*૨૪ સપ્ટેમ્બર ના ના રોજ અસારવા બહુમાળી ભવન ખાતે સર્વિસ,બેન્કિંગ તેમજ મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે રોજગાર ભરતી મેળો યોજાશે*
મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, શાહીબાગ ખાતે રોજગાર ભરતી મેળો તા. ૨૪/૦૯/૨૦૨૪ ના રોજ સવારે ૧૦ કલાકે સર્વિસ,બેન્કિંગ,મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટેનો રોજગાર ભરતી મેળો યોજાશે, જેમાં અમદાવાદ જીલ્લાની કાર્યાન્વિત અગ્રગણ્ય કંપનીઓ ઉપસ્થિત રહી નોકરી ઓફર કરશે , તે ઉપરાંત સેલ્સ એન્ડ સર્વિસ એન્જીનીયર,સેલ્સ એક્ઝીક્યુટીવ,એકાઉન્ટન્ટ, ટેલિકોલર, રીલેશનશીપ મેનેજર, બેક ઓફિસર, ટેકનીશ્યન, એસોસિયેટ, એક્ઝીક્યુટીવ,માર્કેટિંગ એક્ઝીક્યુટીવ, હાઉસકીપિંગ સ્ટાફ, હેલ્પર,વેલ્ડર ,ટરનર, ફીટર,ઈલેક્ટ્રીકલ, સિક્યુરીટી ગાર્ડ, સુપરવાઈઝર વગેરે જેવી પોસ્ટ માટે સર્વિસ સેક્ટર, બેન્કિંગ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર વગેરે કંપની ઉપસ્થિત રહી નોકરી આપશે, ૦૭ કરતા વધારે કંપનીઓ સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે, ધોરણ ૯,૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ તેમજ ડીપ્લોમાં/ ડીગ્રી વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે, આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી સાથે રાખી તા. ૨૪/૦૯/૨૦૨૪ ના રોજ સમય: ૧૦:૦૦કલાકે અસારવા બહુમાળી ભવન, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું, જેમા અમદાવાદ જીલ્લાની ૦૭ કરતા વધારે કંપનીઓ ઉપસ્થિત રહેશે .તેમજ પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર યોજાશે જેમાં ગુજરાત સરકારના અલગ અલગ વિભાગો દ્વારા સ્વરોજગાર માટે આપતી લોન સહાય યોજનાની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે,