી છે; કાં જે, સમર્થ થકા જરણા કરવી તે કોઈથી થાય નહીં, એવી રીતે જરણા કરે તેને અતિ મોટા જાણવા.*

📗 *_સ્વામીની વાતો_* 🗣
ત્યાગ, વૈરાગ્ય, નિયમ ને ધર્મની કેટલીક વાત કરીને બોલ્યા જે, *“ત્યાગ, વૈરાગ્યને શું કરવા છે? ગમે એવો જીવ હશે પણ ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ જ સત્સંગી છે ને તે વિના તો ગમે તેટલી ભક્તિ કરે તો પણ શું? ને કૃપાએ કરી અખંડ મૂર્તિ દેખે તો પણ શું? માટે ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ જ સત્સંગ છે.* ને સત્સંગ તો રાત્રિપ્રલય સુધી કરશું ત્યારે થાશે, પછી તેને દેશકાળ નહિ લાગે એવો સત્સંગ કરવો છે.” ૧/૩૨

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
*ભગવાન બધા અપરાધને ક્ષમા કરે છે, પણ પોતાના દાસને જે પીડે છે તેને સહન કરતા નથી. દાસના ઉરમાં શ્રીહરિ નિવાસ કરીને રહે છે. તેના પ્રત્યેક ગુણરૂપે શ્રીહરિ રહ્યા છે. ભગવાન સમર્થ હોવા છતાં પોતે જ્યારે મનુષ્ય તન ધારે છે ત્યારે દાસની પેઠે વર્તે છે ને ભક્ત કહે તેમ કરે છે માન રાખતા નથી.* ભગવાન સમુદ્ર સમાન બધા ગુણોના નિધાન છે. સંત-હરિભક્તો સરોવર સમાન છે. તેમાં થોડા ગુણો ટકે છે. સરોવર પુરાય જાય તો જળ ટકે નહિ. તેમ માનરૂપી કાદવ ભરાતાં શુભગુણ ટકતા નથી. પ્રકરણ-૨૩: માન-મોટપ

📙 *_અમૃતબિંદુ_* વાત-૬૧ 🔯
*આપણી બોલવા - ચાલવાની રીત એવી હોવી જોઈએ કે, પ્રભુને ગમે. પ્રભુ રાજી થાય એ રીતે હું બોલું છું? પ્રભુ રાજી થાય એ રીતે હું ચાલું છું? પ્રભુ રાજી થાય એ રીતે હું જોઉં છું?* એટલે આજે બધા ઠરાવ કરજો, ન રહે પ્રવૃત્તિનો ભાર, ન રહે પ્રકૃતિનો ભાર, ન રહે કોઈ વ્યવહારનો ભાર કે ન રહે કોઈ બ્રહ્માંડની વ્યક્તિનો ભાર, હું અને મારા પ્રભુ; આત્મા અને પરમાત્મ’ ભગવાનને ભક્તની વચ્ચે કોઈ ચીજ ના જોઇએ. *આ માર્ગ એકાંતિક માટે છે. આ માર્ગ કોક વિરલનો છે.*

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસ ના દાસ બનાવશોજી..* 🚼

🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
💐🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻💐


https://t.me/aajano_swadhyay

📚 આજ નો સ્વાધ્યાય 📚

01 Nov, 02:54


💫 *Best of the Year* 🎆

📚😇 *આજ નો સ્વાધ્યાય* 😇📚

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને *સાક્ષીએ સહીત લખત કર્યા વિના તો પોતાના પુત્ર અને મીત્રદિક સાથે પણ પૃથ્વી ને ધનના લેણદેણે કરીને વ્યવહાર જે તે ક્યારેય ન કરવો.* ૧૪૩

📕 *વચનામૃત* 🎤
ગઢડા મધ્ય ૪૧: માનરૂપી હાડકાનું
*જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા-ચાકરી મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી. તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે ને પોતાના કલ્યાણને અર્થે ભક્તિએ કરીને જ કરવી, પણ કોઈક વખાણે તે સારુ ન કરવી.*

📗 *_સ્વામીની વાતો_* 🗣
*ગૃહસ્થાશ્રમમાં રહીને કથાવાર્તા કરે છે ને સાંભળે છે તેના તો ત્રિવિધ તાપ ટળી ગયા છે, ને તપ સર્વે થઈ રહ્યાં છે ને ભગવાનના શરણને પામી રહ્યો છે. ગૃહસ્થાશ્રમમાં બહુ કામ ને બહુ વિઘ્ન, માટે તેને અધિક કહ્યો છે; ને ગૃહસ્થાશ્રમીને ભગવાનની મૂર્તિને ધરી રહ્યા એવા સાધુનો આશરો છે તે તો ઘરમાં બેઠાં સર્વ તીર્થને સેવી રહ્યો છે.* ૫/૯૭

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
*જેમ જેમ સત્સંગ કરે છે, તેમ તેમ જીવની માયા ટળતી જાય છે. સત્પુરુષ તેને હરિનું શરણું લેવડાવે છે. નિયમ ધરાવી શુદ્ધ કરે છે. પછી જેમ જેમ સત્સંગ કરે, તેમ તેમ તેનામાં મુક્તપણું પ્રગટતું જાય.* પ્રકરણ-૧૪: એકાંતિક સત્પુરુષ

📙 *_અમૃતબિંદુ_* વાત-૮૦ 🔯
*પ્રભુના સંબંધમાં આવ્યા એ પ્રભુ જેવા. એટલે બોલવા - ચાલવાની રીત બહુ પ્રેમથી રાખવી પડશે. વ્યવહાર બગડે છે બોલવાથી. ખુલ્લા દિલથી ગોષ્ઠિ કરી લઈએ ખુબ મીઠાથી બોલીએ.*

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસ ના દાસ બનાવશોજી..* 🚼

🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
💐🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻💐


https://t.me/aajano_swadhyay

📚 આજ નો સ્વાધ્યાય 📚

31 Oct, 00:57


💫 *Best of the year* 🎆
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 😇📚

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને તે *ગૃહસ્થાશ્રમી પુરુષ તેમણે યુવાન અવસ્થાએ યુક્ત એવી જે પોતાની મા, બહેન અને દીકરી તે સંગાથે પણ આપત્કાળ વિના એકાંત સ્થળને વિષે ન રહેવું અને પોતાની સ્ત્રીનું દાન કોઈને ન કરવું.* ૧૩૬

📕 *વચનામૃત* 🎤
ગઢડા મધ્ય ૩૭: સ્વાભાવિક પ્રકૃતિ ટાળ્યાનું, જ્ઞાની પણ પ્રકૃતિ સરખું આચરણ કરે, તેનું
*સ્વભાવ મુકાવ્યા સારુ જે સત્પુરુષ ઉપદેશ કરતા હોય તેના વચનને વિષે અતિશય વિશ્વાસ હોય અને ઉપદેશના કરનારાની ઉપર સાંભળનારાને અતિશય પ્રીતિ હોય અને ઉપદેશનો કરનારો હોય તે ગમે તેટલાં દુખવીને કઠણ વચન કહે તો પણ તેને હિતકારી જ માનતો જાય, તો સ્વાભાવિક જે પ્રકૃતિ છે તે પણ નાશ થઈ જાય; પણ એ વિના બીજો કોઈ ઉપાય નથી.*

📗 *_સ્વામીની વાતો_* 🗣
મહારાજની કહેલી વાત કરી જે, “મહારાજ કહે જે, *‘કરોડ વહાણે કરીને એક મનવાર ભરાય એવી સો કરોડ મનવાર્યું ભરવી છે, એટલા જીવનું કલ્યાણ કરવું છે. તે એટલા જીવનું કલ્યાણ કેમ થાય? પછી અમે વિચાર કર્યો જે, અમારું દર્શન કરે તેનું કલ્યાણ. વળી, એમ વિચાર કર્યો જે, અમારું દર્શન તે કેટલાક જીવને થશે? માટે અમારા સાધુનાં દર્શન કરે તેનું પણ કલ્યાણ. પછી વળી તેમાં પણ વિચાર થયો જે, સાધુનું દર્શન પણ કેટલાક જીવને થાશે? માટે અમારા સત્સંગીનું દર્શન કરે તેનું પણ કલ્યાણ; ને સત્સંગીને જમાડે ને એનું જમે, ને સત્સંગીને પાણી પાય ને એનું પાણી પીએ, એ સર્વેનું કલ્યાણ કરવું છે.’”* ૧/૭૨

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
*મોક્ષની ઈચ્છા હોય તેણે સાચા ગુરુની કીર્તિનું (મહિમાનું) ગાન કરવું. ડહાપણ તજી નિષ્કપટ થઈ ગુરુ કહે તેમ કરવું.* જે સાચા ગુરુ છે તે ભગવાન સાથે નેહ દ્રઢ કરાવે છે. સુખમાત્ર શ્રીહરીમાં દેખે છે. પ્રકરણ-૧૯: ગુરુ

📙 *_અમૃતબિંદુ_* વાત-૨૧૨ 🔯
કોઈ પૂછે કે, 'આપણી સાધના શુ? આપણે શું કરવાનું?' તો *મોટાપુરુષના ગમતામાં અખંડ વર્તાય એ અંગેની રુચિ રાખવી એટલી જ સાધના.*

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસ ના દાસ બનાવશોજી..* 🚼

🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
💐🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻💐


https://t.me/aajano_swadhyay

📚 આજ નો સ્વાધ્યાય 📚

30 Oct, 02:47


💫 *Best of the Year* 🎆

📚😇 *આજ નો સ્વાધ્યાય* 😇📚

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને *ગુરુ ,દેવ અને રાજા એ ત્રણના દર્શનને અર્થે જયારે જવું ત્યારે ઠાલે હાથે ન જવું* અને કોઈનો વિશ્વાસઘાત ન કરવો અને પોતાના મુખે કરી પોતાના વખાણ ના કરવા ૩૭

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૧૮: વિષયખંડનનું, હવેલીનું
*પંચ ઇન્દ્રિયો દ્વારે જીવ જે આહાર કરે છે તે આહાર જો શુદ્ધ કરશે તો અંતઃકરણ શુદ્ધ થાશે, અને અંતઃકરણ શુદ્ધ થાશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે.* અને જો પંચ ઇન્દ્રિયોના આહારમાંથી એક ઇન્દ્રિયનો આહાર મલિન થાય છે તો અંતઃકરણ પણ મલિન થઈ જાય છે.

📗 *_સ્વામીની વાતો_* 🗣
*કથા કરે, કીર્તન કરે, વાતું કરે, પણ ‘આ દેહ હું નહિ,’ એમ માને નહિ. માટે આઠે પહોર ભજન કરવું જે, ‘હું દેહ નથી ને દેહમાં રહ્યો એવો જે હું આત્મા છું, બ્રહ્મ છું, અક્ષર છું ને મારે વિષે પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ પ્રગટ પ્રમાણ અખંડ રહ્યા છે. તે કેવા છે? તો સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે ને સર્વ થકી પર છે; તે પ્રગટ આ મને મળ્યા તે છે.’ આ વાતમાં સાંખ્ય ને યોગ બેય આવી રહ્યાં.* ૧/૩૪૧

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
અનંત ધ્યાન-ધારણ કરતો હોય, ભૂત-ભવિષ્ય ને વર્તમાન કહેતો હોય, અંતરની વાત જાણતો હોય, અનંત જીવોની નાડી તાણતો હોય, અનંત પરાક્રમ કરતો હોય તોપણ *જો દાસપણું ન હોય તો અંક વિનાના શૂન્ય જેવું છે.* પ્રકરણ-૧૩: દાસપણું

📙 *_અમૃતબિંદુ_* વાત-૧૭૦ 🔯
*આપણી વાણીમાં વિકારતા, જંગલી અવસ્થા, પશુતા આપણી વાણીમાં કોઈ સંજોગોમાં જોઈએ જ નહીં.* ભગવાન બોલે છે તમારામાં રહીને, તમારામાં રહીને પ્રભુ ખાય છે. પ્રભુ જુએ છે, ચાલે છે, બોલે છે એવી મંગલકારી ભાવનાવાળા એવા અદભુત દિવ્ય સંબંધવાળા સેવકો આપણે સહુ ભેગા થયા છીએ; તો *આપણા ચૈતન્યને વિશે પ્રભુને પ્રવેશ કેમ પામવા ના દઈએ! આપણે કેમ વિચાર ના કરીએ કે, આ પ્રભુને ગમતું નથી તો આપણાથી આ રીતે ના વર્તાય!*

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસ ના દાસ બનાવશોજી..* 🚼

🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
💐🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻💐


https://t.me/aajano_swadhyay

📚 આજ નો સ્વાધ્યાય 📚

29 Oct, 02:46


💫 *Best of the Year* 🎆

📚😇 *આજ નો સ્વાધ્યાય* 😇📚

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને લોક ને શાસ્ત્ર તેમણે મળમૂત્ર કરવાને અર્થે વર્જ્યા એવા સ્થાનક જે જીર્ણ દેવાલય, નદી તળાવના આરા તથા માર્ગ, વાવેલું ખેતર , વૃક્ષની છાયા તથા ફૂલવાડી- બગીચા, એ આદિક જે સ્થાનક તેમણે વિષે મળમૂત્ર ન કરવું તથા થૂકવું પણ નહિ. ૩૨

📕 *વચનામૃત* 🎤
|ગઢડા પ્રથમ ૧૬: વિવેકનું
જેણે કરીને પોતાને બંધન થાય અને પોતાને એકાંતિક ધર્મમાં ખોટ્ય આવે એવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે અને તેથી છેટે જ રહે અને તેના બંધનમાં આવે નહીં. અને *સવળો વિચાર હોય તેને ગ્રહણ કરે અને અવળો વિચાર હોય તેનો ત્યાગ કરે. એવી રીતે જે વર્તતો હોય ત્યારે જાણીએ જે, તેને વિવેક છે.*

📗 *_સ્વામીની વાતો_* 🗣
અનાદિ મૂળ અક્ષરમૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી જે, *ભગવાન ને સાધુના મહિમાની વાતું નિરંતર કરવી ને સાંભળવી. ને મહારજ તો પોતાનું અક્ષરધામ ને પાર્ષદ ને પોતાનું સમગ્ર ઐશ્વર્ય તે લઈને આંહી પધાર્યા છે. તે એવા ને એવા જ છે. ને દેહ મૂકીને જેને પામવા છે, તે આજ દેહ છતાં મળ્યા છે, કાંઈ બાકી નથી;* ને એમ ન સમજાય તેથી જીવમાં દુર્બળતા રહે છે, ને એમ સમજાય ત્યારે કોઈ દિવસ જીવમાં દુર્બળતા મનાય જ નહિ; ને જીવ બીજી રીતનો થઈ જાય છે. ને મહિમા સમજવા જેવું બીજું કોઈ મોટું સાધન પણ નથી ને મહિમા વિના બીજાં ગમે એટલાં સાધન કરે, તો પણ જીવ બળને પામે નહિ. ને *એવો મહિમા સમજવાનું કારણ તો એવા ભગવદીનો પ્રસંગ છે,* પણ તે વિના એવો મહિમા સમજાતો નથી. ૧/૧

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
ચિંતામણિ, પારસમણિ કે કલ્પવૃક્ષ તેના કરતાં પણ દાસપદ ઊંચું છે, શ્રેષ્ઠ છે, અધિક છે. ઈશ્વરો, અક્ષરમુક્ત કે રાધા - રમાદિ ભક્તો દાસપણાના ગુણથી જ તે સ્થિતિને પામ્યા છે. ભગવાન અને ભગવાનના સંતની સેવા કોટિ કલ્પ સુધી કરે અને ક્યારેય બરોબરિયાપણું આવવા ન દે, દાસના દાસનો દાસ થઈ રહે ત્યારે શ્રીહરિ તેને ‘દાસ’ ની પદવી આપે છે . *દાસ પદવી પરથી પર પદવી છે.* પ્રકરણ-૧૩: દાસપણું

📙 *_અમૃતબિંદુ_* વાત-૨૪૮/૪૯ 🔯
મહારાજે પૂછ્યું, "પર્વતભાઈ ક્યાં હતા?" 'પ્રભુ! હું તો અહીંયા હતો, ગંગાજળિયા કૂવામાં બેસીને ધ્યાન કરતો હતો.'
"ગંગાજળિયા કૂવામાં બેસીને ધ્યાન કર્યું એના કરતાં સંતોની સેવા કરી હોત તો?" મહારાજ થોડા ગરમ થયા. પર્વતભાઈ કાંઈ બોલ્યા નહિ.
*"ધ્યાન કરતાં સેવા શ્રેષ્ઠ છે,* પર્વતભાઈ કેમ ભુલા પડી ગયા!" *સેવા કરે તો ધ્યાન ટકે, સેવા કરે તો ચૈતન્ય ઉત્થાન અવસ્થાને પામશે. જેટલી ધ્યાનની જરૂર છે એથીય વિશેષ સેવાની જરૂર છે. ધ્યાન ન કરવું એવું નથી કહેતો, ધ્યાન પણ અનિવાર્ય છે પાછું; પણ એકાવધાની થવા માટે સેવા પણ એટલી જ અનિવાર્ય છે."* પર્વતભાઈ કાંઈ બોલ્યા નહિ.
*"કેમ સેવા છોડી? સવાયો નફો કેમ છોડ્યો, તમારા જેવા સમજુ થઈને!"* શ્રીજીમહારાજ એટલું જ બોલ્યા.
"પર્વતભાઈ પૂછવું જોઈતું હતું ને કૂવામાં જતાં પહેલાં! હું તો અહીંયા જ હતો." ત્યારે પર્વતભાઈને ખબર પડી કે, *'અહોહો આપણે આપણા બળથી કેમ જીવતા હોઈશું?'* જે દિવસે પ્રભુના બળે જીવવાનો દ્રઢ ઠરાવ તમે કરો તે દિવસે પ્રાર્થના કરવી, *'તમારા બળે જીવીએ એવું અમને ખરેખર કરી આપો.'*

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસ ના દાસ બનાવશોજી..* 🚼

🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
💐🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻💐


https://t.me/aajano_swadhyay

📚 આજ નો સ્વાધ્યાય 📚

28 Oct, 02:47


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને *પોતાની ઊપજનું જે દ્રવ્ય તેને અનુસરે નિરંતર ખરચ કરવો, પણ તે ઉપરાંત ન કરવો, અને જે ઊપજ કરતા વધારે ખર્ચ કરે છે, તેને મોટું દુખ થાય છે, એમ સર્વે ગૃહસ્થોએ મનમાં જાણવું.* ૧૪૫

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૨૪: જ્ઞાનની સ્થિતિનું, માહાત્મ્યરૂપી ખટાઈનું
જ્યારે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું જે, ‘આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે તેવો છે તોય પણ એને જો સત્સંગ મળ્યો છે અને એ જો જેવો-તેવો છે તોય પણ સત્સંગમાં પડ્યો છે, તો એનો પૂર્વજન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે તો આવો સત્સંગ મળ્યો છે,’ એમ સમજીને તેનો પણ અતિશય ગુણ લેવો.

📗 *_સ્વામીની વાતો_* 🗣
*કોઈ વાતની અંતરમાં ચિંતા થાય તો ભગવાનને માથે નાખી દેવું. એનામાં અનંત કળાઉં છે.* ૫/૩૩૩

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
ભગવાન કે ભગવાનના સાચા સંત જ્યારે પ્રગટ થાય છે ને ત્યારે તેના મુખે શાસ્ત્ર સાંભળે છે ત્યારે જીવનો ઉદ્ધાર થાય છે. બાકી સ્ત્રી અને ધનમાં લપટાયેલા એવા ગુરુઓનો પાર નથી. તેનું શરણું લેવાથી કોઈ ભવજણ પાર ઉતરી શકતું નથી. પ્રકરણ-૧૮: અસત્પુરુષ, અસાધુ

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૧૩/૦૯/૧૯૮૦, પૂ. શાસ્ત્રીસ્વામીજીનો પ્રાગટયદિન, વાત-૨૮૭ 🔯
*'હું સેવક, તું સ્વામી' આવી ભાવના. 'મારે મંદિર મ્હાલે રે બસ તું તું તું' એ કીર્તન વાગોળીએ. અથવા 'મારુ જીવન સહજ થાજો' એ મહાત્મ્યના ધોધમાં મારા અહમને હું ભૂસતો રહું. તમનેય ખબર ન પડે. એટલે મહારાજે કહી નાખ્યું કે કામાદિક દોષને જીતવા પ્રયાસ નહિ કરવો પડે. ક્યારેય ન કરવો પડે, મ.-૧૩ની પરાવાણીમાં વિશ્વાસ હોય તો. આપણને ખબારેય નહિ પડે અને ક્યારે હઠ જતી રહેશે. ક્યારે માન જતું રહેશે. ક્યારે ઈર્ષા જતી રહેશે. ક્યારે કામ જતો રહેશે. ક્યારે ક્રોધ, ક્યારે લોભ. જરાય ખબર નહિ પડે. એવું એક મહાત્મ્યસભર જીવન જીવવાની સુરુચી, કો'ક ભાવના રાખજો. એ અસુરો જે ઘર કરીને બેઠા છે તે સ્વપ્નમાં ને સ્વપ્નમાં તમારા ભૂંડા પ્રારબ્ધના થર નીકળી જશે. એવી એક મંગલકારી અવસ્થામાં લઈ જવા માટેનો સંકલ્પ પ્રભુનો છે.*

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસ ના દાસ બનાવશોજી..* 🚼

🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

27 Oct, 02:24


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને પોતાનું અથવા બીજાનું જે વિવાહ સંબંધી કાર્ય તેને વિષે આપવા યોગ્ય જે ધન તેનું સાક્ષીએ સહીત લખત કર્યા વિના કેવળ બોલી જ ન કરવી. ૧૪૪

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૨૪: જ્ઞાનની સ્થિતિનું, માહાત્મ્યરૂપી ખટાઈનું
*મારું મોટું ભાગ્ય છે.’ એવો વિચાર નથી કરતો ને આઠોપહોર અતિશય આનંદમાં નથી વર્તતો એ મોટી ખોટ્ય છે. જેમ ‘બાળકના હાથમાં ચિંતામણિ દીધો હોય તેનું તેને માહાત્મ્ય નથી એટલે તેનો તેને આનંદ નથી;’ તેમ ભગવાન પુરુષોત્તમ મળ્યા છે અને તેનો અંતરમાં આઠોપહોર કેફ રહેતો નથી જે, ‘મારું પૂર્ણકામપણું થયું છે’ એવું નથી સમજતો, એ હરિના ભક્તને મોટી ખોટ્ય છે.*

📗 *_સ્વામીની વાતો_* 🗣
ઉપાસના, આજ્ઞા ને સાધુ ઓળખવા; એ ત્રણ વાનાં અવશ્ય જોઈએ. આજ્ઞામાં ધર્મ, નિયમ, વ્રત, દાન, તપ સર્વે આવી જાય. ૫/૩૩૦

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
*જીવનું હિત કરે તે સાચા ગુરુ છે. એવા ગુરુના આશ્રયે શિષ્ય ક્યારેય દુઃખ પામતા નથી. આ લોક-પરલોકમાં હિત બતાવે તે સાચા ગુરુ છે. પરલોક સુધારવો એ જ મનુષ્ય-દેહનું ફળ છે. શુક, સનકાદિક, નારદ, પ્રહલાદ, પ્રિયવ્રત વગેરેનો એ મત છે. તે સિવાયનું બધું ડહાપણ નકામું છે. પ્રભુ ભજતો હોય તેને ડારો દે તે જમદૂત કરતાં વધુ હત્યારો છે.* પ્રકરણ-૧૯: ગુરુ

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૧૩/૦૯/૧૯૮૦, પૂ. શાસ્ત્રીસ્વામીજીનો પ્રાગટયદિન, વાત-૨૮૫ 🔯
*તમે બધા અહીં દ્રઢ ઠરાવ કરીને જજો કે મારે સેવક થવું છે. તમને ગમે એ પ્રમાણે જીવવું છે. પછી પ્રભુ એની અઢળક સંપત્તિમાં ભાગીદાર બનાવી દેશે.*

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસ ના દાસ બનાવશોજી..* 🚼

🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

26 Oct, 02:50


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻 ⚠️
અને *સાક્ષીએ સહીત લખત કર્યા વિના તો પોતાના પુત્ર અને મીત્રદિક સાથે પણ પૃથ્વી ને ધનના લેણદેણે કરીને વ્યવહાર જે તે ક્યારેય ન કરવો.* ૧૪૩

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૨૪: જ્ઞાનની સ્થિતિનું, માહાત્મ્યરૂપી ખટાઈનું
જે ભગવાનનું સ્વરૂપ છે તે તો માયા ને માયાના જે ગુણ તે થકી પર છે અને સર્વ વિકારે રહિત છે, પણ જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા ભાસે છે. તે ભગવાનને વિષે જે અલ્પમતિવાળા છે તે જેવા જેવા દોષ કલ્પે છે તે ભગવાનને વિષે તો એકે દોષ નથી, પણ કલ્પનારાની બુદ્ધિમાંથી એ દોષ કોઈ કાળે ટળવાના નહીં. તેમાં જે ભગવાનને કામી સમજે છે તે પોતે અત્યંત કામી થઈ જાય છે, અને જે ભગવાનને ક્રોધી સમજે છે તે પોતે અત્યંત ક્રોધી થઈ જાય છે, ને જે ભગવાનને લોભી સમજે છે તે પોતે અત્યંત લોભી થઈ જાય છે, ને જે ભગવાનને ઈર્ષ્યાવાન સમજે છે તે પોતે અત્યંત ઈર્ષ્યાવાન થઈ જાય છે, એ આદિક જે જે દોષ ભગવાનને વિષે કલ્પે છે તે તો *જેમ ‘સૂર્ય સામી ધૂડની ફાંટ ભરીને નાંખીએ તે પોતાની આંખમાં પડે છે,’ તેમ ભગવાનને વિષે જે જાતનો દોષ કલ્પે છે તે દોષ પોતાને દુઃખ દે છે.*

📗 *_સ્વામીની વાતો_* 🗣
કોઈ કહેશે જે, “મને જેમ છે તેમ કહો હું એમ કરીશ.” પણ મોટા હોય તે એમ જાણે જે, મોઢે કહે છે પણ આનાથી થાશે નહીં; ને કોઈ મોઢે કહે નહીં, પણ તેનુંય જાણે જે, આ મોઢે કહેતો નથી પણ તેનાથી થાશે. ૫/૩૨૭

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
ઘર છોડ્યું, સાધુનો વેષ ધર્યો, પણ સાધુતા ન આવી તો શું કામનું? પેટ ભરવા જે સાધુ થયો હોય તે તરત ઓળખાઈ જાય. ભગવાનને મૂકીને અન્ય પદાર્થમાં જેટલો રાગ છે તે જ અસાધુપણું છે. તે નામ માત્રનો સાધુ છે. ભગવાનનું નામ ન લે તો કોઈ ખાવાનું ન આપે એટલે નામ લે છે. હરિનું નામ લે ત્યારે તો ફેલ કરવા મળે છે. સંત થઈ પોતાના દેહને લાડ લડાવે તેની સહાય શ્રીહરિ કરતા નથી. પ્રકરણ-૧૮: અસત્પુરુષ, અસાધુ

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૧૩/૦૯/૧૯૮૦, પૂ. શાસ્ત્રીસ્વામીજીનો પ્રાગટયદિન, વાત-૨૮૩ 🔯
પર્વતભાઈને આનંદ હતો, શાથી? એ માનતા હતા કે મહારાજ મહારાજના સ્વરૂપોને જમાડી રહ્યા છે. એમને નહોતી ખબર કે આ સુરાખાચર જમે છે કે અલૈયા ખાચર જમે છે! એને નહોતી ખબર કે બ્રહ્માનંદસ્વામી કે મુક્તાનંદસ્વામી જમે છે. જે સંતોએ અપમાન કરેલાં, જે ખાચરોએ ભયંકર ટીખળ ઉડાડેળી પણ એ જ પર્વતભાઈના ઘરે પ્રભુ પીરસતા હતા ત્યારે પર્વતભાઈની દ્રષ્ટી જ એ હતી, પ્રભુ પ્રભુને જ જમાડી રહ્યા છે. એ મસ્તી કેવી હશે.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસ ના દાસ બનાવશોજી..* 🚼

🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

25 Oct, 02:47


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને ગાય, બળદ, ભેંસ, ઘોડા આદિક પશુ તેમની તૃણ જળાદીકે કરીને પોતાવાતે જો સંભાવના થાય તો તે પશુને રાખવા અને જો સંભાવના ન થાય તો ન રાખવા.૧૪૨

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૨૪: જ્ઞાનની સ્થિતિનું, માહાત્મ્યરૂપી ખટાઈનું
*જેટલો જેને ભગવાનનો નિશ્ચય ને મહિમા સમજાય છે તેને તેટલા ભૂંડા ઘાટ બંધ થઈ જાય છે. અને જ્યારે ભગવાનનો નિશ્ચય યથાર્થ થાય છે ને યથાર્થ મહિમા સમજાય છે ત્યારે તેને ભૂંડા ઘાટમાત્ર ટળી જાય છે.* જેમ લીંબુની એક ચિર્ય ચૂસી હોય તો થોડા થોડા દાંત અંબાય, પણ હળવા હળવા ચણા ચવાય ખરા; ને જો આખું લીંબુ ચૂસ્યું હોય તો ચણા ચવાય નહીં ને મગનો દાણો પરાણે પરાણે ચવાય; અને જો ઘણાં લીંબુ ચૂસ્યાં હોય તો રાંધેલો ભાત પણ ચવાય નહીં. તેમ ભગવાનનો નિશ્ચય અને માહાત્મ્યરૂપી જેને ખટાઈ ચડી હોય તેની ચાર અંતઃકરણ ને દસ ઇન્દ્રિયોરૂપ જે ડાઢ્યો તે સર્વે અંબાઈ જાય છે; ત્યારે એ જીવ મનરૂપ પોતાની ડાઢ્યે કરીને વિષયના સંકલ્પરૂપી ચણાને ચાવવાને સમર્થ થતો નથી, તેમ જ ચિત્તરૂપ પોતાની ડાઢ્યે કરીને વિષયનું ચિંતવન કરવા સમર્થ થતો નથી, તેમ જ બુદ્ધિરૂપ પોતાની ડાઢ્યે કરીને નિશ્ચય કરવા સમર્થ થતો નથી, તેમ જ અહંકારરૂપ પોતાની ડાઢ્યે કરીને વિષય સંબંધી અભિમાન કરવા સમર્થ થતો નથી, તેમ જ પંચ જ્ઞાનઇન્દ્રિયો ને પંચ કર્મઇન્દ્રિયોરૂપ જે ડાઢ્યો છે તે ડાઢ્યે કરીને તે તે ઇન્દ્રિયોના વિષયરૂપ જે ચણા તેને ચાવવાને સમર્થ થતો નથી.

📗 *_સ્વામીની વાતો_* 🗣
જેમ છે તેમ કહીએ તો તરત મનાય નહીં, માટે મનને વળગાડી મૂકવું, એટલે ધીરે ધીરે બળ પામશે તેમ સમજાશે. ૫/૩૨૬

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
ઘુતારાનો વિશ્વાસ ન કરવો એમ અમે વારે વારે કહીએ છીએ. હરિભક્ત હોવા છતાં ધુતારાનો વિશ્વાસ કરે છે. ધુતારા જેવું તો સાચાને પણ બોલતા આવડે નહિ ને તેથી તે સહેજે પૂજાય છે. ઘુતારા માટે તો જમપુરી છે. પ્રકરણ-૧૮: અસત્પુરુષ, અસાધુ

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૧૩/૦૯/૧૯૮૦, પૂ. શાસ્ત્રીસ્વામીજીનો પ્રાગટયદિન, વાત-૨૮૨ 🔯
મંદિરની સાથોસાથ દેહનું મંદિર પણ થવાનું છે. આ કોઈ પથરા ચણતાં નથી, આ કોઈ બોક્સ ભરતા નથી. આ કોઈ ઈંટોનો વ્યવહાર નથી. ફર્સ્ટ કલાસ ગ્રીન હોટલમાં જમાડનારા બહુ છે. ત્યાં જમનાર પંચભૂતનાં પૂતળાં છે, અહીં જમનાર ઠાકોરજી છે.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસ ના દાસ બનાવશોજી..* 🚼

🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

24 Oct, 02:47


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને તે ગૃહસ્થ સત્સંગી તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે સમયને અનુસરીને જેટલો પોતાના ઘરમા વરો હોય તેટલા અન્ન દ્રવ્યનો સંગ્રહ જે તે કરવો, અને જેના ઘરમા પશુ હોય એવા જે ગૃહસ્થ તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે ચાર્યપૂળાનો સંગ્રહ કરવો. ૧૪૧

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૨૪: જ્ઞાનની સ્થિતિનું, માહાત્મ્યરૂપી ખટાઈનું
શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, *“જે રીતે જ્ઞાને કરીને સ્થિતિ થાય છે તે કહીએ છીએ. તે જ્ઞાન કેવું છે? તો પ્રકૃતિપુરુષથી પર છે. અને જ્ઞાનને વિષે સ્થિતિ થાય છે ત્યારે પ્રકૃતિપુરુષ ને પ્રકૃતિપુરુષનું જે કાર્ય તે કાંઈ નજરમાં આવતું નથી.* અને એનું નામ જ્ઞાનપ્રલય કહેવાય છે. અને એવી સ્થિતિ થાય છે તેને એકરસ ચૈતન્ય ભાસે છે ને તેને વિષે એક ભગવાનની મૂર્તિ જ રહે છે, પણ બીજો કોઈ આકાર રહેતો નથી.

📗 *_સ્વામીની વાતો_* 🗣
જેમ છે તેમ ઓળખવું એ કઠણ છે, ને ઓળખાય તો સમાગમમાં રહેવું કઠણ છે, ને સમાગમમાં રહે તો જીવ સોંપીને અનુવૃત્તિમાં રહેવું એ કઠણ છે. બે આના પણ કોઈના પક્ષનો ભાગ રહે ખરો. ૫/૩૨૫

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
અધર્મીને બધી કળા આવડે છે. અધર્મી સત્સંગી થઈને બધાથી સરળ વર્તે, અમારાં વચનને તલ તલ જેટલાં યાદ રાખે અને કહી બતાવે, જેથી હરિભક્તને સાંભળીને ચિત્તમાં મોહ થાય ને તેને કોઈ કળી શકે નહિ. પ્રકરણ-૧૮: અસત્પુરુષ, અસાધુ

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૧૩/૦૯/૧૯૮૦, પૂ. શાસ્ત્રીસ્વામીજીનો પ્રાગટયદિન, વાત-૨૮૧ 🔯
વર્ષો સુધી અપમાનોને ને ગાળોની ઝડીઓમાં એકધારી પ્રભુની ભાવનાથી મસ્તીથી આધ્યાત્મિક ઈતિહાસના પાને કોઈપણ પુરુષ જીવન જીવી ગયા હોય તો પહેલા ભગતજીમહારાજ. કલ્પના બહારનું જીવન. એવું કોઈ પાત્ર પાકયું નથી એવું લાગે. સેવકભાવ! ભગતજીમહારાજે ગોરધનદાસ કોઠારીને નાળિયેર આપી દીધું, "જ્યાં સુધી વડતાલના ત્રણસો સંતોને બ્રહ્મની મૂર્તિ નહિ માનો ત્યાં સુધી કેફ અને મસ્તી અખંડ નહિ રહે. રોટલાની કોર કાચી સમજજો." એમાં મહોબત નહિ!

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસ ના દાસ બનાવશોજી..* 🚼

🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

23 Oct, 02:48


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને વળી પોતાના વર્ણાશ્રમને ઘટિત એવો જે ઉદ્યમ તે પોતાના સામથર્ય પ્રમાણે કરવો અને કૃષિવૃત્તિવાળા જે ગૃહસ્થ સત્સંગી તેમણે બળદિયાના વૃષણનો ઉચ્છેદ ન કરવો. ૧૪૦

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૨૩: પાણીનો ઘડો ઢોળ્યાનું, સ્થિતિમાં રહેવાનું
જેમ પાણીનો ઘડો ભરીને એક ઠેકાણે ઢોળી આવીએ, પછી વળી બીજે દિવસ અથવા ત્રીજે દિવસ તે ઠેકાણે પાણીનો ઘડો ઢોળીએ તેણે કરીને ત્યાં પાણીનો ધરો ભરાય નહીં; કાં જે, આગલા દિવસનું જળ આગલે દિવસ સુકાઈ જાય ને પાછલા દિવસનું પાછલે દિવસ સુકાઈ જાય. અને જો આંગળી જેવી નાની જ પાણીની સેર્ય અખંડ વહેતી હોય તો મોટો પાણીનો ધરો ભરાઈ જાય. *તેમ ખાતાં, પીતાં, હાલતાં, ચાલતાં તથા શુભ ક્રિયાને વિષે તથા અશુભ ક્રિયાને વિષે સર્વ કાળે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી. પછી એવી રીતે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખતાં રાખતાં એવી દ્રઢ સ્થિતિ થાય છે.*

📗 *_સ્વામીની વાતો_* 🗣
ખરેખરો જીવ સોંપીને તેનો થઈ રહે તો સિંહનો માલ શિયાળિયાં ખાઈ શકે નહીં. ૫/૩૨૩

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
ઈંગોરાળામાં શ્રીહરિ કહે, "અમારી આજ્ઞા પાળે નહિ અને મનમુખી થઈને ધર્મનું અપાર પાલન કરે, ખાનપાનનો ત્યાગ કરે, લોકમાં મહાવૈરાગ્ય દેખાડે, ફાટેલા-તૂટેલાં વસ્ત્ર પહેરે, મુખમાં મારુ નામ ઉચ્ચારે અને મને સંભારીને ખૂબ મારો મહિમા કહે અને રડે, સત્સંગ અને સંતનો મહિમા પણ વારંવાર અપાર કહે, પોતાનુ તન સુકવી નાખે, આહોનીશ અમારું રટણ કરે, ધ્યાન કરે, આંખોની પાંપણો પણ મટકાવે નહિ! કથા કરે, કાવ્ય કરે, સારં ગુણગાન ગાય, *એવું અનેક પ્રકારનું વર્તન કરે, તે જોઈ ભૂલા ન પડવું, કારણ કે તે મારી આજ્ઞામાં વર્તતો નથી ને મનમુખી વર્તન કરે છે એટલે તે મારાથી વિમુખ છે, અંત સમે તેને લેવા માટે અમે આવતા નથી."* પ્રકરણ-૧૮: અસત્પુરુષ, અસાધુ ⚠️

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૧૩/૦૯/૧૯૮૦, પૂ. શાસ્ત્રીસ્વામીજીનો પ્રાગટયદિન, વાત-૨૮૦ 🔯
કદાપિ કોઈ સંજોગોમાં મનથી ન ફાવ્યું, પણ દેહથી તો ભેગા બેસજો. મનથી ઉમળકો ન જામ્યો તો દેહથી સેવા કરજો.
★ એનું ફળ આવશે અતિ આનંદ.
★ એનું ફળ આવશે ભૂંડા પ્રારબ્ધનો પ્રલય, અંગ બદલાઈ જશે...
★ એનું ફળ આવશે સહજ પ્રાર્થના.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસ ના દાસ બનાવશોજી..* 🚼

🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

22 Oct, 02:47


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને અમારા આશ્રિત જે ગૃહસ્થ તેમણે માતા-પિતા અને ગુરુ તથા રોગાતુર એવા જે કોઈ મનુષ્ય તેમની જે સેવા તે જીવનપર્યત પોતાના સામથર્ય પ્રમાણે કરવી. ૧૩૯

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૨૩: પાણીનો ઘડો ઢોળ્યાનું, સ્થિતિમાં રહેવાનું
જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તથા સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહ તેથી પર ને ચૈતન્યરૂપ એવું પોતાના સ્વરૂપને માને અને તે પોતાના સ્વરૂપને વિષે ભગવાનની મૂર્તિને ધારીને ભગવાનનું ભજન કરે; પછી ત્રણ અવસ્થાથી ને ત્રણ શરીરથી પર જે પોતાનું સ્વરૂપ તેને અતિશય પ્રકાશમાન ભાળે ને તે પ્રકાશને વિષે ભગવાનની મૂર્તિ જેવી પ્રગટ પ્રમાણ છે તેવી અતિશય પ્રકાશે યુક્ત ભાસે, એવી રીતની સ્થિતિવાળો હોય. અને એવી રીતની સ્થિતિ જ્યાં સુધી થઈ નથી ત્યાં સુધી ભગવાનનો ભક્ત છે તો પણ તેને માથે વિઘ્ન છે.

📗 *_સ્વામીની વાતો_* 🗣
પોતપોતાનો દેહ સારો લાગે, ગામ સારું લાગે, દેશ સારો લાગે, એ તો દૈવની માયાનું બળ છે. ૫/૩૨૦

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
જગતમાં ગમે તેવી કીર્તિ હોય, પણ મર્યા પછી કોઈ જાણતું નથી. કીર્તિ માટે ઠેર ઠેર રૂપિયા વેરે છે, પણ પરલોકમાં કંઈ કામ લાગતી નથી, પરલોકમાં કામ આવે તેવો ઉદ્યમ કરે તે બુદ્ધિશાળી છે. પ્રકરણ-૧૬: દેહભાવ

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૧૩/૦૯/૧૯૮૦, પૂ. શાસ્ત્રીસ્વામીજીનો પ્રાગટયદિન, વાત-૨૭૯ 🔯
આપણી પાસે એવી કઈ ચીજ છે જે એમને આપવાના છીએ? તમારામાં એવી કઈ બુદ્ધિ-શક્તિ છે કે તમે એમની આગળ ડહાપણ કરવાના? કાંઈ છે નહીં, ઝીરો.
- એમને લઈને જોઈ રહ્યા છીએ.
- એમને લઈને ખાઈ રહ્યા છીએ.
- એમને લઈને હલન-ચલન કરી રહ્યા છીએ.
- એમણે સેવા આપી છે ઘડતર માટે.
- એમણે સેવા આપી છે ભૂંડા પ્રારબ્ધ અક્ષરધામરૂપ બનાવવા માટે.
- એમણે સેવા આપી છે, આરસને મૂર્તિ બનાવવા માટે.
કો'ક અમૂલ્ય તક આપણને મળી છે. બહુ ઊંચી કક્ષાની વાત ઠાકોરજી આગળ મૂકી છે. કદાચ સમજાય, ન સમજાય એની બહુ ચિંતા કરતા નહિ. પણ દેહે કરીને સેવકભાવ, નિર્માનીપણું ખોતા નહિ.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસ ના દાસ બનાવશોજી..* 🚼

🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

22 Oct, 02:44


📚 આજ નો સ્વાધ્યાય 📚 pinned «※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※ 🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕 📜 *શિક્ષાપત્રી* ✍🏻 અને પોતાનું અથવા બીજાનું જે વિવાહ સંબંધી કાર્ય તેને વિષે આપવા યોગ્ય જે ધન તેનું સાક્ષીએ સહીત લખત કર્યા વિના કેવળ બોલી જ ન કરવી. ||૧૪૪|| 📕 *વચનામૃત* 🎤 ||ગઢડા પ્રથમ ૨૪: જ્ઞાનની સ્થિતિનું…»

📚 આજ નો સ્વાધ્યાય 📚

21 Oct, 02:46


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને ગૃહસ્થાશ્રમી તેમણે પોતાને ઘેર આવ્યો જે અતિથી તેને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્નાદીકે કરીને પૂજવો અને વળી હોમાદિક જે દેવકર્મ અને શ્રાદ્ધાદિક જે પિતૃકર્મ તે જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિ જેમ ઘટે તેમ કરવું ૧૩૮

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૨૨: સ્મૃતિ વિના ગાયું તે ન ગાયા જેવું, એકડાનું
હાલતાં, ચાલતાં, ખાતાં, પીતાં સર્વ ક્રિયાને વિષે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો, તો તેને ભજનમાં બેસે ત્યારે ભગવાનમાં વૃત્તિ સ્થિર થાય. અને જેને ભગવાનમાં વૃત્તિ રહેવા લાગે તેને તો કામકાજ કરતે પણ રહે; અને જેને ગાફલાઈ હોય તેને તો ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનમાં વૃત્તિ ન રહે. તે માટે સાવધાન થઈને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ ભગવાનના ભક્તને કરવો.

📗 *_સ્વામીની વાતો_* 🗣
સત્સંગ, સાધુ ને ભગવાન જેવા મળ્યા છે તેવા ઓળખાતા નથી ને મનુષ્યભાવ રહે છે. જેવો લાભ થયો છે તેવો લાભ પણ ઓળખાતો નથી ને મનુષ્યભાવમાં દિવ્યભાવ છે તે મનાતો નથી, ને ઉપવાસ કરે પણ આમ સમજાય નહીં, ૫/૩૧૭

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
મોક્ષના માર્ગમાં ચાલવામાં પરિવાર વિઘ્ન કરે છે. તેથી સત્સંગને અમે કુટુંબ-પરિવાર માન્યો છે. સત્સંગથી બીજું કાંઈ અધિક જાણતા નથી, દેહના કુટુંબને વિસારી દીધું છે. જ્યારથી અમે કુટુંબનો ત્યાગ કર્યો છે તે દિવસથી આજ પર્યંત કોઈ દિવસ તે સ્વપ્નમાં યાદ કર્યું નથી. અમે વહાલા સંતો-ભક્તો છે તે સ્વપ્નમાં અખંડ દેખાયા કરે છે. અમારું અક્ષરધામ અને અહીંના સંતો-હરિભક્તો તે એકરૂપ દેખાય છે. પ્રકરણ-૧૬: દેહભાવ

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૧૩/૦૯/૧૯૮૦, પૂ. શાસ્ત્રીસ્વામીજીનો પ્રાગટયદિન, વાત-૨૭૬ 🔯
ભગવાનને નિર્દોષ માનો તો નિર્દોષ થઈ જવાય. નિષ્કામી માનો તો નિષ્કામી થઈ જવાય. નિર્માની માનો તો નિર્માની થઈ જવાય. માનથી જ મુકતોનો અભાવ આવે. ધરતીની સંસ્કૃતિઓ ખલાસ થઈ ગઈ. પોલિટિક્સ ખલાસ થવા બેઠું. સંસારમાં કળીયુગ પેઠો એનું મૂળભૂત કારણ છે માન.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસ ના દાસ બનાવશોજી..* 🚼

🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

20 Oct, 03:17


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને જે સ્ત્રીને કોઈ પ્રકાર ના વ્યવહારે કરીને રાજાનો પ્રસંગ હોય તેવી સ્ત્રીનો જે પ્રસંગ તે કોઈ પ્રકારે પણ ન જ કરવો.૧૩૭

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૨૨: સ્મૃતિ વિના ગાયું તે ન ગાયા જેવું, એકડાનું
મૃદંગ, સારંગી, સરોદા, તાલ ઇત્યાદિક વાદિત્ર વજાડીને કીર્તન ગાવવાં તેને વિષે જો ભગવાનની સ્મૃતિ ન રહે તો એ ગાયું તે ન ગાયા જેવું છે. અને ભગવાનને વિસારીને તો જગતમાં કેટલાક જીવ ગાય છે તથા વાદિત્ર વજાડે છે પણ તેણે કરીને તેના મનમાં શાંતિ આવતી નથી. તે માટે *ભગવાનનાં કીર્તન ગાવવાં તથા નામરટન કરવું તથા નારાયણધૂન્ય કરવી ઇત્યાદિક જે જે કરવું તે ભગવાનની મૂર્તિને સંભારીને જ કરવું.*

📗 *_સ્વામીની વાતો_* 🗣
વાતું કરવાથી માખીમાંથી સૂર્ય થાય ને સૂર્યમાંથી માખી થાય, જો વાત કરતાં આવડે તો. ‘વાતન કી વાત બડી કરામત હે.’ આ સર્વે સત્સંગ વાતે કરીને કરાવ્યો છે, ને આ સર્વે વાતે કરીને છે બીજું કાંઈ નથી. ૫/૩૧૬

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
નારી અને ધન જેની પાસે હોય તેનો કોઈને વિશ્વાસ ન આવે.જે જન પારકી નારી ને પારકું ધન રાખે છે તેની મતીમાં ફેરફાર થયા વિના રહેતો નથી. દારૂ જેવો તેનો ગુણ છે. ધન-નારીની પ્રાપ્તિ માટે લોકો લાજ તજે છે અને વેર કરે છે. ભગવાનને ભજનારા ભક્તોને તે વિઘ્નરૂપ છે. કામ અને ક્રોધ સમાન કોઈ શત્રુ નથી. પ્રકરણ-૧૬: દેહભાવ

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૧૩/૦૯/૧૯૮૦, પૂ. શાસ્ત્રીસ્વામીજીનો પ્રાગટયદિન, વાત-૨૭૪ 🔯 ⚠️
*પ્રભુના વચનમાં વિશ્વાસ રાખજો. નથી રાખતા એટલે જ દુઃખીયા છીએ. પ્રભુએ જ કહ્યું છે, મારો રથ, મારા ઘોડા, મારી ગાયો-ભેંસો, મારી ખેતી-વાડી, હથિયાર, પરિચર્યાદિ કરનારા સેવકો બધા નિર્ગુણ અને પ્રકાશેયુક્ત છે. કેટલી કક્ષાએ માનીએ છીએ બહુ પ્રેમથી વિચારો. એ જ પ્રભુએ મ.૧૩ના વચનામૃતમાં કહ્યું છે કે ભક્તો કેવળ બ્રહ્મની જ મૂર્તિ છે. હું એ આધ્યાત્મિક વચનોની વાત કરું છું. આપણું અંગ વિચિત્ર છે એટલે આપણે વચનને વાગોળતા નથી. આપણી માનીનતા ને સત્ય નકારા છે જેના ફળસ્વરૂપે એ શબ્દો સ્પર્શ કરી શકતા નથી. સ્થિર કરી શકતા નથી, વાગોળીને દાખડો જ કર્યો હોય તો આપણને દિલથી મનાય કે મારી સામે આવેલો મુક્ત નિર્ગુણ ને નિર્દોષ છે. તમે એ માનવા પ્રયત્ન કરશો એટલે તમે નિર્દોષ થઈ જશો.*

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસ ના દાસ બનાવશોજી..* 🚼

🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

19 Oct, 02:51


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને તે ગૃહસ્થાશ્રમી પુરુષ તેમણે યુવાન અવસ્થાએ યુક્ત એવી જે પોતાની મા, બહેન અને દીકરી તે સંગાથે પણ આપત્કાળ વિના એકાંત સ્થળને વિષે ન રહેવું અને પોતાની સ્ત્રીનું દાન કોઈને ન કરવું. ૧૩૬

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૨૧: એકાંતિક ધર્મવાળાનું, અક્ષરનાં બે સ્વરૂપનું
*દ્રઢ નિશ્ચય રાખીને નિરંતર ભગવાનની એકાંતિક ભક્તિ કરવી અને ભગવાનનું અતિશય માહાત્મ્ય યથાર્થ સમજીને ભગવાન વિના બીજા જે સ્ત્રી-ધનાદિક સર્વ પદાર્થ તેની જે વાસના તેને દેહ છતે જ ટાળી નાંખવી. અને જો ભગવાન વિના બીજા પદાર્થની વાસના રહી ગઈ હોય ને તેનો દેહ પડે ને તેને ભગવાનના ધામમાં જાતે જો માર્ગમાં સિદ્ધિયો દેખાય તો તે ભગવાનને મૂકીને તે સિદ્ધિઓમાં લોભાઈ જાય તો તેને મોટું વિઘ્ન થાય; માટે સર્વ પદાર્થની વાસના ટાળીને ભગવાનને ભજવા.*

📗 *_સ્વામીની વાતો_* 🗣
માની હોય તેને માન આપીને જીતવો, ને ગરવીને દીન થઈ જીતવો, ને ગરીબને દબાવીને જીતવો, ને લોભીને પદાર્થ આપીને જીતવો, એમ સર્વેને જીતી લેવા. ૫/૩૧૫

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
ગ્રામ્યવાર્તા કહેવી સાંભળવી તે સત્સંગ ન કહેવાય. ગ્રામ્યવાત ઉપર જીવને અનાદીથી ભાવ છે, તે જ જન્મમરણનું બીજ છે. પ્રકરણ-૧૬: દેહભાવ

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૧૩/૦૯/૧૯૮૦, પૂ. શાસ્ત્રીસ્વામીજીનો પ્રાગટયદિન, વાત-૨૭૩ 🔯
રસોડામાં રસોઈ કરીને કોઈ સેવક તમને બધાને બહુ પ્રેમથી જમાડી દેશે પણ એની ભાવના ભક્તિએ કરીને નહિ હોય તો એનું ફળ ખાલી ૧૫૦ રૂપિયાની ડ્યુટી જેટલું. રેસ્ટોરન્ટમાં નથી જમાડતા? એરહોસ્ટેસ પણ જમાડે છે. સેવકભાવ એ કો'ક ચીજ જુદી છે. ધન્ય હો સહજાનંદસ્વામીને! માનવજાતિને સદા સુખી કરવા માટે કરુણાએ કરીને આ સેવા આપી છે. આપણે અહોહોભાવે કરવાની છે.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસ ના દાસ બનાવશોજી..* 🚼

🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

18 Oct, 02:50


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
(હવે ગૃહસ્થાશ્રમીના જે વિશેષ ધર્મ છે તે કહીએ છીએ.) *અમારે આશ્રિત જે ગૃહસ્થાશ્રમી પુરુષ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાની જે વિધવા સ્ત્રીઓ તેમનો સ્પર્શ ન કરવો.* ૧૩૫

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૨૧: એકાંતિક ધર્મવાળાનું, અક્ષરનાં બે સ્વરૂપનું
*આપણા સત્સંગી સર્વેને તો એમ જ નિશ્ચય કરવો જે, ‘આપણે પણ એ અક્ષરરૂપ જે મુક્ત તેમની પંક્તિમાં ભળવું છે અને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હજૂર રહેવું છે, પણ નાશવંત ને તુચ્છ એવું જે માયિક સુખ તેને ઇચ્છવું નથી ને એમાં કોઈ ઠેકાણે લોભાવું નથી;*

📗 *_સ્વામીની વાતો_* 🗣
પાંડવે યજ્ઞ કર્યો તેમાં ભગવાન પણ ભેળા હતા, તો પણ નોળિયો સોનાનો થયો નહીં ને ઋષિના ચાર શેર સાથવાના યજ્ઞમાં સોનાનો થયો, એમ સત્પાત્રની સેવાનું ફળ છે. ૫/૩૧૩

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻⚠️
*જીવને સ્વપ્ન આવે છે તે ઉપરથી સંસારમાં ભાવ કે અભાવ છે એનો ખ્યાલ છે.* પ્રકરણ-૧૭: સંસાર

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૨૮/૦૭/૧૯૮૦, વચ.ગ.પ્ર.૧૮નું નિરૂપણ, હરિધામ, વાત-૨૭૨ 🔯
'મારું જીવન સહજ થાજો...' આ વાત એકાંતિક મુકતોની છે. ભગવાનને અર્થે મરણીયા થયા હોય એવા ચૈતન્યોની છે. જ્યાં સુધી 'હું' અને 'મારું' છે ત્યાં સુધી જીવન સહજ નથી. જ્યાં સુધી માન છે, ત્યાં સુધી પ્રભુની ઉપેક્ષા છે. 'હું કંઈક છું' ત્યાં પ્રભુની ઉપેક્ષા છે. 'મારામાં કંઈક છે' એ પ્રભુની ઉપેક્ષા છે. તમારામાં શું છે? તમારી પાસે શું છે? તમે કોણ? એ વિચાર કરીએ તો ગાંડું થઈ જવાય. કેવળ પ્રભુ છે. આપણી આંખમાં જોનારા પ્રભુ છે. આપણા કાનમાં સાંભળનારા પ્રભુ છે. આ તો ખોખું છે.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસ ના દાસ બનાવશોજી..* 🚼

🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

17 Oct, 02:51


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને આ જે પૂર્વે સર્વ ધર્મ કહ્યા તે જે તે અમારા આશ્રિત જે ત્યાગી, ગૃહસ્થ, બાઈ, ભાઈ સર્વ સત્સંગી તેમના સામાન્ય ધર્મ કહ્યા છે કેહતા સર્વ સત્સંગી માત્રને સરખા પાળવાના છે અને એ સર્વેના જે વિશેષ ધર્મ છે તેમને પૃથક્્પૃથક્ પણે કરીને કહીએ છીએ. ૧૨૨

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૨૧: એકાંતિક ધર્મવાળાનું, અક્ષરનાં બે સ્વરૂપનું
જે એકાંતિક ભક્ત તે દેહનો ત્યાગ કરીને સર્વે માયાના ભાવથી મુક્ત થઈને અર્ચિમાર્ગે કરીને ભગવાનના અક્ષરધામને પામે છે. તે અક્ષરનાં બે સ્વરૂપ છે - એક તો નિરાકાર એકરસ ચૈતન્ય છે તેને ચિદાકાશ કહીએ, બ્રહ્મમહોલ કહીએ; અને એ અક્ષર બીજે રૂપે કરીને પુરુષોત્તમ નારાયણની સેવામાં રહે છે. અને એ અક્ષરધામને પામ્યો જે ભક્ત તે પણ અક્ષરના સાધર્મ્યપણાને પામે છે અને ભગવાનની અખંડ સેવામાં રહે છે.

📗 *_સ્વામીની વાતો_* 🗣
રાજાને પાણી ન પાયું તો પણ સંકલ્પ કર્યો હતો તેથી તેને ગામ આપ્યું. તેમ જીવ પોતાના સ્વભાવ મૂકતા નથી, તેમ ભગવાન પણ પોતે જીવનો મોક્ષ કરવાનો સંકલ્પ મૂકતા નથી. ૫/૩૧૨

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
અમૂલ્ય મનુષ્યદેહ પામી તેમાં ભૂલા ન પડવું. મનુષ્યદેહ દિવસ જેવો છે. અન્ય યોનીના દેહ અંધારી રાત્રી જેવા છે. દિવસે ન સૂઝે ને ભૂલો પડે પછી રાત્રીએ પગ જ ક્યાં મૂકશે! મનુષ્ય દેહ છૂટ્યો તો સંસારરૂપી કૂપમાં પડ્યો જ સમજવો. પછી ઉગર્યાનો કોઈ ઉપાય નથી. અનંત દેહના પાપનો ભાર ઉતારવા મનુષ્યદેહ મળ્યો, તેમાં પણ જો પાપ કરે તો છૂટવાનો ઉપાય ક્યાં રહ્યો? જેને સંત મળે છે તે સંસારરૂપી કુવાને ઓળખે છે. સંત તેને જ્ઞાન આપે છે, ને તારી લે છે. પૂર્વે મોટા મોટા રાજાઓ પણ સંત મળતાં સંસાર તરી ગયા છે. પ્રકરણ-૧૭: સંસાર

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૨૮/૦૭/૧૯૮૦, વચ.ગ.પ્ર.૧૮નું નિરૂપણ, હરિધામ, વાત-૨૭૧ 🔯
આપણે મિત્ર થવું છે.
★ મિત્ર માટે મરે એનું નામ મિત્ર કહેવાય.
★ મિત્રનું ગમાડે એનું નામ મિત્ર કહેવાય.
★ મિત્ર માટે તર્ક-વિતર્ક ન કરે એનું નામ મિત્ર કહેવાય.
એવી સરસ મૈત્રી સંતો-હરિભક્તો વચ્ચે થાય એવી રીતે ઉઠાવ લેવાનો સંકલ્પ કરજો.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસ ના દાસ બનાવશોજી..* 🚼

🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

16 Oct, 02:28


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત એ જે ત્રણ વાનાં તે જે દેશ, કાળ, અવસ્થા, દ્રવ્ય, જાતી અને સામર્થ્ય એટલાને અનુસારે કરીને જાણવા. ૧૨૦

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૨૧: એકાંતિક ધર્મવાળાનું, અક્ષરનાં બે સ્વરૂપનું
દેહગેહાદિક સર્વ પદાર્થને અસત્ય જાણીને તથા દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ તેથી જુદું પોતાનું સ્વરૂપ જાણીને તથા પોતાના ધર્મમાં રહીને ભગવાનની નિષ્કામભક્તિ કરવી અને દિવસે દિવસે ભગવાનનું અતિશય માહાત્મ્ય જણાય તેને અર્થે સાધુનો સંગ નિરંતર રાખવો.

📗 *_સ્વામીની વાતો_* 🗣
ભગવાન ભજવામાં ત્રણ વિઘ્ન છે: એક લોકનો કુસંગ, સત્સંગમાં કુસંગ ને ઇન્દ્રિયું-અંતઃકરણનો કુસંગ; માટે એ સર્વેના છળમાં આવવું નહીં. ને સત્સંગમાં કુસંગનો જોગ થાય ને બ્રહ્મરૂપ હોય તો દેહરૂપ કરી નાખે ને સત્સંગમાં સારાનો જોગ થાય તો દેહરૂપ હોય તેને બ્રહ્મરૂપ કરે. ૫/૩૧૧

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
ભગવાનનું ધ્યાન કરવા બેસવું કે સભામાં જેટલી વાર બેસવું તેટલીવાર સંતોએ નાસિકાગ્ર વૃત્તિ રાખી બેસવું. માંખ-મચ્છર કરડે તો થડકવું નહિ. પ્રકરણ-૧૬: દેહભાવ

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૨૮/૦૭/૧૯૮૦, વચ.ગ.પ્ર.૧૮નું નિરૂપણ, હરિધામ, વાત-૨૭૦ 🔯
એક મંગલકારી દિવ્ય સમાજનું અવતરણ પૃથ્વી પર થઈ રહ્યું છે. નિર્દોષ સમાજ, પવિત્ર સમાજ, 'મારા' ને 'તારા' સિવાયનો સમાજ. ઈન્દ્રિયોથી પરનો સમાજ! મને બહુ વિશ્વાસ છે કે એક નવો યોગ, નવી શાંતિ બહુ પ્રેમથી લાખો કુટુંબોમાં આવશે પણ ત્યાર પહેલાં આપણે તૈયાર થઈ જવું છે. આપણે ખરેખર દીકરા થવું છે.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસ ના દાસ બનાવશોજી..* 🚼

🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

📚 આજ નો સ્વાધ્યાય 📚

15 Oct, 02:00


※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻 🎂
સંવત ૧૮૮૨ અઢારસો બ્યાસીના મહા સુદ પંચમીને દિવસે આ શિક્ષાપત્રી અમે લખી છે તે પરમ કલ્યાણકારી છે.૨૧૧

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૨૧: એકાંતિક ધર્મવાળાનું, અક્ષરનાં બે સ્વરૂપનું
*જે ભગવાનનો ભક્ત હોય તેને ખાતાં, પીતાં, ના’તાં, ધોતાં, ચાલતાં, બેઠતાં સર્વ ક્રિયાને વિષે ભગવાનની મૂર્તિનું ચિંતવન કરવું. અને જ્યારે અંતરમાં કોઈ વિક્ષેપ ન હોય ત્યારે તો ભગવાનનું ચિંતવન કરવું ને ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું અને જો અંતરમાં સંકલ્પ-વિકલ્પનો વિક્ષેપ થાય તો દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા, વિષય એ સર્વથી પોતાનું સ્વરૂપ જુદું સમજવું અને જ્યારે સંકલ્પનો વિરામ થાય ત્યારે ભગવાનની મૂર્તિનું ચિંતવન કરવું. અને આ દેહને તો પોતાનું સ્વરૂપ માનવું નહીં,*

📗 *_સ્વામીની વાતો_* 🗣
આપણે જ્ઞાન શીખતાં તો આવડે જ નહીં ને વૈરાગ્ય તો છે જ નહીં. માટે હું ભગવાનનો ને એ મારા, એમ માનવું. ને હેત તો પંદર આના સ્ત્રીમાં છે ને એક આનો અમારામાં છે, ને કલ્યાણ તો એને શરણે ગયા એટલે સમર્થ છે તે કલ્યાણ કરે, એ એની મોટાઈ છે. ૫/૩૦૯

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
ભગવાનના અક્ષરધામ તુલ્ય કોઈ શ્રેષ્ઠ ધામ નથી, તે ધામને યજ્ઞ-યાગથી પમાતું નથી. જપ, તપ, તીર્થ, વ્રત, ચાહે તેટલા કરો તોપણ તે ધામ મળતું નથી. તે સંતસેવાથી પ્રાપ્ત થાય છે. બીજા સાધન કરે તો દેવલોક પામે, કાં તો ધનાઢય થાય, કાં તો પવિત્ર બ્રાહ્મણ થાય, પરંતુ *સંતની સેવાથી ભગવાનનું ધામ પામે છે. સંત સિવાય હરિધામને પામવા કોઈ દ્વાર નથી.* એવું શાસ્ત્રો વારંવાર કહે છે. પ્રકરણ-૧૫: એકાંતિક સત્પુરુષ

📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૨૭/૦૭/૧૯૮૦, ગુરુપૂર્ણિમા, હરિધામ, વાત-૨૨૫ 🔯 ⚠️🎂⚠️
શાસ્ત્રીજીમહારાજ સયાજીપૂરાથી અટલાદરા જવા નીકળ્યા. ૬ કિલોમીટરનું અંતર છે. ગુરુ-ચેલો ભેંસ લઈને નીકળ્યા. બે કિલોમીટર ચાલ્યા ને ભેંસ વિયાઈ. હવે એ ભેંસને લઈ જવાની. એનાં બચ્ચાને સાફ કરવાનું અને ઊંચકવાનું. શાસ્ત્રીજીમહારાજ એ બચ્ચાને ખભે ઊંચકીને અટલાદરા લાવ્યા. શાસ્ત્રીજીમહારાજ સાથેના સાધુને કહે, "તું ભેંસને દોર હું બચ્ચાને ઊંચકું છું." પણ સાધક ઊંચકવા ન દે ને! એટલે શાસ્ત્રીજીમહારાજ કહે, "તું ડહાપણ બંધ કર. તને આવડશે નહિ. હું એને સાચવીને લઈ જઉં છું." શાસ્ત્રીજીમહારાજ બહુ કળાબાજ. જો એ બચ્ચું બીજા સાધુએ ઊંચક્યું હોત તો દશા બેસી જાત. શાસ્ત્રીજીમહારાજ સાચવીને એને અટલાદરા લઈ આવ્યા.
શું શાસ્ત્રીજીમહારાજ સમર્થ નહોતા? થોડી વાર પછી ભેંસને વિયાવા દીધી હોત તો? જડ અને ચેતન સહુનાય પ્રાણ. છતાં કેવા સેવક થઈને વર્ત્યા! સમર્થ હોવા છતાંય સૌનાય ગુલામ થઈને, સહુની રીતે, માનવની કક્ષાથી નીચે જઈને વર્ત્યા. *કદાચ એ કક્ષાએ આપણે ન વર્તી શકીએ તોપણ આપણે એટલું તો કહી શકીએ, 'હે મહારાજ! તારે લઈને અમે છીએ. જોનારો તું, ખાનારો તું, ચાલનારો તું છું.' એના જ બળે જીવવું છે. એની આગળ ખલાસ થઈને જીવવું છે. 'તારે લઈને હું.' બસ. ભલે કદાચ વર્તાય નહિ પણ બોલતા તો આજથી જ શીખી જજો.*

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસ ના દાસ બનાવશોજી..* 🚼

🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※